શોધખોળ કરો

પીએમ મોદીના આ નિર્ણયથી રાહુલ ગાંધી થયા ખુશખુશાલ, કહ્યું - થેન્ક યુ મોદીજી….

રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માન્યો છે. વાસ્તવમાં, પીએમ મોદી શનિવારે ભૂસ્ખલનથી પ્રભાવિત કેરળના વાયનાડની મુલાકાત લેવાના છે. રાહુલે પીએમ મોદીના આ નિર્ણયનું સ્વાગત કર્યું છે.

Rahul Gandhi thanks PM Modi: ભારતના બે મુખ્ય રાજકીય પક્ષો ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સામાન્ય રીતે કડવાશ જ જોવા મળે છે. પીએમ નરેન્દ્ર મોદી અને રાહુલ ગાંધી બંને અવારનવાર એકબીજા પર નિશાન સાધતા દેખાય છે. જોકે, હવે પીએમ મોદીના એક નિર્ણયની રાહુલ ગાંધીએ પ્રશંસા કરી છે. વાસ્તવમાં, થોડા દિવસો પહેલા કેરળના વાયનાડમાં ભૂસ્ખલનને કારણે સેંકડો લોકોના મૃત્યુ થયા હતા. હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાતે વાયનાડની મુલાકાત લેવાનો નિર્ણય કર્યો છે. રાહુલ ગાંધીએ પીએમ મોદીના આ પગલાનું સમર્થન કર્યું છે.

પીએમ મોદીના વ્યક્તિગત રીતે વાયનાડની મુલાકાત લેવાના નિર્ણયની રાહુલ ગાંધીએ પ્રશંસા કરી છે. રાહુલે X પર લખ્યું   "થેન્ક યુ મોદીજી, વ્યક્તિગત રીતે ભયાનક ત્રાસદીનું નિરીક્ષણ કરવા વાયનાડ જવા માટે. આ એક સારો નિર્ણય છે. મને વિશ્વાસ છે કે એકવાર જ્યારે વડાપ્રધાન પ્રત્યક્ષ રીતે વિનાશની સીમા જોઈ લેશે, ત્યારે તેઓ તેને રાષ્ટ્રીય આપત્તિ જાહેર કરી દેશે."

કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયને ગુરુવારે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 10 ઓગસ્ટે વાયનાડના ભૂસ્ખલનથી પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લેશે. તેમણે આશા વ્યક્ત કરી કે વડાપ્રધાન આપત્તિ પીડિતોના પુનર્વાસ માટે કેન્દ્રીય સહાય પ્રદાન કરવા અંગે સકારાત્મક અભિગમ અપનાવશે.

વડાપ્રધાન મોદી શનિવારે ભૂસ્ખલનથી પ્રભાવિત વાયનાડની મુલાકાત લેશે અને રાહત તથા પુનર્વાસ કાર્યોની સમીક્ષા કરશે તેમજ દુર્ઘટનામાં જીવિત બચેલા લોકો સાથે વાતચીત કરશે. પીએમ મોદી બપોરે 11 વાગ્યે કન્નૂર પહોંચશે અને પછી વાયનાડમાં ભૂસ્ખલનથી પ્રભાવિત વિસ્તારનું હવાઈ નિરીક્ષણ કરશે. તેઓ રાહત શિબિર અને હોસ્પિટલની મુલાકાત લેશે, જ્યાં તેઓ પીડિતો અને ભૂસ્ખલનમાં જીવિત બચેલા લોકોને મળશે. ત્યારબાદ પીએમ એક સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરશે, જેમાં તેમને ઘટના અને ચાલુ રાહત પ્રયાસો વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવશે.

