શોધખોળ કરો

12 રાજ્યો, 230 જિલ્લા, 50 હજાર ગામો... PM મોદી 18 જાન્યુઆરીએ 65 લાખ લોકોને આપશે આ મોટી ભેટ

પીએમ મોદી 10 રાજ્યો અને 2 કેન્દ્રશાસિત પ્રદેશોના 50,000થી વધુ ગામોના લોકોને પ્રોપર્ટી કાર્ડનું વિતરણ કરશે, ગ્રામીણ વિસ્તારોને આર્થિક રીતે મજબૂત બનાવવાનો સરકારનો પ્રયાસ.

PM Swamitva Yojna for Villagers: કેન્દ્ર સરકાર દેશના શહેરોની સાથે ગ્રામીણ વિકાસ પર પણ સતત ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. આ માટે સરકાર ઘણી યોજનાઓ ચલાવી રહી છે, જેમાં ગ્રામજનો માટે સૌથી મહત્વની યોજના પીએમ સ્વામિત્વ યોજના છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય ગ્રામીણ વિસ્તારોને આર્થિક રીતે વધુ મજબૂત બનાવવાનો છે.

18 જાન્યુઆરીએ 65 લાખ લોકોને પ્રોપર્ટી કાર્ડનું વિતરણ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે (18 જાન્યુઆરી, 2025) લગભગ 12:30 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા 10 રાજ્યો અને 2 કેન્દ્રશાસિત પ્રદેશોના 230થી વધુ જિલ્લાઓના 50,000થી વધુ ગામડાઓમાં મિલકત માલિકોને માહિતી આપશે અને 65 લાખથી વધુ પ્રોપર્ટી કાર્ડનું વિતરણ કરશે. આ યોજનાથી ગ્રામીણ વિસ્તારોમાં રહેતા એવા ઘણા લોકો જેમના પાસે તેમની જમીન અને મકાનના માલિકી હક્ક અને સરકારી દસ્તાવેજો નથી તેમને ફાયદો થશે.

યોજનાનો પ્રથમ તબક્કો

પીએમ મોદીએ એપ્રિલ 2020માં શરૂ કરેલી આ યોજના પ્રથમ તબક્કામાં હરિયાણા, ઉત્તર પ્રદેશ, પંજાબ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, કર્ણાટક, ઉત્તરાખંડ અને મધ્ય પ્રદેશના ગામડાઓમાં લાગુ કરવામાં આવી હતી.

યોજનાના ફાયદા

આ યોજના હેઠળ લોકોને માત્ર માલિકીના અધિકાર જ નહીં મળે, પરંતુ બેંકમાંથી લોન મેળવવાનું પણ સરળ બનશે. તે મિલકત સંબંધિત સમસ્યાઓ ઉકેલવામાં પણ મદદ કરશે અને કોઈપણ વ્યક્તિ પોતાની મિલકત સરળતાથી કોઈને પણ વેચી શકશે. આ યોજના હેઠળ ડ્રોનનો ઉપયોગ કરીને ગામડાઓ અને ખેતીની જમીનનું મેપિંગ કરવામાં આવશે. આ યોજનાથી લોકો આર્થિક રીતે મજબૂત અને આત્મનિર્ભર બનશે.

સ્વામિત્વ યોજના શું છે?

આ સમસ્યાના સમાધાન માટે ભારત સરકારે 'સ્વામિત્વ યોજના' શરૂ કરી છે. આ યોજના હેઠળ ગ્રામીણ વિસ્તારોમાં જમીન પર બનેલા મકાનોને માલિકી હક્ક આપવામાં આવે છે. આ યોજના અંતર્ગત દરેક માલિકને પ્રોપર્ટી કાર્ડ આપવામાં આવે છે જે તેમની ઘરની માલિકીનો કાયદેસર પુરાવો હોય છે. એટલે કે, હવે તેમની પાસે તેમના ઘરનો માન્ય અને કાયદેસર દસ્તાવેજ હશે.

સ્વામિત્વ યોજના કેવી રીતે કામ કરે છે?

'સ્વામિત્વ' યોજના હેઠળ ગામડાઓની રહેણાંક જમીનની માપણી ડ્રોન દ્વારા કરવામાં આવે છે. ડ્રોનથી ગામડાઓની સીમાની અંદર આવતી દરેક પ્રોપર્ટીનો એક ડિજિટલ નકશો તૈયાર થાય છે. સાથે જ દરેક રેવન્યૂ તાલુકાની સીમા પણ નક્કી થાય છે. એટલે કે ડ્રોન ટેકનોલોજીની મદદથી કયું ઘર કેટલા વિસ્તારમાં છે તે ચોક્કસાઈપૂર્વક માપી શકાય છે.

આ પણ વાંચો....

8મું પગાર પંચ: પટાવાળાથી IAS સુધી, કોના પગારમાં કેટલો વધારો થશે?

