શોધખોળ કરો

રામ મંદિર ભૂમિ પૂજનઃ આ દિગ્ગજ હસ્તીઓ નહીં થાય કાર્યક્રમમાં સામેલ, જાણો વિગત

અયોધ્યામાં રામ મંદિર ભૂમિ પૂજનને ગણતરીના જ કલાકો બાકી રહ્યા છે. ભૂમિ પૂજનને ભવ્ય અને ઐતિહાસિક બનાવવાના શક્ય તમામ પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે.

નવી દિલ્હીઃ અયોધ્યા ભૂમિ પૂજનને ગણતરીના જ કલાકો બાકી રહ્યા છે. ભૂમિ પૂજનને ભવ્ય અને ઐતિહાસિક બનાવવાના શક્ય તમામ પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. આ કાર્યક્રમમાં 175 મહેમાનોને આમંત્રણ આપવામાં આવ્યું છે. વિવિધ સપ્રદાયો સહિત અનેક મોટા સામાજિક અને રાજકીય હસ્તીઓ પણ સામેલ છે પરંતુ કેટલાક લોકો પૂજનમાં સામેલ નહીં થાય. રામ મંદિર ભૂમિ પૂજનમાં અડવાણી, મુરલી મનોહર જોશી અને કલ્યાણ સિંહને આમંત્રણ નથી આપવામાં આવ્યું. મંદિર ટ્રસ્ટના મહામંત્રી ચંપત રાય અને કોષાધ્યક્ષ ગોવિંદ દેવ ગિરીએ આમંત્રણ ન આપવામાં આવ્યું હોવાની પુષ્ટિ કરી છે. ચંપત રાયે કહ્યું- અડવાણીના કારણે રામ મંદિર આંદોલન સફળ થયું છે. ત્રણેય નેતાઓ સાથે ફોન પર વાત થઈ હોવાનો તેમણે દાવો કર્યો છે. ઉમા ભારતીઃ ભાજપના દિગ્ગજ નેતા ઉમા ભારતી પૂજન કાર્યક્રમમાં સામેલ નહીં થાય. તેમને આમંત્રણ મોકલવામાં આવ્યું છે પરંતુ કોરોના સંક્રમણને જોતા ઉમા ભારતીએ કાર્યક્રમથી અંતર બનાવી લીધું છે. તે ભલે કાર્યક્રમમાં સામેલ નહીં થાય પરંતુ કાર્યક્રમ સ્થળેથી બધા લોકોના જતા રહ્યા બાદ રામલલાના દર્શન કરશે. આ માટે તે આજે અયોધ્યા પહોંચશે. સ્વામી વાસુદેવાનંદઃ પ્રયાગરાજના સ્વામી વાસુદેવાનંદ મહારાજ પણ કાર્યક્રમમાં સામેલ નહીં થાય તેમ જાણવા મળ્યુ છે. જાણકારી મુજબ, ચાતુર્માસના કારણે સ્વામી વાસુદેવાનંદ મહારાજ તેમની ગાદી નહીં છોડે. ટ્રસ્ટે તેમને પણ આમંત્રણ આપ્યું છે. કે. પરાસરણઃ રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના સભ્ય કે. પરાસરણ પણ ભૂમિ પૂજન કાર્યક્રમમાં સામેલ નહીં થાય. પરાસરણ સુપ્રીમ કોર્ટમાં રામ મંદિરના પક્ષકાર પણ રહ્યા છે. વધારે ઉંમર હોવાના કારણે પરાસરણ ચેન્નઈથી વીડિયો કોન્ફરન્સ દ્વારા ભૂમિપૂજનમાં સામેલ થશે. અમિત શાહઃ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ રામ મંદિર ભૂમિ પૂજનમાં નહીં સામેલ થાય. 2 ઓગસ્ટના રોજ અમિત શાહનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. હાલ તેમની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે તેથી તેઓ પણ ભૂમિ પૂજનમાં સામેલ નહીં થાય. રાજસ્થાનઃ બળવાખોર ધારાસભ્યોની કોંગ્રેસમાં વાપસી માટે પાર્ટીએ શું રાખી શરત ? જાણો વિગત
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'જ્યાં સુધી ધર્મ ભારતનું માર્ગદર્શન કરશે, ત્યાં સુધી દેશ વિશ્વગુરુ રહેશે': મુંબઈમાં RSS પ્રમુખ મોહન ભાગવતનું નિવેદન
'જ્યાં સુધી ધર્મ ભારતનું માર્ગદર્શન કરશે, ત્યાં સુધી દેશ વિશ્વગુરુ રહેશે': મુંબઈમાં RSS પ્રમુખ મોહન ભાગવતનું નિવેદન
લખનૌમાં IndiGo ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ, ટિશ્યુ પેપર પર લખેલું હતું
લખનૌમાં IndiGo ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ, ટિશ્યુ પેપર પર લખેલું હતું "વિમાનમાં બોમ્બ"
Team India Squad: 7 વર્ષ બાદ આ ખેલાડીની થઈ 'ધમાકેદાર' વાપસી, ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ટીમ જાહેર
Team India Squad: 7 વર્ષ બાદ આ ખેલાડીની થઈ 'ધમાકેદાર' વાપસી, ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ટીમ જાહેર
અમદાવાદમાં ગંભીર અકસ્માતમાં BJP નેતાના પુત્રનું મોત,ઘટનાનો વીડિયો જોઈને રુવાડા ઉભા થઈ જશે
અમદાવાદમાં ગંભીર અકસ્માતમાં BJP નેતાના પુત્રનું મોત,ઘટનાનો વીડિયો જોઈને રુવાડા ઉભા થઈ જશે

