શોધખોળ કરો

Manmohan Singh Death: પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહનું નિધન, 92 વર્ષની વયે દિલ્હી AIIMS માં અંતિમ શ્વાસ લીધા

Manmohan Singh death news: ડૉ.મનમોહન સિંહ 2004 થી 2014 સુધી ભારતના વડાપ્રધાન હતા. આ પહેલા તેઓ ભારતના નાણા મંત્રી અને નાણા સચિવ પણ રહી ચુક્યા છે.

Manmohan Singh Death: પૂર્વ PM મનમોહન સિંહનું દિલ્હીની AIIMS હોસ્પિટલમાં નિધન થયું છે. કોંગ્રેસ નેતા સલમાન ખુર્શીદે ટ્વીટ કરીને આ જાણકારી આપી છે. આજે સાંજે તેમની તબિયત બગડતાં તેમને એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમનું અવસાન થયું હતું. બે વખત દેશના વડાપ્રધાન રહી ચૂકેલા પૂર્વ પીએમ ડૉ.મનમોહન સિંહનું 92 વર્ષની વયે નિધન થયું છે. તેઓ લાંબા સમયથી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો સામનો કરી રહ્યા હતા. આ પહેલા પણ તેમને સ્વાસ્થ્યના કારણોસર ઘણી વખત હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

એઈમ્સે શું કહ્યું

એઈમ્સ તરફથી કહેવામાં આવ્યું કે, ગહન શોક સાથે, અમે ભારતના ભૂતપૂર્વ વડા પ્રધાન ડૉ. મનમોહન સિંઘ, 92 વર્ષની વયે નિધનની જાણ કરીએ છીએ. તેમની વય-સંબંધિત તબીબી પરિસ્થિતિઓ માટે સારવાર કરવામાં આવી રહી હતી અને 26મી ડિસેમ્બર 2024ના રોજ ઘરે અચાનક બેભાન થઈ ગયા હતા. ઘરે તેમને તરત જ સારવાર આપવામાં આવી. તેમને રાત્રે 8:06 વાગ્યે નવી દિલ્હીની એઈમ્સમાં મેડિકલ ઈમરજન્સીમાં લાવવામાં આવ્યા હતા. તમામ પ્રયાસો છતાં તેને જીવિત ન કરી શકાયા અને રાત્રે 9:51 વાગ્યે તેને મૃત જાહેર કરવામાં આવ્યા.

ડૉ.મનમોહન સિંહ 2004 થી 2014 સુધી ભારતના વડાપ્રધાન હતા. આ પહેલા તેઓ ભારતના નાણા મંત્રી અને નાણા સચિવ પણ રહી ચુક્યા છે. નરસિમ્હા રાવની સરકાર દરમિયાન અર્થવ્યવસ્થાના ઉદારીકરણમાં તેમણે મહત્વની ભૂમિકા ભજવી હોવાનું માનવામાં આવે છે.

મનમોહન સિંહઃ રાજકારણ અને અર્થશાસ્ત્રના 'પંડિત'

ડૉ. મનમોહન સિંહનો જન્મ 26 સપ્ટેમ્બર 1932ના રોજ અવિભાજિત ભારતના પંજાબ પ્રાંતના એક ગામમાં થયો હતો. તેમણે 1948માં પંજાબ યુનિવર્સિટીમાંથી મેટ્રિક પૂર્ણ કર્યું. ત્યાર બાદ તેમણે બ્રિટનની કેમ્બ્રિજ યુનિવર્સિટીમાંથી આગળનું શિક્ષણ મેળવ્યું. 1957માં તેમણે અર્થશાસ્ત્રમાં પ્રથમ વર્ગની સન્માનની ડિગ્રી મેળવી. આ પછી, 1962 માં, તેમણે ઓક્સફોર્ડ યુનિવર્સિટીની નફિલ્ડ કોલેજમાંથી અર્થશાસ્ત્રમાં ડી.ફિલ કર્યું. ડૉ. મનમોહન સિંહ અને તેમના પત્ની શ્રીમતી ગુરશરણ કૌરને ત્રણ દીકરીઓ છે.

