શોધખોળ કરો

Sanatana Remarks Row: ઉદયનિધિ પછી, હવે DMK ના એ રાજાએ HIV સાથે સનાતનની સરખામણી કરી, કહ્યું - સનાતન એક સામાજિક રોગ છે

Stalin Sanatana Dharma Row: DMK સાંસદ એ રાજાએ સનાતન ધર્મને HIV અને રક્તપિત્ત જેવા સામાજિક રોગ તરીકે વર્ણવ્યો હતો. અગાઉ ઉદયનિધિએ સનાતનને નાબૂદ કરવાની વાત કરી હતી.

Sanatana Dharma Remarks Row: સનાતન ધર્મ વિરુદ્ધ દ્વેષપૂર્ણ ભાષણો આપવાની પ્રક્રિયા અટકી રહી નથી. તમિલનાડુના શાસક પક્ષ દ્રવિડ મુનેત્ર કઝગમ (ડીએમકે)ના ઉધયનિધિ સ્ટાલિન બાદ ડીએમકેના એ રાજાએ સનાતન ધર્મનું અપમાન કર્યું છે અને તેની સરખામણી HIV સાથે કરી છે. એક રાજાએ કહ્યું- આ એક શાશ્વત સામાજિક રોગ છે. તે રક્તપિત્ત અને એચઆઇવી કરતાં વધુ ઘાતક છે.

આ સાથે ભારતીય જનતા પાર્ટી પર ફાસીવાદી હોવાનો આરોપ લગાવતા કહ્યું કે, કેન્દ્રની મોદી સરકારે છેલ્લા 9 વર્ષમાં શું કર્યું? તેઓએ જનતાને જણાવવું જોઈએ. ઉदયનિધિના નિવેદનની ચારેબાજુ ટીકા થઈ રહી હતી, આ દરમિયાન તેમની જ પાર્ટી (દ્રવિડ મુનેત્ર કઝગમ એટલે કે DMK)ના એક વરિષ્ઠ નેતા એ રાજાએ સનાતન ધર્મની સરખામણી ગંભીર રોગ HIV સાથે કરી હતી. એચ.આઈ.વી. સાથે તેની સરખામણી કરતા એ. રાજાએ કહ્યું કે તે એક શાશ્વત સામાજિક રોગ છે. તે રક્તપિત્ત અને એચઆઇવી કરતાં વધુ ઘાતક છે. સનાતન ધર્મ પર વિવાદાસ્પદ નિવેદનો આપવાની પ્રક્રિયા અટકતી જણાતી નથી. નેતાઓ સનાતન ધર્મનું પોતપોતાની રીતે અર્થઘટન કરી રહ્યા છે. કેટલાક તેની સરખામણી ડેન્ગ્યુ, મેલેરિયા સાથે તો કેટલાક કોરોના સાથે કરી રહ્યા છે.

હકીકતમાં, અગાઉ ઉદયનિધિ સ્ટાલિને સનાતનની તુલના ડેન્ગ્યુ અને મેલેરિયા સાથે કરી હતી. તેમણે કહ્યું હતું કે સનાતનનો માત્ર વિરોધ ન કરવો જોઈએ. તેના બદલે તેને નાબૂદ કરી દેવો જોઈએ. ઉદયનિધિના આ નિવેદનથી દેશભરમાં રાજકીય ખળભળાટ મચી ગયો છે. ઉદયનિધિના નિવેદનને લઈને ભાજપ વિપક્ષી ગઠબંધન 'ભારત' પર નિશાન સાધ્યું છે.

ઉદયનિધિ તાજેતરમાં સનાતન નાબૂદી પરિષદમાં ભાગ લેવા આવ્યા હતા. અહીં તેમણે કહ્યું હતું કે, સનાતન ધર્મ સામાજિક ન્યાય અને સમાનતાની વિરુદ્ધ છે. કેટલીક બાબતોનો વિરોધ કરી શકાતો નથી, તેને નાબૂદ કરી દેવો જોઈએ. આપણે ડેન્ગ્યુ, મચ્છર, મેલેરિયા કે કોરોનાનો વિરોધ કરી શકતા નથી. આપણે તેને ભૂંસી નાખવાનું છે. એ જ રીતે આપણે સનાતનનો પણ નાશ કરવો છે.

