શોધખોળ કરો

રામ મંદિર ભૂમિ પૂજનઃ આ દિગ્ગજ હસ્તીઓ નહીં થાય કાર્યક્રમમાં સામેલ, જાણો વિગત

અયોધ્યામાં રામ મંદિર ભૂમિ પૂજનને ગણતરીના જ કલાકો બાકી રહ્યા છે. ભૂમિ પૂજનને ભવ્ય અને ઐતિહાસિક બનાવવાના શક્ય તમામ પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે.

નવી દિલ્હીઃ અયોધ્યા ભૂમિ પૂજનને ગણતરીના જ કલાકો બાકી રહ્યા છે. ભૂમિ પૂજનને ભવ્ય અને ઐતિહાસિક બનાવવાના શક્ય તમામ પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. આ કાર્યક્રમમાં 175 મહેમાનોને આમંત્રણ આપવામાં આવ્યું છે. વિવિધ સપ્રદાયો સહિત અનેક મોટા સામાજિક અને રાજકીય હસ્તીઓ પણ સામેલ છે પરંતુ કેટલાક લોકો પૂજનમાં સામેલ નહીં થાય. રામ મંદિર ભૂમિ પૂજનમાં અડવાણી, મુરલી મનોહર જોશી અને કલ્યાણ સિંહને આમંત્રણ નથી આપવામાં આવ્યું. મંદિર ટ્રસ્ટના મહામંત્રી ચંપત રાય અને કોષાધ્યક્ષ ગોવિંદ દેવ ગિરીએ આમંત્રણ ન આપવામાં આવ્યું હોવાની પુષ્ટિ કરી છે. ચંપત રાયે કહ્યું- અડવાણીના કારણે રામ મંદિર આંદોલન સફળ થયું છે. ત્રણેય નેતાઓ સાથે ફોન પર વાત થઈ હોવાનો તેમણે દાવો કર્યો છે. ઉમા ભારતીઃ ભાજપના દિગ્ગજ નેતા ઉમા ભારતી પૂજન કાર્યક્રમમાં સામેલ નહીં થાય. તેમને આમંત્રણ મોકલવામાં આવ્યું છે પરંતુ કોરોના સંક્રમણને જોતા ઉમા ભારતીએ કાર્યક્રમથી અંતર બનાવી લીધું છે. તે ભલે કાર્યક્રમમાં સામેલ નહીં થાય પરંતુ કાર્યક્રમ સ્થળેથી બધા લોકોના જતા રહ્યા બાદ રામલલાના દર્શન કરશે. આ માટે તે આજે અયોધ્યા પહોંચશે. સ્વામી વાસુદેવાનંદઃ પ્રયાગરાજના સ્વામી વાસુદેવાનંદ મહારાજ પણ કાર્યક્રમમાં સામેલ નહીં થાય તેમ જાણવા મળ્યુ છે. જાણકારી મુજબ, ચાતુર્માસના કારણે સ્વામી વાસુદેવાનંદ મહારાજ તેમની ગાદી નહીં છોડે. ટ્રસ્ટે તેમને પણ આમંત્રણ આપ્યું છે. કે. પરાસરણઃ રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના સભ્ય કે. પરાસરણ પણ ભૂમિ પૂજન કાર્યક્રમમાં સામેલ નહીં થાય. પરાસરણ સુપ્રીમ કોર્ટમાં રામ મંદિરના પક્ષકાર પણ રહ્યા છે. વધારે ઉંમર હોવાના કારણે પરાસરણ ચેન્નઈથી વીડિયો કોન્ફરન્સ દ્વારા ભૂમિપૂજનમાં સામેલ થશે. અમિત શાહઃ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ રામ મંદિર ભૂમિ પૂજનમાં નહીં સામેલ થાય. 2 ઓગસ્ટના રોજ અમિત શાહનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. હાલ તેમની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે તેથી તેઓ પણ ભૂમિ પૂજનમાં સામેલ નહીં થાય. રાજસ્થાનઃ બળવાખોર ધારાસભ્યોની કોંગ્રેસમાં વાપસી માટે પાર્ટીએ શું રાખી શરત ? જાણો વિગત
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ઉન્નાવ રેપ કેસ: કુલદીપ સેંગરના જામીન વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ પહોંચી CBI, HC ના નિર્ણયને પડકાર્યો
ઉન્નાવ રેપ કેસ: કુલદીપ સેંગરના જામીન વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ પહોંચી CBI, HC ના નિર્ણયને પડકાર્યો
દિલ્હી કાર બ્લાસ્ટને લઈ અમિત શાહે કર્યો ચોંકાવનારો ખુલાસો, જાણો કેટલા કિલો વિસ્ફોટકોનો થયો હતો ઉપયોગ
દિલ્હી કાર બ્લાસ્ટને લઈ અમિત શાહે કર્યો ચોંકાવનારો ખુલાસો, જાણો કેટલા કિલો વિસ્ફોટકોનો થયો હતો ઉપયોગ
IND vs SL: ત્રીજી ટી20 માં ટીમ ઈન્ડિયાની શાનદાર જીત, શ્રીલંકાને 8 વિકેટથી હરાવ્યું 
IND vs SL: ત્રીજી ટી20 માં ટીમ ઈન્ડિયાની શાનદાર જીત, શ્રીલંકાને 8 વિકેટથી હરાવ્યું 
હરમનપ્રીત કૌરે કેપ્ટન તરીકે રચ્યો ઈતિહાસ, મહિલા ટી20 ઈન્ટરનેશનલમાં બનાવ્યો મોટો રેકોર્ડ
હરમનપ્રીત કૌરે કેપ્ટન તરીકે રચ્યો ઈતિહાસ, મહિલા ટી20 ઈન્ટરનેશનલમાં બનાવ્યો મોટો રેકોર્ડ

