શોધખોળ કરો

PM Modi: 'છેલ્લા 3-4 વર્ષમાં 8 કરોડ નવા રોજગાર પેદા થયા', બેરોજગારી અંગે પીએમ મોદીનો વિપક્ષ પર હુમલો

PM Modi Mumbai Visit: મુંબઈ પ્રવાસ દરમિયાન PM મોદીએ વિપક્ષ તરફથી નોકરી અંગે ઉઠાવવામાં આવેલા પ્રશ્નોનો જવાબ આપ્યો છે. આ દરમિયાન તેમણે કેન્દ્ર સરકારના કામોની યાદી આપતા કોંગ્રેસ પર નિશાન સાધ્યું.

PM Modi Mumbai visit: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે (13 જુલાઈ 2024) તેમના મુંબઈ પ્રવાસ દરમિયાન 3 હજાર કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સનું શિલાન્યાસ અને લોકાર્પણ કર્યું. આ દરમિયાન PM મોદીએ દેશમાં નોકરીઓ માટે કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવેલા કામોની યાદી આપતા વિપક્ષ પર જોરદાર પ્રહાર કર્યો.

દેશમાં લગભગ 8 કરોડ નવા રોજગાર પેદા થયા - PM મોદી

PM મોદીએ કહ્યું, "તાજેતરમાં RBIએ નોકરીઓ અંગે એક રિપોર્ટ જારી કર્યો છે. રિપોર્ટ અનુસાર, છેલ્લા 3-4 વર્ષમાં દેશમાં લગભગ 8 કરોડ નવા રોજગાર પેદા થયા છે. આ આંકડાઓએ ખોટી વાતો ફેલાવનારાઓના મોં બંધ કરી દીધા છે. આ લોકો (વિપક્ષ) રોકાણ, માળખાકીય સુવિધાઓ અને દેશના વિકાસનો વિરોધ કરે છે અને હવે તેમનો પર્દાફાશ થઈ રહ્યો છે."

PM મોદીએ કહ્યું, "NDA સરકારનો વિકાસ મોડેલ વંચિતોને પ્રાધાન્ય આપવાનો રહ્યો છે. જેઓ દાયકાઓથી છેલ્લી હરોળમાં રહ્યા છે, તેમને અમે પ્રાથમિકતા આપી રહ્યા છીએ. નવી સરકારના શપથ લેતાની સાથે જ, અમે ગરીબો માટે પાકા ઘર અને ખેડૂતો સાથે સંકળાયેલા મોટા નિર્ણયો લીધા છે."

PM મોદીએ પોતાની સરકારના કામોની યાદી આપી

વિપક્ષ પર નિશાન સાધતા PM મોદીએ કહ્યું, "મહારાષ્ટ્રની મહાયુતિ સરકાર પણ આ જ પ્રતિબદ્ધતા સાથે કામ કરી રહી છે. મને ખુશી છે કે મહારાષ્ટ્ર સરકારે દર વર્ષે 10 લાખ યુવાનોને સ્કિલ ટ્રેનિંગ આપવાનો સંકલ્પ લીધો છે. કનેક્ટિવિટીના આવા માળખાથી પર્યટન, ખેતી અને ઉદ્યોગ બધાને લાભ થઈ રહ્યો છે. આનાથી રોજગારની નવી તકો બની રહી છે. જ્યારે સારી કનેક્ટિવિટી હોય છે, ત્યારે તેનાથી મહિલાઓને સુરક્ષા, સુવિધા અને સન્માન પણ મળે છે. એટલે કે NDA સરકારના આ કામો ગરીબ, ખેડૂત, નારીશક્તિ અને યુવાશક્તિને સશક્ત કરી રહ્યા છે."

અટલ સેતુમાં તિરાડને લઈને કોંગ્રેસ પર સાધ્યું નિશાન

અટલ સેતુમાં તિરાડ આવવા પર કોંગ્રેસે BJPને નિશાન બનાવ્યું હતું. આ અંગે PM મોદીએ કહ્યું, "અમારો ઉદ્દેશ્ય મુંબઈમાં લોકોના જીવનને વધુ સારું બનાવવાનો છે, તેથી મુંબઈની આસપાસ કનેક્ટિવિટીને વધુ સારી બનાવવામાં આવી રહી છે. મુંબઈમાં કોસ્ટલ રોડ અને અટલ સેતુનું કામ પૂરું થઈ ચૂક્યું છે અને તમને યાદ હશે કે અટલ સેતુ વિશે ખોટી માહિતી ફેલાવવામાં આવી હતી."

PM મોદીએ કહ્યું, "મહારાષ્ટ્ર એક એવું રાજ્ય છે જે ભારતને વિકસિત (આત્મનિર્ભર) બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. મહારાષ્ટ્રમાં ઉદ્યોગ, કૃષિ અને નાણાકીય ક્ષેત્રની શક્તિ છે અને તેણે મુંબઈને (ભારતનું) નાણાકીય કેન્દ્ર બનવામાં મદદ કરી છે. હવે મારો લક્ષ્ય મહારાષ્ટ્રને દુનિયાની સૌથી મોટી નાણાકીય શક્તિ બનાવવાનો છે."

