શોધખોળ કરો

મોદીનાં માતા હીરાબાના માનમાં રાહુલ ગાંધીએ મોકૂફ રાખ્યો ક્યો કાર્યક્રમ? કોંગ્રેસે શું કર્યું એલાન?

પાર્ટીએ ઈન્દિરા અને રાજીવ ગાંધીની હત્યાનો ઉલ્લેખ કરીને ગૃહ મંત્રાલયને પત્ર લખ્યો છે. દિલ્હીમાં 24 ડિસેમ્બરે ભારત જોડો યાત્રા દરમિયાન રાહુલની સુરક્ષામાં ખામી જોવા મળી હતી.

રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાના દિલ્હી મુકામ દરમિયાન સુરક્ષાના કથિત ભંગને લઈને કોંગ્રેસ અને ભાજપ વચ્ચે શાબ્દિક યુદ્ધ ચાલ્યું છે. કોંગ્રેસે આ મુદ્દે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને પણ પત્ર લખ્યો છે. શુક્રવારે, કોંગ્રેસ સાંસદની સુરક્ષાનો હવાલો સંભાળતા CRPF દ્વારા પ્રોટોકોલનું ઉલ્લંઘન કરવાના આરોપોનો જવાબ આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું. જોકે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબાના નિધનને કારણે પાર્ટીએ તેની પ્રેસ કોન્ફરન્સ એક દિવસ માટે મોકૂફ રાખી હતી. કોંગ્રેસના પ્રવક્તા પવન ખેરાએ કહ્યું કે પાર્ટીએ આ નિર્ણય "મૃત આત્માના આદરના ચિહ્ન તરીકે" લીધો છે.

નોંધનીય છે કે, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની સુરક્ષામાં ખામીને લઈને હોબાળો થયો છે. પાર્ટીએ ઈન્દિરા અને રાજીવ ગાંધીની હત્યાનો ઉલ્લેખ કરીને ગૃહ મંત્રાલયને પત્ર લખ્યો છે. દિલ્હીમાં 24 ડિસેમ્બરે ભારત જોડો યાત્રા દરમિયાન રાહુલની સુરક્ષામાં ખામી જોવા મળી હતી.

છેલ્લા 10 મહિનામાં 5 વખત રાહુલ ગાંધીની સુરક્ષામાં ખામી હોવાના અહેવાલો સામે આવ્યા છે. રાહુલની સુરક્ષામાં બે વખત પંજાબ, એક વખત રાજસ્થાન અને એક વખત મધ્યપ્રદેશમાં ક્ષતિ જોવા મળી હતી. CRPFએ પણ રાહુલની સુરક્ષામાં ખામીને લઈને નિવેદન જાહેર કર્યું છે. વાસ્તવમાં, રાહુલ ગાંધીને CRPFની Z+ સુરક્ષા આપવામાં આવી છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 2022માં રાહુલ રોડ શો કરવા પંજાબના લુધિયાણા પહોંચ્યા હતા. આ દરમિયાન એક યુવકે કાફલા પર ઝંડો ફેંક્યો હતો, જે સીધો રાહુલ પર પડ્યો હતો.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર જૂન 2022માં સિદ્ધુ મુસેવાલાની હત્યા બાદ રાહુલ ગાંધી પંજાબના પટિયાલા સ્થિત તેમના ઘરે પહોંચ્યા હતા. આ દરમિયાન તેમનો કાફલો રૂટથી અલગ થઈ ગયો હતો.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 4 ડિસેમ્બર, 2022ના રોજ રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા એમપીના અગર માલવા પહોંચી હતી. અહીં એક યુવકે સિક્યોરિટી કોર્ડન તોડીને તેને ગળે લગાવી દીધો.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર 10 ડિસેમ્બરે રાજસ્થાનના કોટામાં રાહુલની સામે એક યુવક સુરક્ષા કોર્ડન તોડીને આત્મદાહ કરવા પહોંચ્યો હતો. સુરક્ષા જવાનોએ તુરંત જ પરિસ્થિતિને કાબુમાં લીધી હતી.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર 24 ડિસેમ્બરે જ્યારે યાત્રા દિલ્હીમાં પ્રવેશી ત્યારે ભીડે કોર્ડન તોડી નાખ્યું હતું. કોંગ્રેસનો આરોપ છે કે સુરક્ષાકર્મીઓ તેને સંભાળવામાં નિષ્ફળ રહ્યા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