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | વિદેશનું જીવલેણ વળગણ
Hun To Bolish | હું તો બોલીશ | મોતની દોરીના માફિયા કોણ ?
Hun To Bolish | હું તો બોલીશ | કયા વસાવાની વાત પડી સાચી ?
Mansukh Vasava BIG Claim: 75 લાખના તોડકાંડ આરોપોને લઈ ચોંકાવનારો વળાંક, સાંસદ મનસુખ વસાવાનો દાવો
Gold Silver Rate: સોના-ચાંદીના ભાવમાં આગ ઝરતી તેજી. કોમોડિટી માર્કેટમાં ચાંદીના ભાવમાં ઉછાળો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઉન્નાવ રેપ કેસ: કુલદીપ સેંગરના જામીન વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ પહોંચી CBI, HC ના નિર્ણયને પડકાર્યો
ઉન્નાવ રેપ કેસ: કુલદીપ સેંગરના જામીન વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ પહોંચી CBI, HC ના નિર્ણયને પડકાર્યો
દિલ્હી કાર બ્લાસ્ટને લઈ અમિત શાહે કર્યો ચોંકાવનારો ખુલાસો, જાણો કેટલા કિલો વિસ્ફોટકોનો થયો હતો ઉપયોગ
દિલ્હી કાર બ્લાસ્ટને લઈ અમિત શાહે કર્યો ચોંકાવનારો ખુલાસો, જાણો કેટલા કિલો વિસ્ફોટકોનો થયો હતો ઉપયોગ
IND vs SL: ત્રીજી ટી20 માં ટીમ ઈન્ડિયાની શાનદાર જીત, શ્રીલંકાને 8 વિકેટથી હરાવ્યું 
IND vs SL: ત્રીજી ટી20 માં ટીમ ઈન્ડિયાની શાનદાર જીત, શ્રીલંકાને 8 વિકેટથી હરાવ્યું 
હરમનપ્રીત કૌરે કેપ્ટન તરીકે રચ્યો ઈતિહાસ, મહિલા ટી20 ઈન્ટરનેશનલમાં બનાવ્યો મોટો રેકોર્ડ
હરમનપ્રીત કૌરે કેપ્ટન તરીકે રચ્યો ઈતિહાસ, મહિલા ટી20 ઈન્ટરનેશનલમાં બનાવ્યો મોટો રેકોર્ડ
ઈન્ડિગોની ફ્લાઈટ્સ કેમ થઈ હતી રદ ? DGCA ની કમિટીએ સરકારને સોંપ્યો રિપોર્ટ 
ઈન્ડિગોની ફ્લાઈટ્સ કેમ થઈ હતી રદ ? DGCA ની કમિટીએ સરકારને સોંપ્યો રિપોર્ટ 
ચીને અમેરિકાને આપ્યો મોટો ઝટકો,  US ની 20 કંપનીઓ પર લગાવ્યો પ્રતિબંધ, ટ્રંપના ટેન્શનમાં વધારો!
ચીને અમેરિકાને આપ્યો મોટો ઝટકો,  US ની 20 કંપનીઓ પર લગાવ્યો પ્રતિબંધ, ટ્રંપના ટેન્શનમાં વધારો!
ચાંદીએ તમામ રેકોર્ડ તોડ્યા, સતત પાંચમાં દિવસે ભાવ આસમાને, શું હજુ પણ ભાવમાં થશે વધારો?
ચાંદીએ તમામ રેકોર્ડ તોડ્યા, સતત પાંચમાં દિવસે ભાવ આસમાને, શું હજુ પણ ભાવમાં થશે વધારો?
52 વર્ષ જૂના સુભાષબ્રિજનું વર્તમાન સ્ટ્રક્ચરને તોડવાનો નિર્ણય, 250 કરોડના ખર્ચે બંને બાજુ નવા બ્રિજ બનશે
52 વર્ષ જૂના સુભાષબ્રિજનું વર્તમાન સ્ટ્રક્ચરને તોડવાનો નિર્ણય, 250 કરોડના ખર્ચે બંને બાજુ નવા બ્રિજ બનશે
Embed widget