શોધખોળ કરો

Damage Control : દિગ્વિજય સિંહના વાણિવિલાસ પર ખુદ રાહુલ ગાંધીએ મોરચો સંભાળતા કહ્યું-સેના...

દિગ્વિજય સિંહને લઈને રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, દિગ્વિજય સિંહે જે કહ્યું છે તેનાથી હું બિલકુલ સહમત નથી, તે તેમનું અંગત નિવેદન છે. અમને અમારી સેનામાં પૂરો વિશ્વાસ છે.

Rahul Gandhi News: રાહુલ ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસની 'ભારત જોડો યાત્રા' હાલમાં જમ્મુ-કાશ્મીરમાં છે.  આ યાત્રામાં સમય સમયે વિવાદ પણ સામે આવતા રહે છે. કોંગ્રેસના દિગ્ગજ નેતા દિગ્વિજય સિંહે ગઈ કાલે જ વિવાદાસ્પદ નિવેદન કરતા સર્જીકલ સ્ટ્રાઈક, એર સ્ટ્રાઈકને લઈને સેના પાસે પુરાવા માંગ્યા હતા. જેને લઈને પાર્ટી ક્ષોભજનક સ્થિતિમાં મુકાઈ ગઈ હતી. હવે આ મામલે હવે ખુદ રાહુલ ગાંધીએ ડેમેજ કંટ્રોલ કરવું પડ્યું હતું. 

દિગ્વિજય સિંહને લઈને રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, દિગ્વિજય સિંહે જે કહ્યું છે તેનાથી હું બિલકુલ સહમત નથી, તે તેમનું અંગત નિવેદન છે. અમને અમારી સેનામાં પૂરો વિશ્વાસ છે. સેના જે કંઈ કરે છે તેનો તેને પુરાવા આપવાની જરૂર નથી. તેમનું નિવેદન અંગત છે. તે અમારો મત નથી.

રાજ્યમાં ફરી એકવાર કલમ 370 લાગુ કરવાને લઈને કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, કલમ 370 પર અમારું વલણ એકદમ સ્પષ્ટ છે. તેમણે કહ્યું હતું કે, જમ્મુ-કાશ્મીરમાં રાજ્યનો દરજ્જો છે. અમને લાગે છે કે તેને શક્ય તેટલી વહેલી તકે રાજ્યનો દરજ્જો મળવો જોઈએ અને વહેલી તકે અહીં વિધાનસભા ફરી શરૂ થવી જોઈએ.

નફરતનો ખાતમો કરવો છે

ભારત જોડો યાત્રાને લઈને રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, આ યાત્રાનો ધ્યેય દેશને એક કરવાનો છે, નફરત ઓછી કરવાનો છે. આ યાત્રાનો ઉદ્દેશ્ય બીજેપીની નફરત સામે ઉભું રહેવાનો છે. કેન્દ્ર સરકાર પર નિશાન સાધતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, મોંઘવારી અને બેરોજગારી સતત વધી રહી છે અને ભાજપ સરકાર દરેક મોરચે નિષ્ફળ સાબિત થઈ છે.

'રાજનાથ સિંહની પાર્ટી દેશમાં નફરત ફેલાવી રહી છે'

એક સવાલના જવાબમાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, હું જમ્મુના લોકોનું દર્દ સમજ્યો છું. મને જમ્મુના લોકો પાસેથી પણ ઘણું શીખવા મળ્યું છે. રાજનાથ સિંહના નિવેદન પર રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, મને સમજાતું નથી કે જે પદયાત્રા આખા દેશમાં થઈ રહી છે અને દેશને એક કરી રહી છે તે દેશના હિતોને કેવી રીતે નુકસાન પહોંચાડી રહી છે. રાહુલે કહ્યું, "હું જોઈ શકું છું કે રાજનાથ સિંહની પાર્ટી દેશમાં નફરત ફેલાવી રહી છે અને તેનાથી દેશને નુકસાન થઈ રહ્યું છે."

