શોધખોળ કરો

'તમામ ભારતીય માટે દિવાળી ગિફ્ટ...', GST સ્લેબમાં ઘટાડાની જાહેરાત પર PM મોદીએ શું કહ્યુ?

સરકાર દ્ધારા GST સ્લેબ અંગે એક પોસ્ટર પણ બહાર પાડવામાં આવ્યું છે. તેમાં જણાવવામાં આવ્યું છે કે કઈ વસ્તુ પર કેટલો GST લાગશે

GST કાઉન્સિલની 56મી બેઠકમાં બુધવારે ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા હતા, જેનાથી સામાન્ય લોકો તેમજ ઉદ્યોગપતિઓને સીધી રાહત મળશે. બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે હવે ફક્ત 5 ટકા અને 18 ટકા એમ બે GST સ્લેબ રહેશે.  12 ટકા અને 28 ટકા સ્લેબ નાબૂદ કરવામાં આવશે. કેન્દ્ર સરકારના આ નિર્ણયથી રોજિંદા વસ્તુઓ સસ્તી થશે અને જીવનરક્ષક દવાઓને સંપૂર્ણપણે કરમાંથી મુક્તિ આપવામાં આવી છે.

આ નિર્ણયો પછી વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેને ઐતિહાસિક ગણાવ્યું અને કહ્યું કે નેક્સ્ટ જનરેશન જીએસટી સુધારો સામાન્ય માણસનું જીવન સરળ બનાવશે અને અર્થતંત્રને વધુ મજબૂત બનાવશે. પીએમ મોદીએ એક ‘એક્સ’ પોસ્ટમાં કહ્યું હતું કે, " સ્વતંત્રતા દિવસના ભાષણ દરમિયાન મેં GSTમાં આગામી પેઢીના સુધારા લાવવાના અમારા ઇરાદા વિશે વાત કરી હતી. કેન્દ્ર સરકારે વ્યાપક GST દરો અને પ્રક્રિયાગત સુધારાઓને તર્કસંગત બનાવવા માટે એક વિગતવાર પ્રસ્તાવ તૈયાર કર્યો હતો, જેનો હેતુ સામાન્ય માણસનું જીવન સરળ બનાવવા અને અર્થતંત્રને મજબૂત બનાવવાનો છે." તેમણે વધુમાં કહ્યું હતું કે, "મને જણાવતા આનંદ થાય છે કે કેન્દ્ર અને રાજ્યોનો સમાવેશ કરતી GST કાઉન્સિલ GST દરમાં ઘટાડા અને સુધારાઓ અંગે કેન્દ્ર સરકાર દ્વારા રજૂ કરાયેલા પ્રસ્તાવો સાથે સામૂહિક રીતે સંમત થઈ છે, જેનો લાભ સામાન્ય માણસ, ખેડૂતો, MSME, મધ્યમ વર્ગ, મહિલાઓ અને યુવાનોને મળશે. આ વ્યાપક સુધારાઓ આપણા નાગરિકોના જીવનમાં સુધારો કરશે અને બધા માટે ખાસ કરીને નાના વેપારીઓ અને વ્યવસાયો માટે વ્યવસાય કરવામાં સરળતા સુનિશ્ચિત કરશે."

દરેક ભારતીય માટે દિવાળી ભેટ: PM

GST સ્લેબ અંગે એક પોસ્ટર પણ બહાર પાડવામાં આવ્યું છે. તેમાં જણાવવામાં આવ્યું છે કે કઈ વસ્તુ પર કેટલો GST લાગશે. દેશના લોકો માટે PM મોદીનો સંદેશ પણ આ પોસ્ટર પર છે. આમાં PM મોદીએ કહ્યું છે કે, "આ દિવાળી પર GST સુધારો દરેક ભારતીય માટે ભેટ છે. સામાન્ય લોકો માટે કરમાં નોંધપાત્ર ઘટાડો થશે. આપણા MSME અને નાના ઉદ્યોગસાહસિકોને મોટો ફાયદો થશે. રોજિંદા વસ્તુઓ સસ્તી થશે અને અર્થતંત્રને નવી મજબૂતી મળશે." આ વસ્તુઓ સસ્તી થશે

યુએચટી દૂધ, પનીર, પીઝા બ્રેડ, રોટલી, પરાઠા, હવે શૂન્ય જીએસટી સ્લેબમાં મૂકવામાં આવ્યા છે અને તેના પર જીએસટી લાગશે નહીં. આ ઉપરાંત વ્યક્તિગત વીમા પૉલિસી પરનો જીએસટી નાબૂદ કરીને શૂન્ય કરવામાં આવ્યો છે. શૈક્ષણિક વસ્તુઓ, પેન્સિલો, કટર, રબર અને નોટબુક પર 12 ટકા જીએસટી દૂર કરીને કરમુક્ત કરવામાં આવ્યા છે.

