શોધખોળ કરો
RBI સરકારને સરપ્લસ ફંડથી 1.76 લાખ કરોડ રૂપિયા આપશે
રિઝર્વ બેન્કના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે કેન્દ્રિય બેન્કના પૂર્વ ગવર્નર બિમલ જાલાનની અધ્યક્ષતાવાળી સમિતિની ભલામણોનો સ્વીકાર કર્યા બાદ આ પગલા ઉઠાવ્યા છે.

નવી દિલ્હીઃ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (આરબીઆઇ)એ ડિવિડન્ડ અને સરપ્લસ ફંડમાંથી 1.76 લાખ કરોડ રૂપિયા સરકારને ટ્રાન્સફર કરવાનો નિર્ણય કર્યો છે. આરબીઆઇના બોર્ડ ઓફ ડિરેક્ટર્સ સરકારને 1.76 લાખ કરોડ રૂપિયા ટ્રાન્સફર કરવાની મંજૂરી આપી દીધી છે. રિઝર્વ બેન્કના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે કેન્દ્રિય બેન્કના પૂર્વ ગવર્નર બિમલ જાલાનની અધ્યક્ષતાવાળી સમિતિની ભલામણોનો સ્વીકાર કર્યા બાદ આ પગલા ઉઠાવ્યા છે.
સમિતિની રચના રિઝર્વ બેન્કના બિઝનેસ માટે આર્થિક ફંડ-બફર કેપિટલના યોગ્ય સ્તરના નિર્માણ તથા આવશ્યકતાથી વધુ પડેલી મૂડીને સરકારને ટ્રાન્સફર કરવાની ભલામણ કરવાનું કહેવામાં આવ્યું હતું. જે હેઠળ રિઝર્વ બેન્કે બિમલ જાલામની સમિતિની રિપોર્ટ સ્વીકાર કર્યો હતોઅને 1.76 લાખ કરોડ રૂપિયાની સરપ્લસ રકમ સરકારને આપવાની મંજૂરી આપી હતી. કેન્દ્રિય બેન્કે એક નિવેદનમાં કહ્યું કે, આરબીઆઇના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે 1,76,051 કરોડ રૂપિયા સરકારને ટ્રાન્સફર કરવાનો નિર્ણય લીધો છે. જેમાં 2018-18 માટે 1,23,414 કરોડ રૂપિયા સરપ્લસ અને 52,637 કરોડ રૂપિયા વધારાની જોગવાઇના રૂપમાં ચિન્હિત કરવામા આવ્યા છે. આ વધારાની જોગવાઈની રકમ આરબીઆઇની આર્થિક ફંડથી સંબંધિ સંશોધિત નિયમોના આધાર પર કાઢવામાં આવ્યા છે. સરપ્લસ રકમ 1,23,414 કરોડ રુપિયા રહેશે. કોન્ટિજેન્સી ફંડ, કરન્સી અને ગોલ્ડ રિવેલ્યૂએશન એકાઉન્ટ મળીને આરબીઆઈ પાસે 9.2 લાખ કરોડ રુપિયા રિઝર્વ છે. જે કેન્દ્રીય બેન્કના ટોટલ બેલેન્સ સીટ સાઇઝનું 25 ટકા છે. RBI પોતાના સરપ્લસ રોકડને તબક્કાવાર રીતે 3 થી 5 વર્ષમાં સરકારને ટ્રાન્સફર કરશે, જેના કારણે સરકારી અને ખાનગી ક્ષેત્રની બેન્કોની મદદ અને બજારમાં કેશ ફ્લો વધારવામાં મદદ મળશે.Central Board of Reserve Bank of India today decided to transfer a sum of Rs 1,76,051 cr to GoI comprising of Rs 1,23,414 cr of surplus for year 2018-19&Rs 52,637 cr of excess provisions identified as per revised Economic Capital Framework adopted at meeting of Central Board.
— ANI (@ANI) August 26, 2019
વધુ વાંચો






















