શોધખોળ કરો

Republic Day 2022: મોદીએ ચૂંટણીવાળા કયા રાજ્યની પહેરી ટોપી ને ગમછો ? ટોપીમાં શું હતું ખાસ

પીએમ નરેન્દ્ર મોદી 73માં ગણતંત્ર દિવસ પર ખાસ ટોપી અને ગમછામાં જોવા મળ્યા હતા. જેનું કનેકશન આગામી મહિને પાંચ રાજ્યમાં યોજાનારી વિધાનસભા ચૂંટણી પૈકીના બે રાજ્યો સાથે છે.

Republic Day 2022: દેશ આજે 73મો ગણતંત્ર દિવસ મનાવી રહ્યું છે. પીએમ નરેન્દ્ર મોદી 73માં ગણતંત્ર દિવસ પર ખાસ ટોપી અને ગમછામાં જોવા મળ્યા હતા. જેનું કનેકશન આગામી મહિને પાંચ રાજ્યમાં યોજાનારી વિધાનસભા ચૂંટણી પૈકીના બે રાજ્યો સાથે છે.  

ટોપીમાં શું છે ખાસ

પીએમ મોદીએ પહેરેલી ટોપી ઉત્તરાખંડની છે અને ગમછો મણિપુરનો છે. PM મોદીની ટોપી પર ઉત્તરાખંડનું રાજ્ય ફૂલ બ્રહ્મકમલ પણ અંકિત હતું. આ બે રાજ્યો ઉત્તરાખંડ અને મણિપુરમાં આવતા મહિને વિધાનસભાની ચૂંટણી યોજાશે. પીએમ નરેન્દ્ર મોદીનો પોશાક આ બંને રાજ્યો માટે સંકેત માનવામાં આવી રહ્યો છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે સવારે 10 વાગે ઈન્ડિયા ગેટ પાસે નેશનલ વોર મેમોરિયલ પહોંચ્યા અને બે મિનિટનું મૌન પાળીને શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપી. ત્યારબાદ તેમણે શહીદોને પુષ્પ અર્પણ કર્યા હતા. ઈન્ડિયા ગેટ પર રાખવામાં આવેલી અમર જવાન જ્યોતિને પણ તાજેતરમાં જ રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક ખાતે પ્રગટાવવામાં આવેલી જ્યોતિ સાથે મર્જ કરવામાં આવી છે.

મજૂરોને વિશેષ અતિથિનો દરજ્જો

73મા પ્રજાસત્તાક દિવસની પરેડ ખાસ છે .કારણ કે તેમાં કોરોના વોરિયર્સ, સેન્ટ્રલ વિસ્ટાના નિર્માણમાં રોકાયેલા કામદારોને વિશેષ અતિથિનો દરજ્જો આપવામાં આવ્યો છે.

ટેબ્લોમાં દર્શાવાઇ અંગ્રેજો દ્વારા આદિવાસીઓના હત્યાકાંડની ઝલક, 'ગુજરાતના જલિયાવાલા બાગ'નો શું છે ઇતિહાસ?

આ વર્ષે પ્રજાસત્તાક દિવસની પરેડ માટે ગુજરાતના ટેબ્લોમાં રાજ્યના આદિવાસી ક્રાંતિકારીઓ પર આધારિત છે, જેમણે ભારતની સ્વતંત્રતા સંગ્રામમાં પોતાને સમર્પિત કર્યા હતા, જેમાં 1922માં સાબરકાંઠામાં બનેલી એક ઘટના પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું, જેને કેટલાક ઇતિહાસકારો “ગુજરાતના જલિયાવાલા બાગ” તરીકે ઓળખે છે. 

45 ફૂટ લાંબુ, 14 ફૂટ પહોળું અને 16 ફૂટ ઊંચા આ ટેબ્લોમાં મોતીલાલ તેજાવતની સાત ફૂટની પ્રતિમાનો સમાવેશ થાય છે, જે ઘટનાના નાયકોમાંના એક હતા “જેને આદિવાસીઓ દ્વારા ‘કોલિયારીના ગાંધી’ તરીકે ઓળખવામાં આવતા હતા. દુ:ખદ ઘટના, જેમાં લગભગ 1,200 ભીલોની હત્યા કરવામાં આવી હતી, તે જિલ્લાના પાલ-ચિતરિયા અને દધવાવ ગામોમાં બની હતી, જે તે સમયે ઇડર રાજ્યનો ભાગ હતો.