ભારતના ચૌદમા વડાપ્રધાન ડૉ. મનમોહન સિંહ તેમની નમ્રતા, મહેનત અને કામ પ્રત્યેની પ્રતિબદ્ધતા માટે જાણીતા છે. મનમોહન સિંહ વર્ષ 1971માં વાણિજ્ય મંત્રાલયમાં આર્થિક સલાહકાર તરીકે જોડાયા હતા. 1972માં તેમને નાણા મંત્રાલયમાં મુખ્ય આર્થિક સલાહકાર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. ડૉ. સિંઘ, સેક્રેટરી, નાણા મંત્રાલય; આયોજન પંચના ઉપાધ્યક્ષ; ભારતીય રિઝર્વ બેંકના અધ્યક્ષ; વડા પ્રધાનના સલાહકાર; યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશનના અધ્યક્ષ તરીકે પણ કામ કર્યું. મનમોહન સિંહ 1991 થી 1996 સુધી ભારતના નાણામંત્રી હતા. આ સમય દેશના આર્થિક માળખા માટે ખૂબ જ મહત્વપૂર્ણ હતો.

ડૉ.મનમોહન સિંહને ઘણા સન્માન મળ્યા છે

ડૉ.મનમોહન સિંહને અનેક પુરસ્કારો અને સન્માનોથી નવાજવામાં આવ્યા છે. આમાં મહત્વપૂર્ણ છે ભારતનો બીજો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર પદ્મ વિભૂષણ (1987); ભારતીય વિજ્ઞાન કોંગ્રેસનો જવાહરલાલ નેહરુ જન્મ શતાબ્દી પુરસ્કાર (1995); એશિયા મની એવોર્ડ ફોર ફાઇનાન્સ મિનિસ્ટર ઓફ ધ યર (1993 અને 1994); યુરો મની એવોર્ડ ફોર ફાઇનાન્સ મિનિસ્ટર ઓફ ધ યર (1993), કેમ્બ્રિજ યુનિવર્સિટીનો એડમ સ્મિથ એવોર્ડ (1956); સેન્ટ જ્હોન્સ કોલેજ, કેમ્બ્રિજ (1955) ખાતે વિશિષ્ટ પ્રદર્શન માટે રાઈટ પુરસ્કાર. ડો.સિંઘને જાપાની નિહોન કેઈઝાઈ શિમ્બુન અને અન્ય સંગઠનો દ્વારા સન્માનિત કરવામાં આવ્યા છે. ડૉ. સિંહને કેમ્બ્રિજ અને ઓક્સફર્ડ અને અન્ય ઘણી યુનિવર્સિટીઓ દ્વારા માનદ પદવીઓ એનાયત કરવામાં આવી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Foundation Day: ગુજરાતનો 66મો સ્થાપના દિવસ, PM મોદી, અમિત શાહ અને CM ભૂપેન્દ્ર પટેલે આપી શુભેચ્છા
Gujarat Foundation Day: ગુજરાતનો 66મો સ્થાપના દિવસ, PM મોદી, અમિત શાહ અને CM ભૂપેન્દ્ર પટેલે આપી શુભેચ્છા
નાગરિકતા નિયમોમાં મોટા ફેરફારો, ઓનલાઈન થશે OCI રજિસ્ટ્રેશન, સગીરો માટેના પાસપોર્ટ નિયમો થયા કડક
નાગરિકતા નિયમોમાં મોટા ફેરફારો, ઓનલાઈન થશે OCI રજિસ્ટ્રેશન, સગીરો માટેના પાસપોર્ટ નિયમો થયા કડક
Supreme Court: કોંગ્રેસ નેતા પવન ખેડાને મોટી રાહત, સુપ્રીમ કોર્ટે આગોતરા જામીન કર્યા મંજૂર
Supreme Court: કોંગ્રેસ નેતા પવન ખેડાને મોટી રાહત, સુપ્રીમ કોર્ટે આગોતરા જામીન કર્યા મંજૂર
BrahMos Missile: ઈન્ડોનેશિયા બાદ હવે વિયેતનામને બ્રહ્મોસ મિસાઈલ આપશે ભારત, 5800 કરોડમાં કરારની શક્યતા
BrahMos Missile: ઈન્ડોનેશિયા બાદ હવે વિયેતનામને બ્રહ્મોસ મિસાઈલ આપશે ભારત, 5800 કરોડમાં કરારની શક્યતા

