શોધખોળ કરો

Bangladesh Crisis: શું બાંગ્લાદેશ માત્ર ટ્રેલર છે? RSS નેતાનો મોટો દાવો - અનેક દેશોમાંથી હિન્દુઓનો સફાયો કરવાનો...

Bangladesh Crisis: ઢાકામાં હિન્દુ સમુદાય મોટા પાયે વિરોધ પ્રદર્શન કરી રહ્યો છે. આરએસએસના સરકાર્યવાહે દાવો કર્યો કે વિશ્વના અનેક સ્થળોએ હિન્દુઓના માનવાધિકારો ચિંતાજનક સ્તરે પહોંચી ગયા છે.

RSS On Bangladesh Crisis: બાંગ્લાદેશમાં તખ્તાપલટ બાદ તોફાનીઓ દ્વારા હિન્દુઓ પર હુમલા અને મંદિરોમાં આગચંપીના અનેક સમાચારો સામે આવ્યા છે. આ અંગે ઢાકા અને ઉત્તર પૂર્વીય બંદર શહેર ચટગામમાં હિન્દુ સમુદાયના હજારો લોકોએ મોટા પાયે વિરોધ પ્રદર્શન કર્યું. ભારતમાં પણ આ મુદ્દે ઘણી રાજનીતિ થઈ રહી છે. આ દરમિયાન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના સરકાર્યવાહ દત્તાત્રેય હોસબાલેએ દાવો કર્યો કે વિવિધ દેશોમાંથી હિન્દુઓનો સફાયો કરવાના પ્રયાસો થઈ રહ્યા છે.

બાંગ્લાદેશમાં હિન્દુઓ અંગે ચિંતા વ્યક્ત કરી

દત્તાત્રેય હોસબાલેએ હિંસાગ્રસ્ત બાંગ્લાદેશમાં હિન્દુઓ, બૌદ્ધો અને અન્ય લઘુમતીઓની રક્ષા કરવાની આવશ્યકતા પર ભાર મૂક્યો. વિશ્વ હિન્દુ પરિષદ (VHP)ના ક્ષેત્રીય કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે તેમણે કહ્યું કે વિશ્વના અનેક સ્થળોએ હિન્દુઓના માનવાધિકારો ચિંતાજનક સ્તરે પહોંચી ગયા છે અને આ સંબંધમાં અવાજ ઉઠાવવો પડશે.

આરએસએસના બીજા નંબરના નેતાએ દાવો કર્યો કે વિશ્વના વિવિધ ભાગોમાં હિન્દુઓ જે દેશમાં રહે છે, તેના વિકાસમાં યોગદાન આપી રહ્યા છે, તેઓ નિયમો અને કાયદાઓનું પાલન કરે છે અને શાંતિથી રહે છે, જે ગર્વની વાત છે. દત્તાત્રેય હોસબાલેએ કહ્યું, "આપણે જોઈ રહ્યા છીએ કે બાંગ્લાદેશમાં શું થઈ રહ્યું છે. ભારત સરકાર પોતાના તરફથી પ્રયાસ કરી રહી છે." તેમણે દાવો કર્યો કે હિન્દુઓ કોઈની વિરુદ્ધ નહીં, પરંતુ પોતાની સુરક્ષા માટે એકજૂટ થઈ રહ્યા છે.

બાંગ્લાદેશમાં અનેક મંદિરો અને હિન્દુઓના ઘરોમાં તોડફોડ

બાંગ્લાદેશી હિન્દુઓને શેખ હસીનાના વડાપ્રધાન પદેથી રાજીનામું આપ્યા બાદ અને દેશ છોડીને ભારત આવ્યા પછી હિંસા અને લૂંટફાટનો ભોગ બનવું પડ્યું. અનેક હિન્દુ મંદિરો, ઘરો અને વ્યાપારિક પ્રતિષ્ઠાનોમાં તોડફોડ કરવામાં આવી છે. બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાની અવામી લીગ પાર્ટી સાથે સંકળાયેલા અનેક હિન્દુ નેતાઓ પણ હિંસામાં મારી નાખવામાં આવ્યા. ચટગામમાં હિન્દુ સમુદાયના હજારો સભ્યોએ મોટા પાયે વિરોધ પ્રદર્શન કરતાં બાંગ્લાદેશમાં મંદિરો, તેમના ઘરો અને વ્યવસાયો પર હુમલાઓ વચ્ચે સુરક્ષાની માગણી કરી. 