'રાજનાથ સિંહને ઉપરથી આદેશ મળ્યો'

રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, રાજનાથ સિંહ એ જ બોલે છે જે તેમને ઉપરથી કહેવામાં આવે છે. તે પોતાની વાત રજુ નથી કરી શકતા. રાજનાથ સિંહને ઉપરથી આદેશ મળે છે. આજે દેશમાં લોકો ધર્મ અને જાતિના આધારે વિભાજિત થઈ રહ્યા છે. એક પ્રશ્નના જવાબમાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, ભારત જોડો યાત્રા દેશને એક કરવા માટે છે અને તે કોંગ્રેસ માટે તપસ્યા સમાન છે. આ સફરમાં અમને ઘણું શીખવા મળ્યું.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

કલમ 498A માત્ર લગ્ન પૂરતી સીમિત નથી, લિવ-ઇન પાર્ટનર્સને પણ મળશે પત્ની સમાન અધિકાર: સુપ્રીમ કોર્ટ
કલમ 498A માત્ર લગ્ન પૂરતી સીમિત નથી, લિવ-ઇન પાર્ટનર્સને પણ મળશે પત્ની સમાન અધિકાર: સુપ્રીમ કોર્ટ
પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય
પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય
8મું પગાર પંચ: 3%, 5% અને 6% વધારા સાથે 5 વર્ષમાં કેટલો વધશે બેઝિક પગાર? જાણો Level 1 થી 3 ની ગણતરી
8મું પગાર પંચ: 3%, 5% અને 6% વધારા સાથે 5 વર્ષમાં કેટલો વધશે બેઝિક પગાર? જાણો Level 1 થી 3 ની ગણતરી
બાંકીપુરમાં ભાજપના ગઢમાં ગાબડું! પ્રશાંત કિશોરની ઐતિહાસિક જીત પાછળના 5 મોટા કારણો
બાંકીપુરમાં ભાજપના ગઢમાં ગાબડું! પ્રશાંત કિશોરની ઐતિહાસિક જીત પાછળના 5 મોટા કારણો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ ખાડે ગઈ એસ.ટી. ?
Hun To Bolish : હું તો બોલીશ : ઘી, દૂધ અને દારૂ ડુપ્લીકેટ
Ambalal Patel Rain Forecast: 8 ઓગસ્ટથી વરસાદનો વધુ એક રાઉન્ડ: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
Gandhinagar news: રાજ્યના શિક્ષણ વિભાગનો શિક્ષકોના હિતમાં મહત્વનો નિર્ણય
Gujarat Rain Forecast: ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, ક્યાં ક્યાં પડશે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય
પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય
ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ
ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ
ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમમાં 16 વર્ષીય ગુજરાતી ખેલાડીની એન્ટ્રી, જાણો કોણ છે?
ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમમાં 16 વર્ષીય ગુજરાતી ખેલાડીની એન્ટ્રી, જાણો કોણ છે?
‘ઈરાન વાતચીત માટે ભીખ માંગે છે, પણ...: ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન ભડક્યા, કહ્યું - પરમાણુ હથિયાર ક્યારેય
‘ઈરાન વાતચીત માટે ભીખ માંગે છે, પણ...: ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન ભડક્યા, કહ્યું - પરમાણુ હથિયાર ક્યારેય
બાંકીપુરમાં ભાજપના ગઢમાં ગાબડું! પ્રશાંત કિશોરની ઐતિહાસિક જીત પાછળના 5 મોટા કારણો
બાંકીપુરમાં ભાજપના ગઢમાં ગાબડું! પ્રશાંત કિશોરની ઐતિહાસિક જીત પાછળના 5 મોટા કારણો
બાંકીપુર પેટા ચૂંટણીમાં પ્રશાંત કિશોરની પ્રચંડ જીત, BJP ઉમેદવારને 18953 મતોથી હરાવ્યા 
બાંકીપુર પેટા ચૂંટણીમાં પ્રશાંત કિશોરની પ્રચંડ જીત, BJP ઉમેદવારને 18953 મતોથી હરાવ્યા 
વડોદરામાં 2 દિવસના વિરામ બાદ મેઘમહેર: જાણો ગુજરાતમાં આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન
વડોદરામાં 2 દિવસના વિરામ બાદ મેઘમહેર: જાણો ગુજરાતમાં આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન
અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી:  5 દિવસ બાદ ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદની આગાહી
અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી:  5 દિવસ બાદ ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદની આગાહી
Embed widget