શોધખોળ કરો

PM મોદીએ લખનઉમાં વાજપેયીની 25 ફૂટ ઊંચી પ્રતિમાનું કર્યુ અનાવરણ, જાણો વિગત

અટલ બિહારી વાજપેયીની મૂર્તિ અનાવરણ પ્રસંગે રાજયપાલ આનંદીબેન પટેલ, રક્ષા મંત્રી રાજનાથ સિંહ, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ઉપસ્થિત રહ્યા હતા.

લખનઉઃ ભારત રત્ન અટલ બિહારી વાજપેયીની 95મી જયંતીના અવસર પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લખનઉના લોકભવનમાં અટલ બિહારી વાજપેયીની 25 ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવણ કર્યું હતું. આ મૂર્તિ કાંસામાંથી બનાવવામાં આવી છે, જેને જયપુરના પ્રસિદ્ધ મૂર્તિકાર રાજકુમાર પ્રજાપતિએ આકાર આપ્યો છે. અટલ બિહારી વાજપેયીની મૂર્તિ અનાવરણ પ્રસંગે રાજયપાલ આનંદીબેન પટેલ, રક્ષા મંત્રી રાજનાથ સિંહ, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમને સંબોધન કરતાં રાજનાથ સિંહે કહ્યું, પહેલા લખનઉથી અટલજી સાંસદ હતા અને આજે મને આ સૌભાગ્ય મળ્યું છે જે ખૂબ મોટી વાત છે. જવાહરલાલ નેહરુએ ઘણા વર્ષો પહેલા જ ભવિષ્યવાણી કરી હતી કે અટલ બિહારી વાજપેયી દેશના પીએમ બનશે. અટલજીના જીવનમાં પાર્ટી નહીં દેશહિત ટોચ પર હતું. પીએમ મોદી પણ અટલ બિહારી વાજપેયીની જેમ સર્વધર્મ સમભાવની વાત કરે છે. અટલ બિહારી વાજપેયી મેડિકલ યુનિવર્સિટીના શિલાન્યાસ બાદ જનમેદનીને સંબોધતા પીએમ મોદીએ કહ્યું, અટલજી કહેતા હતા કે જીવનને ટુકડામાં ન જોવું જોઈએ તેને સમગ્રતામાં જોવું જોઈએ. આ વાત સરકાર માટે પણ સત્ય છે, સુશાસન માટે પણ સત્ય છે.  જ્યાં સુધી આપણે સમસ્યાઓને સંપૂર્ણતાથી નહીં વિચારીએ ત્યાં સુધી સુશાશન શક્ય નથી. મિશન પોષણ અને મિશન ઈન્દ્રધનુષને વધુ આગળ વધારીએ તેવો અમારો લક્ષ્ય છે. આયુષ્યમાન ભારતના કારણે દેશના આશરે 70 લાખ ગરીબ બાળકોની ફ્રીમાં સારવાર થઈ છે. જેમાં આશરે 11 લાખ ઉત્તરપ્રદેશના છે. 2022 સુધી જે ગરીબ પાસે ઘર નથી તેમને ઘર આપવાનું કામ ઝડપથી ચાલી રહ્યું છે. જન સ્વાસ્થ્યના ક્ષેત્રમાં થઈ રહેલું અભૂતપૂર્વ કામ ઉત્તરપ્રદેશમાં પણ જોવા મળી રહ્યું છે. ચાલુ વર્ષે ઈંસેફલાઇટિસ મામલે યોગી અને તેની ટીપે ખૂબ સારું કામ કર્યું છે. આ માટે તમામ અભિનંદનના અધિકારી છે. આજે અટલ સિદ્ધીની આ ધરતી પરથી  અહીંના દરેક નાગરિકોને આગ્રહ કરવા આવ્યો છું કે આઝાદી બાદના વર્ષોમાં આપણે સૌથી વધારે ભાર અધિકારો પર આપ્યો છે. ડોકટરી સારવાર આપણો હક છે પરંતુ ડોક્ટરોને સન્માન આપવું આપણી ફરજ છે. મૂર્તિકાર રાજકુમારે જણાવ્યું કે, મૂર્તિમાં અટલ બિહારી વાજપેયીની ભાવ-ભંગિમાને ઢાળવાની કોશિશ કરવામાં આવી છે. અટલજીની ભાષા શૈલી અને વ્યક્તિત્વથી ખૂબ પ્રભાવિત છું.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain Forecast:  ગુજરાતના આ ત્રણ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી, હવામાન વિભાગનું એલર્ટ
Gujarat Rain Forecast: ગુજરાતના આ ત્રણ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી, હવામાન વિભાગનું એલર્ટ
Victory Parade: મુંબઇમાં નીકળશે ટીમ ઇન્ડિયાનું વિજયી સરઘસ, આ રસ્તાઓ રહેશે બંધ, ટ્રાફિક પોલીસનું એલર્ટ
