શોધખોળ કરો

Ram Mandir : આજથી સામાન્ય લોકો કરી શકશે રામલલાના દર્શન, જાણો કેટલા કલાક બંધ રહેશે મંદિર?

Ram Mandir : અયોધ્યામાં રામ મંદિરનો ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ પૂર્ણ થઈ ગયો છે

Ram Mandir :  અયોધ્યામાં રામ મંદિરનો ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ પૂર્ણ થઈ ગયો છે. આ સાથે 23 જાન્યુઆરીથી રામ મંદિરમાં રામલલાની પૂજાની વિધિ પણ નક્કી કરવામાં આવી છે. આ માટે શ્રી રામોપાસના નામની સંહિતા બનાવવામાં આવી છે. નિયમો અનુસાર સવારે 3 વાગ્યાથી પૂજા અને શ્રુંગારની તૈયારીઓ શરૂ થઈ જશે. રામલલાને ચાર વાગ્યે જગાડવામાં આવશે.

શ્રી રામ જન્મભૂમિ તીર્થ ટ્રસ્ટ અનુસાર, રામલલાને દર કલાકે ફળ અને દૂધ ચઢાવવામાં આવશે. મંદિર દરરોજ સવારે 8 થી રાત્રે 10 વાગ્યા સુધી ખુલ્લું રહેશે. પ્રાણ પ્રતિષ્ઠા બાદ મોટી સંખ્યામાં ભક્તોને ધ્યાનમાં રાખીને મંદિરમાં દર્શનનો સમયગાળો 14 થી 15 કલાકનો હોઈ શકે છે. મંદિરના પૂજારીઓનું કહેવું છે કે 1949માં પ્રગટ થયેલા શ્રી રામલલાના કપડાનો રંગ દિવસ પ્રમાણે રહ્યો છે. નવા મંદિરમાં આ પરંપરા ચાલુ રહેશે. રામલલા સામાન્ય દિવસોમાં સોમવારે સફેદ વસ્ત્રો પહેરે છે, પરંતુ ખાસ પ્રસંગોએ તેઓ પીળા વસ્ત્રો પહેરશે.

ભગવાન રામ મંગળવારે લાલ, બુધવારે લીલો, ગુરુવારે પીળો, શુક્રવારે આછો પીળો અથવા ક્રીમ રંગ, શનિવારે વાદળી અને રવિવારે ગુલાબી રંગના વસ્ત્રો પહેરશે. નવી બાલરૂપ મૂર્તિ માટે રામ મંદિર ટ્રસ્ટને પુણેના હેરિટેજ એન્ડ હેન્ડવીવિંગ રિવાઇવલ ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી કપડાં મળ્યા છે. દેશના 10 થી 15 લાખ કારીગરો તેમના વણાટ સાથે જોડાયેલા છે.

મંદિર દિવસ દરમિયાન બે કલાક બંધ રહેશે

પ્રાણ પ્રતિષ્ઠા પૂર્ણ થયા બાદ 23મી જાન્યુઆરીથી બ્રહ્મ મુહૂર્તમાં સવારે 3 વાગ્યાથી ગર્ભગૃહની સફાઈ, પૂજા અને શ્રુંગારની તૈયારીઓ કરવામાં આવશે. 3.30 થી 4 વાગ્યાની આસપાસ ભગવાનની બંન્ને મૂર્તિઓ અને શ્રીયંત્ર મંત્રોચ્ચાર સાથે જગાડવામાં આવશે. ત્યારબાદ મંગળા આરતી થશે. આ પછી મૂર્તિઓના અભિષેક અને શ્રુંગાર કરવામાં આવશે. શ્રૃંગાર ભોગ ચઢાવાશે. આ 4.30 થી 5 રહેશે. સવારે 8 વાગ્યાથી દર્શન શરૂ થશે. બપોરે લગભગ 1 કલાકે આરતી થશે. બે કલાક દર્શન બંધ રહેશે. ભગવાન આરામ કરશે. બપોરે 3 વાગ્યાથી દર્શન ફરી શરૂ થશે જે રાત્રે 10 વાગ્યા સુધી ચાલુ રહેશે. દરમિયાન સાંજે સાત વાગ્યે સાંજની આરતી થશે.

હવે રામલલાની અષ્ટયામ સેવા થશે. આ ઉપરાંત છ વખત રામલલાની આરતી કરવામાં આવશે. આરતીમાં સામેલ થવા માટે પાસ આપવામાં આવશે. અત્યાર સુધી રામલલાની બે આરતીઓ થતી હતી. રામલલાના પૂજારીઓના પ્રશિક્ષક આચાર્ય મિથિલેશનંદિની શરણે કહ્યું કે, હવે રામલલાની મંગળા, શ્રૃંગાર, ભોગ, ઉત્થાપન, સંધ્યા અને શયન આરતી થશે. આ અંગે ટ્રસ્ટ જ જાહેરાત કરશે.

