શોધખોળ કરો

સોમનાથની પવિત્ર ધરતી પરથી પીએમ મોદીનો વિશ્વને શક્તિશાળી સંદેશ: ‘કોઈ તાકાત ભારતને....’

pm modi somnath visit: વડાપ્રધાન મોદીએ ગીર સોમનાથમાં પૂજા-અર્ચના કરી; પોખરણ પરમાણુ પરીક્ષણ અને સરદાર પટેલને યાદ કરીને દેશની તાકાત અને અખંડિતતાનો સંદેશ આપ્યો.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • પીએમ મોદીએ સોમનાથ મંદિરે કુંભાભિષેક કરી દેશને તાકાતનો સંદેશ આપ્યો.
  • સોમનાથના ગૌરવ, હુમલા અને પુનર્નિર્માણની વાત પર ભાર મૂક્યો.
  • પોખરણ પરીક્ષણ અને પ્રતિબંધો છતાં ભારતની અડગતા યાદ કરી.
  • સરદાર પટેલના એકીકરણ અને સોમનાથ મંદિરના સંકલ્પને યાદ કર્યા.

pm modi somnath visit: વડાપ્રધાન નરેન્દ્ર મોદી અત્યારે ગુજરાતના 2 દિવસના પ્રવાસે છે. સોમવારે ગીર સોમનાથમાં ભવ્ય રોડ-શો કર્યા બાદ તેમણે સોમનાથ દાદાના મંદિરે કુંભાભિષેક અને પૂજા-અર્ચના કરી હતી. આ પવિત્ર ભૂમિ પરથી પીએમ મોદીએ દેશ અને દુનિયાને એક મજબૂત સંદેશ આપતા કહ્યું કે, દુનિયાની કોઈ પણ તાકાત ભારતને દબાવી શકે તેમ નથી. આ સાથે જ તેઓ આજે સાંજે વડોદરામાં સરદારધામ છાત્રાલયનું લોકાર્પણ કરવાના છે અને ત્યાં પણ એક જાહેર સભાને સંબોધિત કરશે.

સોમનાથના ગૌરવ અને ભારતની તાકાતની વાત

સોમનાથ અમૃત મહોત્સવમાં બોલતા પીએમ મોદીએ આપણા સાંસ્કૃતિક વારસા વિશે વાત કરી હતી. તેમણે ઇતિહાસને યાદ કરતા કહ્યું કે, ભૂતકાળમાં ઘણા આક્રમણકારોએ સોમનાથ મંદિર પર હુમલો કરીને તેને તોડી પાડવાનો પ્રયાસ કર્યો હતો. તેઓ સોમનાથને માત્ર ઈંટો અને પથ્થરનું એક માળખું જ સમજતા હતા, એટલે જ મંદિર પર વારંવાર હુમલા થયા. પરંતુ દરેક વખતે સોમનાથ મંદિર ફરીથી અડીખમ ઊભું થઈ ગયું, કારણ કે હુમલાખોરો ભારતની સાચી તાકાત અને વિચારધારાને સમજી જ ન શક્યા. આપણી સંસ્કૃતિ માને છે કે શરીર નાશવંત છે, પણ આત્મા અમર છે અને શિવ જ પરમાત્મા છે જે આપણી સૌથી મોટી ચેતના છે.

પોખરણ પરીક્ષણ અને અડીખમ ભારત

દેશની તાકાતનો અહેસાસ કરાવતા પીએમ મોદીએ 11 મે, 1998 ના રોજ પોખરણમાં થયેલા પરમાણુ પરીક્ષણને પણ યાદ કર્યું. તેમણે કહ્યું કે, જ્યારે ભારતે પરમાણુ પરીક્ષણ કર્યું ત્યારે આખી દુનિયા આપણી સામે ઊભી થઈ ગઈ હતી. દુનિયાભરના દેશો ગુસ્સામાં હતા અને આપણા પર અનેક આકરા પ્રતિબંધો પણ લગાવવામાં આવ્યા હતા, પણ ભારત કોઈનાથી ડર્યું નહીં કે પીછેહઠ પણ ન કરી. આપણા દેશમાં ક્યારેક આત્મસન્માન જેવા મુદ્દાઓ પર પણ રાજકારણ રમાય છે, પરંતુ રાષ્ટ્રહિત સર્વોપરી હોવું જોઈએ.

