શોધખોળ કરો

'2014 પછી દેશનો વિકાસ રોકેટ ગતિએ વધ્યો', 12 વર્ષ પૂર્ણ થવા પર પીએમ મોદીનો મોટો દાવો, જાણો 10 મોટી વાતો

PM Modi NDA Speech: કેન્દ્રમાં સરકારના 12 વર્ષ પૂરા થવા પર દિલ્હીમાં પસાર થયો પ્રસ્તાવ; પીએમ મોદીએ ભાષણમાં ગણાવ્યા દેશ બદલવાના 10 મોટા મુદ્દા.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • એનડીએ સરકારે 12 વર્ષ પૂર્ણ કરતા અભિનંદન પ્રસ્તાવ. PM ભાવુક.
  • કલમ 370 નાબૂદી કરી, આતંકવાદ સામે કડક કાર્યવાહી કરી.
  • મધ્યમ વર્ગને મદદ કરી, ડિજિટલ ક્રાંતિમાં ભારત વિશ્વ અગ્રેસર.
  • વિકસિત ભારત માટે 2047નું લક્ષ્ય, આત્મનિર્ભરતા પર ભાર.

PM Modi NDA Speech: કેન્દ્રમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી NDA સરકારના સફળ 12 વર્ષ પૂરા થવાના અવસરે નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે એક મોટી બેઠક યોજાઈ હતી. આ ખાસ બેઠકમાં પીએમ મોદીના ઐતિહાસિક કાર્યકાળને બિરદાવવા માટે તમામ સહયોગી પક્ષો દ્વારા એક ખાસ અભિનંદન પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો હતો, જેનાથી વડાપ્રધાન પોતે પણ ખૂબ જ ભાવુક થઈ ગયા હતા. પોતાના સંબોધનમાં પીએમ મોદીએ વિપક્ષ પર આકરા પ્રહારો કરતા કહ્યું કે કોંગ્રેસે લાંબા સમય સુધી દેશ સાથે દગો કર્યો, પરંતુ 2014 પછી ભારતે વિકાસની નવી ઉંચાઈઓ સર કરી છે. આ ઐતિહાસિક પ્રસંગે પીએમ મોદીએ દેશના વિકાસ, અર્થતંત્ર અને સુરક્ષાને લઈને 10 સૌથી મહત્વની વાતો કહી હતી.

પીએમ મોદીના સંબોધન અને આ બેઠકની 10 મુખ્ય વાતો નીચે મુજબ છે:

1. મધ્યમ વર્ગની ચિંતા અને ડિજિટલ ક્રાંતિ: પીએમ મોદીએ કહ્યું કે અમારી સરકારે દેશના મધ્યમ વર્ગની તકલીફોને ખૂબ નજીકથી સમજી છે અને તેને દૂર કરવા કામ કર્યું છે. આજે ભારત ડિજિટલ પેમેન્ટની બાબતમાં આખી દુનિયામાં નંબર 1 પર પહોંચી ગયું છે, કારણ કે અમે હંમેશા 'નેશન ફર્સ્ટ' (રાષ્ટ્ર પ્રથમ)ની ભાવના સાથે કામ કરીએ છીએ.

2. સૌથી ઝડપી ઇકોનોમી: આજે ભારત દુનિયાની સૌથી ઝડપથી આગળ વધતી અર્થવ્યવસ્થા બની ગયું છે. અમારા માટે દેશ હંમેશા પક્ષ કરતાં મોટો રહ્યો છે અને 2014 પછી દેશના વિકાસે સુપરફાસ્ટ સ્પીડ પકડી છે.

3. કલમ 370 નાબૂદી: કોંગ્રેસના શાસનકાળ અને NDA સરકારના વિકાસ દરમાં આસમાન-જમીનનો તફાવત છે. 2014 પછી દેશનું ભાગ્ય બદલાયું છે, અને તેનું સૌથી મોટું ઉદાહરણ એ છે કે અમે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવીને બતાવી.

4. કોંગ્રેસના શાસન પર પ્રહાર: કોંગ્રેસે ભૂતકાળમાં પોતાની રાજકીય નિષ્ફળતાઓ છુપાવવા માટે દેશની મોટી વસ્તી પર ખોટા કલંક લગાવવાનો પ્રયાસ કર્યો હતો. પણ કલમ 370 નાબૂદ થતાં જ ત્યાં સાચા અર્થમાં દેશનું બંધારણ લાગુ થયું છે. કોંગ્રેસે હંમેશા દેશ સાથે વિશ્વાસઘાત જ કર્યો છે.

5. વર્ષ 2047 નું મોટું લક્ષ્ય: વર્ષ 2047 સુધીમાં 'વિકસિત ભારત'નો લક્ષ્યાંક પૂરો કરવા માટે આપણે વૈશ્વિક વિકાસમાં ભારતનો હિસ્સો સતત વધારવો પડશે. મેં પહેલા પણ કહ્યું હતું અને આજે પણ કહું છું કે ભારતનો સાચો સમય હવે આવી ગયો છે.

