શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
રામ મંદિર નિર્માણના ભૂમિ પૂજન પર રોક લગાવવા અલાહબાદ HCમાં અરજી, કહ્યું- કોવિડ ગાઈડલાઈનનું થશે ઉલ્લંઘન
પીઆઈએલમાં કહેવામાં આવ્યું છે કે, ભૂમિ પૂજન કોવિડ 19ના અનલોક-2 ગાઈડલાઈનનું ઉલ્લંઘન છે. ભૂમિ પૂજન દરમિયાન ત્રણસો લોકો ભેગા થશે, જે કોવિડના નિયમો વિરુદ્ધ હશે
![રામ મંદિર નિર્માણના ભૂમિ પૂજન પર રોક લગાવવા અલાહબાદ HCમાં અરજી, કહ્યું- કોવિડ ગાઈડલાઈનનું થશે ઉલ્લંઘન pil filed in allahabad highcourt to prohibit ram mandir bhumi pujan રામ મંદિર નિર્માણના ભૂમિ પૂજન પર રોક લગાવવા અલાહબાદ HCમાં અરજી, કહ્યું- કોવિડ ગાઈડલાઈનનું થશે ઉલ્લંઘન](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/07/24031923/hc-.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
પ્રયાગરાજ: અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે 5 ઓગસ્ટે ભૂમિ પૂજન થવાનું છે, ત્યારે તેના પર રોક લગાવવાની માગં સાથે અલાહબાદ હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી છે. દિલ્હીના પત્રકાર સાકેત ગોખલેએ હાઈકોર્ટના ચીફ જસ્ટિસને લેટર પીઆઈએલના માધ્યમથી આ અરજી કરી છે. ગોખલે દ્વારા દાખલ કરવામાં આવેલી પીઆઈએલમાં કહેવામાં આવ્યું છે કે, ભૂમિ પૂજન કોવિડ 19ના અનલોક-2 ગાઈડલાઈનનું ઉલ્લંઘન છે.
અરજીમાં કહેવામાં આવ્યું છે કે, અયોધ્યમાં ભૂમિ પૂજન દરમિયાન ત્રણસો લોકો ભેગા થશે, જે કોવિડના નિયમો વિરુદ્ધ હશે. જનહિત અરજીમાં એ પણ કહેવામાં આવ્યું છે કે, આ કાર્યક્રમથી કોરોના સંક્રમણનો ખતરો વધી શકે છે. સાથે એ પણ કહેવામાં આવ્યું છે કે, યૂપી સરકાર કેન્દ્રની ગાઈડલાઈનમાં છૂટ આપી શકે નહીં.
અરજીમાં ગોખલેએ તે આદેશનો પણ ઉલ્લેખ કર્યો જેના હેઠળ બકરી ઈદ પર સામૂહિક નમાજની મંજૂરી આપવામાં આવી નહોતી. જેથી કોરોના ન ફેલાય.
ઉલ્લેખનીય છે કે, પત્રકાર સાકેત ગોખલે વિદેશોમાં અનેક અખબારો સાથે કામ કરી ચૂક્યા છે અને સાથે સોશિયલ એક્ટિવિસ્ટ પણ છે.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ધર્મ-જ્યોતિષ
સમાચાર
સમાચાર
સુરત
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)