શોધખોળ કરો

સરઘસ પર પથ્થરમારો થાય તો શું કરવું? મોહન ભાગવતે ચેતવણી આપતા કહ્યું - હું આ ડરાવવા માટે નથી કહી રહ્યો

Mohan Bhagwat: વિજયાદશમીના અવસરે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના પ્રમુખ મોહન ભાગવતે કહ્યું કે અરાજક તત્વોનો સામનો કરવા માટે સમાજે એકજૂથ થવું પડશે. નબળા પડવાથી કામ નહીં ચાલે.

Mohan Bhagwat: નાગપુરમાં સંઘ મુખ્યાલયમાં શનિવારે વિજયાદશમીના અવસરે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના પ્રમુખ મોહન ભાગવતે શસ્ત્રપૂજા કરી. આ દરમિયાન તેમના સંબોધનમાં તેમણે બાંગ્લાદેશ, કોલકાતા રેપ મર્ડર, દેશમાં વધતી હિંસક ઘટનાઓ, ઇઝરાયેલ હમાસ યુદ્ધ અને સરઘસો પર પથ્થરમારા જેવા મુદ્દાઓ પર પોતાના વિચારો રજૂ કર્યા.

તેમના સંબોધનમાં તેમણે ભવિષ્યની પડકારો માટે તૈયાર રહેવાનો મંત્ર પણ આપ્યો. તેમણે અહિલ્યાબાઈ હોલ્કર અને દયાનંદ સરસ્વતી દ્વારા દેશ સેવા માટે કરેલા કાર્યોનો પણ ઉલ્લેખ કર્યો.

નબળા પડવાથી કામ નહીં ચાલે

સરઘસો પર પથ્થરમારાના મુદ્દે પર તેમણે કહ્યું કે એક વ્યક્તિના કુકર્મો માટે આખા સમુદાયને દોષી ઠેરવતી હિંસા અસંતોષ નહીં, પરંતુ બદમાશી છે. તાજેતરમાં જ વિસર્જન સરઘસ પર પથ્થરમારો થયો. આવું કેમ થયું? પોલીસે આવીને પરિસ્થિતિ સંભાળવી જોઈતી હતી, પરંતુ જ્યાં સુધી પોલીસ નથી આવતી ત્યાં સુધી સમાજે આ માટે ઊભા થવું પડશે. સમાજે આનો સામનો મજબૂતાઈથી કરવો પડશે. કોઈને પણ ધમકાવવા ન જોઈએ. પોલીસ આવે ત્યાં સુધી આપણા જીવનની રક્ષા કરવી એ આપણી ફરજ છે.

તેમણે આગળ કહ્યું કે હું આ વાત કોઈને ડરાવવા માટે નથી કહી રહ્યો. હું આ વાત કોઈની સાથે લડવા માટે નથી કહી રહ્યો. પરંતુ સમાજે સશક્ત અને સતર્ક રહેવાની જરૂર છે. નબળા પડવાથી કામ નહીં ચાલે.

મહારાણી દુર્ગાવતી, મહારાણી હોલ્કર અને મહર્ષિ દયાનંદને પણ યાદ કર્યા

તેમના સંબોધનમાં તેમણે કહ્યું, "આજે સંઘને 100 વર્ષ પૂરા થઈ રહ્યા છે. આ વિશેષ એટલા માટે પણ છે કારણ કે મહારાણી દુર્ગાવતી, મહારાણી હોલ્કર અને મહર્ષિ દયાનંદનું પણ 200મું જન્મ જયંતી વર્ષ ચાલી રહ્યું છે. આ લોકોને યાદ કરવું એટલા માટે જરૂરી છે કે આ લોકોએ દેશ, સમાજ અને સંસ્કૃતિના હિતમાં કામ કર્યું."

દયાનંદ સરસ્વતીને યાદ કરતાં મોહન ભાગવતે કહ્યું, "લાંબી ગુલામી પછી જે ભારતનું પુનરુત્થાન શરૂ થયું, તેની પાછળ દયાનંદ સરસ્વતી હતા. આપણા મૂળને સમજીને કાળ સુસંગત આચરણ કરીએ. તેમણે લોકોને જાગૃત કરવાનો મહાન પ્રયાસ કર્યો છે. તેમના કારણે જ આગળ જતાં ઘણા પ્રકારના આંદોલનો પણ થયા. આજે તેમને યાદ કરવાનો પણ સમય છે."

