શોધખોળ કરો

પીએમ મોદીના આ નિર્ણયથી રાહુલ ગાંધી થયા ખુશખુશાલ, કહ્યું - થેન્ક યુ મોદીજી….

રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માન્યો છે. વાસ્તવમાં, પીએમ મોદી શનિવારે ભૂસ્ખલનથી પ્રભાવિત કેરળના વાયનાડની મુલાકાત લેવાના છે. રાહુલે પીએમ મોદીના આ નિર્ણયનું સ્વાગત કર્યું છે.

Rahul Gandhi thanks PM Modi: ભારતના બે મુખ્ય રાજકીય પક્ષો ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સામાન્ય રીતે કડવાશ જ જોવા મળે છે. પીએમ નરેન્દ્ર મોદી અને રાહુલ ગાંધી બંને અવારનવાર એકબીજા પર નિશાન સાધતા દેખાય છે. જોકે, હવે પીએમ મોદીના એક નિર્ણયની રાહુલ ગાંધીએ પ્રશંસા કરી છે. વાસ્તવમાં, થોડા દિવસો પહેલા કેરળના વાયનાડમાં ભૂસ્ખલનને કારણે સેંકડો લોકોના મૃત્યુ થયા હતા. હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાતે વાયનાડની મુલાકાત લેવાનો નિર્ણય કર્યો છે. રાહુલ ગાંધીએ પીએમ મોદીના આ પગલાનું સમર્થન કર્યું છે.

પીએમ મોદીના વ્યક્તિગત રીતે વાયનાડની મુલાકાત લેવાના નિર્ણયની રાહુલ ગાંધીએ પ્રશંસા કરી છે. રાહુલે X પર લખ્યું   "થેન્ક યુ મોદીજી, વ્યક્તિગત રીતે ભયાનક ત્રાસદીનું નિરીક્ષણ કરવા વાયનાડ જવા માટે. આ એક સારો નિર્ણય છે. મને વિશ્વાસ છે કે એકવાર જ્યારે વડાપ્રધાન પ્રત્યક્ષ રીતે વિનાશની સીમા જોઈ લેશે, ત્યારે તેઓ તેને રાષ્ટ્રીય આપત્તિ જાહેર કરી દેશે."

કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયને ગુરુવારે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 10 ઓગસ્ટે વાયનાડના ભૂસ્ખલનથી પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લેશે. તેમણે આશા વ્યક્ત કરી કે વડાપ્રધાન આપત્તિ પીડિતોના પુનર્વાસ માટે કેન્દ્રીય સહાય પ્રદાન કરવા અંગે સકારાત્મક અભિગમ અપનાવશે.

વડાપ્રધાન મોદી શનિવારે ભૂસ્ખલનથી પ્રભાવિત વાયનાડની મુલાકાત લેશે અને રાહત તથા પુનર્વાસ કાર્યોની સમીક્ષા કરશે તેમજ દુર્ઘટનામાં જીવિત બચેલા લોકો સાથે વાતચીત કરશે. પીએમ મોદી બપોરે 11 વાગ્યે કન્નૂર પહોંચશે અને પછી વાયનાડમાં ભૂસ્ખલનથી પ્રભાવિત વિસ્તારનું હવાઈ નિરીક્ષણ કરશે. તેઓ રાહત શિબિર અને હોસ્પિટલની મુલાકાત લેશે, જ્યાં તેઓ પીડિતો અને ભૂસ્ખલનમાં જીવિત બચેલા લોકોને મળશે. ત્યારબાદ પીએમ એક સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરશે, જેમાં તેમને ઘટના અને ચાલુ રાહત પ્રયાસો વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવશે.

