શોધખોળ કરો

Ram Mandir: 22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠામાં PM મોદી હશે મુખ્ય યજમાન

પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ પહેલા છ દિવસ સુધી ચાલનારી ધાર્મિક વિધિઓ માટે ડૉ. અનિલ મિશ્રા અને તેમની પત્નીને મુખ્ય યજમાન તરીકે નામાંકિત કરવામાં આવ્યા છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અયોધ્યા મંદિરમાં ભગવાન રામની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ માટે ‘મુખ્ય યજમાન’ હશે. 22 જાન્યુઆરી (સોમવારે) ના રોજ વડાપ્રધાન મોદી મુખ્ય યજમાન હશે, જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ પહેલા છ દિવસ સુધી ચાલનારી ધાર્મિક વિધિઓ માટે ડૉ. અનિલ મિશ્રા અને તેમની પત્નીને મુખ્ય યજમાન તરીકે નામાંકિત કરવામાં આવ્યા છે.  વડાપ્રધાન નરેન્દ્ર મોદી અયોધ્યા મંદિરમાં ભગવાન રામની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ માટે ‘મુખ્ય યજમાન’ હશે ? એક ખાનગી ન્યૂઝ ચેનલે પૂછેલા સવાલના જવાબમાં મંદિર ટ્રસ્ટ દ્વારા આ જવાબ આપવામાં આવ્યો હતો. 

વિશ્વ હિન્દુ પરિષદ (VHP) ના ઉપાધ્યક્ષ અને શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે જણાવ્યું હતું કે, ડૉ. અનિલ મિશ્રા મુખ્ય યજમાન તરીકે છ દિવસ સુધી પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ તરફ દોરી જતી તમામ વિધિઓ કરશે.

પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે, પીએમ મોદી મુખ્ય યજમાન હશે.  જેઓ રામ મંદિરના ગર્ભ ગૃહની અંદર કેટલાક અન્ય લોકો સાથે ધાર્મિક વિધિઓ કરશે. ટ્રસ્ટે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના સરસંઘચાલક મોહન ભાગવત, ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ અને યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની હાજરીમાં આ સમારોહનું આયોજન કરવામાં આવશે.

કોણ છે અનિલ મિશ્રા ?

અયોધ્યાના વતની મિશ્રા ટ્રસ્ટના વરિષ્ઠ સભ્યોમાંથી એક છે, જેમણે પોતાનું જીવન રામ મંદિર આંદોલનમાં સમર્પિત કર્યું છે. તેમણે કાર સેવામાં 40 વર્ષ વિતાવ્યા છે.

યુપીના આંબેડકર નગર જિલ્લામાં જન્મેલા, મિશ્રાએ 1981માં હોમિયોપેથિક મેડિસિન અને સર્જરીમાં સ્નાતકની ડિગ્રી મેળવી હતી. તેઓ ઉત્તર પ્રદેશ હોમિયોપેથિક બોર્ડના રજિસ્ટ્રાર અને ગોંડાના જિલ્લા હોમિયોપેથિક ઑફિસરના પદ પરથી નિવૃત્ત થયા છે અને હાલમાં હોમિયોપેથિક ક્લિનિક ચલાવે છે.

અધિકારીઓએ જણાવ્યું કે, પ્રાણ પ્રતિષ્ઠા પહેલાની વિધિ આ સપ્તાહની શરૂઆતમાં શરૂ થઈ હતી. મંગળવારે, મિશ્રા મુખ્ય યજમાન હોવાથી, સરયુ નદીમાં ડૂબકી લગાવી અને પછી ઉપવાસ શરૂ કરતા પહેલા પંચગવ્ય (ગાયનું દૂધ, દહીં, ઘી, ગોબર, ગૌમૂત્ર) લીધું. તેમણે પ્રાર્થના, સંકલ્પ અને કર્મકુટી પૂજા કરી. તેની પત્ની અને તેમણે હવન કર્યો હતો. 

બુધવારે, મિશ્રા અને તેમના પત્નીએ કળશ પૂજન કર્યું હતું, ત્યારબાદ સરયુ નદીમાંથી પાણી ભરી  એ સ્થળ પર  લઈ જવામાં આવ્યું જ્યાં અનુષ્ઠાન કરવામાં આવી રહ્યું છે. ભગવાન રામ લલાની મૂર્તિએ આંખો બંધ કરીને મંદિર પરિસર ભ્રમણ કર્યું. જલયાત્રા અને તીર્થ પૂજા કરવામાં આવી હતી.  

