શોધખોળ કરો

Political Crisis : શરદ પવાર ભત્રીજાનું મન કળવામાં જ થાપ ખાઈ ગયા?

આ બીજી વખત છે જ્યારે અજિત પવારે અલગ રસ્તો અપનાવ્યો છે. પક્ષમાં જે રીતે વિભાજન થયું છે તેના પરથી આ આખો રાજકીય ઘટનાક્રમ બળવો દેખાઈ રહ્યો છે.

NCP Ajit Pawar : મહારાષ્ટ્રમાં શિવસેનામાં વિભાજન થયા બાદ હવે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)માં ભાગલા પડ્યા છે. ભૂતકાળમાં NCPના સુપ્રીમો અને સ્થાપક શરદ પવારે જે રીતે પાર્ટી સંગઠનમાં ફેરબદલ કર્યો હતો. ત્યારથી તેમના ભત્રીજા અજિત પવારની નારાજગીના સમાચાર સામે આવતા રહેતા હતા. આ બીજી વખત છે જ્યારે અજિત પવારે અલગ રસ્તો અપનાવ્યો છે. પક્ષમાં જે રીતે વિભાજન થયું છે તેના પરથી આ આખો રાજકીય ઘટનાક્રમ બળવો દેખાઈ રહ્યો છે. 

ગત વખતે પણ અજિત પવાર ઘણા ધારાસભ્યોને પોતાની સાથે લઈ ગયા હતા. ત્યારે ખુદ શરદ પવારે અજિત પવાર અને ધારાસભ્યોને પાછા લાવવા માટે સખત પ્રયાસ કરવો પડ્યો હતો. જે ધારાસભ્યો મુશ્કેલીથી ગુરુગ્રામ પહોંચી ગયા હતા તેઓ પાર્ટીમાં પરત ફર્યા હતા. ત્યારે પણ કહેવાતુ હતું કે, મહારાષ્ટ્રની રાજનીતિના ચાણક્ય તરીકે ઓળખતા શરદ પવાર ભત્રીજા અજીત પવારને ઓળખવામાં થાપ ખાઈ ગયા હતાં. હવે ફરીવાર પણ કંઈક એવી જ પરિસ્થિતિ ઉભી થઈ છે. જેથી આજે પણ એ જ સવાલ ઉભો થઈ રહ્યો છે કે, શું શરદ પવાર ફરી એકવાર તેમના જ ભત્રીજાનું મન કળવામાં અને રાજકીય પરિસ્થિતિનો તાગ મેળવવામાં ભૂલ કરી ગયા? 

જોકે હવે આ વખતે જોવાનું એ રહેશે કે શરદ પવાર આ પડકારનો કેવી રીતે સામનો કરે છે? શું શરદ પવાર ભત્રીજા અજીત પવાર અને તેમની સાથે બળવો કરીને ગયેલા ધારાસભ્યોને પાર્ટીમાં પાછા લાવી શકશે કે પછી રાજકીય ધોબીપછાડનો શિકાર બનશે. 

53માંથી 18 ધારાસભ્યો તૂટ્યા!

મહારાષ્ટ્રની વિધાનસભામાં એનસીપીના 54 ધારાસભ્યો છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે 54માંથી અજીત પવાર સાથે 36 ધારાસભ્યો છે. તેમના પરથી સ્પષ્ટ થાય છે કે, એનસીપીમાં ઓલ ઈઝ વેલ નથી જ. NCPમાં બળવો થયો છે જેથી તો હવે સવાલ એ છે કે, મહા વિકાસ આઘાડી (MVA)નું શું થશે? MVAમાં માત્ર શરદ પવારની NCP અને કોંગ્રેસ અને શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે) જ ટકી શકશે? બીજો મોટો પ્રશ્ન એ છે કે, જે રીતે એકનાથ શિંદે આખી શિવસેનાને પોતાની સાથે લઈ ગયા. શું શરદ પવાર સામે પણ આ જ પ્રકારનો પડકાર આવશે? મહારાષ્ટ્રના મંત્રી સુધીર મુનગંટીવારે તો દાવો કર્યો છે કે, NCPના 40થી વધુ ધારાસભ્યો સરકાર સાથે છે. જો આમ થશે તો શું એનસીપીની હાલત શિવસેના જેવી થશે?

