શોધખોળ કરો

રાહુલ પર PM મોદીની ટિપ્પણી- અમે અવિશ્વાસનું કારણ પૂછ્યું, તો તેઓ ગળે પડી ગયા

  લખનઉઃનવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે શાહજહાંપુરમાં કિસાન કલ્યાણ રેલીને સંબોધિત કરી હતી. રેલી દરમિયાન મહાગઠબંધન પર વ્યંગ કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે, જેટલા વધુ દળો એક સાથે મળશે તેટલું વધુ કિચડ થશે એટલા વધારે કમળ ખીલશે. વડાપ્રધાન મોદીએ સંસદમાં લાવવામાં આવેલા અવિશ્વાસ પ્રસ્તાવ પર બોલતા કહ્યું કે, અમે તેમના અવિશ્વાસ પ્રસ્તાવને લઇને અનેકવાર સવાલો કર્યા છે પરંતુ તેઓ કારણ બતાવી રહ્યા નથી અને ગળે પડી ગયા. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, અહંકાર, દંભ અને દમનના સંસ્કાર આજે યુવા ભારત સહન કરવા તૈયાર નથી પછી તે સાયકલ હોય અથવા હાથી, , કોઇ પણ હોય સાથી, સ્વાર્થના આ આખા સ્વાંગને દેશ સમજી ચૂક્યો છે. પોતાના ભાષણ દરમિયાન મોદીને કહ્યું કે, આખા દેશના ખેડૂતો અમને આશીર્વાદ આપી રહ્યા છે. કેટલાક દિવસો અગાઉ શેરડીના ખેડૂતો મને મળવા દિલ્હી આવ્યા હતા અને મે તેમને કહ્યુ હતું કે ટૂંક સમયમાં શેરડીના ખેડૂતોને એક ખુશખબરી જાણવા મળશે અને આ વચન પુરુ કરવા માટે શાહજહાંપુર આવ્યો છું. શેરડીના ખેડૂતોને તેમની સરકારે ભેટ આપી છે. આ વખતે જે શેરડી વાવવામાં આવી છે તેના ખર્ચથી લગભગ પોણા બે ગણો લાભ મળશે. મોદીએ કહ્યું કે, અમારી સરકારે નિર્ણય લીધો હતો કે દેશના શેરડીના ખેડૂતોને શેરડીના કુલ ખર્ચથી લગભગ 80 ટકા લીધો લાભ મળશે. અનાજ, મકાઇ, દાળ અને તેલિબિયાના 14 પાકના સરકારી મૂલ્યમાં 200 રૂપિયાથી લઇને 1800 રૂપિયાનો વધારો દેશના ઇતિહાસમાં ક્યારેય થયો નથી. અમારી સરકારે ખાંડનું ન્યૂનતમ મૂલ્ય નક્કી કર્યું. ખેડૂતોને MSPનો ફાયદો આપ્યો. 20 લાખ ટનની ખાંડની નિકાસની પરવાનગી આપી." વિપક્ષ પર હુમલો કરતા મોદીએ કહ્યું કે, આજે જે ખેડૂતો માટે મગરના આંસુ વહાવી રહ્યા છે અને તેમની પાસે પણ આ કામ કરવાની તક હતી પરંતુ તેમની પાસે ખેડૂતો માટે કાર્ય કરવાનો સમય મળ્યો નહોતો. મારો ગુનો એ જ છે કે હું ભ્રષ્ટાચાર વિરૂદ્ધ લડી રહ્યો છું. હું પરિવારવાદ વિરૂદ્ધ લડી રહ્યો છું. કેટલાંક પક્ષ કહે છે કે તેઓને મોદી પર વિશ્વાસ નથી. અમે તેમને સમજાવીએ છીએ કે આ ખેલ ખેલવો ઠીક નથી. જનતા સામે બાથ ભીડવી ઠીક નથી. મોદી કંઈ નથી આ તાકાત સવા સો કરોડ હિંદુસ્તાનીઓની છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
જૂનાગઢને આઝાદ કરાવવા મુંબઈમાં આરઝી હકૂમતનો પાયો નખાયો
જૂનાગઢને આઝાદ કરાવવા મુંબઈમાં આરઝી હકૂમતનો પાયો નખાયો
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surendranagar Bus Trapped | વસ્તડીના ભોગાવો નદીમાં સ્કૂલ બસ ફસાઈ, વિદ્યાર્થીઓનું રેસ્ક્યૂUSA Visa | અમેરિકા જવા માંગતા ભારતીયો માટે ખુશીના સમાચાર | અમેરિકાએ કરી મોટી જાહેરાતGujarat Flood Compensation | કેન્દ્ર સરકારે ગુજરાત માટે કરી 600 કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાતSardar Sarovar Dam | નર્મદા ડેમ સંપૂર્ણય ભરાયો, આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરશે નવા નીરના વધામણા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
જૂનાગઢને આઝાદ કરાવવા મુંબઈમાં આરઝી હકૂમતનો પાયો નખાયો
જૂનાગઢને આઝાદ કરાવવા મુંબઈમાં આરઝી હકૂમતનો પાયો નખાયો
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
Actor Govinda:  બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
Actor Govinda: બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
નેપાળમાં પૂરમાં ફસાયેલા વલસાડના યુવાનો સુરક્ષિત, સાંસદ ધવલ પટેલે ગૃહમંત્રીનો માન્યો આભાર
નેપાળમાં પૂરમાં ફસાયેલા વલસાડના યુવાનો સુરક્ષિત, સાંસદ ધવલ પટેલે ગૃહમંત્રીનો માન્યો આભાર
Embed widget