શોધખોળ કરો

હવે રેશન કાર્ડ ધારકોને ઓછા મળશે ચોખા, સરકારે એક નવેમ્બરથી લાગુ કરી દીધો આ નવો નિયમ

Ration Card Rule Changed: સરકારે રેશન કાર્ડ ધારકો માટે એક નવેમ્બરથી નિયમમાં ફેરફાર કરી દીધો છે. હવે રેશન કાર્ડ ધારકોને ઓછી માત્રામાં ચોખા આપવામાં આવશે. જાણો કેમ લીધું સરકારે આ પગલું.

Ration Card Rule Changed: ભારત સરકાર દેશના નાગરિકો માટે ઘણી યોજનાઓ ચલાવે છે. સરકારની યોજનાઓનો લાભ દેશના કરોડો લોકોને મળે છે. સરકારની વધુ યોજનાઓ દેશના ગરીબ જરૂરિયાતમંદ લોકો માટે હોય છે. ભારતમાં હજુ પણ ઘણા લોકો એવા છે જે પોતાના માટે બે ટંકના ખાવાની વ્યવસ્થા નથી કરી શકતા. આવા લોકોને ભારત સરકાર ખૂબ ઓછી કિંમતે રેશન પૂરું પાડે છે.

ભારત સરકાર આ માટે લોકોને રેશન કાર્ડ જારી કરે છે. જેના પર લોકોને ઓછી કિંમતે રેશન મળે છે. પરંતુ હવે સરકારે રેશન કાર્ડ ધારકો માટે એક નવેમ્બરથી નિયમમાં ફેરફાર કરી દીધો છે. હવે રેશન કાર્ડ ધારકોને માત્રામાં ચોખા આપવામાં આવશે. જાણો કેમ લીધું સરકારે આ પગલું.

હવે ઓછા મળશે ચોખા

ભારત સરકારે 1 નવેમ્બરથી રેશન કાર્ડ ધારકો માટે નિયમોમાં ફેરફાર કરી દીધો છે. નવો નિયમ ચોખા અને ઘઉં માટે લાગુ થયો છે. પહેલાં જ્યાં રેશન કાર્ડ પર અલગ-અલગ માત્રામાં રેશન મળતું હતું. પહેલાં 3 કિલો ચોખા મળતા હતા અને 2 કિલો ઘઉં મળતા હતા. પરંતુ હવે સરકારે આ નિયમમાં ફેરફાર કરીને ચોખા અને ઘઉંની માત્રા સરખી કરી દીધી છે.

એટલે કે હવે રેશન કાર્ડ ધારકોને રેશન કાર્ડ પર બે કિલોની જગ્યાએ અઢી કિલો ઘઉં અને 3 કિલોની જગ્યાએ અઢી કિલો ચોખા આપવામાં આવશે. સરકારે અંત્યોદય કાર્ડ પર મળતા 35 કિલો અનાજમાં પણ ફેરફાર કરી દીધો છે. પહેલાં જ્યાં અંત્યોદય કાર્ડમાં 14 કિલો ઘઉં અને 30 કિલો ચોખા આપવામાં આવતા હતા ત્યાં હવે 18 કિલો ચોખા અને 17 કિલો ઘઉં આપવામાં આવશે. આ નવો નિયમ 1 નવેમ્બરથી લાગુ થઈ ચૂક્યો છે.

1 ડિસેમ્બર સુધી આ કામ પણ છે જરૂરી

ભારત સરકારે બધા રેશન કાર્ડ ધારકોને ઘણા સમય પહેલાં જ ઈ-કેવાયસી પૂર્ણ કરાવવા માટે આદેશ જારી કર્યો હતો. સરકારે પહેલાં ઈ-કેવાયસી કરાવવાની છેલ્લી તારીખ 1 સપ્ટેમ્બર નક્કી કરી હતી. પરંતુ ત્યારે પણ ઘણા રેશન કાર્ડ ધારકોએ ઈ-કેવાયસી પૂર્ણ નહોતી કરાવી. ત્યારબાદ સરકારે તેને એક મહિના માટે લંબાવી હતી. પરંતુ 1 નવેમ્બર સુધી પણ ઘણા રેશન કાર્ડ ધારકોની ઈ-કેવાયસી પૂરી નહોતી થઈ. હવે ભારત સરકારે ઈ-કેવાયસી કરાવવાની તારીખ 31 ડિસેમ્બર સુધી વધારી દીધી છે. 31 ડિસેમ્બર સુધી ઈ-કેવાયસી પૂર્ણ ન કરાવનારાઓના રેશન કાર્ડ રદ કરી દેવામાં આવશે.

