![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
News: જાણો કોણ છે રાહુલ કનાલ, જેને બાગેશ્વર ધામ સરકાર ધીરેન્દ્ર શાસ્ત્રી સામે નોંધાવી છે ફરિયાદ.....
રાહુલ કનાલ શિવસેનાની યુવા સેનાના સભ્ય અને યુવા નેતા છે. આ સાથે તેઓ શ્રી સાંઈ બાબા સંસ્થાન ટ્રસ્ટ, શિરડીના પૂર્વ ટ્રસ્ટી પણ રહી ચૂક્યા છે.
![News: જાણો કોણ છે રાહુલ કનાલ, જેને બાગેશ્વર ધામ સરકાર ધીરેન્દ્ર શાસ્ત્રી સામે નોંધાવી છે ફરિયાદ..... Rahul Kanal: Fir on Bageshwar Dham Sarkar: complaint filed against dhirendra shastri by mumbai police on comment over shirdi sai News: જાણો કોણ છે રાહુલ કનાલ, જેને બાગેશ્વર ધામ સરકાર ધીરેન્દ્ર શાસ્ત્રી સામે નોંધાવી છે ફરિયાદ.....](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/03/19/7e3ada9243d3dad59917582cc3b86fc11679199811154369_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Bageshwar Dham Sarkar: બાગેશ્વર ધામના આચાર્ય ધીરેન્દ્ર શાસ્ત્રી પર ફરિયાદ નોંધાઇ છે, ધીરેન્દ્ર શાસ્ત્રીએ શિરડીના સાંઈ બાબા પર એક નિવેદન આપ્યુ હતુ. હવે આ મામલે મુંબઈ પોલીસમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ફરિયાદમાં ધીરેન્દ્ર શાસ્ત્રી વિરુદ્ધ ધાર્મિક લાગણી દુભાવવા બદલ FIR નોંધવાની માંગ કરવામાં આવી છે. બાગેશ્વર ધામ સરકાર વિરુદ્ધ આ ફરિયાદ મુંબઈના બાંદ્રા પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવી છે. ફરિયાદમાં શિવસેના (ઉદ્ધવ જૂથ) યુવા સેનાના નેતા અને શિરડી સાંઈ સંસ્થાનના ભૂતપૂર્વ ટ્રસ્ટી રાહુલ કનાલે ધીરેન્દ્ર શાસ્ત્રી પર ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ લગાવ્યો હતો.
જાણો કોણ છે રાહુલ કનાલ -
રાહુલ કનાલ શિવસેનાની યુવા સેનાના સભ્ય અને યુવા નેતા છે. આ સાથે તેઓ શ્રી સાંઈ બાબા સંસ્થાન ટ્રસ્ટ, શિરડીના પૂર્વ ટ્રસ્ટી પણ રહી ચૂક્યા છે. રાહુલ BMCની એજ્યુકેશન કમિટીના સભ્ય પણ રહી ચૂક્યા છે. આ ઉપરાંત રાહુલ કેનાલ આઈ લવ મુંબઈ ફાઉન્ડેશનના ફાઉન્ડર પણ છે. રાહુલ કનાલના ઠાકરે પરિવાર સાથે સારા અને ગાઢ સંબંધો છે, અને તે આદિત્ય ઠાકરેના નજીકના પણ ગણાય છે.
ખાસ વાત છે કે, રાહુલ કનાલએ એવો નેતા છે, જેની નેતાઓ ઉપરાંત બૉલીવુડ સેલિબ્રિટીઓ સાથે પણ સારા સંબંધો છો. તે કેટલાય બૉલીવુડ સ્ટાર્સની નજીક છે, અને ખાસ કરીને તેને સલમાન ખાન સાથ તેના પારિવારિક સંબંધો રહ્યાં છે. અભિનેત્રી જેકલિન ફર્નાન્ડિઝથી લઇને વિરાટ કોહલી તેના મિત્રો છે.
साईं भगवान नहीं हो सकते है,@bageshwardham के पीठाधीश्वर पंडित धीरेन्द्र कृष्ण शास्त्री के विवादित बोल...यह भी कहा कि गीदड़ की खाल पहनकर कोई शेर नहीं बन जाता.@ABPNews @abplive @brajeshabpnews @brajeshabpnews pic.twitter.com/fYP63PMcIu
— AJAY TRIPATHI (ABP NEWS) (@ajay_media) April 2, 2023
સાંઈ બાબા વિશે આપવામાં આવ્યું હતુ વિવાદાસ્પદ નિવેદન -
આચાર્ય ધીરેન્દ્ર શાસ્ત્રીએ સાંઈ બાબાને લઈને વિવાદિત નિવેદન આપ્યું હતું. ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું હતું કે શિયાળની ચામડી પહેરીને કોઇ સિંહ બની શકતું નથી. તેમણે કહ્યું, સાંઈ બાબા સંત અને ફકીર હોઇ શકે છે, પરંતુ ભગવાન તે ન હોઈ શકે. આપણા ધર્મમાં શંકરાચાર્યનું સૌથી મોટું સ્થાન છે, તેમણે સાંઈ બાબાને દેવતાઓનું સ્થાન આપ્યું નથી.
મધ્યપ્રદેશના જબલપુરમાં પ્રબુદ્ધ ભક્તોના પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું કે, આપણા પરમ ગુરુ શંકરાચાર્યએ ક્યારેય સાંઈ બાબાને દેવતાનો દરજ્જો નથી આપ્યો. તેમણે કહ્યું કે- શંકરાચાર્ય હિંદુ ધર્મના વડાપ્રધાન છે, તેથી દરેક સનાતનીએ તેમનું પાલન કરવું ખૂબ જ જરૂરી છે.
सरकार राज….पनाग़र जबलपुर में….अद्भुत जनमानस…क़रीब 15 किलोमीटर का जाम…दीवानगी ऐसी मानो कोई सितारा आसमान से ज़मीन पर उतर आया हो… pic.twitter.com/EfEsDElK2W
— Bageshwar Dham Sarkar (Official) (@bageshwardham) April 1, 2023
मनमोहक छवि… | @bageshwardham pic.twitter.com/8sEId5P5qC
— Bageshwar Dham Sarkar (Official) (@bageshwardham) April 1, 2023
दीवानगी की हद…
— Bageshwar Dham Sarkar (Official) (@bageshwardham) March 31, 2023
पनाग़र(जबलपुर) pic.twitter.com/2fzDDLXeoD
पूज्य सरकार के अनूठे रंग… pic.twitter.com/XZhAwKWpby
— Bageshwar Dham Sarkar (Official) (@bageshwardham) March 31, 2023
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)