એક વર્ષ સુધી સોનું ન ખરીદવાથી દેશમાં શું થશે? પીએમ મોદીની અપીલ પાછળ છે $72 બિલિયનનો ખેલ

સરદાર પટેલનું યોગદાન અને સોમનાથ સાથેનો લગાવ

દેશના એકીકરણમાં લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલના યોગદાનને યાદ કરતા વડાપ્રધાને કહ્યું કે, આઝાદી વખતે 500 થી વધુ દેશી રજવાડાઓને ભેગા કરીને સરદાર પટેલે જ અખંડ ભારત બનાવ્યું હતું. એટલું જ નહીં, તેમણે જ આ સોમનાથ મંદિરના નવનિર્માણનો સંકલ્પ લીધો અને તેને પૂરો પણ કર્યો. અંતમાં પીએમ મોદીએ સોમનાથ સાથેના પોતાના ખાસ લગાવને યાદ કરતા કહ્યું કે, તેમને અવારનવાર અહીં મહાદેવના દર્શન કરવાની તક મળતી રહે છે અને આ પવિત્ર ભૂમિ સાથે તેમનો એક અતૂટ નાતો છે.

ખાદ્ય તેલનો ઓછો વપરાશ એ જ સાચી દેશભક્તિ! પીએમ મોદીએ રાષ્ટ્રના હિતમાં નાગરિકોને કરી ખાસ અપીલ

Frequently Asked Questions

પીએમ મોદીએ સોમનાથમાં કયા કાર્યક્રમમાં ભાગ લીધો?

પીએમ મોદીએ સોમનાથ અમૃત મહોત્સવમાં ભાગ લીધો હતો. તેમણે મંદિરમાં કુંભાભિષેક અને પૂજા-અર્ચના કરી.

સોમનાથ મંદિર પર વારંવાર હુમલા શા માટે થયા હતા?

ભૂતકાળમાં આક્રમણકારો સોમનાથને માત્ર ઈંટો અને પથ્થરનું માળખું સમજતા હતા. તેઓ ભારતની સાચી તાકાત અને વિચારધારાને સમજી શક્યા નહોતા.

પીએમ મોદીએ પોખરણ પરીક્ષણનો ઉલ્લેખ શા માટે કર્યો?

દેશની તાકાતનો અહેસાસ કરાવવા અને ભારતે પ્રતિબંધો છતાં પીછેહઠ ન કરી તે દર્શાવવા માટે તેમણે પોખરણ પરીક્ષણનો ઉલ્લેખ કર્યો.

સરદાર પટેલે સોમનાથ મંદિરના નિર્માણમાં શું યોગદાન આપ્યું?

સરદાર વલ્લભભાઈ પટેલે સોમનાથ મંદિરના નવનિર્માણનો સંકલ્પ લીધો અને તેને પૂર્ણ કર્યો હતો. તેમણે દેશના એકીકરણમાં પણ મહત્વની ભૂમિકા ભજવી હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Weather Update: વીજળીના કડાકા-ભડાકા સાથે આ રાજ્યોમાં તૂટી પડશે ભારે વરસાદ, જાણો હવામાન અપડેટ 
Weather Update: વીજળીના કડાકા-ભડાકા સાથે આ રાજ્યોમાં તૂટી પડશે ભારે વરસાદ, જાણો હવામાન અપડેટ 
શું ઇથેનોલથી ગાડીનું એન્જિન ખરાબ થઈ જશે? E20 પેટ્રોલના ફાયદા કે નુકસાન? સરકારે આપ્યો દરેક સવાલનો જવાબ
શું ઇથેનોલથી ગાડીનું એન્જિન ખરાબ થઈ જશે? E20 પેટ્રોલના ફાયદા કે નુકસાન? સરકારે આપ્યો દરેક સવાલનો જવાબ
સુપ્રીમ કોર્ટે રાજા રઘુવંશી હત્યા કેસની મુખ્ય આરોપી સોનમ રઘુવંશીની જામીન પર રોક મૂકવાનો કેમ કર્યો ઇનકાર
સુપ્રીમ કોર્ટે રાજા રઘુવંશી હત્યા કેસની મુખ્ય આરોપી સોનમ રઘુવંશીની જામીન પર રોક મૂકવાનો કેમ કર્યો ઇનકાર
સોનમર્ગ અટલ ટનલની પાસે CRPFની કાર પલટી જતાં દુર્ઘટના, અકસ્માતમાં 6 જવાન ઘાયલ
સોનમર્ગ અટલ ટનલની પાસે CRPFની કાર પલટી જતાં દુર્ઘટના, અકસ્માતમાં 6 જવાન ઘાયલ
Advertisement

