શોધખોળ કરો

Damage Control : દિગ્વિજય સિંહના વાણિવિલાસ પર ખુદ રાહુલ ગાંધીએ મોરચો સંભાળતા કહ્યું-સેના...

દિગ્વિજય સિંહને લઈને રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, દિગ્વિજય સિંહે જે કહ્યું છે તેનાથી હું બિલકુલ સહમત નથી, તે તેમનું અંગત નિવેદન છે. અમને અમારી સેનામાં પૂરો વિશ્વાસ છે.

Rahul Gandhi News: રાહુલ ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસની 'ભારત જોડો યાત્રા' હાલમાં જમ્મુ-કાશ્મીરમાં છે.  આ યાત્રામાં સમય સમયે વિવાદ પણ સામે આવતા રહે છે. કોંગ્રેસના દિગ્ગજ નેતા દિગ્વિજય સિંહે ગઈ કાલે જ વિવાદાસ્પદ નિવેદન કરતા સર્જીકલ સ્ટ્રાઈક, એર સ્ટ્રાઈકને લઈને સેના પાસે પુરાવા માંગ્યા હતા. જેને લઈને પાર્ટી ક્ષોભજનક સ્થિતિમાં મુકાઈ ગઈ હતી. હવે આ મામલે હવે ખુદ રાહુલ ગાંધીએ ડેમેજ કંટ્રોલ કરવું પડ્યું હતું. 

દિગ્વિજય સિંહને લઈને રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, દિગ્વિજય સિંહે જે કહ્યું છે તેનાથી હું બિલકુલ સહમત નથી, તે તેમનું અંગત નિવેદન છે. અમને અમારી સેનામાં પૂરો વિશ્વાસ છે. સેના જે કંઈ કરે છે તેનો તેને પુરાવા આપવાની જરૂર નથી. તેમનું નિવેદન અંગત છે. તે અમારો મત નથી.

રાજ્યમાં ફરી એકવાર કલમ 370 લાગુ કરવાને લઈને કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, કલમ 370 પર અમારું વલણ એકદમ સ્પષ્ટ છે. તેમણે કહ્યું હતું કે, જમ્મુ-કાશ્મીરમાં રાજ્યનો દરજ્જો છે. અમને લાગે છે કે તેને શક્ય તેટલી વહેલી તકે રાજ્યનો દરજ્જો મળવો જોઈએ અને વહેલી તકે અહીં વિધાનસભા ફરી શરૂ થવી જોઈએ.

નફરતનો ખાતમો કરવો છે

ભારત જોડો યાત્રાને લઈને રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, આ યાત્રાનો ધ્યેય દેશને એક કરવાનો છે, નફરત ઓછી કરવાનો છે. આ યાત્રાનો ઉદ્દેશ્ય બીજેપીની નફરત સામે ઉભું રહેવાનો છે. કેન્દ્ર સરકાર પર નિશાન સાધતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, મોંઘવારી અને બેરોજગારી સતત વધી રહી છે અને ભાજપ સરકાર દરેક મોરચે નિષ્ફળ સાબિત થઈ છે.

'રાજનાથ સિંહની પાર્ટી દેશમાં નફરત ફેલાવી રહી છે'

એક સવાલના જવાબમાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, હું જમ્મુના લોકોનું દર્દ સમજ્યો છું. મને જમ્મુના લોકો પાસેથી પણ ઘણું શીખવા મળ્યું છે. રાજનાથ સિંહના નિવેદન પર રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, મને સમજાતું નથી કે જે પદયાત્રા આખા દેશમાં થઈ રહી છે અને દેશને એક કરી રહી છે તે દેશના હિતોને કેવી રીતે નુકસાન પહોંચાડી રહી છે. રાહુલે કહ્યું, "હું જોઈ શકું છું કે રાજનાથ સિંહની પાર્ટી દેશમાં નફરત ફેલાવી રહી છે અને તેનાથી દેશને નુકસાન થઈ રહ્યું છે."

'રાજનાથ સિંહને ઉપરથી આદેશ મળ્યો'

રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, રાજનાથ સિંહ એ જ બોલે છે જે તેમને ઉપરથી કહેવામાં આવે છે. તે પોતાની વાત રજુ નથી કરી શકતા. રાજનાથ સિંહને ઉપરથી આદેશ મળે છે. આજે દેશમાં લોકો ધર્મ અને જાતિના આધારે વિભાજિત થઈ રહ્યા છે. એક પ્રશ્નના જવાબમાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, ભારત જોડો યાત્રા દેશને એક કરવા માટે છે અને તે કોંગ્રેસ માટે તપસ્યા સમાન છે. આ સફરમાં અમને ઘણું શીખવા મળ્યું.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

દિલ્હી-ફુકેટ ફ્લાઈટમાં બંને પાઇલટ નશામાં હતા? ડોપ ટેસ્ટ પોઝિટિવ આવતા મોટો ખુલાસો
દિલ્હી-ફુકેટ ફ્લાઈટમાં બંને પાઇલટ નશામાં હતા? ડોપ ટેસ્ટ પોઝિટિવ આવતા મોટો ખુલાસો
ઈ-બાઈક અને સ્કૂટર સસ્તા થશે? કેન્દ્ર સરકારે EV સબસિડી માટે મંજૂર કર્યા ₹1,000 કરોડ
ઈ-બાઈક અને સ્કૂટર સસ્તા થશે? કેન્દ્ર સરકારે EV સબસિડી માટે મંજૂર કર્યા ₹1,000 કરોડ
આવતીકાલનું હવામાન: કાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, IMD એ જારી કરી વોર્નિંગ
આવતીકાલનું હવામાન: કાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, IMD એ જારી કરી વોર્નિંગ
UPI: વૈશ્વિક સ્તરે ભારતની ડિજિટલ ક્રાંતિ, NRI-ભારતીયોને સીધો લાભ આપવા વિદેશમાં UPI સેવા થશે શરૂ
UPI: વૈશ્વિક સ્તરે ભારતની ડિજિટલ ક્રાંતિ, NRI-ભારતીયોને સીધો લાભ આપવા વિદેશમાં UPI સેવા થશે શરૂ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સ્પષ્ટ સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ કેન્ટિનના ભોજનમાં કાચ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી
નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી
આવતીકાલનું હવામાન: કાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, IMD એ જારી કરી વોર્નિંગ
આવતીકાલનું હવામાન: કાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, IMD એ જારી કરી વોર્નિંગ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
સોના-ચાંદીના ભાવમાં મોટો વિસ્ફોટ: સોનું 2 મહિનાની ટોચે, ચાંદી ₹2,000 ઉછળી, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ
સોના-ચાંદીના ભાવમાં મોટો વિસ્ફોટ: સોનું 2 મહિનાની ટોચે, ચાંદી ₹2,000 ઉછળી, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ
ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: 3 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, IMD ની લેટેસ્ટ આગાહી
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: 3 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, IMD ની લેટેસ્ટ આગાહી
Ambalal patel: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, આગામી 48 કલાક આ જિલ્લાઓમાં ખાબકશે ભારે વરસાદ
Ambalal patel: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, આગામી 48 કલાક આ જિલ્લાઓમાં ખાબકશે ભારે વરસાદ
Embed widget