શોધખોળ કરો

પંજાબમાં કેપ્ટન અમરિંદર સામે મોટો બળવો, પાંચ-સાત મંત્રીઓ આપી શકે છે રાજીનામા

પંજાબથી ખૂબ જ મોટા સમાચાર સામે આવ્યા છે. મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ સામે બળવાના એંધાણ જોવા મળી રહ્યા છે.

પંજાબથી ખૂબ જ મોટા સમાચાર સામે આવ્યા છે. મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ સામે બળવાના એંધાણ જોવા મળી રહ્યા છે. ત્રણ મંત્રી અને 20 કૉંગ્રેસના ધારાસભ્યો કેપ્ટન સરકારના ગ્રામીણ વિકાસ મંત્રી તૃપ્ત રાજિંદર બાજવાના ઘરે મળ્યા છે. 


આજે જ કેપ્ટન સામે કૉંગ્રેસનું ગ્રૃપ સોનિયા ગાંધીને મળવા દિલ્હી જશે. કેબિનેટ મંત્રી સુખજિંદર રંધાવા, સુખબિંદર સરકારરિયા, તૃપ્તરજિંદર બાજવા, ચરનજીત ચન્ની અે મહાસચિવ પરગટ સિંહ દિલ્હી જશે. સમાચાર છે કે પાંચથી સાત મંત્રીઓ રાજીનામા આપી શકે છે.

બેઠક બાદ તૃપ્ત રાજિંદર બાજવા કહ્યું કે સીએમ સાહેબ (કેપ્ટન અમરિંદર) કોંગ્રેસને વિભાજીત કરવા માંગે છે, તેથી હું અને અમે બધા ઇચ્છીએ છીએ કે સીએમ બદલાય, નહીં તો કોંગ્રેસ ટકી શકશે નહીં. બાજવાએ કહ્યું કે અમારો અવાજ ઉઠાવવા માટે અમે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને મળવા જઈ રહ્યા છીએ. આજે જ દિલ્હી જવા રવાના થયા છે.

તૃપ્ત રાજિંદર બાજવા ઉપરાંત મંત્રી સુખવિંદર રંધાવા અને ચરણજીત સિંહ ચન્ની પણ આ બેઠકમાં હાજર હતા અને તેઓએ કેપ્ટન પર પણ પ્રશ્નો ઉઠાવ્યા હતા. આ લોકોએ કહ્યું છે કે કેપ્ટનના નેતૃત્વ પર વિશ્વાસ ન કરી શકાય. મંત્રી ચરણજીત સિંહ ચન્નીએ કહ્યું છે કે ઘણા ચૂંટણી વચનો હજુ અધૂરા છે. દારૂ, રેતી અને કેબલ માફિયા હજુ પણ અસ્તિત્વમાં છે. અમે આ મુદ્દાઓ પર મળવા માટે પાર્ટી હાઇકમાન્ડ સાથે એપોઇન્ટમેન્ટ માગીએ છીએ.

કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેની નાસિક પોલીસે કરી ધરપકડ


ન આશિર્વાદ યાત્રા દરમિયાન મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે પર વાંધાજનક ટિપ્પણી કરવા બદલ કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેની ધરપકડ કરવામાં આવી છે. રત્નાગિરી કોર્ટે રાણેની આગોતરા જામીન અરજી ફગાવી દેતા તેમની ધરપકડ કરવામાં આવી છે. નાશિક પોલીસની ક્રાઈમ બ્રાન્ચે તેમની ધરપકડનો આદેશ જારી કર્યો હતો. નારાયણ રાણે પર CM ઉદ્ધવને અપશબ્દો કહેવાનો આરોપ છે. જે બાદ શિવસેનાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. નાસિક ક્રાઈમ બ્રાન્ચને ચીપલુન જઈને કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેની ધરપકડ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો.