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

હવે ઠંડી ભુક્કા બોલાવશે! માવઠાના વિરામ બાદ ગુજરાતમાં 'શીત લહેર'નો પ્રકોપ શરૂ, આ વિસ્તારોમાં 14 ડિગ્રીની આસપાસ તાપમાન પહોંચવાની શક્યતા
હવે ઠંડી ભુક્કા બોલાવશે! માવઠાના વિરામ બાદ ગુજરાતમાં 'શીત લહેર'નો પ્રકોપ શરૂ, આ વિસ્તારોમાં 14 ડિગ્રીની આસપાસ તાપમાન પહોંચવાની શક્યતા
'હિન્દુ ધર્મ પણ રજિસ્ટર્ડ નથી': RSSની નોંધણી અને કરમુક્તિ વિવાદ પર મોહન ભાગવતનું મોટું નિવેદન, જાણો કેમ કહી આ વાત
'હિન્દુ ધર્મ પણ રજિસ્ટર્ડ નથી': RSSની નોંધણી અને કરમુક્તિ વિવાદ પર મોહન ભાગવતનું મોટું નિવેદન, જાણો કેમ કહી આ વાત
વ્હાઇટ ટોપિંગ બાદ હવે પોલિઇથીલીન રોડ: અમદાવાદમાં રાજ્યનો પ્રથમ 'પ્લાસ્ટિક' રોડ બનશે, ખર્ચમાં 30% ઘટાડાનો દાવો
વ્હાઇટ ટોપિંગ બાદ હવે પોલિઇથીલીન રોડ: અમદાવાદમાં રાજ્યનો પ્રથમ 'પ્લાસ્ટિક' રોડ બનશે, ખર્ચમાં 30% ઘટાડાનો દાવો
તમે પણ આવું સોનું ખરીદતા હોય તો ચેતી જજો! રોકાણકારો માટે SEBIની ગંભીર ચેતવણી
તમે પણ આવું સોનું ખરીદતા હોય તો ચેતી જજો! રોકાણકારો માટે SEBIની ગંભીર ચેતવણી
Advertisement

વિડિઓઝ

Gujarat ATS: ગાંધીનગર પાસેથી  ઝડપાયેલા આતંકીઓને લઈને ચોંકાવનારો ઘટસ્ફોટ
Banaskantha News: બનાસકાંઠા જિલ્લામાં યુરિયા ખાતરની અછત, ખાતર ડેપો બહાર ખેડૂતોની લાંબી લાઈન
Cyber Fraud Case: સાયબર ફ્રોડ ગેંગનું પાકિસ્તાન કનેક્શન , USDTથી પાકિસ્તાન મોકલતા નાણા
Gujarat Weather Update: રાજ્યમાં ઠંડીનો ચમકારો, 12 શહેરોમાં 20 ડિગ્રીથી નીચું તાપમાન
Gujarat ATS: ગુજરાત ATSએ કરી મોટી કાર્યવાહી, આતંકી પ્રવૃત્તિ માટે આવેલા 3 શંકાસ્પદોની અટકાયત
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હવે ઠંડી ભુક્કા બોલાવશે! માવઠાના વિરામ બાદ ગુજરાતમાં 'શીત લહેર'નો પ્રકોપ શરૂ, આ વિસ્તારોમાં 14 ડિગ્રીની આસપાસ તાપમાન પહોંચવાની શક્યતા
હવે ઠંડી ભુક્કા બોલાવશે! માવઠાના વિરામ બાદ ગુજરાતમાં 'શીત લહેર'નો પ્રકોપ શરૂ, આ વિસ્તારોમાં 14 ડિગ્રીની આસપાસ તાપમાન પહોંચવાની શક્યતા
'હિન્દુ ધર્મ પણ રજિસ્ટર્ડ નથી': RSSની નોંધણી અને કરમુક્તિ વિવાદ પર મોહન ભાગવતનું મોટું નિવેદન, જાણો કેમ કહી આ વાત
'હિન્દુ ધર્મ પણ રજિસ્ટર્ડ નથી': RSSની નોંધણી અને કરમુક્તિ વિવાદ પર મોહન ભાગવતનું મોટું નિવેદન, જાણો કેમ કહી આ વાત
વ્હાઇટ ટોપિંગ બાદ હવે પોલિઇથીલીન રોડ: અમદાવાદમાં રાજ્યનો પ્રથમ 'પ્લાસ્ટિક' રોડ બનશે, ખર્ચમાં 30% ઘટાડાનો દાવો
વ્હાઇટ ટોપિંગ બાદ હવે પોલિઇથીલીન રોડ: અમદાવાદમાં રાજ્યનો પ્રથમ 'પ્લાસ્ટિક' રોડ બનશે, ખર્ચમાં 30% ઘટાડાનો દાવો
તમે પણ આવું સોનું ખરીદતા હોય તો ચેતી જજો! રોકાણકારો માટે SEBIની ગંભીર ચેતવણી
તમે પણ આવું સોનું ખરીદતા હોય તો ચેતી જજો! રોકાણકારો માટે SEBIની ગંભીર ચેતવણી
અમદાવાદમાં ઝડપાયેલા આતંકીઓને લઈને ચોંકાવનારો ઘટસ્ફોટ, દેશમાં પહેલીવાર 'પોઇઝન એટેક'નું કાવતરું!
અમદાવાદમાં ઝડપાયેલા આતંકીઓને લઈને ચોંકાવનારો ઘટસ્ફોટ, દેશમાં પહેલીવાર 'પોઇઝન એટેક'નું કાવતરું!
Maharashtra: ઠાકરે પરિવારના ઘર પર ડ્રોન  ઉડતા મચ્યો હડકંપ, સુરક્ષા એજન્સીઓ એલર્ટ
Maharashtra: ઠાકરે પરિવારના ઘર પર ડ્રોન ઉડતા મચ્યો હડકંપ, સુરક્ષા એજન્સીઓ એલર્ટ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
આજે જૂનાગઢનો મુક્તિ દિવસ,CM એ આરઝી હકુમતના સ્વાતંત્ર્ય સેનાનીઓના પરિવારજનોનું શાલ ઓઢાડી કર્યું સન્માન
આજે જૂનાગઢનો મુક્તિ દિવસ,CM એ આરઝી હકુમતના સ્વાતંત્ર્ય સેનાનીઓના પરિવારજનોનું શાલ ઓઢાડી કર્યું સન્માન
Embed widget