શોધખોળ કરો

મન કી બાતઃ PM મોદીએ કહ્યુ- આપણને આંખમાં આંખ નાખીને જવાબ આપતા આવડે છે, લદ્દાખમાં સૈન્યએ જડબાતોડ જવાબ આપ્યો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ‘મન કી બાત’ કાર્યક્રમ મારફતે દેશને સંબોધિત કર્યો હતો.

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ‘મન કી બાત’ કાર્યક્રમ મારફતે દેશને સંબોધિત કર્યો હતો. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, લદ્દાખમાં આપણા જે વીર જવાન શહીદ થયા છે તેમના શૌર્યને આખો દેશ નમન કરી રહ્યો છે. આખો દેશ તેમના પ્રત્યે કૃતજ્ઞ છે. તેમની સામે નતમસ્તક છે. ભારતે જે રીતે મુશ્કેલ સમયમાં દુનિયાની મદદ કરી, તેમણે આજે શાંતિ અને વિકાસમાં ભારતની ભૂમિકાઓને વધુ મજબૂત કરી છે. દુનિયાએ ભારતની વિશ્વ બંધુત્વની ભાવનાનો અનુભવ કર્યો છે. પોતાની સંપ્રભુતા અને સરહદોની રક્ષા કરવા માટે ભારતની તાકાત અને કમિટમેન્ટને જોઇ છે.
વડાપ્રધાન મોદીએ કહ્યુ કે, લોકડાઉનથી વધુ સતર્કતા આપણે અનલોક દરમિયાન રાખવાની છે. આ વાતને હંમેશા યાદ રાખો કે જો તમે માસ્ક પહેરતા નથી અને બે ગજનું અંતર રાખતા નથી અને અન્ય સાવચેતીઓ રાખતા નથી તો તમે પોતાની સાથે સાથે અન્યને પણ જોખમમાં મુકો છો.
તેમણે કહ્યું કે, કોઇ પણ મિશન જન-ભાગીદારી વિના પુરું થઇ શકે નહીં. એટલા માટે આત્મનિર્ભર ભારતની દિશામાં એક નાગરિક તરીકે આપણા તમામનો સંકલ્પ, સમર્પણ અને સહયોગ ખૂબ જરૂરી છે. તમે લોકલ ખરીદો, લોકલ માટે વોકલ હશો તો એ પણ એક રીતે દેશની સેવા જ છે. મોદીએ કહ્યુ કે, લદ્દાખમાં ભારતની ભૂમિ પર આંખ ઉઠાવીને જોનારાઓને જવાબ મળ્યો છે. ભારત મિત્રતા નિભાવવાનું જાણે છે તો આંખમાં આંખ નાખીને યોગ્ય જવાબ આપવાનું પણ જાણે છે. વડાપ્રધાન મોદીએ કહ્યુ કે બિહારના રહેવાસી શહીદ કુંદન કુમારના પિતાજીના શબ્દો તો કાનમાં ગૂંજી રહ્યા છે. તેઓ કહી રહ્યા હતા તે પોતાના પૌત્રને પણ દેશની સેવા માટે સૈન્યમાં મોકલીશ. આ હિંમત તમામ શહીદના પરિવારજનોની છે. વાસ્તવમાં આ પરિવારજનોનો ત્યાગ પૂજનીય છે. દેશ આત્મનિર્ભર બને તે આપણા શહીદ જવાનોને સાચી શ્રદ્ધાંજલિ પણ હશે. મોદીએ કહ્યું કે થોડા દિવસ અગાઉ દેશના પૂર્વીય ભાગમાં Cyclone Amphan આવ્યું તો પશ્વિમ ભાગમાં Cyclone Nisarg આવ્યું. કેટલાક રાજ્યોમાં આપણા ખેડૂત ભાઇઓ-બહેનો તીડના હુમલાથી પરેશાન છે. તો દેશના અનેક હિસ્સામાં ભૂકંપ આવી રહ્યા છે. આ બધાની વચ્ચે આપણા કેટલાક પાડોશીઓ દ્ધારા જે થઇ રહ્યું છે તેની સામે પણ દેશ લડી રહ્યો છે.   આ વર્ષે દેશ નવા લક્ષ્યો પ્રાપ્ત કરશે. નવી ઉડાણ ભરશે, નવી ઉંચાઇઓ પ્રાપ્ત કરશે. મને 130 કરોડ દેશવાસીઓની શક્તિ પર વિશ્વાસ છે. આ દેશની મહાન પરંપરા પર પણ વિશ્વાસ છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આંદોલનનો મતલબ એ નથી કે Gen-Z 'રાષ્ટ્ર વિરોધી', વિદ્યાર્થીઓના પ્રદર્શન પર મોહન ભાગવતનું મોટું નિવેદન
આંદોલનનો મતલબ એ નથી કે Gen-Z 'રાષ્ટ્ર વિરોધી', વિદ્યાર્થીઓના પ્રદર્શન પર મોહન ભાગવતનું મોટું નિવેદન
NCR-Rain: દિલ્હીમાં ધોધમાર વરસાદ, સંગમ વિહાર-નજફગઢ સહિત વિસ્તારો પાણીમાં ગરકાવ, ટ્રાફિક જામથી વાહનચાલકો પરેશાન
NCR-Rain: દિલ્હીમાં ધોધમાર વરસાદ, સંગમ વિહાર-નજફગઢ સહિત વિસ્તારો પાણીમાં ગરકાવ, ટ્રાફિક જામથી વાહનચાલકો પરેશાન
Weather Update: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ, હવામાન અપડેટ
Weather Update: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ, હવામાન અપડેટ
Asaram Medical Bail: આસારામને ઝટકો, દુષ્કર્મ કેસમાં વચ્ચગાળાના જામીન આપવાનો સુપ્રીમ કોર્ટનો ઇન્કાર
Asaram Medical Bail: આસારામને ઝટકો, દુષ્કર્મ કેસમાં વચ્ચગાળાના જામીન આપવાનો સુપ્રીમ કોર્ટનો ઇન્કાર

