શોધખોળ કરો

બિહાર વિધાનસભા ચૂંટણીને લઈ પ્રશાંત કિશોરની મોટી જાહેરાત, જાણો કેટલી બેઠકો પર લડશે ? 

જન સૂરાજના કન્વીનર પ્રશાંત કિશોરે જાહેરાત કરી છે કે તેમની પાર્ટી બિહાર વિધાનસભા ચૂંટણીમાં તમામ 243 બેઠકો પર ચૂંટણી લડશે.

જન સૂરાજના કન્વીનર પ્રશાંત કિશોરે જાહેરાત કરી છે કે તેમની પાર્ટી બિહાર વિધાનસભા ચૂંટણીમાં તમામ 243 બેઠકો પર ચૂંટણી લડશે. બિહારના ખગરિયામાં એક જાહેર સભાને સંબોધતા પ્રશાંત કિશોરે કહ્યું કે અમે 243 બેઠકો પર ચૂંટણી લડી રહ્યા છીએ. જેને  જેટલી બેઠકો પર ચૂંટણી લડવી હોય તેઓ લડે...કઈ પાર્ટી કેટલી બેઠકો પર લડી રહી છે, તેનાથી લોકોને કોઈ લેવાદેવા નથી.

જનતાએ NDA અને UPA બંનેનું શાસન જોયું

પ્રશાંત કિશોરે ચિરાગ પાસવાન અને અન્ય નેતાઓને સીધા સંબોધતા કહ્યું કે તેમણે કહેવું જોઈએ કે બિહારમાં બાળકોને કેવી રીતે શિક્ષણ આપવામાં આવશે, બિહારમાંથી સ્થળાંતર કેવી રીતે બંધ થશે અને બિહારમાં ભ્રષ્ટાચાર કેવી રીતે બંધ થશે? તેમણે કહ્યું કે જનતાએ NDA અને UPA બંનેનું શાસન જોયું છે.

પ્રશાંત કિશોરની સફર

પ્રશાંત કિશોરને 'PK' તરીકે પણ ઓળખવામાં આવે છે. તેઓ ચૂંટણી રણનીતિકાર છે અને હવે રાજકારણી છે. તેમનો જન્મ 1977માં બિહારના બક્સરમાં થયો હતો. રાજકારણમાં જોડાતા પહેલા તેમણે 8 વર્ષ સુધી સંયુક્ત રાષ્ટ્ર માટે કામ કર્યું હતું. તેમણે  અનેક રાજકીય પક્ષો માટે ચૂંટણી પ્રચારની તૈયારી અને સફળતા હાંસિલ કરી,જેમાં 2014ની લોકસભા ચૂંટણી, 2015ની બિહાર વિધાનસભા ચૂંટણી, 2021ની પશ્ચિમ બંગાળ ચૂંટણી, 2021ની તમિલનાડુ ચૂંટણી સામેલ છે.  

જન સૂરાજ પાર્ટી શા માટે બનાવી ?

પ્રશાંત કિશોર "જન સૂરાજ" ના સ્થાપક છે. તેમનું કહેવું છે કે તેઓ બિહારના રાજકીય પરિદૃશ્યમાં મોટો ફેરફાર લાવવા માંગે છે. તેમણે થોડા વર્ષો પહેલા ચૂંટણી રણનીતિકાર તરીકેનું કામ  છોડી  અને બિહારમાં પરિવર્તન લાવવાના ઉદ્દેશ્યથી "જન સૂરાજ" અભિયાન શરૂ કર્યું હતું.

બિહાર વિધાનસભાની ચૂંટણી ક્યારે છે ?

તમને જણાવી દઈએ કે આગામી બિહાર વિધાનસભાની ચૂંટણીઓ ઓક્ટોબર અથવા નવેમ્બર 2025માં યોજાવાની શક્યતા છે. ભારતના ચૂંટણી પંચ દ્વારા હજુ સુધી સત્તાવાર તારીખોની જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ વર્તમાન વિધાનસભાનો કાર્યકાળ 22 નવેમ્બર 2025ના રોજ સમાપ્ત થાય છે. બિહાર વિધાનસભામાં કુલ 243 બેઠકો છે. સરકાર બનાવવા માટે બહુમતી માટે કોઈપણ ગઠબંધનને 122 બેઠકોની જરૂર હોય છે. હાલમાં, બિહારમાં જનતા દળ (યુનાઇટેડ) અને ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વ હેઠળના ગઠબંધન (એનડીએ)નું શાસન છે. નીતિશ કુમાર બિહારના વર્તમાન મુખ્યમંત્રી છે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?

વિડિઓઝ

Himatnagar Protest : હુડાના વિરોધમાં લોકોએ સાંસદની ઓફિસ બહાર મચાવ્યો હંગામો, જુઓ અહેવાલ
Kutch Earthquake : કચ્છના માંડવીમાં અનુભવાયો 3.9ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો
Hun To Bolish : હું તો બોલીશ : 'ગોગો પેપર' વેચ્યા તો મર્યા સમજો
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના નેતાઓનો કજિયો
Hun To Bolish : હું તો બોલીશ : બાલિકા વધૂ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
SBI ના કરોડો ગ્રાહકોને ઝટકો: બેંકે FD ના વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો 15 ડિસેમ્બરથી લાગુ થતા નવા રેટ્સ
SBI ના કરોડો ગ્રાહકોને ઝટકો: બેંકે FD ના વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો 15 ડિસેમ્બરથી લાગુ થતા નવા રેટ્સ
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
‘જો પત્ની કમાતી હોય તો પતિ પાસેથી ભરણપોષણ માંગી શકે નહીં’: અલ્હાબાદ હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો
‘જો પત્ની કમાતી હોય તો પતિ પાસેથી ભરણપોષણ માંગી શકે નહીં’: અલ્હાબાદ હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો
Embed widget