Victory Parade: મુંબઇમાં નીકળશે ટીમ ઇન્ડિયાનું વિજયી સરઘસ, આ રસ્તાઓ રહેશે બંધ, ટ્રાફિક પોલીસનું એલર્ટ
Ahmedabad: અમદાવાદમાં કોંગ્રેસ ભવન પર હુમલાને લઈ ધારાસભ્ય શૈલેષ પરમારે નોંધાવી પોલીસ ફરિયાદ
Ahmedabad: અમદાવાદમાં કોંગ્રેસ ભવન પર હુમલાને લઈ ધારાસભ્ય શૈલેષ પરમારે નોંધાવી પોલીસ ફરિયાદ
ક્યાંક પુર તો ક્યાંક કડાકા ભડાકા સાથે ભારેથી અતિભારે વરસાદ પડશેઃ અંબાલાલ પટેલની આગાહી
ક્યાંક પુર તો ક્યાંક કડાકા ભડાકા સાથે ભારેથી અતિભારે વરસાદ પડશેઃ અંબાલાલ પટેલની આગાહી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Today Rain Update | રાજ્યમાં આગામી 24 કલાક પડશે ગાજવીજ સાથે ભારે વરસાદBanaskantha | ખેતરમાં પાળ તૂટી જતા ખેડૂતો જાતે ચાલુ વરસાદે આડા પડી ગયા અને બનાવ્યો પાળોMehsana Rain| કડીમાં ખાબક્યો બે કલાકમાં સવા બે ઈંચ વરસાદ, જુઓ વીડિયોમાંPorbandar| બે વર્ષ પહેલા બનાવાયેલી સરોવરની પાળ તૂટતા થયા આવા હાલ, જુઓ વીડિયોમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast:  ગુજરાતના આ ત્રણ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી, હવામાન વિભાગનું એલર્ટ
Gujarat Rain Forecast: ગુજરાતના આ ત્રણ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી, હવામાન વિભાગનું એલર્ટ
Victory Parade: મુંબઇમાં નીકળશે ટીમ ઇન્ડિયાનું વિજયી સરઘસ, આ રસ્તાઓ રહેશે બંધ, ટ્રાફિક પોલીસનું એલર્ટ
Victory Parade: મુંબઇમાં નીકળશે ટીમ ઇન્ડિયાનું વિજયી સરઘસ, આ રસ્તાઓ રહેશે બંધ, ટ્રાફિક પોલીસનું એલર્ટ
Ahmedabad: અમદાવાદમાં કોંગ્રેસ ભવન પર હુમલાને લઈ ધારાસભ્ય શૈલેષ પરમારે નોંધાવી પોલીસ ફરિયાદ
Ahmedabad: અમદાવાદમાં કોંગ્રેસ ભવન પર હુમલાને લઈ ધારાસભ્ય શૈલેષ પરમારે નોંધાવી પોલીસ ફરિયાદ
ક્યાંક પુર તો ક્યાંક કડાકા ભડાકા સાથે ભારેથી અતિભારે વરસાદ પડશેઃ અંબાલાલ પટેલની આગાહી
ક્યાંક પુર તો ક્યાંક કડાકા ભડાકા સાથે ભારેથી અતિભારે વરસાદ પડશેઃ અંબાલાલ પટેલની આગાહી
ખાલી પેટ લીંબુના પાણી સાથે ચિયા સીડ્સ મિક્સ કરીને પીઓ, અઠવાડિયામાં શરીરમાં દેખાવા લાગશે ફેરફાર
ખાલી પેટ લીંબુના પાણી સાથે ચિયા સીડ્સ મિક્સ કરીને પીઓ, અઠવાડિયામાં શરીરમાં દેખાવા લાગશે ફેરફાર
24,700 શિક્ષકોની ભરતીમાં TET 1 અને TET 2 ઉમેદવારો માટે મહત્વપૂર્ણ નિર્ણય, પ્રમાણપત્ર માન્યતા અંગે આ છે નિયમ?
24,700 શિક્ષકોની ભરતીમાં TET 1 અને TET 2 ઉમેદવારો માટે મહત્વપૂર્ણ નિર્ણય, પ્રમાણપત્ર માન્યતા અંગે આ છે નિયમ?
હાથરસના બાબાની કાળી કરતૂતઃ ઢોંગી, દારૂની લત અને આશ્રમમાં 16-17 વર્ષની છોકરીઓ બોલાવીને.....
હાથરસના બાબાની કાળી કરતૂતઃ ઢોંગી, દારૂની લત અને આશ્રમમાં 16-17 વર્ષની છોકરીઓ બોલાવીને.....
Team India Welcome: ઇન્દ્રદેવતાએ કર્યુ વર્લ્ડ ચેમ્પિયનનું સ્વાગત, ટીમ ઇન્ડિયા પર વરસાવ્યા આશીર્વાદ, જુઓ આપણા સ્ટારની પહેલી ઝલક
Team India Welcome: ઇન્દ્રદેવતાએ કર્યુ વર્લ્ડ ચેમ્પિયનનું સ્વાગત, ટીમ ઇન્ડિયા પર વરસાવ્યા આશીર્વાદ, જુઓ આપણા સ્ટારની પહેલી ઝલક
Embed widget