એક પત્રકાર પરિષદને સંબોધતા કેરળના મુખ્યમંત્રીએ કહ્યું કે રાજ્યએ કેન્દ્ર સરકારને આપત્તિને રાષ્ટ્રીય કટોકટી અને ગંભીર આપત્તિ તરીકે જાહેર કરવા વિનંતી કરી છે. મુખ્યમંત્રી વિજયને કહ્યું કે અત્યાર સુધીમાં 420 મૃતદેહોનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે અને વાયનાડમાં શોધ અને બચાવ કામગીરી ચાલી રહી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IRCTC ની ધમાકેદાર ઓફર! ચોમાસામાં ખૂબ જ સસ્તામાં માણો સાઉથ ઈન્ડિયાની સફર, નોંધી લો આખો ટૂર પ્લાન
IRCTC ની ધમાકેદાર ઓફર! ચોમાસામાં ખૂબ જ સસ્તામાં માણો સાઉથ ઈન્ડિયાની સફર, નોંધી લો આખો ટૂર પ્લાન
Weather Update: દેશના 15 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવોઝોડાનું એલર્ટ, હવામાન વિભાગની ચેતવણી 
Weather Update: દેશના 15 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવોઝોડાનું એલર્ટ, હવામાન વિભાગની ચેતવણી 
Ketan Agarwal Murder Case: સિયાએ નહીં, ચેતને માર્યો હતો કેતનને ધક્કો, પોલીસે રિક્રિએટ કર્યું ક્રાઈમ સીન
Ketan Agarwal Murder Case: સિયાએ નહીં, ચેતને માર્યો હતો કેતનને ધક્કો, પોલીસે રિક્રિએટ કર્યું ક્રાઈમ સીન
આવતીકાલનું હવામાનઃ કાલે વીજળીના કડાકા ભડાકા સાથે 17 રાજ્યોમાં વરસાદ તૂટી પડશે, IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ કાલે વીજળીના કડાકા ભડાકા સાથે 17 રાજ્યોમાં વરસાદ તૂટી પડશે, IMD નું એલર્ટ

વિડિઓઝ

Ahmedabad Jal Yatra : અમદાવાદમાં નીકળી ભગવાન જગન્નાથી જળયાત્રા
Europe Hit Wave : યુરોપમાં ગરમીથી હાહાકાર, ફ્રાંસમાં ગરમીને કારણે 1 હજાર લોકોના મોત
El Nino Effect : અલ નીનોની અસરને પગલે જૂન પૂર્ણ થવા છતાં અનેક રાજ્યોમાં નથી વરસ્યો વરસાદ
Gujarat Monsoon: ગુજરાત પર એક સાથે 3 વરસાદી સિસ્ટમ સક્રીય, ક્યાં ક્યાં તૂટી પડશે વરસાદ?
Mumbai Rain: મુંબઈમાં મુશળધાર વરસાદ, રસ્તા પાણીમાં ગરકાવ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ambalal patel: આ તારીખથી ગુજરાતમાં વરસાદ ભૂક્કા બોલાવશે, અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
Ambalal patel: આ તારીખથી ગુજરાતમાં વરસાદ ભૂક્કા બોલાવશે, અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
સોના-ચાંદીની કિંમતમાં આજે ફરી થયો ઘટાડો, ચેક કરો MCX પર લેટેસ્ટ કિંમત 
સોના-ચાંદીની કિંમતમાં આજે ફરી થયો ઘટાડો, ચેક કરો MCX પર લેટેસ્ટ કિંમત 
Gujarat Rain: 1 જુલાઈથી ગુજરાતમાં વરસાદી માહોલ જામશે, વરસાદને લઈ હવામાન વિભાગની આગાહી 
Gujarat Rain: 1 જુલાઈથી ગુજરાતમાં વરસાદી માહોલ જામશે, વરસાદને લઈ હવામાન વિભાગની આગાહી 
દેશમાં સુપર અલ નીનોની અસર, ચાલુ વર્ષે 146 વર્ષમાં સૌથી ઓછો જૂન મહિનામાં વરસાદ
દેશમાં સુપર અલ નીનોની અસર, ચાલુ વર્ષે 146 વર્ષમાં સૌથી ઓછો જૂન મહિનામાં વરસાદ
Weather Update: દેશના 15 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવોઝોડાનું એલર્ટ, હવામાન વિભાગની ચેતવણી 
Weather Update: દેશના 15 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવોઝોડાનું એલર્ટ, હવામાન વિભાગની ચેતવણી 
IND vs ENG: ભારત-ઈંગ્લેન્ડ ટી20 સીરીઝ ક્યારથી શરુ થશે, અહીં જુઓ 5 મેચનું સંપૂર્ણ શેડ્યૂલ 
IND vs ENG: ભારત-ઈંગ્લેન્ડ ટી20 સીરીઝ ક્યારથી શરુ થશે, અહીં જુઓ 5 મેચનું સંપૂર્ણ શેડ્યૂલ 
Mumbai Rain: મુંબઈમાં ભારે વરસાદના કારણે અનેક વિસ્તારમાં ભરાયા પાણી, હવામાન વિભાગે જાહેર કર્યું ઓરેન્જ એલર્ટ
Mumbai Rain: મુંબઈમાં ભારે વરસાદના કારણે અનેક વિસ્તારમાં ભરાયા પાણી, હવામાન વિભાગે જાહેર કર્યું ઓરેન્જ એલર્ટ
Ahmedabad News: અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની જળયાત્રા, 108 કળશથી કરાશે જળાભિષેક 
Ahmedabad News: અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની જળયાત્રા, 108 કળશથી કરાશે જળાભિષેક 
Embed widget