શોધખોળ કરો

PM Modi Lok Sabha Speech: ગરીબોને ખોટા નારા નહીં, વાસ્તવિક વિકાસ આપ્યો- લોકસભામાં બોલ્યા PM મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લોકસભાની કાર્યવાહીમાં ભાગ લેવા પહોંચ્યા હતા.  ભાજપ અને એનડીએના સાંસદોએ 'મોદી-મોદી'ના નારા સાથે ગૃહમાં પીએમ મોદીનું સ્વાગત કર્યું હતું.

નવી દિલ્હી:  પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લોકસભાની કાર્યવાહીમાં ભાગ લેવા પહોંચ્યા હતા.  ભાજપ અને એનડીએના સાંસદોએ 'મોદી-મોદી'ના નારા સાથે ગૃહમાં પીએમ મોદીનું સ્વાગત કર્યું હતું. પીએમ મોદી લોકસભામાં આભાર પ્રસ્તાવ પર ચર્ચાનો જવાબ આપી રહ્યા છે. 

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે અમારી સરકારે ખોટા નારા નથી આપ્યા, સાચા અર્થમાં ગરીબોની સેવા કરી છે. પાંચ દાયકા સુધી ખોટા નારા આપવામાં આવ્યા. મિડલ ક્લાસના સપનાઓ એ રીતે સમજાતા નથી. 

લોકસભામાં પ્રધાનમંત્રી  મોદીએ કહ્યું કે મારા માટે સૌભાગ્યની વાત છે કે જનતાએ મને 14મી વખત તેમનો આભાર માનવાની તક આપી છે. આપણે 2025માં છીએ, એક રીતે 21મી સદીના 25 ટકા વીતી ગયા છે. 20મી સદીમાં આઝાદી પછી શું થયું અને 21મી સદીના 25 વર્ષમાં શું થયું તે સમય નક્કી કરશે. પરંતુ રાષ્ટ્રપતિના સંબોધનમાં સ્પષ્ટપણે દેખાઈ આવે છે કે તેમણે દેશની સામે ભવિષ્યના 25 વર્ષ અને  વિકસિત ભારત માટે નવો વિશ્વાસ જગાવવા રાષ્ટ્રપતિનું સંબોધન વિકસિત ભારતને લઈ લોકોને પ્રેરિત કરનારું છે. 

25 કરોડ દેશવાસીઓ ગરીબીમાંથી બહાર આવ્યા

પીએમ મોદીએ કહ્યું, "રાષ્ટ્રપતિનું સંબોધન સામાન્ય લોકોને વિકસિત ભારત વિશે પ્રેરિત કરવા જઈ રહ્યું છે. 25 કરોડ દેશવાસીઓ ગરીબીમાંથી બહાર આવ્યા છે. 5 દાયકાથી આપણે ગરીબી દૂર કરવાના નારા સાંભળ્યા હતા અને હવે 25 કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા છે, આ એમ જ નથી  બન્યું , સંપૂર્ણ સંવેદનશીલતા સાથે અને આયોજનબદ્ધ રીતે સમય પસાર કરીને જ બન્યું છે."

રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું 

પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે કેટલાક નેતાઓનું ધ્યાન તેમના ઘરના સ્ટાઇલિશ બાથરૂમ પર છે. અમારું ધ્યાન દરેક ઘરમાં નળનું પાણી પહોંચાડવા પર છે. 12 કરોડ લોકોને નળનું પાણી આપ્યું. અમારું ધ્યાન ગરીબો માટે ઘર બનાવવા પર છે. ગરીબોની ઝૂંપડીમાં ફોટો સેશન ગોઠવનારાઓને ગરીબોની વાત કંટાળાજનક લાગશે. તમે સમસ્યાને ઓળખીને તેની અવગણના કરી શકતા નથી. સમસ્યાનો પણ ઉકેલ લાવવો પડશે. અમારો પ્રયાસ સમસ્યાનો ઉકેલ લાવવાનો છે અને અમે સમર્પણ સાથે પ્રયાસ કરીએ છીએ.