વિપક્ષી એકતાને ઝટકો

NCP સુપ્રીમો પટનામાં વિપક્ષી એકતાની બેઠકમાં પહોંચ્યા હતા. આમાં તેમની પુત્રી સુપ્રિયા સુલે પણ તેમની સાથે ગયા હતા. બરોબર લાગ લઈને અજિત પવારે એવા સમયે NCPને તોડી છે જ્યારે વિપક્ષી એકતાની કવાયત અને મોદી વિરુદ્ધ મોરચો બનાવવાના પ્રયાસો ચાલી રહ્યા હતા. આગામી લોકસભાની ચૂંટણીમાં પણ તેનો ફરક ચોક્કસથી પડશે. જાહેર છે કે, મહારાષ્ટ્રમાં લોકસભાની 48 બેઠકો છે.

જૂને 17 વખાણ ને 2 બળવો

NCP નેતા અજિત પવારે 17 જૂને PM નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહની પ્રશંસા કરી હતી. જેમાં તેમણે કહ્યું હતું કે, પીએમ મોદી નેહરુ અને ઈન્દિરા જેવા કરિશ્માઈ નેતા છે. ભાજપ તેમના કામના કારણે સત્તામાં છે. અજિત પવારે અગાઉ એપ્રિલમાં પણ પીએમના વખાણ કર્યા હતા અને કહ્યું હતું કે, 2 સાંસદો સાથે ભાજપ 2014 અને 2019માં મોદીના કારણે જ પૂર્ણ બહુમતી સાથે સરકાર બનાવી શકી હતી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gandhinagar Rain | અમદાવાદ બાદ ગાંધીનગરમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રીDwarka Rain Forecast | દ્વારકામાં ધોધમાર વરસાદની આગાહીને પગલે જગત મંદિરની ધ્વજા અડધી કાંઠીએ ચડાવાઈAhmedabad Rain | અમદાવાદમાં જળબંબાકારની સ્થિતિ, બપોરે ધોધમાર વરસાદથી રસ્તા બેટમાં ફેરવાયાGujarat Heavy Rain Forecast  | આગામી ત્રણ કલાકમાં ઘમરોળાશે ગુજરાત, સૌથી મોટી આગાહી| Abp Asmita

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Ahmedabad Rain: 2 ઈંચ વરસાદમાં જ મુખ્યમંત્રીનું શહેર ફેરવાયું બેટમાં, પ્રિ મોન્સુનના દાવા પોકળ
Ahmedabad Rain: 2 ઈંચ વરસાદમાં જ મુખ્યમંત્રીનું શહેર ફેરવાયું બેટમાં, પ્રિ મોન્સુનના દાવા પોકળ
Gujarat Weather Update: ગુજરાતના આ નવ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવમાન વિભાગની આગાહી
Gujarat Weather Update: ગુજરાતના આ નવ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવમાન વિભાગની આગાહી
OMR શીટ નહીં, હવે કોમ્પ્યુટર પર યોજાઇ શકે છે  NEET-UG પરીક્ષા, NTAએ આ પરીક્ષાઓમાં કર્યો ફેરફાર
OMR શીટ નહીં, હવે કોમ્પ્યુટર પર યોજાઇ શકે છે NEET-UG પરીક્ષા, NTAએ આ પરીક્ષાઓમાં કર્યો ફેરફાર
New Rule: મોબાઇલ નંબર પોર્ટ માટે સાત દિવસની જોવી પડશે રાહ, 1, જૂલાઇથી લાગુ થશે નવો નિયમ
New Rule: મોબાઇલ નંબર પોર્ટ માટે સાત દિવસની જોવી પડશે રાહ, 1, જૂલાઇથી લાગુ થશે નવો નિયમ
Embed widget