શોધખોળ કરો

બિહાર વિધાનસભા ચૂંટણીને લઈ પ્રશાંત કિશોરની મોટી જાહેરાત, જાણો કેટલી બેઠકો પર લડશે ? 

જન સૂરાજના કન્વીનર પ્રશાંત કિશોરે જાહેરાત કરી છે કે તેમની પાર્ટી બિહાર વિધાનસભા ચૂંટણીમાં તમામ 243 બેઠકો પર ચૂંટણી લડશે.

જન સૂરાજના કન્વીનર પ્રશાંત કિશોરે જાહેરાત કરી છે કે તેમની પાર્ટી બિહાર વિધાનસભા ચૂંટણીમાં તમામ 243 બેઠકો પર ચૂંટણી લડશે. બિહારના ખગરિયામાં એક જાહેર સભાને સંબોધતા પ્રશાંત કિશોરે કહ્યું કે અમે 243 બેઠકો પર ચૂંટણી લડી રહ્યા છીએ. જેને  જેટલી બેઠકો પર ચૂંટણી લડવી હોય તેઓ લડે...કઈ પાર્ટી કેટલી બેઠકો પર લડી રહી છે, તેનાથી લોકોને કોઈ લેવાદેવા નથી.

જનતાએ NDA અને UPA બંનેનું શાસન જોયું

પ્રશાંત કિશોરે ચિરાગ પાસવાન અને અન્ય નેતાઓને સીધા સંબોધતા કહ્યું કે તેમણે કહેવું જોઈએ કે બિહારમાં બાળકોને કેવી રીતે શિક્ષણ આપવામાં આવશે, બિહારમાંથી સ્થળાંતર કેવી રીતે બંધ થશે અને બિહારમાં ભ્રષ્ટાચાર કેવી રીતે બંધ થશે? તેમણે કહ્યું કે જનતાએ NDA અને UPA બંનેનું શાસન જોયું છે.

પ્રશાંત કિશોરની સફર

પ્રશાંત કિશોરને 'PK' તરીકે પણ ઓળખવામાં આવે છે. તેઓ ચૂંટણી રણનીતિકાર છે અને હવે રાજકારણી છે. તેમનો જન્મ 1977માં બિહારના બક્સરમાં થયો હતો. રાજકારણમાં જોડાતા પહેલા તેમણે 8 વર્ષ સુધી સંયુક્ત રાષ્ટ્ર માટે કામ કર્યું હતું. તેમણે  અનેક રાજકીય પક્ષો માટે ચૂંટણી પ્રચારની તૈયારી અને સફળતા હાંસિલ કરી,જેમાં 2014ની લોકસભા ચૂંટણી, 2015ની બિહાર વિધાનસભા ચૂંટણી, 2021ની પશ્ચિમ બંગાળ ચૂંટણી, 2021ની તમિલનાડુ ચૂંટણી સામેલ છે.  

જન સૂરાજ પાર્ટી શા માટે બનાવી ?

પ્રશાંત કિશોર "જન સૂરાજ" ના સ્થાપક છે. તેમનું કહેવું છે કે તેઓ બિહારના રાજકીય પરિદૃશ્યમાં મોટો ફેરફાર લાવવા માંગે છે. તેમણે થોડા વર્ષો પહેલા ચૂંટણી રણનીતિકાર તરીકેનું કામ  છોડી  અને બિહારમાં પરિવર્તન લાવવાના ઉદ્દેશ્યથી "જન સૂરાજ" અભિયાન શરૂ કર્યું હતું.

બિહાર વિધાનસભાની ચૂંટણી ક્યારે છે ?

તમને જણાવી દઈએ કે આગામી બિહાર વિધાનસભાની ચૂંટણીઓ ઓક્ટોબર અથવા નવેમ્બર 2025માં યોજાવાની શક્યતા છે. ભારતના ચૂંટણી પંચ દ્વારા હજુ સુધી સત્તાવાર તારીખોની જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ વર્તમાન વિધાનસભાનો કાર્યકાળ 22 નવેમ્બર 2025ના રોજ સમાપ્ત થાય છે. બિહાર વિધાનસભામાં કુલ 243 બેઠકો છે. સરકાર બનાવવા માટે બહુમતી માટે કોઈપણ ગઠબંધનને 122 બેઠકોની જરૂર હોય છે. હાલમાં, બિહારમાં જનતા દળ (યુનાઇટેડ) અને ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વ હેઠળના ગઠબંધન (એનડીએ)નું શાસન છે. નીતિશ કુમાર બિહારના વર્તમાન મુખ્યમંત્રી છે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