નરમ પડ્યા ટ્રમ્પના સૂર...અમેરિકી રાષ્ટ્રપતિ બોલ્યા- 'હું ભારતની ખૂબ નજીક, PM મોદી સાથે સારા સંબંધ'
નરમ પડ્યા ટ્રમ્પના સૂર...અમેરિકી રાષ્ટ્રપતિ બોલ્યા- 'હું ભારતની ખૂબ નજીક, PM મોદી સાથે સારા સંબંધ'
ઓનલાઈન ગેમિંગ પર નિયંત્રણની તૈયારી પૂરી, અશ્વિની વૈષ્ણવ બોલ્યા- 'નિયમ 1 ઓક્ટોબરથી લાગૂ'
ઓનલાઈન ગેમિંગ પર નિયંત્રણની તૈયારી પૂરી, અશ્વિની વૈષ્ણવ બોલ્યા- 'નિયમ 1 ઓક્ટોબરથી લાગૂ'
Devayat Khavad: દેવાયત ખવડના જામીન મંજૂર, કોર્ટે રાખી આ આકરી શરતો, જાણો 
Devayat Khavad: દેવાયત ખવડના જામીન મંજૂર, કોર્ટે રાખી આ આકરી શરતો, જાણો 
"દેશના Gen Z બચાવશે બંધારણ," રાહુલ ગાંધીએ મત ચોરીના આરોપો પર રમ્યો "નેપાળવાળો દાવ"
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વાત બોર્ડ-નિગમના કર્મચારીઓની
Hun To Bolish : હું તો બોલીશ : મગફળીને SMSથી ગ્રહણ!
Hun To Bolish : હું તો બોલીશ : નારી શક્તિ ઝિંદાબાદ
Morbi MLA : મોરબીમાં ધારાસભ્ય વરમોરા અને પંચાયતના સભ્ય વચ્ચે બોલાચાલી, MLAએ ચાલતી પકડી
Mehsana Protest :  બહુચરાજી હાઈવે પર ચક્કાજામ , પેપર મીલ સામે માંડ્યો મોરચો
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નરમ પડ્યા ટ્રમ્પના સૂર...અમેરિકી રાષ્ટ્રપતિ બોલ્યા- 'હું ભારતની ખૂબ નજીક, PM મોદી સાથે સારા સંબંધ'
નરમ પડ્યા ટ્રમ્પના સૂર...અમેરિકી રાષ્ટ્રપતિ બોલ્યા- 'હું ભારતની ખૂબ નજીક, PM મોદી સાથે સારા સંબંધ'
ઓનલાઈન ગેમિંગ પર નિયંત્રણની તૈયારી પૂરી, અશ્વિની વૈષ્ણવ બોલ્યા- 'નિયમ 1 ઓક્ટોબરથી લાગૂ'
ઓનલાઈન ગેમિંગ પર નિયંત્રણની તૈયારી પૂરી, અશ્વિની વૈષ્ણવ બોલ્યા- 'નિયમ 1 ઓક્ટોબરથી લાગૂ'
Devayat Khavad: દેવાયત ખવડના જામીન મંજૂર, કોર્ટે રાખી આ આકરી શરતો, જાણો 
Devayat Khavad: દેવાયત ખવડના જામીન મંજૂર, કોર્ટે રાખી આ આકરી શરતો, જાણો 
"દેશના Gen Z બચાવશે બંધારણ," રાહુલ ગાંધીએ મત ચોરીના આરોપો પર રમ્યો "નેપાળવાળો દાવ"
અનિરૂદ્ધસિંહ  જાડેજાને સુપ્રીમ કોર્ટે આપી એક સપ્તાહની રાહત, હાલ નહીં થાય સરેન્ડર 
અનિરૂદ્ધસિંહ  જાડેજાને સુપ્રીમ કોર્ટે આપી એક સપ્તાહની રાહત, હાલ નહીં થાય સરેન્ડર 
6,6,6,6,6,6...મોહમ્મદ નબીએ ફટકારી 6 સિક્સર, અફઘાનિસ્તાને અંતિમ 2 ઓવરમાં બનાવ્યા 49 રન 
6,6,6,6,6,6...મોહમ્મદ નબીએ ફટકારી 6 સિક્સર, અફઘાનિસ્તાને અંતિમ 2 ઓવરમાં બનાવ્યા 49 રન 
Operation Sindoor: 'ઓપરેશન સિંદૂર માટે કેમ પસંદ કરાયો અડધી રાતનો સમય ?' CDS અનિલ ચૌહાણે જણાવ્યું કારણ 
Operation Sindoor: 'ઓપરેશન સિંદૂર માટે કેમ પસંદ કરાયો અડધી રાતનો સમય ?' CDS અનિલ ચૌહાણે જણાવ્યું કારણ 
હિન્ડેનબર્ગ કેસ મામલે અદાણી ગ્રુપને મળી મોટી રાહત., સેબીએ આપી ક્લીન ચીટ
હિન્ડેનબર્ગ કેસ મામલે અદાણી ગ્રુપને મળી મોટી રાહત., સેબીએ આપી ક્લીન ચીટ
Embed widget