7 માર્ચ, 1922ના રોજ, અમલકી એકાદશીના દિવસે, હોળીના બરાબર પહેલા - આદિવાસીઓ માટેનો મુખ્ય તહેવાર, પાલ-ચિતરિયા અને દધવાવના ગ્રામીણો જમીન મહેસૂલ કર (લગાન) સામે વિરોધ કરવા તેજાવતના નેતૃત્વ હેઠળ નદીના કિનારે એકત્ર થયા હતા. અંગ્રેજો અને જાગીરદારો દ્વારા લાદવામાં આવેલ મહેસૂલ કરનો વિરોધ કરવા એકઠા થયા હતા. જેમના પર ગોળીબાર થયો હતો. 

આ ગોળીબારમાં અંગ્રેજોએ 22 લોકોના મોત થયા હોવાનો દાવો કર્યો હતો. જોકે, ભીલો માને છે કે, આ ગોળીબાર માં 1200થી 1500 લોકોને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા હતા. ગુજરાતના ટેબ્લોમાં ઓફિસર સટનની પ્રતિમા ઉપરાંત છ અન્ય પ્રતિમાઓ પણ સામેલ છે. દુર્ઘટનાની પીડાને જીવંત કરવા માટે છ કલાકારોએ પણ પરફોર્મ કર્યું હતું.

1922ના આદિવાસી મંડળના દ્રશ્યો દર્શાવતી ટેબ્લોની આસપાસ પાંચ ભીંતચિત્ર કલાકૃતિઓ છે. "શહીદ આદિવાસી લોકોના મૃતદેહોને દર્શાવતા" ટેબ્લોની બંને બાજુએ બે કૂવાઓ પણ છે. ક્રાંતિના પ્રતીક તરીકે મશાલો લઈને ચાર આદિવાસી સ્વાતંત્ર્ય સેનાનીઓની ચાર ફૂટ ઊંચી પ્રતિમાઓ છે. આ પ્રતિમાઓ સ્વતંત્રતા સંગ્રામમાં આદિવાસી લોકોની બહાદુરી, હિંમત અને નિષ્ઠા દર્શાવે છે.

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surendranagar Bus Trapped | વસ્તડીના ભોગાવો નદીમાં સ્કૂલ બસ ફસાઈ, વિદ્યાર્થીઓનું રેસ્ક્યૂUSA Visa | અમેરિકા જવા માંગતા ભારતીયો માટે ખુશીના સમાચાર | અમેરિકાએ કરી મોટી જાહેરાતGujarat Flood Compensation | કેન્દ્ર સરકારે ગુજરાત માટે કરી 600 કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાતSardar Sarovar Dam | નર્મદા ડેમ સંપૂર્ણય ભરાયો, આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરશે નવા નીરના વધામણા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
Actor Govinda:  બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
Actor Govinda: બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
નેપાળમાં પૂરમાં ફસાયેલા વલસાડના યુવાનો સુરક્ષિત, સાંસદ ધવલ પટેલે ગૃહમંત્રીનો માન્યો આભાર
નેપાળમાં પૂરમાં ફસાયેલા વલસાડના યુવાનો સુરક્ષિત, સાંસદ ધવલ પટેલે ગૃહમંત્રીનો માન્યો આભાર
Gandhinagar: સ્વચ્છ ઇંધણમાં અગ્રેસર બન્યું ગુજરાત, 7200થી વધુ બાયોગેસ પ્લાન્ટ થયા કાર્યરત
Gandhinagar: સ્વચ્છ ઇંધણમાં અગ્રેસર બન્યું ગુજરાત, 7200થી વધુ બાયોગેસ પ્લાન્ટ થયા કાર્યરત
Embed widget