શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
ન કોઈ આપણી સરહદમાં ઘૂસ્યું છે, ન તો આપણી કોઈ પોસ્ટ કોઈના કબ્જામાં છે : વડાપ્રધાન મોદી
પીએમ મોદીએ કહ્યું, ભારત શાંતિ અને મિત્રતા ઈચ્છે છે, પરંતુ સંપ્રભુતાને કાયમ રાખવી આપણા માટે સૌથી મહત્વપૂર્ણ છે. અમે સેનાની ખુલ્લી છૂટ આપી છે.
![ન કોઈ આપણી સરહદમાં ઘૂસ્યું છે, ન તો આપણી કોઈ પોસ્ટ કોઈના કબ્જામાં છે : વડાપ્રધાન મોદી PM Narendra Modi says Neither have they intruded into our border nor has any post been taken over by them ન કોઈ આપણી સરહદમાં ઘૂસ્યું છે, ન તો આપણી કોઈ પોસ્ટ કોઈના કબ્જામાં છે : વડાપ્રધાન મોદી](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/06/20041731/pm-modi.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
નવી દિલ્હી: ચીન સાથેના તણાવ વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં શુક્રવારે તમામ પક્ષોની બેઠક મળી હતી. આ બેઠકમા પીએમ મોદીએ કહ્યું હતું કે, ન તો કોઈ આપણી સરહદમાં ધૂસ્યુ છે, ન તો આપણી કોઈ પોસ્ટ બીજા કોઈના કબજામાં છે.
આ બેઠકમાં શરદ પવાર, ઉદ્ધવ ઠાકરે, સોનિયા ગાંધી, મમતા બેનર્જી, સ્ટાલિન, જગનમોહન રેડ્ડી, રામદાસ અઠવાલે, ડી રાજા સહિત અન્ય નેતાઓ સામેલ થયા હતા. બેઠકમાં ગલવાન ઘાટીમાં શહીદ થયેલા સૈનિકોને શ્રદ્ધાંજલિ અપાઈ હતી.
પીએમ મોદીએ કહ્યું, ભારત શાંતિ અને મિત્રતા ઈચ્છે છે, પરંતુ સંપ્રભુતાને કાયમ રાખવી આપણા માટે સૌથી મહત્વપૂર્ણ છે. અમે સેનાને ખુલ્લી છૂટ આપી છે.
પીએમ મોદીએ આગળ કહ્યું કે જળ,જમીન અને આકાશમા આપણી સેનાઓ દેશની રક્ષા માટે જે કરવાનું છે, તે કરી રહી છે. આજે આપણી પાસે એ ક્ષમતા છે કે, કોઈ પણ આપણી એક ઈંચ જમીન તરફ આંખ ઉઠાવીને પણ ન જોઈ શકે.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
ગુજરાત
ક્રિકેટ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)