નારાયણ રાણેની જન આશિર્વાદ યાત્રા શરૂ થઈ ત્યારથી શિવસેના તેમના પર આક્રમક છે. અગાઉ, મુંબઈ પોલીસે જાહેર આશીર્વાદ લેતા કાર્યકરો સામે લગભગ 22 કેસ નોંધ્યા હતા. ગઈકાલે જન આશીર્વાદ યાત્રા કોકરના મહાડ વિસ્તારમાં પહોંચી હતી. અહીં નારાયણ રાણેએ પત્રકાર પરિષદ સંબોધી હતી. આ દરમિયાન તેમણે સીએમ ઉદ્ધવને અપશબ્દો કહ્યા હતા. આ વિસ્તાર શિવસેનાનો ગઢ માનવામાં આવે છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Crime News: અમદાવાદમાં સગા બાપે સગીર દીકરી પર દુષ્કર્મ ગુજાર્યો, દીકરીને ગર્ભ રહેતા પાપનો પર્દાફાશ
Crime News: અમદાવાદમાં સગા બાપે સગીર દીકરી પર દુષ્કર્મ ગુજાર્યો, દીકરીને ગર્ભ રહેતા પાપનો પર્દાફાશ
અમદાવાદ મનપાનું ₹14,001 કરોડનું ડ્રાફ્ટ બજેટ જાહેર, 51 રોડ ₹227 કરોડના ખર્ચે વ્હાઈટ ટોપિંગ બનશે
અમદાવાદ મનપાનું ₹14,001 કરોડનું ડ્રાફ્ટ બજેટ જાહેર, 51 રોડ ₹227 કરોડના ખર્ચે વ્હાઈટ ટોપિંગ બનશે
Ahmedabad: અમેરિકાથી પરત આવેલા તમામ 33 ગુજરાતી નાગરિકોને પોલીસે સુરક્ષિત રીતે પહોંચાડ્યા ઘરે
Ahmedabad: અમેરિકાથી પરત આવેલા તમામ 33 ગુજરાતી નાગરિકોને પોલીસે સુરક્ષિત રીતે પહોંચાડ્યા ઘરે
Zomato એ બદલ્યું કંપનીનું નામ, જાણો હવે કયા નામે ઓળખાશે, કેમ લીધો આ નિર્ણય?
Zomato એ બદલ્યું કંપનીનું નામ, જાણો હવે કયા નામે ઓળખાશે, કેમ લીધો આ નિર્ણય?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મોતના ખાડા કોનું પાપ?Hun To Bolish : હું તો બોલીશ : ટ્રમ્પનું ટોર્ચરAhmedabad news : અમદાવાદના દરિયાપુરમાં સગા બાપે સગીર દીકરી પર દુષ્કર્મ આચર્યાની ફરિયાદAhmedabad News: અમદાવાદની વધુ એક હોસ્પિટલ પર લાગ્યો સારવાર બાદ દર્દીના મોતનો આરોપ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Crime News: અમદાવાદમાં સગા બાપે સગીર દીકરી પર દુષ્કર્મ ગુજાર્યો, દીકરીને ગર્ભ રહેતા પાપનો પર્દાફાશ
Crime News: અમદાવાદમાં સગા બાપે સગીર દીકરી પર દુષ્કર્મ ગુજાર્યો, દીકરીને ગર્ભ રહેતા પાપનો પર્દાફાશ
અમદાવાદ મનપાનું ₹14,001 કરોડનું ડ્રાફ્ટ બજેટ જાહેર, 51 રોડ ₹227 કરોડના ખર્ચે વ્હાઈટ ટોપિંગ બનશે
અમદાવાદ મનપાનું ₹14,001 કરોડનું ડ્રાફ્ટ બજેટ જાહેર, 51 રોડ ₹227 કરોડના ખર્ચે વ્હાઈટ ટોપિંગ બનશે
Ahmedabad: અમેરિકાથી પરત આવેલા તમામ 33 ગુજરાતી નાગરિકોને પોલીસે સુરક્ષિત રીતે પહોંચાડ્યા ઘરે
Ahmedabad: અમેરિકાથી પરત આવેલા તમામ 33 ગુજરાતી નાગરિકોને પોલીસે સુરક્ષિત રીતે પહોંચાડ્યા ઘરે
Zomato એ બદલ્યું કંપનીનું નામ, જાણો હવે કયા નામે ઓળખાશે, કેમ લીધો આ નિર્ણય?
Zomato એ બદલ્યું કંપનીનું નામ, જાણો હવે કયા નામે ઓળખાશે, કેમ લીધો આ નિર્ણય?
Paliament Budget Session: રાજ્યસભામાં કોંગ્રેસ પર પીએમ મોદીના આકરા પ્રહારો
Paliament Budget Session: રાજ્યસભામાં કોંગ્રેસ પર પીએમ મોદીના આકરા પ્રહારો
IND vs ENG ODI Live: ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, શ્રેયસ ઐયર આઉટ
IND vs ENG ODI Live: ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, શ્રેયસ ઐયર આઉટ
સોનાની કિંમતમાં 7400 રૂપિયાનો વધારો થયો, આ તેજી ક્યાં જઈને અટકશે? આગળ ભાવ હજુ કેટલા વધશે?
સોનાની કિંમતમાં 7400 રૂપિયાનો વધારો થયો, આ તેજી ક્યાં જઈને અટકશે? આગળ ભાવ હજુ કેટલા વધશે?
મધ્યપ્રદેશમાં એરફોર્સનું મિરાજ-2000 ફાઈટર પ્લેન ક્રેશ, પાયલટ સુરક્ષિત
મધ્યપ્રદેશમાં એરફોર્સનું મિરાજ-2000 ફાઈટર પ્લેન ક્રેશ, પાયલટ સુરક્ષિત
Embed widget