શોધખોળ કરો

પંજાબમાં ભાજપના ધારાસભ્યને ખેડૂતોએ ફટકારી કપડાં ફાડીને મોં કાળુ કર્યુ, જાણો વિગત

આ મામલે પંજાબમાં ભારે હોબાળો મચ્યો હતો. ઘટનાનો વીડિયો વાયરલ થયો હતો કે જવાબદાર લોકો સામે પગલાં ભરવાની માગ ઉઠી હતી. મુખ્યમંત્રી અમરિંદર સિંહે આ ઘટનામાં તપાસના આદેશ આપ્યા હતા અને હુમલાખોરો સામે સખ્ત કાર્યવાહી કરવાનો નિર્દેશ કર્યો હતો.

મુક્તાસરઃ પંજાબના મુક્તસાર જિલ્લામાં આવેલા મલોટ શહેરમાં ભાજપના ધારાસભ્ય અરૂણ નારંગ પર આંદોલનકારી ખેડૂતોએ હુમલો કર્યો હતો. ધારાસભ્યને માર મારીને તેના કપડાં ફાડી  નાંખીને મોં કાળું કર્યુ હતું.  પંજાબની અબોહર વિધાનસભા બેઠકના ભાજપના ધારાસભ્ય અરૂણ નારંગ મલોટમાં પંજાબ સરકારની નીતિઓના વિરોધમાં પ્રેસ કોન્ફરન્સ કરવાના હતા. પ્રેસ કોન્ફરન્સ શરૂ થાય તે પહેલાં જ પ્રદર્શનકારી ખેડૂતોએ ઘટનાસ્થળે હોબાળો મચાવ્યો હતો.  

કેન્દ્ર સરકારના કાયદાઓથી નારાજ ખેડૂતોએ ધારાસભ્યને નિશાન બનાવીને તેના કપડાં ફાડી નાખ્યા હતા. ઘટનાસ્થળે ભારે તંગદિલી વ્યાપી ગઈ હતી. પોલીસે ધારાસભ્યને ખેડૂતો પાસેથી છોડાવ્યા હતા. આંદોલનકારી ખેડૂતોએ અન્ય બે ભાજપના નેતાઓને પણ નિશાન બનાવ્યા હતા. એ નેતાઓને ઈજા પહોંચી છે.

આ મામલે પંજાબમાં ભારે હોબાળો મચ્યો હતો. ઘટનાનો વીડિયો વાયરલ થયો હતો કે જવાબદાર લોકો સામે પગલાં ભરવાની માગ ઉઠી હતી. મુખ્યમંત્રી અમરિંદર સિંહે આ ઘટનામાં તપાસના આદેશ આપ્યા હતા અને હુમલાખોરો સામે સખ્ત કાર્યવાહી કરવાનો નિર્દેશ કર્યો હતો.


પોલીસ વડાએ કહ્યું હતું કે આ ઘટનામાં શંકાસ્પદ લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો છે અને તેમના સુધી પહોંચવા માટે કાર્યવાહી હાથ ધરાઈ છે. વાયરલ થઈ રહેલાં વીડિયોના આધારે આરોપીઓની ઓળખની પ્રક્રિયા શરૂ કરાઈ હોવાનું પોલીસે કહ્યું હતું.

આ ઘટના પર ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ તરૂણ ચુઘે અમરિંદરની નેતૃત્વવાળી સરકાર પર નિશાન સાધ્યું હતું અને રાજ્યમાં કાનૂન અને વ્યવસ્થા પૂરી રીતે ભાંગી પડી હોવાનો દાવો કર્યો હતો. તેમણે ભાજપનો અવાજ દબાવવા માટે આ પ્રકારના હુમલા થઈ રહ્યા હોવાનો આરોપ પણ લગાવ્યો હતો.

હરિયાણા અને ઉત્તરપ્રદેશને સાંકળતી દિલ્હીની બોર્ડર પર ગત નવેમ્બરથી હજારો ખેડૂતો કૃષિ કાનૂનનો વિરોધ કરી રહ્યા છે અને તેને પરત લેવાની માંગ કરી રહ્યા છે.

Gujarat Vaccination: દેશમાં કોરોનાના કહેર વચ્ચે ગુજરાતે નોંધાવ્યો આ મોટો રેકોર્ડ, જાણો કઈ બાબતે દેશમાં ચોથા ક્રમે પહોંચ્યું?