નોંધનીય છે કે, બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા હુમલાઓનો મુદ્દો ભારતમાં પણ ગરમાતો જઈ રહ્યો છે. ઘણા હિન્દુ સંગઠનોએ આ મુદ્દે અવાજ ઉઠાવ્યો છે. હવે આ મામલે ગોવર્ધન મઠ પુરીના પીઠાધીશ્વર શંકરાચાર્ય સ્વામી નિશ્ચલાનંદ સરસ્વતીએ પણ પોતાની પ્રતિક્રિયા આપી છે. સ્વામી નિશ્ચલાનંદ સરસ્વતીએ એક વીડિયો દ્વારા આ મુદ્દા પર કહ્યું છે કે શાંતિ સ્થાપવા માટે મુસ્લિમો હિન્દુઓ પર કૃપા ન કરે, મુસ્લિમોએ પોતાના અસ્તિત્વની રક્ષા માટે હિન્દુઓને સંરક્ષિત અને સ્વાવલંબી રાખવા જોઈએ. તેમના પર આંચ ન આવવા દે. જો હિન્દુઓને નિશાન બનાવીને હુમલો કરવામાં આવશે તો બની શકે છે કે સો-બસો હિન્દુઓ મારી નાખવામાં આવશે, પરંતુ પછી મુસ્લિમોનું અસ્તિત્વ જ સમાપ્ત થઈ જશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain: આજે અને કાલે રાજ્યમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ 
Gujarat Rain: આજે અને કાલે રાજ્યમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ 
હરિયાણામાં BJP એ જાહેર કર્યુ 21 ઉમેદવારોનું લિસ્ટ, બે મુસ્લિમ ચહેરાને પણ તક
હરિયાણામાં BJP એ જાહેર કર્યુ 21 ઉમેદવારોનું લિસ્ટ, બે મુસ્લિમ ચહેરાને પણ તક
ચાઇનીઝ લસણનો સૌરાષ્ટ્રમાં ભારે વિરોધ,  વેપારીઓ અને  ખેડૂતોનું પ્રદર્શન,  ત્રણેય યાર્ડમાં  હરાજી બંધનું એલાન
ચાઇનીઝ લસણનો સૌરાષ્ટ્રમાં ભારે વિરોધ, વેપારીઓ અને ખેડૂતોનું પ્રદર્શન, ત્રણેય યાર્ડમાં હરાજી બંધનું એલાન
‘નિષ્પક્ષ ચૂંટણી થઇ હોત તો ભાજપને .....’અમેરિકામાં રાહુલ ગાંધીએ આપ્યું મોટું નિવેદન
‘નિષ્પક્ષ ચૂંટણી થઇ હોત તો ભાજપને .....’અમેરિકામાં રાહુલ ગાંધીએ આપ્યું મોટું નિવેદન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gandhinagar News | મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહાનગરપાલિકા વિસ્તારના ધારાસભ્યોને આપી વધુ એક ભેટEXCLUSIVE | MLAના નવા આવાસ જોઈ ચોંકી ઉઠશો!Police Bharti | પોલીસ ભરતીની તૈયારી કરતા યુવાનો માટે ખુશીના સમાચાર, હસમુખ પટેલે કરી મોટી જાહેરાતGujarat Rain | ગુજરાતમાં ફરી ગાજવીજ સાથે વરસાદનો પ્રારંભ, સુરતના ઉમરપાડામાં ખાબક્યો 6.5 ઇંચ વરસાદ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: આજે અને કાલે રાજ્યમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ 
Gujarat Rain: આજે અને કાલે રાજ્યમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ 
હરિયાણામાં BJP એ જાહેર કર્યુ 21 ઉમેદવારોનું લિસ્ટ, બે મુસ્લિમ ચહેરાને પણ તક
હરિયાણામાં BJP એ જાહેર કર્યુ 21 ઉમેદવારોનું લિસ્ટ, બે મુસ્લિમ ચહેરાને પણ તક
ચાઇનીઝ લસણનો સૌરાષ્ટ્રમાં ભારે વિરોધ,  વેપારીઓ અને  ખેડૂતોનું પ્રદર્શન,  ત્રણેય યાર્ડમાં  હરાજી બંધનું એલાન
ચાઇનીઝ લસણનો સૌરાષ્ટ્રમાં ભારે વિરોધ, વેપારીઓ અને ખેડૂતોનું પ્રદર્શન, ત્રણેય યાર્ડમાં હરાજી બંધનું એલાન
‘નિષ્પક્ષ ચૂંટણી થઇ હોત તો ભાજપને .....’અમેરિકામાં રાહુલ ગાંધીએ આપ્યું મોટું નિવેદન
‘નિષ્પક્ષ ચૂંટણી થઇ હોત તો ભાજપને .....’અમેરિકામાં રાહુલ ગાંધીએ આપ્યું મોટું નિવેદન
PM Kisan Yojana: પીએમ કિસાન નિધિનો 18મો હપ્તો આવે તે અગાઉ કરો આ કામ, 2000 રૂપિયાનો થશે ફટાફટ ફાયદો
PM Kisan Yojana: પીએમ કિસાન નિધિનો 18મો હપ્તો આવે તે અગાઉ કરો આ કામ, 2000 રૂપિયાનો થશે ફટાફટ ફાયદો
Surat Rain: ઉમરપાડામાં આભ ફાટ્યુ, બે કલાકમાં સાડા છ ઇંચ વરસાદ ખાબકતાં જનજીવન અસ્તવ્યસ્ત
Surat Rain: ઉમરપાડામાં આભ ફાટ્યુ, બે કલાકમાં સાડા છ ઇંચ વરસાદ ખાબકતાં જનજીવન અસ્તવ્યસ્ત
શું તમે પણ કાર ચલાવતા પીવો છો સિગરેટ, જાણો કેટલી થઇ શકે છે સજા?
શું તમે પણ કાર ચલાવતા પીવો છો સિગરેટ, જાણો કેટલી થઇ શકે છે સજા?
iPhone: આઇફોન 16 સીરિઝ લોન્ચ થતાં જ કંપનીએ ‘બંધ’ કર્યા આ ચાર જૂના મોડલ્સ
iPhone: આઇફોન 16 સીરિઝ લોન્ચ થતાં જ કંપનીએ ‘બંધ’ કર્યા આ ચાર જૂના મોડલ્સ
Embed widget