વિડિઓઝ

Kutch News : કચ્છના રાપર નજીક માલગાડી પાટા પરથી ઉતરી, પાલનપુર-સામખીયાળીના ટ્રેન વ્યવહાર પ્રભાવિત
Gopal Italia Case: ગોપાલ ઈટાલિયા પર જૂતું ફેંકવાના કેસમાં નવો વળાંક, જૂતું ફેંકનાર આરોપી શબ્બીર મીરે ફેરવી તોળ્યું
Ahmedabad Accident: વૈષ્ણોદેવી સર્કલ પાસે થયેલા ત્રિપલ અકસ્માતના CCTV આવ્યા સામે, એકનું મોત, એકની હાલત ગંભીર
Ambalal Patel on Unseasonal Rain: ગુજરાતમાં કરા સાથે પડશે કમોસમી વરસાદ: અંબાલાલની ચિંતાજનક આગાહી
Ahmedabad Air Pollution: દિલ્લી- NCRની જેમ અમદાવાદની હવા પણ બની ઝેરીલી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'જ્યાં સુધી ધર્મ ભારતનું માર્ગદર્શન કરશે, ત્યાં સુધી દેશ વિશ્વગુરુ રહેશે': મુંબઈમાં RSS પ્રમુખ મોહન ભાગવતનું નિવેદન
'જ્યાં સુધી ધર્મ ભારતનું માર્ગદર્શન કરશે, ત્યાં સુધી દેશ વિશ્વગુરુ રહેશે': મુંબઈમાં RSS પ્રમુખ મોહન ભાગવતનું નિવેદન
લખનૌમાં IndiGo ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ, ટિશ્યુ પેપર પર લખેલું હતું
લખનૌમાં IndiGo ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ, ટિશ્યુ પેપર પર લખેલું હતું "વિમાનમાં બોમ્બ"
Team India Squad: 7 વર્ષ બાદ આ ખેલાડીની થઈ 'ધમાકેદાર' વાપસી, ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ટીમ જાહેર
Team India Squad: 7 વર્ષ બાદ આ ખેલાડીની થઈ 'ધમાકેદાર' વાપસી, ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ટીમ જાહેર
અમદાવાદમાં ગંભીર અકસ્માતમાં BJP નેતાના પુત્રનું મોત,ઘટનાનો વીડિયો જોઈને રુવાડા ઉભા થઈ જશે
અમદાવાદમાં ગંભીર અકસ્માતમાં BJP નેતાના પુત્રનું મોત,ઘટનાનો વીડિયો જોઈને રુવાડા ઉભા થઈ જશે
Magh Mela 2026: સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીનો રથ પ્રશાસને રોક્યો, પોલીસ સંતોને માર મારતી હોવાનો શંકરાચાર્યનો આરોપ
Magh Mela 2026: સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીનો રથ પ્રશાસને રોક્યો, પોલીસ સંતોને માર મારતી હોવાનો શંકરાચાર્યનો આરોપ
Tata Sierra: માત્ર ₹2 લાખ ભરીને ઘરે લાવો દમદાર SUV ટાટા સીએરા, જાણો કેટલી આવશે EMI ?
Tata Sierra: માત્ર ₹2 લાખ ભરીને ઘરે લાવો દમદાર SUV ટાટા સીએરા, જાણો કેટલી આવશે EMI ?
MLA ઈટાલિયા પર જૂતું મારવાનો પ્રયાસ કરનારા શખ્સે આપ્યું ચોંકાવનારુ નિવેદન, જાણો શું કહ્યું
MLA ઈટાલિયા પર જૂતું મારવાનો પ્રયાસ કરનારા શખ્સે આપ્યું ચોંકાવનારુ નિવેદન, જાણો શું કહ્યું
Char Dham Yatra: ચારધામ યાત્રામાં હવે નહિ બનાવી શકો રીલ, મંદિર પરિસરમાં મોબાઇલ પર પ્રતિબંધ
Char Dham Yatra: ચારધામ યાત્રામાં હવે નહિ બનાવી શકો રીલ, મંદિર પરિસરમાં મોબાઇલ પર પ્રતિબંધ
Embed widget