શોધખોળ કરો

રામ મંદિર ભૂમિ પૂજનઃ આ દિગ્ગજ હસ્તીઓ નહીં થાય કાર્યક્રમમાં સામેલ, જાણો વિગત

અયોધ્યામાં રામ મંદિર ભૂમિ પૂજનને ગણતરીના જ કલાકો બાકી રહ્યા છે. ભૂમિ પૂજનને ભવ્ય અને ઐતિહાસિક બનાવવાના શક્ય તમામ પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે.

નવી દિલ્હીઃ અયોધ્યા ભૂમિ પૂજનને ગણતરીના જ કલાકો બાકી રહ્યા છે. ભૂમિ પૂજનને ભવ્ય અને ઐતિહાસિક બનાવવાના શક્ય તમામ પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. આ કાર્યક્રમમાં 175 મહેમાનોને આમંત્રણ આપવામાં આવ્યું છે. વિવિધ સપ્રદાયો સહિત અનેક મોટા સામાજિક અને રાજકીય હસ્તીઓ પણ સામેલ છે પરંતુ કેટલાક લોકો પૂજનમાં સામેલ નહીં થાય. રામ મંદિર ભૂમિ પૂજનમાં અડવાણી, મુરલી મનોહર જોશી અને કલ્યાણ સિંહને આમંત્રણ નથી આપવામાં આવ્યું. મંદિર ટ્રસ્ટના મહામંત્રી ચંપત રાય અને કોષાધ્યક્ષ ગોવિંદ દેવ ગિરીએ આમંત્રણ ન આપવામાં આવ્યું હોવાની પુષ્ટિ કરી છે. ચંપત રાયે કહ્યું- અડવાણીના કારણે રામ મંદિર આંદોલન સફળ થયું છે. ત્રણેય નેતાઓ સાથે ફોન પર વાત થઈ હોવાનો તેમણે દાવો કર્યો છે. ઉમા ભારતીઃ ભાજપના દિગ્ગજ નેતા ઉમા ભારતી પૂજન કાર્યક્રમમાં સામેલ નહીં થાય. તેમને આમંત્રણ મોકલવામાં આવ્યું છે પરંતુ કોરોના સંક્રમણને જોતા ઉમા ભારતીએ કાર્યક્રમથી અંતર બનાવી લીધું છે. તે ભલે કાર્યક્રમમાં સામેલ નહીં થાય પરંતુ કાર્યક્રમ સ્થળેથી બધા લોકોના જતા રહ્યા બાદ રામલલાના દર્શન કરશે. આ માટે તે આજે અયોધ્યા પહોંચશે. સ્વામી વાસુદેવાનંદઃ પ્રયાગરાજના સ્વામી વાસુદેવાનંદ મહારાજ પણ કાર્યક્રમમાં સામેલ નહીં થાય તેમ જાણવા મળ્યુ છે. જાણકારી મુજબ, ચાતુર્માસના કારણે સ્વામી વાસુદેવાનંદ મહારાજ તેમની ગાદી નહીં છોડે. ટ્રસ્ટે તેમને પણ આમંત્રણ આપ્યું છે. કે. પરાસરણઃ રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના સભ્ય કે. પરાસરણ પણ ભૂમિ પૂજન કાર્યક્રમમાં સામેલ નહીં થાય. પરાસરણ સુપ્રીમ કોર્ટમાં રામ મંદિરના પક્ષકાર પણ રહ્યા છે. વધારે ઉંમર હોવાના કારણે પરાસરણ ચેન્નઈથી વીડિયો કોન્ફરન્સ દ્વારા ભૂમિપૂજનમાં સામેલ થશે. અમિત શાહઃ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ રામ મંદિર ભૂમિ પૂજનમાં નહીં સામેલ થાય. 2 ઓગસ્ટના રોજ અમિત શાહનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. હાલ તેમની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે તેથી તેઓ પણ ભૂમિ પૂજનમાં સામેલ નહીં થાય. રાજસ્થાનઃ બળવાખોર ધારાસભ્યોની કોંગ્રેસમાં વાપસી માટે પાર્ટીએ શું રાખી શરત ? જાણો વિગત
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surendranagar Bus Trapped | વસ્તડીના ભોગાવો નદીમાં સ્કૂલ બસ ફસાઈ, વિદ્યાર્થીઓનું રેસ્ક્યૂUSA Visa | અમેરિકા જવા માંગતા ભારતીયો માટે ખુશીના સમાચાર | અમેરિકાએ કરી મોટી જાહેરાતGujarat Flood Compensation | કેન્દ્ર સરકારે ગુજરાત માટે કરી 600 કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાતSardar Sarovar Dam | નર્મદા ડેમ સંપૂર્ણય ભરાયો, આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરશે નવા નીરના વધામણા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
Actor Govinda:  બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
Actor Govinda: બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
નેપાળમાં પૂરમાં ફસાયેલા વલસાડના યુવાનો સુરક્ષિત, સાંસદ ધવલ પટેલે ગૃહમંત્રીનો માન્યો આભાર
નેપાળમાં પૂરમાં ફસાયેલા વલસાડના યુવાનો સુરક્ષિત, સાંસદ ધવલ પટેલે ગૃહમંત્રીનો માન્યો આભાર
Gandhinagar: સ્વચ્છ ઇંધણમાં અગ્રેસર બન્યું ગુજરાત, 7200થી વધુ બાયોગેસ પ્લાન્ટ થયા કાર્યરત
Gandhinagar: સ્વચ્છ ઇંધણમાં અગ્રેસર બન્યું ગુજરાત, 7200થી વધુ બાયોગેસ પ્લાન્ટ થયા કાર્યરત
Embed widget