10 કરોડ નકલી લોકો સરકારી યોજનાઓનો લાભ લઈ રહ્યા હતા

કોંગ્રેસ પર પ્રહાર કરતા પ્રધાનમંત્રી કહ્યું કે, "જ્યારે તાવ ચઢે છે ત્યારે લોકો કંઈ પણ બોલે છે. પરંતુ સાથે સાથે જ્યારે નિરાશા અને હતાશા ફેલાય છે, ત્યારે લોકો કંઈ પણ બોલે છે. જેઓ ભારતમાં જન્મ્યા નથી. આવા 10 કરોડ નકલી લોકો સરકારી યોજનાઓનો લાભ લઈ રહ્યા હતા. રાજકીય લાભની પરવા કર્યા વિના અમે 10 કરોડ લોકોના નામ કાઢી નાખ્યા અને વાસ્તવિક લાભાર્થીઓની ઓળખ કરી લાભ તેમના સુધી પહોંચાડ્યો.

અમારા સ્વચ્છતા અભિયાનની મજાક ઉડાવવામાં આવી.  માત્ર સરકારી કચેરીઓમાંથી જે ભંગાર વેચવામાં આવ્યો તેનાથી સરકારને 2300 કરોડ રૂપિયા મળ્યા છે.  તાજેતરના વર્ષોમાં, ફક્ત સરકારી કચેરીઓમાંથી કચરો વેચાયો હતો અને 2,300 કરોડ રૂપિયા પ્રાપ્ત થયા હતા. સ્વચ્છ ભારત અભિયાનમાંથી ભંગાર વેચીને 2300 કરોડ રૂપિયાની કમાણી થઈ રહી છે. 

ઈનકમ ટેક્સ પર બોલ્યા પ્રધાનમંત્રી મોદી

2014 પહેલા માત્ર 2 લાખ રૂપિયા પર જ આવકવેરામાંથી મુક્તિ મળતી હતી. અમે 12 લાખ રૂપિયા સુધીની આવકને ટેક્સ ફ્રી કરી છે. અમે સતત આમ કરતા રહ્યા. 1લી એપ્રિલ પછી દેશમાં નોકરિયાત લોકોએ 12.75 લાખ રૂપિયા સુધી કોઈ આવકવેરો ચૂકવવો પડશે નહીં. 

 

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Crime News:વિજાપુરમાં ચોંકાવનારી ઘટના,ધોરણ 2ની  બાળકીને અજાણ્યા યુવકે આપ્યું ઈન્જેક્શન
Crime News:વિજાપુરમાં ચોંકાવનારી ઘટના,ધોરણ 2ની બાળકીને અજાણ્યા યુવકે આપ્યું ઈન્જેક્શન
Pakની નાપાક હરકત, દિલ્લી પોલીસે Pakના 4 શખ્સને હથિયારના જથ્થા સાથે ઝડપી પાડયાં
Pakની નાપાક હરકત, દિલ્લી પોલીસે Pakના 4 શખ્સને હથિયારના જથ્થા સાથે ઝડપી પાડયાં
મહિલાઓને નાઈટ શિફ્ટમાં કામ કરવાની સ્વતંત્રતા, ઓવરટાઇમના ડબલ પૈસા, જાણો નવા શ્રમ કાયદાની 10 મોટી વાતો
મહિલાઓને નાઈટ શિફ્ટમાં કામ કરવાની સ્વતંત્રતા, ઓવરટાઇમના ડબલ પૈસા, જાણો નવા શ્રમ કાયદાની 10 મોટી વાતો
'જો હિન્દુઓ નહીં રહે, તો દુનિયા ખતમ થઇ જશે...' - RSS પ્રમુખ મોહન ભાગવતનું મોટું નિવેદન
'જો હિન્દુઓ નહીં રહે, તો દુનિયા ખતમ થઇ જશે...' - RSS પ્રમુખ મોહન ભાગવતનું મોટું નિવેદન
Advertisement