ઉદયનિધિએ કહ્યું હતું કે, "સનાતન શું છે? આ શબ્દ સંસ્કૃત ભાષામાંથી આવ્યો છે. સનાતન સમાનતા અને સામાજિક ન્યાયની વિરુદ્ધ હોવા સિવાય બીજું કંઈ નથી. સનાતનનો અર્થ શું છે? તે શાશ્વત છે, જેને બદલી શકાતું નથી, કોઈ પ્રશ્ન કરી શકતું નથી, અને તેનો અર્થ આ જ છે. તેમણે આરોપ લગાવ્યો કે સનાતન લોકોને જાતિના આધારે વિભાજિત કરે છે.

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા
લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
હજુ સુધી નથી કર્યું તો આજે જ કરાવી લો આ રિચાર્જ, નહીંતર કાલથી 600 રૂપિયા વધારે ચૂકવવા પડશે
હજુ સુધી નથી કર્યું તો આજે જ કરાવી લો આ રિચાર્જ, નહીંતર કાલથી 600 રૂપિયા વધારે ચૂકવવા પડશે
Ahmedabad: રાહુલ ગાંધીની હિન્દુ સમાજ અંગેની ટિપ્પણીથી હિન્દુ સંગઠનોમાં રોષ, કાર્યકર્તા કોંગ્રેસ કાર્યલાયમાં ઘૂસ્યા
Ahmedabad: રાહુલ ગાંધીની હિન્દુ સમાજ અંગેની ટિપ્પણીથી હિન્દુ સંગઠનોમાં રોષ, કાર્યકર્તા કોંગ્રેસ કાર્યલાયમાં ઘૂસ્યા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat Rain Data | 22 કલાકમાં જૂનાગઢના વંથલીમાં ખાબક્યો 14 ઇંચ વરસાદ, ક્યાં કેટલો પડ્યો વરસાદ?Hu to Bolish | હું તો બોલીશ | સંસદમાં સંગ્રામ કેમ?Hu to Bolish | હું તો બોલીશ | બુટલેગરની વરદીવાળી બહેનપણીGujarat Rains | રાજ્યના 11 જળાશયો 50 થી 70 ટકા ભરાયા: કુલ 206 જળાશયોમાં 29 ટકાથી વધુ જળસંગ્રહ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા
લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
હજુ સુધી નથી કર્યું તો આજે જ કરાવી લો આ રિચાર્જ, નહીંતર કાલથી 600 રૂપિયા વધારે ચૂકવવા પડશે
હજુ સુધી નથી કર્યું તો આજે જ કરાવી લો આ રિચાર્જ, નહીંતર કાલથી 600 રૂપિયા વધારે ચૂકવવા પડશે
Ahmedabad: રાહુલ ગાંધીની હિન્દુ સમાજ અંગેની ટિપ્પણીથી હિન્દુ સંગઠનોમાં રોષ, કાર્યકર્તા કોંગ્રેસ કાર્યલાયમાં ઘૂસ્યા
Ahmedabad: રાહુલ ગાંધીની હિન્દુ સમાજ અંગેની ટિપ્પણીથી હિન્દુ સંગઠનોમાં રોષ, કાર્યકર્તા કોંગ્રેસ કાર્યલાયમાં ઘૂસ્યા
રાજકોટ અગ્નિકાંડના આરોપી સાગઠીયાની ઓફિસમાંથી 5 કરોડ રોકડા અને 15 કિલો સોનું મળી આવ્યું
રાજકોટ અગ્નિકાંડના આરોપી સાગઠીયાની ઓફિસમાંથી 5 કરોડ રોકડા અને 15 કિલો સોનું મળી આવ્યું
Diarrhea Symptoms: ડાયેરિયાથી પરેશાન હો તો આ વાતનો રાખો ખ્યાલ, જલદી મળશે આરામ
Diarrhea Symptoms: ડાયેરિયાથી પરેશાન હો તો આ વાતનો રાખો ખ્યાલ, જલદી મળશે આરામ
ધર્માંતરણ પર હાઈકોર્ટની ગંભીર ટિપ્પણી, કહ્યું- ભારતની બહુમતી વસ્તી લઘુમતી બની જશે
ધર્માંતરણ પર હાઈકોર્ટની ગંભીર ટિપ્પણી, કહ્યું- ભારતની બહુમતી વસ્તી લઘુમતી બની જશે
સૌરાષ્ટ્રમાં બારેમેઘ ખાંગા, વંથલીમાં 14 ઇંચ વરસાદથી જળબંબાકાર, જાણો છેલ્લા 22 કલાકના વરસાદના આંકડા
સૌરાષ્ટ્રમાં બારેમેઘ ખાંગા, વંથલીમાં 14 ઇંચ વરસાદથી જળબંબાકાર, જાણો છેલ્લા 22 કલાકના વરસાદના આંકડા
Embed widget