સવારે 6:00 વાગ્યાથી દર્શન થશે

નવા મંદિરમાં સવારે 3:30 થી 4:00 વાગ્યે પૂજારી રામલલાને મંત્રોચ્ચારથી જગાડશે, ત્યારબાદ મંગળા આરતી થશે. શ્રૃંગાર આરતી સાંજે 5:30 કલાકે શરૂ થશે અને સાંજે 6 કલાકે દર્શન શરૂ થશે. બપોરે રાજભોગ આરતી થશે. ત્યારબાદ ઉત્થાપન, સંધ્યા આરતી અને શયન આરતી થશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ટ્રમ્પની ઈરાનને ધમકી વચ્ચે ભારત સરકારે એડવાઇઝરી જારી કરી: 'આગામી 48 કલાક સુધી....’
ટ્રમ્પની ઈરાનને ધમકી વચ્ચે ભારત સરકારે એડવાઇઝરી જારી કરી: 'આગામી 48 કલાક સુધી....’
"ભાજપ પર વિશ્વાસ કરવો એ કોઈ ઝેરી સાપ પર ભરોસો કરવા જેવું છે": બંગાળ ચૂંટણી પહેલા મમતા બેનર્જીના આકરા પ્રહાર
આવતીકાલનું હવામાનઃ દિલ્હી, યુપી અને બિહાર સહિત 11 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, 85 kmph ની ઝડપે ફૂંકાશે પવન
આવતીકાલનું હવામાનઃ દિલ્હી, યુપી અને બિહાર સહિત 11 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, 85 kmph ની ઝડપે ફૂંકાશે પવન
આ મોટા રાજ્યમાં ભાજપ માટે ખતરાની ઘંટડી! ઓપિનિયન પોલમાં માત્ર 8 બેઠકોમાં સમેટાઈ શકે છે કેસરીયો
આ મોટા રાજ્યમાં ભાજપ માટે ખતરાની ઘંટડી! ઓપિનિયન પોલમાં માત્ર 8 બેઠકોમાં સમેટાઈ શકે છે કેસરીયો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'આપ'નો કેટલો વ્યાપ?
Hun To Bolish : હું તો બોલીશ : ઉનાળો કે ચોમાસું!
Arvalli Unseasonal Rains: બાયડમાં કરા સાથે વરસાદ, રસ્તા પર ભરાયા પાણી
Donald Trump : ડોનાલ્ડ ટ્રમ્પની ઈરાનને અત્યાર સુધીની સૌથી મોટી ધમકી, ’આજની રાતે એક આખી સભ્યતા રાખમાં ફેરવાઈ જશે!‘
Padminiba Wala join AAP:  ક્ષત્રિય આંદોલનનો ચહેરો પદ્મીનીબા જોડાયા AAPમાં

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગોપાલ ઇટાલિયાની મુશ્કેલી વધી, મહેસાણા કોર્ટે કાઢ્યું બિનજામીનપાત્ર વોરંટ
ગોપાલ ઇટાલિયાની મુશ્કેલી વધી, મહેસાણા કોર્ટે કાઢ્યું બિનજામીનપાત્ર વોરંટ
ગુજરાતમાં માવઠાનો કહેર: બપોર બાદ 37 તાલુકાઓમાં વરસાદ, અરવલ્લીના સાઠંબામાં સૌથી વધુ 1.18 ઇંચ
ગુજરાતમાં માવઠાનો કહેર: બપોર બાદ 37 તાલુકાઓમાં વરસાદ, અરવલ્લીના સાઠંબામાં સૌથી વધુ 1.18 ઇંચ
US-Iran War: ટ્રમ્પની સભ્યતા અંતની ધમકીનો ઈરાને આપ્યો જડબાતોડ જવાબ, કહ્યું - ‘કાલે, ઇન્શાલ્લાહ...’
US-Iran War: ટ્રમ્પની સભ્યતા અંતની ધમકીનો ઈરાને આપ્યો જડબાતોડ જવાબ, કહ્યું - ‘કાલે, ઇન્શાલ્લાહ...’
ક્ષત્રિય આંદોલનનો જાણીતો ચહેરો પદ્મિનીબા વાળા AAP માં જોડાયા, ઈસુદાન ગઢવીએ પહેરાવ્યો ખેસ
ક્ષત્રિય આંદોલનનો જાણીતો ચહેરો પદ્મિનીબા વાળા AAP માં જોડાયા, ઈસુદાન ગઢવીએ પહેરાવ્યો ખેસ
"ભાજપ પર વિશ્વાસ કરવો એ કોઈ ઝેરી સાપ પર ભરોસો કરવા જેવું છે": બંગાળ ચૂંટણી પહેલા મમતા બેનર્જીના આકરા પ્રહાર
આજે રાત્રે મહાવિનાશ: ડોનાલ્ડ ટ્રમ્પની ઈરાનને અત્યાર સુધીની સૌથી મોટી ધમકી, ’આજની રાતે એક આખી સભ્યતા રાખમાં ફેરવાઈ જશે!‘
આજે રાત્રે મહાવિનાશ: ડોનાલ્ડ ટ્રમ્પની ઈરાનને અત્યાર સુધીની સૌથી મોટી ધમકી, ’આજની રાતે એક આખી સભ્યતા રાખમાં ફેરવાઈ જશે!‘
આવતીકાલનું હવામાનઃ દિલ્હી, યુપી અને બિહાર સહિત 11 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, 85 kmph ની ઝડપે ફૂંકાશે પવન
આવતીકાલનું હવામાનઃ દિલ્હી, યુપી અને બિહાર સહિત 11 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, 85 kmph ની ઝડપે ફૂંકાશે પવન
અંબાલાલ પટેલની મોટી આગાહી: ગુજરાતમાં તૂટી પડશે વરસાદ, પવનની ગતિ ડરાવશે!
અંબાલાલ પટેલની મોટી આગાહી: ગુજરાતમાં તૂટી પડશે વરસાદ, પવનની ગતિ ડરાવશે!
Embed widget