Holi Guidelines: આ વખતે અમદાવાદમાં નહીં જામે હોળી-ધૂળેટીનો રંગ, જાણો શું છે સરકારની નવી ગાઈડલાઈન્સ

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

દિલ્હી-NCRમાં ભૂકંપના આંચકા અનુભવાયા, ડરના કારણે ઘરની બહાર નીકળ્યા લોકો
દિલ્હી-NCRમાં ભૂકંપના આંચકા અનુભવાયા, ડરના કારણે ઘરની બહાર નીકળ્યા લોકો
Prayagraj: પ્રયાગરાજ સંગમ સ્ટેશન બંધ, મહાકુંભમાં જતા અગાઉ જાણો લેટેસ્ટ અપડેટ
Prayagraj: પ્રયાગરાજ સંગમ સ્ટેશન બંધ, મહાકુંભમાં જતા અગાઉ જાણો લેટેસ્ટ અપડેટ
Maha Kumbh Bus Accident:મહાકુંભથી પરત ફરી રહેલી કારની બસ સાથે જબરદસ્ત ટક્કર, 3નાં ઘટનાસ્થળે મૃત્યુ
Maha Kumbh Bus Accident:મહાકુંભથી પરત ફરી રહેલી કારની બસ સાથે જબરદસ્ત ટક્કર, 3નાં ઘટનાસ્થળે મૃત્યુ
'કપાઈ ગયા, દબાઈ ગયા, મરી ગયા...' નવી દિલ્હી રેલ્વે સ્ટેશન નાસભાગના પ્રત્યક્ષદર્શીએ વર્ણવી ખૌફનાક કહાની
'કપાઈ ગયા, દબાઈ ગયા, મરી ગયા...' નવી દિલ્હી રેલ્વે સ્ટેશન નાસભાગના પ્રત્યક્ષદર્શીએ વર્ણવી ખૌફનાક કહાની
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પ્રદૂષણનું પાપી 'પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ'?Hun To Bolish : હું તો બોલીશ : ધર્મના નામે વિવાદો કેમ?Bharuch News: ભરૂચના અંકલેશ્વરમાં કેમિકલ માફિયાઓની કરતૂત, બાકરોલ ગામ પાસેની કેનાલમાં કેમિકલ ઠાલવી ફરારSthanik Swaraj Election: ચૂંટણીમાં લગ્ન બંધનમાં જોડાયા પહેલા અનેક વર-કન્યાએ કર્યું મતદાન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હી-NCRમાં ભૂકંપના આંચકા અનુભવાયા, ડરના કારણે ઘરની બહાર નીકળ્યા લોકો
દિલ્હી-NCRમાં ભૂકંપના આંચકા અનુભવાયા, ડરના કારણે ઘરની બહાર નીકળ્યા લોકો
Prayagraj: પ્રયાગરાજ સંગમ સ્ટેશન બંધ, મહાકુંભમાં જતા અગાઉ જાણો લેટેસ્ટ અપડેટ
Prayagraj: પ્રયાગરાજ સંગમ સ્ટેશન બંધ, મહાકુંભમાં જતા અગાઉ જાણો લેટેસ્ટ અપડેટ
Maha Kumbh Bus Accident:મહાકુંભથી પરત ફરી રહેલી કારની બસ સાથે જબરદસ્ત ટક્કર, 3નાં ઘટનાસ્થળે મૃત્યુ
Maha Kumbh Bus Accident:મહાકુંભથી પરત ફરી રહેલી કારની બસ સાથે જબરદસ્ત ટક્કર, 3નાં ઘટનાસ્થળે મૃત્યુ
'કપાઈ ગયા, દબાઈ ગયા, મરી ગયા...' નવી દિલ્હી રેલ્વે સ્ટેશન નાસભાગના પ્રત્યક્ષદર્શીએ વર્ણવી ખૌફનાક કહાની
'કપાઈ ગયા, દબાઈ ગયા, મરી ગયા...' નવી દિલ્હી રેલ્વે સ્ટેશન નાસભાગના પ્રત્યક્ષદર્શીએ વર્ણવી ખૌફનાક કહાની
Lenskart IPO News: આ ફેમસ આઇવેયર કંપનીનો આવી રહ્યો છે આઇપીઓ, જાણો ક્યારે થઇ શકે છે લિસ્ટિંગ
Lenskart IPO News: આ ફેમસ આઇવેયર કંપનીનો આવી રહ્યો છે આઇપીઓ, જાણો ક્યારે થઇ શકે છે લિસ્ટિંગ
આ વિટામીન સપ્લીમેન્ટના કારણે થઇ શકે છે કેન્સર, જાણો કેવી રીતે વધી રહ્યો છે ખતરો?
આ વિટામીન સપ્લીમેન્ટના કારણે થઇ શકે છે કેન્સર, જાણો કેવી રીતે વધી રહ્યો છે ખતરો?
Mahakumbh: ક્યારે મહાકુંભ જશે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી ? અજય રાયે કરી દીધો મોટો ખુલાસો
Mahakumbh: ક્યારે મહાકુંભ જશે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી ? અજય રાયે કરી દીધો મોટો ખુલાસો
Fastag New Rules: ટોલ ટેક્સ અને ફાસ્ટેગ સંબંધિત નવા નિયમો આજથી લાગુ, હવે બેદરકારી પર વસૂલાશે દંડ
Fastag New Rules: ટોલ ટેક્સ અને ફાસ્ટેગ સંબંધિત નવા નિયમો આજથી લાગુ, હવે બેદરકારી પર વસૂલાશે દંડ
Embed widget

We use cookies to improve your experience, analyze traffic, and personalize content. By clicking "Allow All Cookies", you agree to our use of cookies.