6. ભવિષ્યની નવી શક્યતાઓ: 2047 ના વિઝનને પૂરું કરવા માટે આપણે વિકાસની સ્પીડ હજુ પણ વધારવી પડશે. આપણું ભવિષ્ય નવી અને મોટી શક્યતાઓથી ભરેલું છે અને અમે હંમેશા દેશહિતમાં સમજી-વિચારીને મજબૂત નિર્ણયો લીધા છે.

7. આતંકવાદ અને નક્સલવાદ પર ફૂલ સ્ટોપ: એક સમય હતો જ્યારે ભારતે આતંકવાદી હુમલાઓનું ભારે દુઃખ સહન કરવું પડતું હતું, પરંતુ આજે આપણે આતંકીઓ સામે ઘરમાં ઘૂસીને એરસ્ટ્રાઈક કરી બતાવી છે. આ સાથે જ દેશમાંથી નક્સલવાદને પણ સરકારે મૂળમાંથી નાબૂદ કરી દીધો છે.

આ પણ વાંચોઃ નેહરુનો રેકોર્ડ તોડ્યા બાદ પીએમ મોદીની પ્રથમ પ્રતિક્રિયા, કહ્યું - કોંગ્રેસના વિશ્વાસઘાત પછી દેશ....

8. આત્મનિર્ભર ભારત: દેશના હિતમાં મોટા અને કડક નિર્ણયો લેવાની આ પ્રક્રિયા ભવિષ્યમાં વધુ ઝડપી બનશે. આપણે દુનિયાથી એક ડગલું આગળ રહેવું પડશે અને હવે ભારત કોઈપણ બાબત માટે વિદેશી દેશો પર નિર્ભર નહીં રહે.

9. સાથી પક્ષોનો મજબૂત ટેકો: આ બેઠકમાં આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુએ પીએમ મોદીના સન્માનનો પ્રસ્તાવ મૂક્યો હતો. જેને નાગાલેન્ડના સીએમ નેફ્યુ રિયો, જીતન રામ માંઝી, એચડી કુમારસ્વામી, એકનાથ શિંદે, ચિરાગ પાસવાન, જયંત ચૌધરી અને વિષ્ણુદેવ સાઈ સહિત ગૃહમંત્રી અમિત શાહ અને રક્ષામંત્રી રાજનાથ સિંહે પૂરો ટેકો આપ્યો હતો. જ્યારે આ પ્રસ્તાવનું વાંચન અનુપ્રિયા પટેલે કર્યું હતું.

10. પીએમ મોદી એક 'તપસ્વી': મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ પીએમ મોદીના 12 વર્ષના શાસનને બિલકુલ દોષરહિત ગણાવતા કહ્યું કે, પીએમ મોદી એક સાચા તપસ્વી અને સ્વપ્નદ્રષ્ટા નેતા છે. તેમણે 'સબકા સાથ, સબકા વિશ્વાસ'ના મંત્ર સાથે ગઠબંધનના તમામ નેતાઓને સાથે રાખીને દેશને નવી ઊંચાઈઓ પર પહોંચાડ્યો છે.

Frequently Asked Questions

શા માટે ભારત મંડપમ ખાતે NDAની બેઠક યોજાઈ હતી?

NDA સરકારના 12 સફળ વર્ષ પૂરા થવાના અવસરે આ બેઠક યોજાઈ હતી. પીએમ મોદીના કાર્યકાળને બિરદાવવા માટે તમામ સહયોગી પક્ષો દ્વારા એક ખાસ અભિનંદન પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો.

પીએમ મોદીએ તેમના સંબોધનમાં કયા મુખ્ય મુદ્દાઓ પર પ્રકાશ પાડ્યો?

તેમણે મધ્યમ વર્ગની ચિંતા, ડિજિટલ ક્રાંતિ, સૌથી ઝડપી અર્થતંત્ર, કલમ 370 નાબૂદી અને આતંકવાદ-નક્સલવાદ પરના નિયંત્રણ જેવા મુખ્ય મુદ્દાઓ પર ભાર મૂક્યો.

પીએમ મોદીનું 2047 માટેનું લક્ષ્ય શું છે?

તેમનું મુખ્ય લક્ષ્ય વર્ષ 2047 સુધીમાં 'વિકસિત ભારત' બનાવવાનું છે. આ માટે વૈશ્વિક વિકાસમાં ભારતનો હિસ્સો વધારવો અને દેશહિતમાં મજબૂત નિર્ણયો લેવાનું ચાલુ રાખવું જરૂરી છે.

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ પીએમ મોદીનું વર્ણન કેવી રીતે કર્યું?

