શોધખોળ કરો

તહવ્વુર રાણાની ધરપકડ બાદ સંજય રાઉતનું મોટું નિવેદન - જો મોદી ન હોત તો.....

સામનામાં લખ્યું, રાણાને લાવવાની લડાઈ મનમોહન સરકારના સમયથી ચાલી રહી હતી, ભાજપ ખોટો શ્રેય લઈ રહી છે.

sanjay raut bjp rana: મુંબઈમાં ૨૬/૧૧ના આતંકવાદી હુમલાના આરોપી તહવ્વુર રાણાને ભારત લાવવામાં આવ્યા બાદ રાજકીય નિવેદનોનો દોર શરૂ થયો છે. શિવસેના (ઉદ્ધવ ઠાકરે જૂથ)ના નેતા સંજય રાઉતે આ મુદ્દે મોટું નિવેદન આપ્યું છે. તેમણે ભાજપ પર નિશાન સાધતા કહ્યું કે ભાજપ એવી રીતે ઉજવણી કરી રહ્યું છે કે જાણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ન હોત તો તહવ્વુર રાણાને ભારત લાવી શકાયો જ ન હોત, પરંતુ હકીકત એ નથી. રાઉતે દાવો કર્યો કે આ પ્રક્રિયા તો મનમોહન સિંહના સમયથી ચાલી રહી છે.

સંજય રાઉતે શિવસેનાના મુખપત્ર 'સામના'માં લખેલા તંત્રીલેખમાં કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે પૂછ્યું છે કે 'કુલભૂષણ જાધવનું શું થયું?' સામનામાં લખવામાં આવ્યું છે કે, "વડાપ્રધાન મોદીના અસ્તિત્વને કારણે દેશમાં ઘણી બધી વસ્તુઓ પોતાની મેળે જ બની રહી છે. એટલે કે ઘટનાઓ બનતી રહે છે અને પછી તેમના ભક્તો દ્વારા જાહેરાત કરવામાં આવે છે કે 'મોદીના કારણે આવું બન્યું છે'. કંગના બેન પહેલા જ કહી ચૂક્યા છે કે મોદી કોઈ સામાન્ય વ્યક્તિ નથી, તેઓ અવતારી પુરુષ છે. તેથી જ મોદી કંઈ પણ કરી શકે છે."

સામનામાં વધુમાં લખવામાં આવ્યું છે કે NIAએ ૨૬/૧૧ના આતંકવાદી હુમલાના માસ્ટરમાઈન્ડ તહવ્વુર રાણાની ધરપકડ કરી છે અને ભાજપના ભક્તો રાણાના પ્રત્યાર્પણની જોરશોરથી ઉજવણી કરી રહ્યા છે. ગૃહમંત્રી અમિત શાહે પણ આને મોદી સરકારની કૂટનીતિની મોટી સફળતા ગણાવી છે. રાઉતે આ સંદર્ભમાં લખ્યું કે આ લોકોને લાગે છે કે જો મોદી ન હોત તો રાણાને ભારતને સોંપવામાં ન આવ્યો હોત.

સંજય રાઉતે પોતાના લેખમાં સ્પષ્ટપણે જણાવ્યું છે કે રાણાને ભારત લાવવાની લડાઈ તો મનમોહન સિંહની સરકારના સમયથી ચાલી રહી છે. તે સમયે ભારતે રાણાના પ્રત્યાર્પણની માંગણી કરી હતી. રાણાએ ભારતના આ માંગને અમેરિકી કોર્ટમાં પડકારી હતી અને આ કેસ અમેરિકન કોર્ટમાં ૧૮ વર્ષ સુધી ચાલ્યો હતો. આ લાંબી કાનૂની લડાઈના દરેક તબક્કે ભારતે પોતાનો મજબૂત કેસ રજૂ કર્યો અને આખરે રાણાની અરજી ફગાવી દેવામાં આવી અને તેને ભારતને સોંપવો પડ્યો. રાઉતે ભારપૂર્વક કહ્યું કે આ એક લાંબી કાનૂની અને રાજકીય પ્રક્રિયા છે.