વિડિઓઝ

યુક્રેન પર રશિયાનો ભીષણ હુમલો, 21 લોકોના થયા મોત
આણંદમાં મહિલાની સોનાની ચેઈન ખેંચીને ભાગ્યો શખ્સ, બાઈક ખાડામાં પડતા ઝડપાયો
ભરૂચના જંબુસરમાં દીપડાનો આતંક, પાંચ પશુનો કર્યો શિકાર
Rajkot | અમદાવાદ બાદ હવે રાજકોટમાં નકલી દારૂના રેકેટનો પર્દાફાશ, દારૂની મોંઘી બોટલોમાં સસ્તો દારુ ભરીને વેચતા
Surat: સુરતના પાંડેસરામાં જાહેર રોડ પર જન્મદિવસની ઉજવણીનો વીડિયો વાયરલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
Weather Update: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ, હવામાન અપડેટ
Weather Update: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ, હવામાન અપડેટ
રાજ્યના શિક્ષકો માટે મોટા સમાચાર, પેન્શન-પગાર અને રજાના પ્રશ્નો ઉકેલવા ‘સેવા સમાધાન પોર્ટલ’ લોન્ચ
રાજ્યના શિક્ષકો માટે મોટા સમાચાર, પેન્શન-પગાર અને રજાના પ્રશ્નો ઉકેલવા ‘સેવા સમાધાન પોર્ટલ’ લોન્ચ
Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  
Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  
Asaram Medical Bail: આસારામને ઝટકો, દુષ્કર્મ કેસમાં વચ્ચગાળાના જામીન આપવાનો સુપ્રીમ કોર્ટનો ઇન્કાર
Asaram Medical Bail: આસારામને ઝટકો, દુષ્કર્મ કેસમાં વચ્ચગાળાના જામીન આપવાનો સુપ્રીમ કોર્ટનો ઇન્કાર
8th Pay Commission: ડેડલાઈન સમાપ્ત, હવે પગાર-પેન્શન પર થશે કામ...8માં પગાર પંચ પર મોટું અપડેટ!
8th Pay Commission: ડેડલાઈન સમાપ્ત, હવે પગાર-પેન્શન પર થશે કામ...8માં પગાર પંચ પર મોટું અપડેટ!
Rajkot: એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ રાજકોટમાં આરોગ્ય વિભાગનું કડક ચેકિંગ, 3 ડેરી પેઢીઓ કરાઈ સીલ
Rajkot: એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ રાજકોટમાં આરોગ્ય વિભાગનું કડક ચેકિંગ, 3 ડેરી પેઢીઓ કરાઈ સીલ
Embed widget