શોધખોળ કરો

'મારા ખાતામાં ૧પ લાખ રૂપિયા કયારે ટ્રાન્સફર થશે?'

નવી દિલ્લી: મારા ખાતામાં ૧પ લાખ રૂપિયા ક્યારે ટ્રાન્સફર થશે? એક વ્યકિતએ આરટીઆઇ અરજી દાખલ કરી આ સવાલ પુછ્યો છે. મુખ્ય માહિતી કમિશ્નર (સીઆઇસી)એ વડાપ્રધાન કાર્યાલયને આનો જવાબ આપવાના નિર્દેશો આપ્યા છે. અત્રે એ નોંધનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભાની ચૂંટણી ર૦૧૪ દરમિયાન કહ્યુ હતુ કે, વિદેશોમાં એટલુ કાળુ નાણુ જમા છે કે દરેક વ્યકિતના ખાતામાં ૧પ લાખ રૂપિયા જમા થઇ શકે છે. તેમણે કહ્યુ હતુ કે, કાળુ નાણુ વિદેશથી પરત લાવવામાં આવશે. આ આરટીઆઇ અરજી રાજસ્થાનના ઝાલવર જિલ્લાના રહીશ કનહૈયાલાલે કરી છે. તેમણે પોતાની અરજીમાં અનેક સવાલો પુછ્યા છે. જેનો સંબંધ ર૦૧૪ની સામાન્ય ચૂંટણી દરમિયાન નરેન્દ્ર મોદીના ભાષણો સાથે છે. મુખ્ય માહિતી અધિકારી રાધાકૃષ્ણ માથુરે પીએમઓને મોકલેલા નિર્દેશમાં કહ્યુ છે કે અરજી કરનારે ઉલ્લેખ કર્યો છે કે, વડાપ્રધાને ચૂંટણીના સમયે જાહેરાત કરી હતી કે, કાળુ નાણુ ભારત લાવવામાં આવશે અને દરેક ગરીબ વ્યકિતના ખાતામાં ૧પ લાખ રૂપિયા જમા થશે. અરજી કરનાર જાણવા માંગે છે કે, પીએમ મોદીના એ વચનનું શું થયુ ? સીઆઇસીએ ઉલ્લેખ કર્યો છે કે, કનહૈયાલાલની અરજીમાં એમ પણ પુછાયુ છે કે, વડાપ્રધાને ચૂંટણી દરમિયાન દેશમાંથી ભ્રષ્ટાચારને પણ નાબુદ કરવાનુ વચન આપ્યુ હતુ પરંતુ ભ્રષ્ટાચારમાં ઘટાડાને બદલે ૯૦ ટકા વધી ગયો છે. તે જાણવા ઇચ્છે છે કે, દેશમાંથી ભ્રષ્ટાચારને દુર કરવા માટે નવો કાયદો કયારે બનાવવામાં આવશે ? કનહૈયાલાલે પોતાની અરજીમાં કહ્યુ છે કે, સરકારે જે કલ્યાણકારી સ્કીમોની જાહેરાત કરી છે એ બધી શ્રીમંતો અને મુડીપતિઓ સુધી સીમિત છે નહિ કે ગરીબો માટે. તેમણે એવો પણ સવાલ પુછયો છે કે, કોંગ્રેસની સરકાર દ્વારા વરિષ્ઠ નાગરિકોને રેલ્વે ટિકિટમાં જે છુટ આપવામાં આવી હતી શું તેને વર્તમાન સરકાર સમાપ્ત કરી દેશે ? સીઆઇસી માથુરે કહ્યુ છે કે, પીએમઓ તરફથી હજુ સુધી આનો જવાબ નથી અપાયો. સુનાવણી દરમિયાન મોજુદ પીએમઓના અધિકારીઓએ કહ્યુ હતુ કે, અમને અરજી મળી નથી તેથી તે અંગે કોઇ ટિપ્પણી કરી શકીએ નહી. માથુરે પોતાના આદેશમાં કહ્યુ છે કે, પ્રતિવાદીઓને આ આદેશમાં ૧પ દિવસની અંદર આ આરટીઆઇ અરજી પર ફરિયાદીને જવાબ મોકલવાનો નિર્દેશ અપાયો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Chamoli Tunnel Accident : ચમોલી ટનલ દુર્ઘટનામાં છ લોકોના મોત, 14 ઈજાગ્રસ્ત, રેસ્ક્યૂ ઓપરેશન યથાવત
Chamoli Tunnel Accident : ચમોલી ટનલ દુર્ઘટનામાં છ લોકોના મોત, 14 ઈજાગ્રસ્ત, રેસ્ક્યૂ ઓપરેશન યથાવત
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Deur Kothar Stupa: મધ્ય પ્રદેશમાં મળ્યો મૌર્યકાલીન સ્તૂપ, જાણો આ સાંચી સ્તૂપથી કેટલો ખાસ?
Deur Kothar Stupa: મધ્ય પ્રદેશમાં મળ્યો મૌર્યકાલીન સ્તૂપ, જાણો આ સાંચી સ્તૂપથી કેટલો ખાસ?
Independence day: તિરંગાના 3 રંગોનો અસલી મતલબ શું છે? જાણો કેસરી, સફેદ અને લીલા રંગનો સાચો અર્થ
Independence day: તિરંગાના 3 રંગોનો અસલી મતલબ શું છે? જાણો કેસરી, સફેદ અને લીલા રંગનો સાચો અર્થ

વિડિઓઝ

Gujarat Rain Breaking News : ગુજરાતમાં આજે ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
Dwarka Farmers Protest : દ્વારકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની ખેડૂતોની માગ
Hun To Bolish : હું તો બોલીશ : મેડમની માયાજાળ
Hun To Bolish : હું તો બોલીશ : નેશનલ હાઈવે પર ખાડાનો ટોલ ટેક્સ
Gujarat Weather : ગુજરાતમાં ખાબકશે ભારે વરસાદ, એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Chamoli Tunnel Accident : ચમોલી ટનલ દુર્ઘટનામાં છ લોકોના મોત, 14 ઈજાગ્રસ્ત, રેસ્ક્યૂ ઓપરેશન યથાવત
Chamoli Tunnel Accident : ચમોલી ટનલ દુર્ઘટનામાં છ લોકોના મોત, 14 ઈજાગ્રસ્ત, રેસ્ક્યૂ ઓપરેશન યથાવત
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 
દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 
ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર
ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
UIDAI Update : આધારને સાથે લઈ જવાની ઝંઝટ ખતમ, એક જ ફોનમાં રાખો પરિવારના  5 Aadhaar Card
UIDAI Update : આધારને સાથે લઈ જવાની ઝંઝટ ખતમ, એક જ ફોનમાં રાખો પરિવારના  5 Aadhaar Card
8th Pay Commission: બેઝિક પગાર ₹69,000 અને પેન્શન ₹45,000 કરવાનો પ્રસ્તાવ, જાણો પેન્શનર્સની મોટી માંગ
8th Pay Commission: બેઝિક પગાર ₹69,000 અને પેન્શન ₹45,000 કરવાનો પ્રસ્તાવ, જાણો પેન્શનર્સની મોટી માંગ
Embed widget