શોધખોળ કરો

Prashant Kishor: રાહુલ ગાંધી PM બનશે? પ્રશાંત કિશોરે દાદી ઇન્દિરાની હારની યાદ અપાવી, કહ્યું - 99 બેઠકો મેળવવી એક વાત છે અને...

Prashant Kishor Latest Interview: બિહારના રહેવાસી પ્રશાંત કિશોર એક જાણીતા ચૂંટણી વ્યૂહરચનાકાર છે. તેઓ જન સુરાજના સ્થાપક પણ છે, જે આગામી બિહાર વિધાનસભાની ચૂંટણી 2025માં લડશે.

Prashant Kishor Latest Interview: લોકસભામાં વિપક્ષના નેતા અને ઉત્તર પ્રદેશ (યુપી)ના રાયબરેલીથી કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી વિશે ચૂંટણી વ્યૂહરચનાકાર પ્રશાંત કિશોર (પીકે)એ એક મોટી વાત કહી છે. તેમણે કહ્યું કે સામાન્ય ચૂંટણીમાં રાહુલ ગાંધીના નેતૃત્વ હેઠળ કોંગ્રેસને 99 બેઠકો મળી હોય, પરંતુ હજુ તેમનો રાજકીય માર્ગ ખૂબ લાંબો છે. તેમણે હજુ ઘણું આગળ અને ઉપર જવાનું છે. આ વાતો જન સુરાજના સ્થાપકે 'ઈન્ડિયા ટીવી'ના ઈન્ટરવ્યૂ શો 'આપ કી અદાલત' દરમિયાન કહી. ટીવી પત્રકાર રજત શર્મા સાથે પીકેએ કહ્યું, "કોંગ્રેસના પ્રદર્શનનો શ્રેય રાહુલ ગાંધીને મળવો જોઈએ."

રાહુલ ગાંધીનું પુનરાગમન (રાજકારણમાં મોટા કમબેકના સંદર્ભમાં) પણ થશે? ઈન્ટરવ્યૂ દરમિયાન આ પ્રશ્ન પર ચૂંટણી વ્યૂહરચનાકારે જણાવ્યું, "જુઓ, જ્યારે કોઈ પક્ષનું પુનરાગમન થયું હોય, ત્યારે તેને શ્રેય મળવો જોઈએ. તેમના નેતૃત્વ હેઠળ પાર્ટીએ લડત આપી અને તેને 99 બેઠકો મળી ત્યારે રાહુલ ગાંધીને તેનો શ્રેય આપવો જોઈએ." જોકે, પીકેએ આ દરમિયાન એક મહત્વપૂર્ણ મુદ્દા પર ભાર મૂક્યો અને કહ્યું કે જ્યારે પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની હાર થઈ ત્યારે 154 બેઠકો (1977માં) મળી હતી અને રાહુલ ગાંધીના નેતૃત્વ હેઠળ જ્યારે કોંગ્રેસની સૌથી મોટી જીત થઈ ત્યારે તેને 99 બેઠકો મળી છે. આ દર્શાવે છે કે એક નેતા તરીકે રાહુલ ગાંધીએ હજુ ઘણું આગળ જવાનું છે."

ભારતના PM બની શકશે રાહુલ ગાંધી? પીકેએ આપ્યો આ જવાબ

શ્રોતાઓમાંથી એક વ્યક્તિ દ્વારા પૂછવામાં આવ્યું કે શું રાહુલ ગાંધી આવનારા સમયમાં ભારતનું નેતૃત્વ કરશે અને વડાપ્રધાન બનશે? પીકેએ જવાબ આપ્યો, "તેઓ કોંગ્રેસના નેતા જરૂર છે. આ સામાન્ય ચૂંટણીએ તેમને કોંગ્રેસના નેતા તરીકે જરૂર સ્થાપિત કર્યા છે. આગામી પાંચ દસ વર્ષ સુધી કોઈ નહીં કહે કે તેમના સિવાય બીજો કોઈ નેતા છે, પરંતુ દેશના નેતા તરીકે તેઓ ઉભરી આવ્યા છે કે નહીં? આ વાત માટે હજુ સમય છે, ઘણો સમય છે. 99 બેઠકો મેળવવી એક વાત છે અને 250 કે 260 બેઠકો જીતવી બીજી વાત છે."

સામાન્ય ચૂંટણી 2024માં કોંગ્રેસ બેઠકોની દૃષ્ટિએ બીજા નંબરની પાર્ટી બની હતી. તેને 99 બેઠકો મળી હતી, જ્યારે રાહુલ ગાંધી બે જગ્યાએથી ચૂંટણી લડ્યા હતા. આમાં એક બેઠક કેરળની વાયનાડ હતી અને બીજું મતદાર ક્ષેત્ર યુપીની રાયબરેલી બેઠક છે. તેમણે બંને જગ્યાએથી જીત મેળવી હતી અને પછી નિયમોને કારણે તેમણે એક બેઠક છોડવી પડી હતી, જેમાં તેમણે વાયનાડ છોડી હતી.'