રાઉતે વર્તમાન સરકાર પર કટાક્ષ કરતા લખ્યું કે પૂર્વ નૌસેના અધિકારી કુલભૂષણ જાધવ પાકિસ્તાનની જેલમાં બંધ છે અને તેમની સાથે ખરેખર શું થઈ રહ્યું છે તે કોઈ જાણતું નથી. તેમણે સવાલ કર્યો કે આ કેસમાં મોદી-શાહની મુત્સદ્દીગીરી કેમ કામ નથી કરી રહી? રાઉતે એમ પણ કહ્યું કે રાણાને લાવવો આસાન હતો, પરંતુ કુલભૂષણ જાધવને પાછા લાવવું એ સાહસિક કામ છે. તેમણે આશંકા વ્યક્ત કરી કે કદાચ બિહાર અને પશ્ચિમ બંગાળની ચૂંટણીમાં મોદીની કૂટનીતિના વખાણ કરવા માટે રાણાની જરૂર છે.

આમ, તહવ્વુર રાણાના પ્રત્યાર્પણને લઈને રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે અને સંજય રાઉતે આ મુદ્દે કેન્દ્ર સરકાર પર અનેક સવાલો ઉઠાવ્યા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

કલમ 498A માત્ર લગ્ન પૂરતી સીમિત નથી, લિવ-ઇન પાર્ટનર્સને પણ મળશે પત્ની સમાન અધિકાર: સુપ્રીમ કોર્ટ
કલમ 498A માત્ર લગ્ન પૂરતી સીમિત નથી, લિવ-ઇન પાર્ટનર્સને પણ મળશે પત્ની સમાન અધિકાર: સુપ્રીમ કોર્ટ
પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય
પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય
8મું પગાર પંચ: 3%, 5% અને 6% વધારા સાથે 5 વર્ષમાં કેટલો વધશે બેઝિક પગાર? જાણો Level 1 થી 3 ની ગણતરી
8મું પગાર પંચ: 3%, 5% અને 6% વધારા સાથે 5 વર્ષમાં કેટલો વધશે બેઝિક પગાર? જાણો Level 1 થી 3 ની ગણતરી
બાંકીપુરમાં ભાજપના ગઢમાં ગાબડું! પ્રશાંત કિશોરની ઐતિહાસિક જીત પાછળના 5 મોટા કારણો
બાંકીપુરમાં ભાજપના ગઢમાં ગાબડું! પ્રશાંત કિશોરની ઐતિહાસિક જીત પાછળના 5 મોટા કારણો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ ખાડે ગઈ એસ.ટી. ?
Hun To Bolish : હું તો બોલીશ : ઘી, દૂધ અને દારૂ ડુપ્લીકેટ
Ambalal Patel Rain Forecast: 8 ઓગસ્ટથી વરસાદનો વધુ એક રાઉન્ડ: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
Gandhinagar news: રાજ્યના શિક્ષણ વિભાગનો શિક્ષકોના હિતમાં મહત્વનો નિર્ણય
Gujarat Rain Forecast: ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, ક્યાં ક્યાં પડશે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય
પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય
ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ
ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ
ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમમાં 16 વર્ષીય ગુજરાતી ખેલાડીની એન્ટ્રી, જાણો કોણ છે?
ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમમાં 16 વર્ષીય ગુજરાતી ખેલાડીની એન્ટ્રી, જાણો કોણ છે?
‘ઈરાન વાતચીત માટે ભીખ માંગે છે, પણ...: ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન ભડક્યા, કહ્યું - પરમાણુ હથિયાર ક્યારેય
‘ઈરાન વાતચીત માટે ભીખ માંગે છે, પણ...: ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન ભડક્યા, કહ્યું - પરમાણુ હથિયાર ક્યારેય
બાંકીપુરમાં ભાજપના ગઢમાં ગાબડું! પ્રશાંત કિશોરની ઐતિહાસિક જીત પાછળના 5 મોટા કારણો
બાંકીપુરમાં ભાજપના ગઢમાં ગાબડું! પ્રશાંત કિશોરની ઐતિહાસિક જીત પાછળના 5 મોટા કારણો
બાંકીપુર પેટા ચૂંટણીમાં પ્રશાંત કિશોરની પ્રચંડ જીત, BJP ઉમેદવારને 18953 મતોથી હરાવ્યા 
બાંકીપુર પેટા ચૂંટણીમાં પ્રશાંત કિશોરની પ્રચંડ જીત, BJP ઉમેદવારને 18953 મતોથી હરાવ્યા 
વડોદરામાં 2 દિવસના વિરામ બાદ મેઘમહેર: જાણો ગુજરાતમાં આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન
વડોદરામાં 2 દિવસના વિરામ બાદ મેઘમહેર: જાણો ગુજરાતમાં આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન
અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી:  5 દિવસ બાદ ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદની આગાહી
અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી:  5 દિવસ બાદ ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદની આગાહી
Embed widget