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain: રાજ્યના 7 જિલ્લામાં વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
Gujarat Rain: રાજ્યના 7 જિલ્લામાં વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
Manekchowk Food: અમદાવાદીઓ માણેકચોકમાં ખાતા પહેલા સાવધાન, પિઝાની ગ્રેવી સહિત આ વસ્તુઓ સબ સ્ટાન્ડર્ડ નીકળી
Manekchowk Food: અમદાવાદીઓ માણેકચોકમાં ખાતા પહેલા સાવધાન, પિઝાની ગ્રેવી સહિત આ વસ્તુઓ સબ સ્ટાન્ડર્ડ નીકળી
Hindus in Bangladesh: બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચારથી મૌલાના ખુશ, કહ્યું- હિન્દુઓનો પહેલો વિકલ્પ તલવાર અને બીજો.....
Hindus in Bangladesh: બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચારથી મૌલાના ખુશ, કહ્યું- હિન્દુઓનો પહેલો વિકલ્પ તલવાર અને બીજો.....
Bangladesh: બાંગ્લાદેશમાં ફરી રસ્તા પર ઉતર્યા પ્રદર્શનકારીઓ, સુપ્રીમ કોર્ટનો ઘેરવા કરતા રાજીનામું આપવા મજબૂર થયા ચીફ જસ્ટીસ
Bangladesh: બાંગ્લાદેશમાં ફરી રસ્તા પર ઉતર્યા પ્રદર્શનકારીઓ, સુપ્રીમ કોર્ટનો ઘેરવા કરતા રાજીનામું આપવા મજબૂર થયા ચીફ જસ્ટીસ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Kodinar Police Raid | કોડીનારમાં બુટલેગરોને ત્યાં પોલીસના દરોડા, શું થયો મોટો ધડાકો?Narmada Dam | સરદાર સરોવર ડેમની સપાટીમાં સતત વધારો, ડેમ 80 ટકા ભરાઈ ગયોPM Modi Wayanad Visit | 422 લોકોનો ભોગ લેનાર વાયનાડ ભૂસ્ખલન સ્થળનું PM મોદીએ કર્યું હવાઈ નિરીક્ષણNarmada Crime | નર્મદાના ગરુડેશ્વરમાં 2 યુવકોના મોતને લઈ રાજનીતિ તેજ, જુઓ અહેવાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: રાજ્યના 7 જિલ્લામાં વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
Gujarat Rain: રાજ્યના 7 જિલ્લામાં વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
Manekchowk Food: અમદાવાદીઓ માણેકચોકમાં ખાતા પહેલા સાવધાન, પિઝાની ગ્રેવી સહિત આ વસ્તુઓ સબ સ્ટાન્ડર્ડ નીકળી
Manekchowk Food: અમદાવાદીઓ માણેકચોકમાં ખાતા પહેલા સાવધાન, પિઝાની ગ્રેવી સહિત આ વસ્તુઓ સબ સ્ટાન્ડર્ડ નીકળી
Hindus in Bangladesh: બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચારથી મૌલાના ખુશ, કહ્યું- હિન્દુઓનો પહેલો વિકલ્પ તલવાર અને બીજો.....
Hindus in Bangladesh: બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચારથી મૌલાના ખુશ, કહ્યું- હિન્દુઓનો પહેલો વિકલ્પ તલવાર અને બીજો.....
Bangladesh: બાંગ્લાદેશમાં ફરી રસ્તા પર ઉતર્યા પ્રદર્શનકારીઓ, સુપ્રીમ કોર્ટનો ઘેરવા કરતા રાજીનામું આપવા મજબૂર થયા ચીફ જસ્ટીસ
Bangladesh: બાંગ્લાદેશમાં ફરી રસ્તા પર ઉતર્યા પ્રદર્શનકારીઓ, સુપ્રીમ કોર્ટનો ઘેરવા કરતા રાજીનામું આપવા મજબૂર થયા ચીફ જસ્ટીસ
Paris Olympics 2024: નીરજ ચોપરાને ગોલ્ડ મળશે? અરશદ નદીમનો ડોપ ટેસ્ટ થયો? જાણો વાયરલ દાવાની સત્યતા
Paris Olympics 2024: નીરજ ચોપરાને ગોલ્ડ મળશે? અરશદ નદીમનો ડોપ ટેસ્ટ થયો? જાણો વાયરલ દાવાની સત્યતા
Mehana News: મહેસાણા જિલ્લામાં 10 શિક્ષકો એક વર્ષથી નથી આવતા શાળામાં, પાંચ શિક્ષકો કરે છે વિદેશમાં પરિભ્રમણ
મહેસાણા જિલ્લામાં 10 શિક્ષકો એક વર્ષથી નથી આવતા શાળામાં, પાંચ શિક્ષકો કરે છે વિદેશમાં પરિભ્રમણ
UP Politics: PM મોદીએ માયાવતી અને ચંદ્રશેખર આઝાદની આ માંગણી પૂરી કરી દીધી!
UP Politics: PM મોદીએ માયાવતી અને ચંદ્રશેખર આઝાદની આ માંગણી પૂરી કરી દીધી!
Anand News: આણંદથી અમેરિકાનું હવાલા કૌભાંડ આવ્યું સામે, વૈભવી ગાડીઓમાં રોફ મારતા હિસ્ટ્રીશીટરો ઝડપાયા
Anand News: આણંદથી અમેરિકાનું હવાલા કૌભાંડ આવ્યું સામે, વૈભવી ગાડીઓમાં રોફ મારતા હિસ્ટ્રીશીટરો ઝડપાયા
Embed widget