શોધખોળ કરો

દિલ્હીમાં ભાજપ સાથે ચૂંટણી લડવા અંગે CM નીતીશ કુમાર કરે સ્પષ્ટતા- પવન વર્મા

પવન વર્માએ નીતીશ કુમારને પુછ્યું કે શું ભાજપને દિલ્હીમાં સમર્થન આપવું પાર્ટીના સંવિધાનને અનુકુળ છે?

નવી દિલ્હી: જેડીયૂના વરિષ્ઠ નેતા અને પૂર્વ રાજ્યસભા સાંસદ પવન વર્મા આજે પટના પહોંચ્યા હતા. પટના એરપોર્ટ પર પવન વર્માએ કહ્યું કે મે બિહાર મુખ્મમંત્રી નીતીશ કુમારને આજે પત્ર લખ્યો છે, કારણ કે જેડીયૂની વિચારધારામાં સ્પષ્ટીકરણની જરૂર છે. અમારી પાર્ટીના સિદ્ધાંત નક્કી છે. પવન વર્માએ નીતીશ કુમારને પુછ્યું કે શું ભાજપને દિલ્હીમાં સમર્થન આપવું પાર્ટીના સંવિધાનને અનુકુળ છે? નીતીશ કુમારનો પોતાનો મત ભાજપ વિશે શું છે ? પવન વર્માએ કહ્યું હું નીતીશ કુમાર સાથે પર્સનલી વાત કરી ચૂક્યો છું. જ્યારે સીએએનું પાર્ટીએ સમર્થન કર્યું હતું ત્યારે મે નીતીશ કુમારને સાર્વજનિક રીતે પોતાના વિરોધ વ્યક્ત કરતા પહેલા વાત કરી હતી. તમામ મુદ્દાઓ પર અમારી વાતચીત થઈ રહી છે. છતાં પણ જો પાર્ટી બિહારથી આગળ વધીને દિલ્હીમાં ભાજપ સાથે ગઠબંધન કરી રહ્યું છે તો મારૂ માનવું છે કે એમાં વૈચારિક સ્પષ્ટીકરણની જરૂર છે. અંગ્રેજીમાં લખેલા બે પાનાના પત્રમાં પવન વર્માએ નીતિશકુમારને 2012માં થયેલી મુલાકાતની યાદ અપાવી હતી. પત્રમાં તેમણે લખ્યું હતું કે, 2012માં જ્યારે પટણામાં મુલાકાત થઇ તે સમયે ઔપચારિક સ્તર પર હું પાર્ટીમાં સામેલ થયો ન હતો. તમે મને ભાજપ અને આરએસએસની વિભાજનકારી નીતિ અને કેવી રીતે નરેંદ્ર મોદી દેશના ભાવિ માટે યોગ્ય નથી તે અંગે લાંબી ચર્ચા કરી હતી. જેડીયૂમાં પ્રશાંત કિશોરને સામેલ કરવા અને તેમની તાકાત વધારવા પાછળ પવન વર્માને જ માનવામાં આવી રહ્યા છે. રાજનીતિક વર્તુળોમાં એવી ચર્ચા સામાન્ય છે કે, જેડીયૂના કેટલાક નેતા પ્રશાંત કિશોરને પાર્ટીમાં સામેલ કરવાથી નાખુશ દેખાઈ રહ્યા છે પરંતુ તે સમયે વર્માએ તેમનો સાથ આપ્યો હતો. પત્રના અંતમાં પવન વર્માએ નીતિશકુમારને પોતાની વિચારધારા સ્પષ્ટ કરવાની અપીલ કરી હતી.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | રાજકોટના 'ગઠિયા' કોણ કોણ?Hu to Bolish | હું તો બોલીશ | આ ગુંડાગર્દી નહીં ચાલેHu to Bolish | હું તો બોલીશ | પાણીનો પ્રચંડ પ્રહારValsad Rains | કુંડી ગામે ભારે પવન ફુંકાતા ઘરોના છાપરા ઉડ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Embed widget