આ પણ વાંચોઃ

મંકીપોક્સથી અત્યાર સુધીમાં કેટલા લોકોનાં મોત થયાં છે? જાણો આ કેટલું ખતરનાક છે

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Maharashtra Election Result: મહારાષ્ટ્રમાં ભગવો લહેરાયો! મહાયુતિની પ્રચંડ જીત, ઉદ્ધવ-પવારના સૂપડાં સાફ
Maharashtra Election Result: મહારાષ્ટ્રમાં ભગવો લહેરાયો! મહાયુતિની પ્રચંડ જીત, ઉદ્ધવ-પવારના સૂપડાં સાફ
IND vs PAK: ભારતનું સપનું રોળાયું! પાકિસ્તાન સામે 191 રને કારમી હાર, અજેય રથ થંભ્યો
IND vs PAK: ભારતનું સપનું રોળાયું! પાકિસ્તાન સામે 191 રને કારમી હાર, અજેય રથ થંભ્યો
Mohan Bhagwat: ભારત હિન્દુ રાષ્ટ્ર જ છે! સંસદની મંજૂરીની જરૂર નથી, મોહન ભાગવતનું મોટું નિવેદન
Mohan Bhagwat: ભારત હિન્દુ રાષ્ટ્ર જ છે! સંસદની મંજૂરીની જરૂર નથી, મોહન ભાગવતનું મોટું નિવેદન
Railway Fare Hike: રેલવેના ભાડામાં 26 ડિસેમ્બરથી થશે વધારો, જાણો ટ્રેનની સફર કેટલી થશે મોંઘી
Railway Fare Hike: રેલવેના ભાડામાં 26 ડિસેમ્બરથી થશે વધારો, જાણો ટ્રેનની સફર કેટલી થશે મોંઘી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ: પોલીસ કેમ ગુમાવે છે પિત્તો ?
Hun To Bolish : હું તો બોલીશ: ઓપરેશન વિરાંગના
Hun To Bolish : હું તો બોલીશ: દાદા-દાદીને બચાવી શકાય
Ambalal Patel Prediction : ગુજરાતમાં પડશે માવઠું , અંબાલાલની ચોકાંવનારી આગાહી
Vadodara Police : દીકરીએ જ પ્રેમી સાથે મળી કરી પિતાની હત્યા , ઊંઘની ગોળી આપી પ્રેમીને બોલાવ્યો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Maharashtra Election Result: મહારાષ્ટ્રમાં ભગવો લહેરાયો! મહાયુતિની પ્રચંડ જીત, ઉદ્ધવ-પવારના સૂપડાં સાફ
Maharashtra Election Result: મહારાષ્ટ્રમાં ભગવો લહેરાયો! મહાયુતિની પ્રચંડ જીત, ઉદ્ધવ-પવારના સૂપડાં સાફ
IND vs PAK: ભારતનું સપનું રોળાયું! પાકિસ્તાન સામે 191 રને કારમી હાર, અજેય રથ થંભ્યો
IND vs PAK: ભારતનું સપનું રોળાયું! પાકિસ્તાન સામે 191 રને કારમી હાર, અજેય રથ થંભ્યો
Mohan Bhagwat: ભારત હિન્દુ રાષ્ટ્ર જ છે! સંસદની મંજૂરીની જરૂર નથી, મોહન ભાગવતનું મોટું નિવેદન
Mohan Bhagwat: ભારત હિન્દુ રાષ્ટ્ર જ છે! સંસદની મંજૂરીની જરૂર નથી, મોહન ભાગવતનું મોટું નિવેદન
Railway Fare Hike: રેલવેના ભાડામાં 26 ડિસેમ્બરથી થશે વધારો, જાણો ટ્રેનની સફર કેટલી થશે મોંઘી
Railway Fare Hike: રેલવેના ભાડામાં 26 ડિસેમ્બરથી થશે વધારો, જાણો ટ્રેનની સફર કેટલી થશે મોંઘી
મેડિકલથી એન્જિનિયરિંગ સુધી, ભારતીય વિદ્યાર્થીઓને રશિયા, પ્રવેશ પરીક્ષા વિના આપશે સ્કોલરશિપ
મેડિકલથી એન્જિનિયરિંગ સુધી, ભારતીય વિદ્યાર્થીઓને રશિયા, પ્રવેશ પરીક્ષા વિના આપશે સ્કોલરશિપ
IND vs PAK: પાકિસ્તાને ભારતને આપ્યો 348 રનનો લક્ષ્યાંક, સમીરની સદી, દિપેશની 3 વિકેટ
IND vs PAK: પાકિસ્તાને ભારતને આપ્યો 348 રનનો લક્ષ્યાંક, સમીરની સદી, દિપેશની 3 વિકેટ
દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગમાં અંધાધૂંધ ફાયરિંગ, 10 લોકોના મોત, અનેક ઘાયલ
દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગમાં અંધાધૂંધ ફાયરિંગ, 10 લોકોના મોત, અનેક ઘાયલ
રાજકોટમાં 80 વર્ષના ઢગાએ બાળકી સાથે કર્યા શારીરિક અડપલા,લોકોએ વર્સાવ્યો ફિટકાર, પોલીસે કરી અટકાયત
રાજકોટમાં 80 વર્ષના ઢગાએ બાળકી સાથે કર્યા શારીરિક અડપલા,લોકોએ વર્સાવ્યો ફિટકાર, પોલીસે કરી અટકાયત
Embed widget