એક પત્રકાર પરિષદને સંબોધતા કેરળના મુખ્યમંત્રીએ કહ્યું કે રાજ્યએ કેન્દ્ર સરકારને આપત્તિને રાષ્ટ્રીય કટોકટી અને ગંભીર આપત્તિ તરીકે જાહેર કરવા વિનંતી કરી છે. મુખ્યમંત્રી વિજયને કહ્યું કે અત્યાર સુધીમાં 420 મૃતદેહોનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે અને વાયનાડમાં શોધ અને બચાવ કામગીરી ચાલી રહી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Viksit Bharat Ji Ram Ji Scheme: મનરેગાનું બદલાશે નામ, આ યોજનાના લાભ સંદર્ભે શું થશે ફેરફાર
Viksit Bharat Ji Ram Ji Scheme: મનરેગાનું બદલાશે નામ, આ યોજનાના લાભ સંદર્ભે શું થશે ફેરફાર
350થી વધુ ખેલાડી, 77 સ્લૉટ, CSK અને KKR પાસે સૌથી વધુ રૂપિયા, જાણો IPL મિની ઓક્શનની પાંચ મોટી વાતો
350થી વધુ ખેલાડી, 77 સ્લૉટ, CSK અને KKR પાસે સૌથી વધુ રૂપિયા, જાણો IPL મિની ઓક્શનની પાંચ મોટી વાતો
Maharashtra Civic Polls: મહારાષ્ટ્રમાં ભાજપ-શિવસેના સાથે લડશે ચૂંટણી, જાણો NCPનું શું થશે?
Maharashtra Civic Polls: મહારાષ્ટ્રમાં ભાજપ-શિવસેના સાથે લડશે ચૂંટણી, જાણો NCPનું શું થશે?
મિડલ ઈસ્ટમાં ભારતની ડિપ્લોમેસી, જોર્ડન કિંગ અબ્દુલ્લાને મળ્યા PM મોદી
મિડલ ઈસ્ટમાં ભારતની ડિપ્લોમેસી, જોર્ડન કિંગ અબ્દુલ્લાને મળ્યા PM મોદી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : અનલિમિટેડ ભ્રષ્ટાચાર!
Hun To Bolish : હું તો બોલીશ : આ ગોગોને બંધ કરાવો !
Hun To Bolish : હું તો બોલીશ : લગ્ન નાત નક્કી કરશે કે નિયતિ?
Operation Gogo In Surat : ગોગોનું ઓનલાઇન વેચાણ , રિયાલિટી ચેકમાં ધડાકો
Gold Price All Time High : સોનામાં તોફાની તેજી, 10 ગ્રામ સોનાનો ભાવ પહોંચ્યો 1.33 લાખ પર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Viksit Bharat Ji Ram Ji Scheme: મનરેગાનું બદલાશે નામ, આ યોજનાના લાભ સંદર્ભે શું થશે ફેરફાર
Viksit Bharat Ji Ram Ji Scheme: મનરેગાનું બદલાશે નામ, આ યોજનાના લાભ સંદર્ભે શું થશે ફેરફાર
350થી વધુ ખેલાડી, 77 સ્લૉટ, CSK અને KKR પાસે સૌથી વધુ રૂપિયા, જાણો IPL મિની ઓક્શનની પાંચ મોટી વાતો
350થી વધુ ખેલાડી, 77 સ્લૉટ, CSK અને KKR પાસે સૌથી વધુ રૂપિયા, જાણો IPL મિની ઓક્શનની પાંચ મોટી વાતો
Maharashtra Civic Polls: મહારાષ્ટ્રમાં ભાજપ-શિવસેના સાથે લડશે ચૂંટણી, જાણો NCPનું શું થશે?
Maharashtra Civic Polls: મહારાષ્ટ્રમાં ભાજપ-શિવસેના સાથે લડશે ચૂંટણી, જાણો NCPનું શું થશે?
મિડલ ઈસ્ટમાં ભારતની ડિપ્લોમેસી, જોર્ડન કિંગ અબ્દુલ્લાને મળ્યા PM મોદી
મિડલ ઈસ્ટમાં ભારતની ડિપ્લોમેસી, જોર્ડન કિંગ અબ્દુલ્લાને મળ્યા PM મોદી
IND vs SA: સાઉથ આફ્રિકા સામેની બાકીની બે ટી-20 મેચમાંથી બહાર અક્ષર પટેલ, આ ખેલાડીને મળ્યું સ્થાન
IND vs SA: સાઉથ આફ્રિકા સામેની બાકીની બે ટી-20 મેચમાંથી બહાર અક્ષર પટેલ, આ ખેલાડીને મળ્યું સ્થાન
Pahalgam Attack: પહેલગામ હુમલાના 'માસ્ટરમાઈન્ડ'નું નામ આવ્યું સામે, NIA એ ચાર્જશીટમાં કર્યો મોટો ખુલાસો
Pahalgam Attack: પહેલગામ હુમલાના 'માસ્ટરમાઈન્ડ'નું નામ આવ્યું સામે, NIA એ ચાર્જશીટમાં કર્યો મોટો ખુલાસો
આવતીકાલનું રાશિફળ: 16 ડિસેમ્બરના રોજ કોનું નસીબ ચમકશે? મેષથી મીન સુધીનું ભવિષ્યફળ જાણો
આવતીકાલનું રાશિફળ: 16 ડિસેમ્બરના રોજ કોનું નસીબ ચમકશે? મેષથી મીન સુધીનું ભવિષ્યફળ જાણો
દક્ષિણ આફ્રિકા ટી20 સીરીઝ માટે ભારતની ટીમમાં મોટો ફેરફાર, આ ઓલરાઉન્ડર બહાર, જુઓ અપડેટેડ ટીમ
દક્ષિણ આફ્રિકા ટી20 સીરીઝ માટે ભારતની ટીમમાં મોટો ફેરફાર, આ ઓલરાઉન્ડર બહાર, જુઓ અપડેટેડ ટીમ
Embed widget