વિડિઓઝ

Ahmedabad News : લારી ન છોડી તો દારૂનો ધંધો કરીશ, મહિલાએ આપી ચીમકી
Gujarat Foundation Day : ગુજરાત સ્થાપના દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલ પાઠવી શુભકામના
Delhi NCR Rain : દિલ્લી-NCRમાં કરા સાથે વરસાદ, ફૂંકાયું મીની વાવાઝોડું
Hun To Bolish : હું તો બોલીશ : ચૂંટણી પહેલા ઝેર, પરિણામ પછી પ્રેમ
Hun To Bolish : હું તો બોલીશ : આવો આઈસક્રીમ લાવશે એટેક!

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સુરત ખાતે ‘વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ’નો ભવ્ય પ્રારંભ, દક્ષિણ ગુજરાતના ઉદ્યોગોને મળશે વૈશ્વિક ફલક
સુરત ખાતે ‘વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ’નો ભવ્ય પ્રારંભ, દક્ષિણ ગુજરાતના ઉદ્યોગોને મળશે વૈશ્વિક ફલક
Gujarat Foundation Day 2026: ગુજરાતની માથાદીઠ આવક પ્રથમવાર ૩ લાખને પાર, દેશના કુલ નિકાસમાં 26 ટકા સાથે રાજ્ય પ્રથમ
Gujarat Foundation Day 2026: ગુજરાતની માથાદીઠ આવક પ્રથમવાર ૩ લાખને પાર, દેશના કુલ નિકાસમાં 26 ટકા સાથે રાજ્ય પ્રથમ
Supreme Court: કોંગ્રેસ નેતા પવન ખેડાને મોટી રાહત, સુપ્રીમ કોર્ટે આગોતરા જામીન કર્યા મંજૂર
Supreme Court: કોંગ્રેસ નેતા પવન ખેડાને મોટી રાહત, સુપ્રીમ કોર્ટે આગોતરા જામીન કર્યા મંજૂર
Gujarat Foundation Day: ગુજરાતનો 66મો સ્થાપના દિવસ, PM મોદી, અમિત શાહ અને CM ભૂપેન્દ્ર પટેલે આપી શુભેચ્છા
Gujarat Foundation Day: ગુજરાતનો 66મો સ્થાપના દિવસ, PM મોદી, અમિત શાહ અને CM ભૂપેન્દ્ર પટેલે આપી શુભેચ્છા
5 કિલોના LPG ગેસ સિલિન્ડરના વધ્યા ભાવ, જાણો કેટલા રૂપિયાનો થયો વધારો ?
5 કિલોના LPG ગેસ સિલિન્ડરના વધ્યા ભાવ, જાણો કેટલા રૂપિયાનો થયો વધારો ?
કઈ કારમાં થશે સૌથી વધુ બચત? જાણો CNG, Hybrid અને Electric નો ખર્ચ
કઈ કારમાં થશે સૌથી વધુ બચત? જાણો CNG, Hybrid અને Electric નો ખર્ચ
Gujarat Helmet Drive: હેલ્મેટ વગર નીકળ્યા તો દંડ નક્કી, એક મહિનો ચાલશે ડ્રાઈવ
Gujarat Helmet Drive: હેલ્મેટ વગર નીકળ્યા તો દંડ નક્કી, એક મહિનો ચાલશે ડ્રાઈવ
BrahMos Missile: ઈન્ડોનેશિયા બાદ હવે વિયેતનામને બ્રહ્મોસ મિસાઈલ આપશે ભારત, 5800 કરોડમાં કરારની શક્યતા
BrahMos Missile: ઈન્ડોનેશિયા બાદ હવે વિયેતનામને બ્રહ્મોસ મિસાઈલ આપશે ભારત, 5800 કરોડમાં કરારની શક્યતા
Embed widget