નાણામંત્રીએ કહ્યું કે સામાન્ય માણસ અને મધ્યમ વર્ગને મોટી રાહત આપતા શેમ્પૂ, સાબુ, તેલ સહિત રોજિંદા ઘરમાં વપરાતી વસ્તુઓને હવે 5 ટકાની કેટેગરીમાં સમાવવામાં આવી છે. આ ઉપરાંત, નમકીન, પાસ્તા, કોફી, નૂડલ્સ પરનો ટેક્સ પણ 5 ટકા ઘટાડીને 18 ટકા કરવામાં આવ્યો છે. થર્મોમીટર અને ગ્લુકોમીટરને પણ આ શ્રેણીમાં સમાવવામાં આવ્યા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
Weather Update: ડિસેમ્બરની આ તારીખથી ફરી માવઠાનું સંકટ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
Weather Update: ડિસેમ્બરની આ તારીખથી ફરી માવઠાનું સંકટ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
કચ્છની ઉજ્જડ જમીન પર બની રહ્યો છે વિશ્વનો સૌથી મોટો સોલાર પ્લાન્ટ, ચંદ્ર પરથી પણ જોવા મળશે તેની ઝલક
કચ્છની ઉજ્જડ જમીન પર બની રહ્યો છે વિશ્વનો સૌથી મોટો સોલાર પ્લાન્ટ, ચંદ્ર પરથી પણ જોવા મળશે તેની ઝલક
રાજકોટના આ ગામમાં એક સાથે 30 ગાયોના મોત થતા હાહાકાર, અધિકારીઓ થયા દોડતા
રાજકોટના આ ગામમાં એક સાથે 30 ગાયોના મોત થતા હાહાકાર, અધિકારીઓ થયા દોડતા

વિડિઓઝ

Silver Price All Time High : ચાંદીનો ભાવ પહોંચ્યો ઓલટાઈમ હાઈ, કેટલો થયો ભાવ?
Harsh Sanghavi : નાયબ મુખ્યમંત્રી સંઘવીએ નામ લીધા વગર મેવાણી પર શું કર્યા પ્રહાર?
Hun To Bolish : હું તો બોલીશ : બેફામ બુટલેગર
Hun To Bolish : હું તો બોલીશના અહેવાલની અસર, રાજકોટમાં મળી આવ્યા 'ગોગો' પેપર
Hun To Bolish : હું તો બોલીશ : ગંજેડીનો 'ગોગો' બંધ કરો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
Weather Update: ડિસેમ્બરની આ તારીખથી ફરી માવઠાનું સંકટ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
Weather Update: ડિસેમ્બરની આ તારીખથી ફરી માવઠાનું સંકટ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
કચ્છની ઉજ્જડ જમીન પર બની રહ્યો છે વિશ્વનો સૌથી મોટો સોલાર પ્લાન્ટ, ચંદ્ર પરથી પણ જોવા મળશે તેની ઝલક
કચ્છની ઉજ્જડ જમીન પર બની રહ્યો છે વિશ્વનો સૌથી મોટો સોલાર પ્લાન્ટ, ચંદ્ર પરથી પણ જોવા મળશે તેની ઝલક
રાજકોટના આ ગામમાં એક સાથે 30 ગાયોના મોત થતા હાહાકાર, અધિકારીઓ થયા દોડતા
રાજકોટના આ ગામમાં એક સાથે 30 ગાયોના મોત થતા હાહાકાર, અધિકારીઓ થયા દોડતા
ફિલિપાઇન્સની રાજધાનીમાં ભીષણ આગ, 500થી વધુ મકાન બળીને ખાક, પરિવાર થયા બેઘર
ફિલિપાઇન્સની રાજધાનીમાં ભીષણ આગ, 500થી વધુ મકાન બળીને ખાક, પરિવાર થયા બેઘર
OLA, Bajaj, અને Ather ની બાદશાહત ખતમ! ઇલેક્ટ્રિક સ્કૂટર વેંચાણમાં આ કંપની બની નંબર વન
OLA, Bajaj, અને Ather ની બાદશાહત ખતમ! ઇલેક્ટ્રિક સ્કૂટર વેંચાણમાં આ કંપની બની નંબર વન
Match Fixing:મેચ ફિક્સિંગના ગુનામાં શું થઇ શકે છે સજા? ભારતીય દંડ સંહિતાની કઈ કલમો થાય છે લાગૂ?
Match Fixing:મેચ ફિક્સિંગના ગુનામાં શું થઇ શકે છે સજા? ભારતીય દંડ સંહિતાની કઈ કલમો થાય છે લાગૂ?
પાકિસ્તાનનો ચોંકાવનારો નિર્ણય, 1947 પછી પહેલીવાર બાળકોને શીખવવામાં આવશે સંસ્કૃત, શાળાઓમાં મળશે ગીતા જ્ઞાન
પાકિસ્તાનનો ચોંકાવનારો નિર્ણય, 1947 પછી પહેલીવાર બાળકોને શીખવવામાં આવશે સંસ્કૃત, શાળાઓમાં મળશે ગીતા જ્ઞાન
Embed widget