શોધખોળ કરો

સુપ્રીમ કોર્ટનો બાંકે બિહારી મંદિર કમિટીને સણસણતો સવાલ: 'ભગવાન સૌના છે, તો ફંડ તમારા ખિસ્સામાં કેમ?'

મંદિર વ્યવસ્થાપન સમિતિએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને રાજ્ય સરકારના વટહુકમનો વિરોધ કર્યો છે.

Banke Bihari Temple case: વૃંદાવનના પ્રસિદ્ધ બાંકે બિહારી મંદિરના સંચાલન અને કોરિડોરના નિર્માણ મુદ્દે સુપ્રીમ કોર્ટે આજે મોટી ટિપ્પણી કરી છે. સુપ્રીમ કોર્ટે મંદિર મેનેજમેન્ટ કમિટીને સીધો સવાલ પૂછ્યો છે કે, "ભગવાન બધાના છે, તો મંદિરનું ફંડ તમારા ખિસ્સામાં કેમ જવા જોઈએ?" આ ટિપ્પણી સાથે કોર્ટે સંકેત આપ્યો છે કે 15 મે ના રોજ ઉત્તર પ્રદેશ સરકારને કોરિડોર બનાવવા માટે મંદિરના ભંડોળનો ઉપયોગ કરવાની આપેલી પરવાનગી પાછી ખેંચી શકાય છે. હવે, આ સમગ્ર મામલાની દેખરેખ માટે એક નિવૃત્ત હાઈકોર્ટના જજની અધ્યક્ષતામાં એક સમિતિની રચના થઈ શકે છે.

મંદિર કમિટીનો વિરોધ

મંદિર વ્યવસ્થાપન સમિતિએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને રાજ્ય સરકારના વટહુકમનો વિરોધ કર્યો છે. આ ઉપરાંત, તેમણે 15 મે ના રોજ સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવેલા આદેશનો પણ વિરોધ કર્યો છે, જેમાં રાજ્ય સરકારને કોરિડોર બનાવવા માટે મંદિરના ભંડોળનો ઉપયોગ કરવાની પરવાનગી આપવામાં આવી હતી. અરજદાર વતી વરિષ્ઠ વકીલ શ્યામ દિવાન એ દલીલ કરી હતી કે બાંકે બિહારી એક ખાનગી મંદિર છે અને રાજ્ય સરકારે તેમાં દખલગીરી કરીને મેનેજમેન્ટમાંથી ગોસ્વામીઓને બહાર કરી દીધા છે.

સુપ્રીમ કોર્ટના તીખા સવાલો

આ મામલાની સુનાવણી દરમિયાન, ન્યાયાધીશ સૂર્યકાંત અને ન્યાયાધીશ જોયમલ્યા બાગચી ની બેન્ચે મંદિર સમિતિને આકરા સવાલો પૂછ્યા. કોર્ટે કહ્યું, "ભલે મંદિર ખાનગી હોય, પરંતુ દેવતા તો સૌના છે. લાખો ભક્તો દર્શન કરવા આવે છે. તો મંદિરના ભંડોળનો ઉપયોગ ભક્તોની સુવિધા અને સુરક્ષા માટે કેમ ન થઈ શકે? શું તમે ઇચ્છો છો કે આ ફંડ તમારા ખિસ્સામાં જાય?" કોર્ટે એ પણ સલાહ આપી કે રાજ્ય સરકારના કાયદાને હાઈકોર્ટમાં પડકારવો જોઈએ.

અગાઉના આદેશ પર પુનર્વિચાર

મંદિર કમિટીની દલીલના જવાબમાં, વકીલ દિવાને કહ્યું કે કોર્ટ દ્વારા તેમને સાંભળ્યા વગર 15 મે નો આદેશ કેવી રીતે આપી શકાય. આ વાત સાથે સહમત થતાં, સુપ્રીમ કોર્ટે સંકેત આપ્યો છે કે તેઓ આ આદેશને પાછો ખેંચી શકે છે. કોર્ટે કહ્યું કે કોઈ પણ વિસ્તારનો વિકાસ કરવો એ સરકારની જવાબદારી છે, અને જો તેમને જમીન સંપાદન કરવી હોય તો તે પોતાના ખર્ચે થવી જોઈએ.