આ પણ વાંચોઃ

Mallikarjun Kharge: ભાજપ વિશે ખડગે શું બોલ્યા કે જેથી PM મોદીને ભારે ગુસ્સો આવશે

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

India-UAE Deal: માત્ર 3 કલાકમાં 5 મોટા કરાર! ગુજરાતથી લઈને અબુ ધાબી સુધી ડંકો વાગ્યો
India-UAE Deal: માત્ર 3 કલાકમાં 5 મોટા કરાર! ગુજરાતથી લઈને અબુ ધાબી સુધી ડંકો વાગ્યો
Gujarat Coast: ગુજરાતના દરિયાકાંઠા અરબી સમુદ્રમાં 'પાણી ઉકળ્યું'! રહસ્યમય પરપોટા જોઈ માછીમારોમાં ફફડાટ
Gujarat Coast: ગુજરાતના દરિયાકાંઠા અરબી સમુદ્રમાં 'પાણી ઉકળ્યું'! રહસ્યમય પરપોટા જોઈ માછીમારોમાં ફફડાટ
Telangana Politics: બિહારની હાર બાદ PK નો નવો પ્લાન! કે. કવિતા સાથે મળીને બનાવશે નવી પાર્ટી?
Telangana Politics: બિહારની હાર બાદ PK નો નવો પ્લાન! કે. કવિતા સાથે મળીને બનાવશે નવી પાર્ટી?
ગુજરાત ભાજપ સંગઠનનું નવું માળખું જાહેર, 79 કારોબારી અને 26 વિશેષ સભ્યોની નિમણૂક, જુઓ આખું લિસ્ટ
ગુજરાત ભાજપ સંગઠનનું નવું માળખું જાહેર, 79 કારોબારી અને 26 વિશેષ સભ્યોની નિમણૂક, જુઓ આખું લિસ્ટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ધૂળ ખાતો વિકાસ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલમાં ગેંગવૉર !
Hun To Bolish : હું તો બોલીશ : ડીજેવાળા બાબુ દમ ના મારશો !
Karshan Bhadarka Bapu : AAPને મોટો ઝટકો! કરશનબાપુ ભાદરકા કોંગ્રેસમાં જોડાયા
PSI-LRD Physical Test: PSI-LRDમાં શારીરિક કસોટીની પરીક્ષાની તારીખ જાહેર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
India-UAE Deal: માત્ર 3 કલાકમાં 5 મોટા કરાર! ગુજરાતથી લઈને અબુ ધાબી સુધી ડંકો વાગ્યો
India-UAE Deal: માત્ર 3 કલાકમાં 5 મોટા કરાર! ગુજરાતથી લઈને અબુ ધાબી સુધી ડંકો વાગ્યો
Gujarat Coast: ગુજરાતના દરિયાકાંઠા અરબી સમુદ્રમાં 'પાણી ઉકળ્યું'! રહસ્યમય પરપોટા જોઈ માછીમારોમાં ફફડાટ
Gujarat Coast: ગુજરાતના દરિયાકાંઠા અરબી સમુદ્રમાં 'પાણી ઉકળ્યું'! રહસ્યમય પરપોટા જોઈ માછીમારોમાં ફફડાટ
Telangana Politics: બિહારની હાર બાદ PK નો નવો પ્લાન! કે. કવિતા સાથે મળીને બનાવશે નવી પાર્ટી?
Telangana Politics: બિહારની હાર બાદ PK નો નવો પ્લાન! કે. કવિતા સાથે મળીને બનાવશે નવી પાર્ટી?
ગુજરાત ભાજપ સંગઠનનું નવું માળખું જાહેર, 79 કારોબારી અને 26 વિશેષ સભ્યોની નિમણૂક, જુઓ આખું લિસ્ટ
ગુજરાત ભાજપ સંગઠનનું નવું માળખું જાહેર, 79 કારોબારી અને 26 વિશેષ સભ્યોની નિમણૂક, જુઓ આખું લિસ્ટ
AAP ને મોટો ઝટકો! સૌરાષ્ટ્રના દિગ્ગજ નેતા છેડો ફાડી કોંગ્રેસમાં જોડાયા, કહ્યું-
AAP ને મોટો ઝટકો! સૌરાષ્ટ્રના દિગ્ગજ નેતા છેડો ફાડી કોંગ્રેસમાં જોડાયા, કહ્યું- "આમ આદમી પાર્ટી ભાજપનું જ...."
વાલીઓ ચેતી જજો! શું તમારી દીકરી ટ્યુશનમાં સુરક્ષિત છે? મહેસાણાની આ ઘટના કાળજુ કંપાવી દેશે
વાલીઓ ચેતી જજો! શું તમારી દીકરી ટ્યુશનમાં સુરક્ષિત છે? મહેસાણાની આ ઘટના કાળજુ કંપાવી દેશે
Surat Crime: રેવ પાર્ટી માટે લવાતું ₹6 કરોડનું કોબ્રા ઝેર સુરતમાંથી ઝડપાયું! SOG ના ઓપરેશનમાં 7 ઝડપાયા
Surat Crime: રેવ પાર્ટી માટે લવાતું ₹6 કરોડનું કોબ્રા ઝેર સુરતમાંથી ઝડપાયું! SOG ના ઓપરેશનમાં 7 ઝડપાયા
Malegaon: સત્તા માટે શિંદે સેના ઔવેસીના શરણે? AIMIM પાસે માંગ્યો ટેકો, મળ્યો સણસણતો જવાબ
Malegaon: સત્તા માટે શિંદે સેના ઔવેસીના શરણે? AIMIM પાસે માંગ્યો ટેકો, મળ્યો સણસણતો જવાબ
Embed widget