તેમણે પીએમ મોદીને સાચા તપસ્વી અને સ્વપ્નદ્રષ્ટા નેતા ગણાવ્યા. શિંદેએ કહ્યું કે પીએમ મોદીએ 'સબકા સાથ, સબકા વિશ્વાસ'ના મંત્ર સાથે દેશને નવી ઊંચાઈઓ પર પહોંચાડ્યો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

આગામી 7 દિવસ મુશળધાર વરસાદ ખાબકશે! એકસાથે 7 સિસ્ટમ સક્રિય થતાં હવામાન વિભાગની મોટી આગાહી
આગામી 7 દિવસ મુશળધાર વરસાદ ખાબકશે! એકસાથે 7 સિસ્ટમ સક્રિય થતાં હવામાન વિભાગની મોટી આગાહી
Inflation Alert: તેલ, દાળથી દૂધ-ખાંડ સુધી 99% રાશન મોંઘું થયું, જુઓ નવું રેટ લિસ્ટ
Inflation Alert: તેલ, દાળથી દૂધ-ખાંડ સુધી 99% રાશન મોંઘું થયું, જુઓ નવું રેટ લિસ્ટ
Aadhaar Name Change: શું આધાર કાર્ડમાં 3જી વખત નામ બદલી શકાય? જાણો UIDAI નો નિયમ
Aadhaar Name Change: શું આધાર કાર્ડમાં 3જી વખત નામ બદલી શકાય? જાણો UIDAI નો નિયમ
TMC બળવાખોર યુસુફ પઠાણનો નવો દાવ! મુખ્યમંત્રી સામે મૂકી મોટી શરત, કહ્યું - ‘જે નામ હટાવ્યા તે....’
TMC બળવાખોર યુસુફ પઠાણનો નવો દાવ! મુખ્યમંત્રી સામે મૂકી મોટી શરત, કહ્યું - ‘જે નામ હટાવ્યા તે....’
Advertisement

વિડિઓઝ

Rajkot Janmashtami Mela : રાજકોટમાં લોકમેળાની તડામાર તૈયારી
Gujarat Govt : ખાતરને લઈ ગુજરાત સરકારનો મોટો નિર્ણય
Chaudhary Samaj Sammelan : ચૌધરી સમાજના સંમેલનમાં મોટી જાહેરાત
Hun To Bolish : હું તો બોલીશ : નેતાઓની નૌટંકી
Hun To Bolish : હું તો બોલીશ : કૃત્રિમ પનીર પર પ્રતિબંધ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન શાકિબના ઘર પર બોમ્બથી હુમલો, શેખ હસીનાની પ્રેસ કોન્ફરન્સમાં સામેલ હતા
બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન શાકિબના ઘર પર બોમ્બથી હુમલો, શેખ હસીનાની પ્રેસ કોન્ફરન્સમાં સામેલ હતા
UPIથી 2000થી વધુનું પેમેન્ટ, કોના પર લાગશે ચાર્જ, કોને મળશે છૂટ? જાણો તમામ સવાલના જવાબ
UPIથી 2000થી વધુનું પેમેન્ટ, કોના પર લાગશે ચાર્જ, કોને મળશે છૂટ? જાણો તમામ સવાલના જવાબ
આગામી 7 દિવસ મુશળધાર વરસાદ ખાબકશે! એકસાથે 7 સિસ્ટમ સક્રિય થતાં હવામાન વિભાગની મોટી આગાહી
આગામી 7 દિવસ મુશળધાર વરસાદ ખાબકશે! એકસાથે 7 સિસ્ટમ સક્રિય થતાં હવામાન વિભાગની મોટી આગાહી
Analog Paneer Ban: ગુજરાત સરકારે એનાલોગ પનીર અને ચીઝના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ
Analog Paneer Ban: ગુજરાત સરકારે એનાલોગ પનીર અને ચીઝના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ
Inflation Alert: તેલ, દાળથી દૂધ-ખાંડ સુધી 99% રાશન મોંઘું થયું, જુઓ નવું રેટ લિસ્ટ
Inflation Alert: તેલ, દાળથી દૂધ-ખાંડ સુધી 99% રાશન મોંઘું થયું, જુઓ નવું રેટ લિસ્ટ
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં ભારે વરસાદ અને તોફાનનું રેડ એલર્ટ! 70 km/h ની ઝડપે ફુંકાશે પવન
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં ભારે વરસાદ અને તોફાનનું રેડ એલર્ટ! 70 km/h ની ઝડપે ફુંકાશે પવન
2027 વર્લ્ડ કપ: પંત, સેમસન કે ઈશાન? જાણો કોણ બની શકે છે ભારતનો બીજો વિકેટકીપર!
2027 વર્લ્ડ કપ: પંત, સેમસન કે ઈશાન? જાણો કોણ બની શકે છે ભારતનો બીજો વિકેટકીપર!
TMC બળવાખોર યુસુફ પઠાણનો નવો દાવ! મુખ્યમંત્રી સામે મૂકી મોટી શરત, કહ્યું - ‘જે નામ હટાવ્યા તે....’
TMC બળવાખોર યુસુફ પઠાણનો નવો દાવ! મુખ્યમંત્રી સામે મૂકી મોટી શરત, કહ્યું - ‘જે નામ હટાવ્યા તે....’
Embed widget