આ પણ વાંચોઃ

કેવી રીતે ખબર પડે કે લીવર ફેટી થઈ રહ્યું છે

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુ યુવકની હત્યા: મુસ્લિમ મિત્રએ ગોળી મારીને પતાવી દીધો, 10 દિવસમાં ત્રીજી ઘટના
બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુ યુવકની હત્યા: મુસ્લિમ મિત્રએ ગોળી મારીને પતાવી દીધો, 10 દિવસમાં ત્રીજી ઘટના
BMC Election: રામદાસ અઠાવલેએ BJP-શિવસેનાનું વધાર્યું ટેન્શન, મુંબઈમાં ગઠબંધન તોડવાની જાહેરાત  
BMC Election: રામદાસ અઠાવલેએ BJP-શિવસેનાનું વધાર્યું ટેન્શન, મુંબઈમાં ગઠબંધન તોડવાની જાહેરાત  
આગામી 24 કલાકમાં માવઠું પડશે, અંબાલાલ પટેલની મોટી આગાહી, જાણો ક્યાં કમોસમી વરસાદ ખાબકશે
આગામી 24 કલાકમાં માવઠું પડશે, અંબાલાલ પટેલની મોટી આગાહી, જાણો ક્યાં કમોસમી વરસાદ ખાબકશે
Ahmedabad:  સાણંદના કલાણા ગામે બે જૂથ વચ્ચે પથ્થરમારો, જિલ્લા પોલીસવડા સહીતનો કાફલો ઘટનાસ્થળે
Ahmedabad:  સાણંદના કલાણા ગામે બે જૂથ વચ્ચે પથ્થરમારો, જિલ્લા પોલીસવડા સહીતનો કાફલો ઘટનાસ્થળે

વિડિઓઝ

Rajkot News : રાજકોટ ક્રાઈમબ્રાંચે નકલી IPSની પોલીસે કરી ધરપકડ
Rajkot News: રાજકોટ સિવિલ હોસ્પિટલમાં તબીબ પર હુમલાના કેસમાં અંતે દર્દીના સગા સામે પોલીસ ફરિયાદ નોંધાઈ
Aravalli News : 31 ડિસેમ્બર પહેલા જ દારૂનું કટિંગ કરતા પોલીસકર્મીની અરવલ્લી LCBની ટીમે કરી ધરપકડ
Kirit Patel on BJP : ભાજપની જેમ કોંગ્રેસ કાર્યવાહી કરશે...: ધારાસભ્ય કિરીટ પટેલે ભાજપના કર્યા વખાણ!
Mumbai BEST Bus Accident : મુંબઈમાં મોટો અકસ્માત, બેસ્ટની બસે અનેક લોકોને કચડ્યા

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુ યુવકની હત્યા: મુસ્લિમ મિત્રએ ગોળી મારીને પતાવી દીધો, 10 દિવસમાં ત્રીજી ઘટના
બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુ યુવકની હત્યા: મુસ્લિમ મિત્રએ ગોળી મારીને પતાવી દીધો, 10 દિવસમાં ત્રીજી ઘટના
BMC Election: રામદાસ અઠાવલેએ BJP-શિવસેનાનું વધાર્યું ટેન્શન, મુંબઈમાં ગઠબંધન તોડવાની જાહેરાત  
BMC Election: રામદાસ અઠાવલેએ BJP-શિવસેનાનું વધાર્યું ટેન્શન, મુંબઈમાં ગઠબંધન તોડવાની જાહેરાત  
આગામી 24 કલાકમાં માવઠું પડશે, અંબાલાલ પટેલની મોટી આગાહી, જાણો ક્યાં કમોસમી વરસાદ ખાબકશે
આગામી 24 કલાકમાં માવઠું પડશે, અંબાલાલ પટેલની મોટી આગાહી, જાણો ક્યાં કમોસમી વરસાદ ખાબકશે
Ahmedabad:  સાણંદના કલાણા ગામે બે જૂથ વચ્ચે પથ્થરમારો, જિલ્લા પોલીસવડા સહીતનો કાફલો ઘટનાસ્થળે
Ahmedabad:  સાણંદના કલાણા ગામે બે જૂથ વચ્ચે પથ્થરમારો, જિલ્લા પોલીસવડા સહીતનો કાફલો ઘટનાસ્થળે
Gujarat Rain: રાજ્યના વાતાવરણમાં આવશે પલટો, નવા વર્ષે વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે ?
Gujarat Rain: રાજ્યના વાતાવરણમાં આવશે પલટો, નવા વર્ષે વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે ?
લગ્ન પ્રથાને લઈને રાજકોટમાં સ્વામી હરિપ્રકાશદાસનો બફાટ, લવ મેરેજને ગણાવ્યા 'ડાયરેક્ટ ફાંસી' સમાન
લગ્ન પ્રથાને લઈને રાજકોટમાં સ્વામી હરિપ્રકાશદાસનો બફાટ, લવ મેરેજને ગણાવ્યા 'ડાયરેક્ટ ફાંસી' સમાન
'2026 માં પ્રચંડ બહુમત સાથે બંગાળમાં બનાવીશું સરકાર...', અમિત શાહે આંકડા આપી કરી મોટી ભવિષ્યવાણી
'2026 માં પ્રચંડ બહુમત સાથે બંગાળમાં બનાવીશું સરકાર...', અમિત શાહે આંકડા આપી કરી મોટી ભવિષ્યવાણી
Aadhaar-PAN Link : તાત્કાલિક કરો આ કામ, 2 દિવસ બાકી, બેકાર થઈ જશે તમારું પાનકાર્ડ!
Aadhaar-PAN Link : તાત્કાલિક કરો આ કામ, 2 દિવસ બાકી, બેકાર થઈ જશે તમારું પાનકાર્ડ!
Embed widget