![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
વીર સાવરકર અને 10 કેસનો ઉલ્લેખ... રાહુલ ગાંધીની અરજી ફગાવી દેતા હાઈકોર્ટે બીજું શું કહ્યું? જાણો વિગતે
Defamation Case: 2019માં કર્ણાટકમાં એક રેલી દરમિયાન રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને નિશાન બનાવીને વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે બધા ચોરોનું નામ મોદી જ કેમ?
![વીર સાવરકર અને 10 કેસનો ઉલ્લેખ... રાહુલ ગાંધીની અરજી ફગાવી દેતા હાઈકોર્ટે બીજું શું કહ્યું? જાણો વિગતે Rahul Gandhi Defamation Case: '10 cases pending against Rahul Gandhi', know what else Gujarat High Court judge said on Modi surname case? વીર સાવરકર અને 10 કેસનો ઉલ્લેખ... રાહુલ ગાંધીની અરજી ફગાવી દેતા હાઈકોર્ટે બીજું શું કહ્યું? જાણો વિગતે](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/07/06/eb050e63bba15d30e578c0256cfd240d1688654688602528_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Defamation Case: ગુજરાત હાઈકોર્ટે મોદી અટક કેસમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની સમીક્ષા અરજી ફગાવી દીધી છે. ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ હેમંત પ્રચ્છકે ચુકાદો આપતાં કહ્યું હતું કે અરજદારો અસ્તિત્વમાં ન હોવાના આધારે રાહતની માંગ કરી રહ્યા છે. લાઈવ લો અનુસાર, જસ્ટિસ હેમંત પ્રચ્છકે કહ્યું, “નીચલી કોર્ટના નિર્ણય પર સ્ટે આપવાનો કોઈ નિયમ નથી. આ અપવાદોની શ્રેણીમાં આવે છે. દુર્લભ કિસ્સાઓમાં તેનો આશરો લેવો જોઈએ. રાહુલ ગાંધી સામે 10 કેસ પેન્ડિંગ છે.
લાઈવ લો મુજબ ગુજરાત હાઈકોર્ટે સુનાવણી દરમિયાન કહ્યું કે રાજકારણમાં શુદ્ધતાની જરૂર છે. જસ્ટિસ હેમંતે કહ્યું કે, વીર સાવરકરના પૌત્ર તરફથી રાહુલ ગાંધી વિરુદ્ધ પુણેની કોર્ટમાં ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે. જેમાં રાહુલ ગાંધી પર કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં વીર સાવરકરનું અપમાન કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. સજા પર સ્ટે ન મૂકવો એ અરજદાર સાથે અન્યાય નહીં થાય. સજા પર સ્ટે આપવા માટે કોઈ વ્યાજબી કારણ આપવામાં આવ્યું નથી. ટ્રાયલ કોર્ટનો દોષિત ઠેરવવાનો નિર્ણય ન્યાયી, યોગ્ય અને કાયદેસર છે.
Gujarat High Court upholds Sessions Court's order denying stay on conviction of Rahul Gandhi in the defamation case against 'Modi surname' remark. pic.twitter.com/Qzw15PE0Ij
— ANI (@ANI) July 7, 2023
મોદી સરનેમ કેસમાં અત્યાર સુધી શું થયું?
લોકસભા ચૂંટણી 2019 પહેલા 13 એપ્રિલે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ 'મોદી સરનેમ' પર નિવેદન આપ્યું હતું. ભાજપના ધારાસભ્ય પૂર્ણેશ મોદી દ્વારા રાહુલ ગાંધીના આ નિવેદન મામલે કેસ દાખલ કરવામાં આવ્યો હતો. સુરતની મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટે 23 માર્ચે રાહુલ ગાંધીને ભારતીય દંડ સંહિતા (IPC) ની કલમ 499 અને 500 (ગુનાહિત માનહાનિ) હેઠળ દોષિત ઠેરવ્યા હતા અને તેમને બે વર્ષની જેલની સજા ફટકારી હતી.
આ પછી 24 માર્ચે રાહુલ ગાંધીની સદસ્યતા રદ કરવામાં આવી હતી. 25 માર્ચે રાહુલ ગાંધીએ માફી માંગવાનો ઈનકાર કરી દીધો હતો. 27 માર્ચે તેમને સરકારી બંગલો છોડવાની નોટિસ મળી હતી. 22 એપ્રિલે રાહુલ ગાંધીએ બંગલો ખાલી કર્યો હતો. સુરત સેશન્સ કોર્ટના નિર્ણય સામે રાહુલ ગાંધીએ ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી હતી, પરંતુ તેમને રાહત મળી ન હતી. આ પછી હાઈકોર્ટમાં તેમના નિર્ણય પર ફેર વિચાર કરવા માટે અપીલ કરવામાં આવી હતી.
Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)