વિડિઓઝ

Narmada News: રાજપીપળાની બેંકના પૂર્વ કેશ ઓફિસર પર 1.93 કરોડની ઠગાઈનો આરોપ
Mehsana News: વિજાપુરમાં બની ચોંકાવનારી ઘટના, ધો. 2ની આઠ વર્ષીય બાળકીને કોઈએ આપ્યું ઈન્જેક્શન
Banaskantha News: થરાદના ખોડા ચેક પોસ્ટ પરથી 2 શખ્સો MD ડ્રગ્સ સાથે ઝડપાયા
Ambalal Patel Prediction: નવું ચક્રવાત ગુજરાતમાં કેવું મચાવશે તોફાન? અંબાલાલે શું કરી આગાહી
Mohan Bhagwat Statement: હિન્દુત્વ પર RSS સુપ્રીમો મોહન ભાગવતનું મોટુ નિવેદન | abp Asmita LIVE
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Crime News:વિજાપુરમાં ચોંકાવનારી ઘટના,ધોરણ 2ની  બાળકીને અજાણ્યા યુવકે આપ્યું ઈન્જેક્શન
Crime News:વિજાપુરમાં ચોંકાવનારી ઘટના,ધોરણ 2ની બાળકીને અજાણ્યા યુવકે આપ્યું ઈન્જેક્શન
Pakની નાપાક હરકત, દિલ્લી પોલીસે Pakના 4 શખ્સને હથિયારના જથ્થા સાથે ઝડપી પાડયાં
Pakની નાપાક હરકત, દિલ્લી પોલીસે Pakના 4 શખ્સને હથિયારના જથ્થા સાથે ઝડપી પાડયાં
મહિલાઓને નાઈટ શિફ્ટમાં કામ કરવાની સ્વતંત્રતા, ઓવરટાઇમના ડબલ પૈસા, જાણો નવા શ્રમ કાયદાની 10 મોટી વાતો
મહિલાઓને નાઈટ શિફ્ટમાં કામ કરવાની સ્વતંત્રતા, ઓવરટાઇમના ડબલ પૈસા, જાણો નવા શ્રમ કાયદાની 10 મોટી વાતો
'જો હિન્દુઓ નહીં રહે, તો દુનિયા ખતમ થઇ જશે...' - RSS પ્રમુખ મોહન ભાગવતનું મોટું નિવેદન
'જો હિન્દુઓ નહીં રહે, તો દુનિયા ખતમ થઇ જશે...' - RSS પ્રમુખ મોહન ભાગવતનું મોટું નિવેદન
અયોધ્યા રામ મંદિરમાં ખાતે 25 નવેમ્બરે યોજાશે ધ્વજારોહણ સમારોહ, જાણો ગુજરાતમાં બનેલ આ ખાસ ધજાની ખાસિયત
અયોધ્યા રામ મંદિરમાં ખાતે 25 નવેમ્બરે યોજાશે ધ્વજારોહણ સમારોહ, જાણો ગુજરાતમાં બનેલ આ ખાસ ધજાની ખાસિયત
IPL 2026 ની હરાજી પહેલા પંજાબ કિંગ્સ માટે આવ્યા ખરાબ સમાચાર, શ્રેયસ ઐયર નહીં રમી શકે? જાણો હેલ્થ અપડેટ
IPL 2026 ની હરાજી પહેલા પંજાબ કિંગ્સ માટે આવ્યા ખરાબ સમાચાર, શ્રેયસ ઐયર નહીં રમી શકે? જાણો હેલ્થ અપડેટ
જો તમે ટ્રેનમાં ફરવા જવાનું આયોજન કરી રહ્યા હોય તો થોભી જજો,રેલ્વેએ 3 મહિના સુધી રદ કરી છે 16 એક્સપ્રેસ ટ્રેન
જો તમે ટ્રેનમાં ફરવા જવાનું આયોજન કરી રહ્યા હોય તો થોભી જજો,રેલ્વેએ 3 મહિના સુધી રદ કરી છે 16 એક્સપ્રેસ ટ્રેન
સરકારે લાગુ કર્યા 4 નવા લેબર કોડ, વેતન, ગ્રેચ્યુઇટી અને ઓવરટાઇમના નિયમો બદલાયા, જાણો કામદારોને શું થશે ફાયદો
સરકારે લાગુ કર્યા 4 નવા લેબર કોડ, વેતન, ગ્રેચ્યુઇટી અને ઓવરટાઇમના નિયમો બદલાયા, જાણો કામદારોને શું થશે ફાયદો
Embed widget