About the author abp asmita

ABP Asmita is an Indian 24-hour regional news channel broadcasting in the Gujarati language. It operates from Ahmedabad, Gujarat. It is owned by ABP Group. 
Read More
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'નીતીશ કુમારે CM સમ્રાટને લગાવી ફટકાર, બિહારમાં પડવા જઈ રહી છે સરકાર', તેજ પ્રતાપનો મોટો દાવો
'નીતીશ કુમારે CM સમ્રાટને લગાવી ફટકાર, બિહારમાં પડવા જઈ રહી છે સરકાર', તેજ પ્રતાપનો મોટો દાવો
અયોધ્યા રામ મંદિર દાન ચોરીને લઈને કોંગ્રેસે કેમ કર્યા અટલ બિહારી વાજપેયીને યાદ?
અયોધ્યા રામ મંદિર દાન ચોરીને લઈને કોંગ્રેસે કેમ કર્યા અટલ બિહારી વાજપેયીને યાદ?
Bankipur Bypoll: બાંકીપુર પેટાચૂંટણીમાં BJP એ હવે નીરજ કુમાર સિન્હાને બનાવ્યા ઉમેદવાર 
Bankipur Bypoll: બાંકીપુર પેટાચૂંટણીમાં BJP એ હવે નીરજ કુમાર સિન્હાને બનાવ્યા ઉમેદવાર 
Bankipur Bypoll: BJP ઉમેદવાર અભિષેક કુમાર સિન્હાએ પોતાનું ઉમેદવારીપત્ર પરત ખેંચ્યું, જણાવ્યું કારણ 
Bankipur Bypoll: BJP ઉમેદવાર અભિષેક કુમાર સિન્હાએ પોતાનું ઉમેદવારીપત્ર પરત ખેંચ્યું, જણાવ્યું કારણ 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ક્યાના ભૂવા મોટા ?
Hun To Bolish : હું તો બોલીશ : સસ્પેન્ડ નહીં ડિસમિસ
Hun To Bolish : હું તો બોલીશ : આ બાટલી ક્યાંથી આવી ?
Devusinh Chauhan Statement: ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણનું સ્ફોટક નિવેદન
Rajkot Gaming Zone Fire Case : રાજકોટ TRP અગ્નિકાંડમાં મનપાની સૌથી મોટી કાર્યવાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
જૂનાગઢના ગિરનાર પર હૃદયદ્વાવક ઘટના: 12 વર્ષના કિશોરને સિંહ ખેંચી ગયો, જંગલમાંથી મળ્યાં અવશેષો
જૂનાગઢના ગિરનાર પર હૃદયદ્વાવક ઘટના: 12 વર્ષના કિશોરને સિંહ ખેંચી ગયો, જંગલમાંથી મળ્યાં અવશેષો
Ambalal Patel: રાજ્યમાં ક્યારે શરુ થશે વરસાદનો બીજો રાઉન્ડ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી 
Ambalal Patel: રાજ્યમાં ક્યારે શરુ થશે વરસાદનો બીજો રાઉન્ડ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી 
FIFA World Cup: ફીફા વિશ્વ કપમાં પહેલીવાર બની આવી ઘટના, બેલ્જિયમને હરાવીને સેમીફાઇનલમાં પહોંચ્યું સ્પેન
FIFA World Cup: ફીફા વિશ્વ કપમાં પહેલીવાર બની આવી ઘટના, બેલ્જિયમને હરાવીને સેમીફાઇનલમાં પહોંચ્યું સ્પેન
IND vs ENG: ભારત વિરુદ્ધ ઇંગ્લેન્ડ 5મી T20 નો સમય બદલાયો, જાણો હવે કેટલા વાગ્યે શરૂ થશે મેચ; LIVE સ્ટ્રીમિંગ ડિટેલ્સ
IND vs ENG: ભારત વિરુદ્ધ ઇંગ્લેન્ડ 5મી T20 નો સમય બદલાયો, જાણો હવે કેટલા વાગ્યે શરૂ થશે મેચ; LIVE સ્ટ્રીમિંગ ડિટેલ્સ
'યુદ્ધવિરામ ખતમ', ટ્રમ્પ બોલ્યા-ઈરાન સાથે વાતચીત માટે તૈયાર, પરંતુ તેહરાનને આપી આ વોર્નિંગ
'યુદ્ધવિરામ ખતમ', ટ્રમ્પ બોલ્યા-ઈરાન સાથે વાતચીત માટે તૈયાર, પરંતુ તેહરાનને આપી આ વોર્નિંગ
WFH Survey: ઓફિસ જવું ગમે છે કે વર્ક ફ્રોમ હોમ? સર્વેમાં ભારતીયોએ કરી આ મોડલની માંગ
WFH Survey: ઓફિસ જવું ગમે છે કે વર્ક ફ્રોમ હોમ? સર્વેમાં ભારતીયોએ કરી આ મોડલની માંગ
Railway jobs: ભારતીય રેલવેમાં નોકરીની શાનદાર તક, જાણો પગાર અને અરજીની અંતિમ તારીખ  
Railway jobs: ભારતીય રેલવેમાં નોકરીની શાનદાર તક, જાણો પગાર અને અરજીની અંતિમ તારીખ  
US-Iran Tensions: હોર્મૂઝને સંપૂર્ણ રીતે ખોલવા ટ્રમ્પનું ઇરાનને અલ્ટીમેટમ, જાણો હવે અમેરિકાની શું છે ડિમાન્ડ
US-Iran Tensions: હોર્મૂઝને સંપૂર્ણ રીતે ખોલવા ટ્રમ્પનું ઇરાનને અલ્ટીમેટમ, જાણો હવે અમેરિકાની શું છે ડિમાન્ડ
Embed widget