નવી સમિતિની રચનાનો સંકેત

સુનાવણીના અંતે, કોર્ટે સંકેત આપ્યો કે હવે મંદિરના સંચાલન માટે એક નિવૃત્ત હાઈકોર્ટના જજની અધ્યક્ષતામાં એક સમિતિની રચના થઈ શકે છે. આ સમિતિમાં જિલ્લા મેજિસ્ટ્રેટનો પણ સમાવેશ કરવામાં આવશે. આ ઉપરાંત, મંદિરની આસપાસના ઐતિહાસિક મહત્વને ધ્યાનમાં રાખીને, ભારતીય પુરાતત્વ સર્વેક્ષણની મદદ પણ લેવામાં આવશે. કોર્ટે જણાવ્યું કે ધાર્મિક પર્યટનને પ્રોત્સાહન આપવા માટે યોગ્ય સુવિધાઓનો વિકાસ થવો જરૂરી છે. આ મામલાની આગામી સુનાવણી 5 ઓગસ્ટ ના રોજ સવારે 10:30 વાગ્યે થશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?

વિડિઓઝ

Junagadh news: જૂનાગઢ જિલ્લાના બારા રોડ પર  જુની અદાવતમાં પિતા-પુત્ર પર જીવલેણ હુમલો
Alpesh Kathiriya: સુરતમાં પાસ નેતા અલ્પેશ કથીરિયા, તેના ભાઈ સહિત 3 સામે નોંધાયો ગુનો
Surat News: સુરતમાં પત્નીની આત્મહત્યાના કેસમાં પતિની ધરપકડ
Ahmedabad liquor party: અમદાવાદમાં શરાબ, શબાબ, હુક્કા પાર્ટીનો પર્દાફાશ, 4 યુવતી, 17 યુવકો ઝડપાયા
Gujarat Weather Update: ગુજરાતમાં ઠંડીનો ચમકારો, 6 ડિગ્રી સાથે અમરેલી સૌથી ઠંડુંગાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?
Explained: BMC પરિણામોએ આપ્યા આ 3 પ્રશ્નોના જવાબ, કેમ હાર્યા ઠાકરે બ્રધર્સ? હવે શિવસેનાનો અસલી વારસદાર કોણ?
Explained: BMC પરિણામોએ આપ્યા આ 3 પ્રશ્નોના જવાબ, કેમ હાર્યા ઠાકરે બ્રધર્સ? હવે શિવસેનાનો અસલી વારસદાર કોણ?
અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM નો મહારાષ્ટ્રમાં જોવા મળ્યો જલવો,  75 બેઠકો પર આગળ 
અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM નો મહારાષ્ટ્રમાં જોવા મળ્યો જલવો,  75 બેઠકો પર આગળ 
રાજ ઠાકરેનું 22 શહેરોમાં ખાતું પણ ન ખુલ્યું,  મુંબઈમાં MNS ડબલ ડિજિટ પણ પાર કરી શકી નહીં
રાજ ઠાકરેનું 22 શહેરોમાં ખાતું પણ ન ખુલ્યું,  મુંબઈમાં MNS ડબલ ડિજિટ પણ પાર કરી શકી નહીં
ગૌતમ ગંભીરના કારણે રોહિત શર્માને છોડવી પડી વનડે કેપ્ટનશિપ? ભૂતપૂર્વ ક્રિકેટરના નિવેદનથી મચ્યો હોબાળો
ગૌતમ ગંભીરના કારણે રોહિત શર્માને છોડવી પડી વનડે કેપ્ટનશિપ? ભૂતપૂર્વ ક્રિકેટરના નિવેદનથી મચ્યો હોબાળો
Embed widget