BPCL એ લોન્ચ કર્યું 10 kg નું નવું LPG સિલિન્ડર: જાણો કિંમત અને વિશેષતાઓ
BPCL એ લોન્ચ કર્યું 10 kg નું નવું LPG સિલિન્ડર: જાણો કિંમત અને વિશેષતાઓ
સાંસદ પપ્પુ યાદવ પર દિલ્હીમાં છરીથી હુમલો! સમર્થકોએ આરોપીને બરાબરનો ઝૂડ્યો, જુઓ VIDEO
સાંસદ પપ્પુ યાદવ પર દિલ્હીમાં છરીથી હુમલો! સમર્થકોએ આરોપીને બરાબરનો ઝૂડ્યો, જુઓ VIDEO
આવતીકાલનું હવામાનઃ 22 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, વાંચી લો IMD રિપોર્ટ
આવતીકાલનું હવામાનઃ 22 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, વાંચી લો IMD રિપોર્ટ
8મું પગાર પંચ: શું સરકારી કર્મચારીઓનો પગાર બમણો થશે? જાણો DA મર્જરનું ગણિત!
8મું પગાર પંચ: શું સરકારી કર્મચારીઓનો પગાર બમણો થશે? જાણો DA મર્જરનું ગણિત!

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આ આફત માટે જવાબદાર કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના સાંસદ થયા લાલઘૂમ
Hun To Bolish : હું તો બોલીશ : પૂરના પાણી, ગામનું દર્દ
MLA Kirit Patel: પાટણમાં સમસ્યાનો ઉકેલ લાવવા MLA ડૉ. કિરીટ પટેલ મેદાને
Morbi News: આમરણ નજીક ડાયવર્ઝનનું ધોવાણ , ભારે વાહનો માટે રસ્તો કરાયો બંધ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ 22 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, વાંચી લો IMD રિપોર્ટ
આવતીકાલનું હવામાનઃ 22 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, વાંચી લો IMD રિપોર્ટ
લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં: અમદાવાદમાં 1768 કિલો નકલી ઘી, રાજકોટમાં 5400 લીટર દૂધ ઝડપાયું
લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં: અમદાવાદમાં 1768 કિલો નકલી ઘી, રાજકોટમાં 5400 લીટર દૂધ ઝડપાયું
અમદાવાદના શાહપુરમાં નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ: 4 આરોપીઓ ઝડપાયા, મુખ્ય સૂત્રધાર ફરાર
અમદાવાદના શાહપુરમાં નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ: 4 આરોપીઓ ઝડપાયા, મુખ્ય સૂત્રધાર ફરાર
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આત્મઘાતી હુમલો: પોલીસકર્મીઓ નિશાન પર, 7ના મોત, 18 ઘાયલ
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આત્મઘાતી હુમલો: પોલીસકર્મીઓ નિશાન પર, 7ના મોત, 18 ઘાયલ
હવામાન વિભાગની આગાહી: આગામી 3 દિવસ ગુજરાતનાં આ વિસ્તારમાં વરસાદ ખાબકશે
હવામાન વિભાગની આગાહી: આગામી 3 દિવસ ગુજરાતનાં આ વિસ્તારમાં વરસાદ ખાબકશે
સાંસદ પપ્પુ યાદવ પર દિલ્હીમાં છરીથી હુમલો! સમર્થકોએ આરોપીને બરાબરનો ઝૂડ્યો, જુઓ VIDEO
સાંસદ પપ્પુ યાદવ પર દિલ્હીમાં છરીથી હુમલો! સમર્થકોએ આરોપીને બરાબરનો ઝૂડ્યો, જુઓ VIDEO
એશિયા કપ 2026 માટે ટીમ ઈન્ડિયા જાહેર: શ્રેયંકા પાટિલ આઉટ, પ્રેમા રાવતનો સમાવેશ
એશિયા કપ 2026 માટે ટીમ ઈન્ડિયા જાહેર: શ્રેયંકા પાટિલ આઉટ, પ્રેમા રાવતનો સમાવેશ
BPCL એ લોન્ચ કર્યું 10 kg નું નવું LPG સિલિન્ડર: જાણો કિંમત અને વિશેષતાઓ
BPCL એ લોન્ચ કર્યું 10 kg નું નવું LPG સિલિન્ડર: જાણો કિંમત અને વિશેષતાઓ
Embed widget