વિડિઓઝ

Rain Update: ભારે વરસાદના કારણે રાજ્યમાં 48 રસ્તાઓ બંધ, નેશનલ હાઈવે 48 પણ પ્રભાવિત
USA Gujarati Death : અમેરિકામાં આગ લાગતા 3 ગુજરાતીના મોત
Hun To Bolish: હું તો બોલીશ: પિચકારીના પાપી
Hun To Bolish: હું તો બોલીશ: પાતાળ લોક
Hun To Bolish: હું તો બોલીશ: ખેડૂતોનું સાચું દર્દ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: વીજળીના કડાકા-ભડાકા સાથે આ રાજ્યોમાં તૂટી પડશે ભારે વરસાદ, જાણો હવામાન અપડેટ 
Weather Update: વીજળીના કડાકા-ભડાકા સાથે આ રાજ્યોમાં તૂટી પડશે ભારે વરસાદ, જાણો હવામાન અપડેટ 
Gujarat Rain: ચોમાસાની જમાવટ, સિઝનનો સરેરાશ 8.46 ટકા વરસાદ, સરદાર સરોવર ડેમ 64 ટકા ભરાયો
Gujarat Rain: ચોમાસાની જમાવટ, સિઝનનો સરેરાશ 8.46 ટકા વરસાદ, સરદાર સરોવર ડેમ 64 ટકા ભરાયો
SIP Calculator: મહિને 2000 રુપિયાની SIP થી 10 લાખનું ફંડ કેટલા વર્ષમાં તૈયાર થાય? જુઓ કેલક્યુલેશન 
SIP Calculator: મહિને 2000 રુપિયાની SIP થી 10 લાખનું ફંડ કેટલા વર્ષમાં તૈયાર થાય? જુઓ કેલક્યુલેશન 
Agriculture: ચાલુ વર્ષે 5 દિવસ મોડું બેસ્યું ચોમાસું, આનાથી પાકોની ક્વોલિટી પર શું પડશે અસર ? જાણો
Agriculture: ચાલુ વર્ષે 5 દિવસ મોડું બેસ્યું ચોમાસું, આનાથી પાકોની ક્વોલિટી પર શું પડશે અસર ? જાણો
Gujarat Rain Update: રાજ્યના આ જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
Gujarat Rain Update: રાજ્યના આ જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
Rain: ગુજરાતમાં મેઘતાંડવ, બપોર સુધી રાજ્યના 68 તાલુકાઓમાં ધમાકેદાર વરસાદ, વઘઈમાં સૌથી વધુ 10 ઈંચ
Rain: ગુજરાતમાં મેઘતાંડવ, બપોર સુધી રાજ્યના 68 તાલુકાઓમાં ધમાકેદાર વરસાદ, વઘઈમાં સૌથી વધુ 10 ઈંચ
રાજ્યમાં મેઘરાજાની તોફાની બેટિંગ, ભારે વરસાદના કારણે 48 માર્ગો બંધ, નેશનલ હાઈવે 48 પણ પ્રભાવિત
રાજ્યમાં મેઘરાજાની તોફાની બેટિંગ, ભારે વરસાદના કારણે 48 માર્ગો બંધ, નેશનલ હાઈવે 48 પણ પ્રભાવિત
Valsad Rain: વલસાડ ભારે વરસાદથી પાણી-પાણી, નીચાણવાળા વિસ્તારોમાં ઘરો અને દુકાનોમાં પાણી ઘૂસ્યા, તંત્ર એલર્ટ
Valsad Rain: વલસાડ ભારે વરસાદથી પાણી-પાણી, નીચાણવાળા વિસ્તારોમાં ઘરો અને દુકાનોમાં પાણી ઘૂસ્યા, તંત્ર એલર્ટ
Embed widget