શોધખોળ કરો

સુપ્રીમ કોર્ટનો બાંકે બિહારી મંદિર કમિટીને સણસણતો સવાલ: 'ભગવાન સૌના છે, તો ફંડ તમારા ખિસ્સામાં કેમ?'

મંદિર વ્યવસ્થાપન સમિતિએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને રાજ્ય સરકારના વટહુકમનો વિરોધ કર્યો છે.

Banke Bihari Temple case: વૃંદાવનના પ્રસિદ્ધ બાંકે બિહારી મંદિરના સંચાલન અને કોરિડોરના નિર્માણ મુદ્દે સુપ્રીમ કોર્ટે આજે મોટી ટિપ્પણી કરી છે. સુપ્રીમ કોર્ટે મંદિર મેનેજમેન્ટ કમિટીને સીધો સવાલ પૂછ્યો છે કે, "ભગવાન બધાના છે, તો મંદિરનું ફંડ તમારા ખિસ્સામાં કેમ જવા જોઈએ?" આ ટિપ્પણી સાથે કોર્ટે સંકેત આપ્યો છે કે 15 મે ના રોજ ઉત્તર પ્રદેશ સરકારને કોરિડોર બનાવવા માટે મંદિરના ભંડોળનો ઉપયોગ કરવાની આપેલી પરવાનગી પાછી ખેંચી શકાય છે. હવે, આ સમગ્ર મામલાની દેખરેખ માટે એક નિવૃત્ત હાઈકોર્ટના જજની અધ્યક્ષતામાં એક સમિતિની રચના થઈ શકે છે.

મંદિર કમિટીનો વિરોધ

મંદિર વ્યવસ્થાપન સમિતિએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને રાજ્ય સરકારના વટહુકમનો વિરોધ કર્યો છે. આ ઉપરાંત, તેમણે 15 મે ના રોજ સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવેલા આદેશનો પણ વિરોધ કર્યો છે, જેમાં રાજ્ય સરકારને કોરિડોર બનાવવા માટે મંદિરના ભંડોળનો ઉપયોગ કરવાની પરવાનગી આપવામાં આવી હતી. અરજદાર વતી વરિષ્ઠ વકીલ શ્યામ દિવાન એ દલીલ કરી હતી કે બાંકે બિહારી એક ખાનગી મંદિર છે અને રાજ્ય સરકારે તેમાં દખલગીરી કરીને મેનેજમેન્ટમાંથી ગોસ્વામીઓને બહાર કરી દીધા છે.

સુપ્રીમ કોર્ટના તીખા સવાલો

આ મામલાની સુનાવણી દરમિયાન, ન્યાયાધીશ સૂર્યકાંત અને ન્યાયાધીશ જોયમલ્યા બાગચી ની બેન્ચે મંદિર સમિતિને આકરા સવાલો પૂછ્યા. કોર્ટે કહ્યું, "ભલે મંદિર ખાનગી હોય, પરંતુ દેવતા તો સૌના છે. લાખો ભક્તો દર્શન કરવા આવે છે. તો મંદિરના ભંડોળનો ઉપયોગ ભક્તોની સુવિધા અને સુરક્ષા માટે કેમ ન થઈ શકે? શું તમે ઇચ્છો છો કે આ ફંડ તમારા ખિસ્સામાં જાય?" કોર્ટે એ પણ સલાહ આપી કે રાજ્ય સરકારના કાયદાને હાઈકોર્ટમાં પડકારવો જોઈએ.

અગાઉના આદેશ પર પુનર્વિચાર

મંદિર કમિટીની દલીલના જવાબમાં, વકીલ દિવાને કહ્યું કે કોર્ટ દ્વારા તેમને સાંભળ્યા વગર 15 મે નો આદેશ કેવી રીતે આપી શકાય. આ વાત સાથે સહમત થતાં, સુપ્રીમ કોર્ટે સંકેત આપ્યો છે કે તેઓ આ આદેશને પાછો ખેંચી શકે છે. કોર્ટે કહ્યું કે કોઈ પણ વિસ્તારનો વિકાસ કરવો એ સરકારની જવાબદારી છે, અને જો તેમને જમીન સંપાદન કરવી હોય તો તે પોતાના ખર્ચે થવી જોઈએ.

નવી સમિતિની રચનાનો સંકેત

સુનાવણીના અંતે, કોર્ટે સંકેત આપ્યો કે હવે મંદિરના સંચાલન માટે એક નિવૃત્ત હાઈકોર્ટના જજની અધ્યક્ષતામાં એક સમિતિની રચના થઈ શકે છે. આ સમિતિમાં જિલ્લા મેજિસ્ટ્રેટનો પણ સમાવેશ કરવામાં આવશે. આ ઉપરાંત, મંદિરની આસપાસના ઐતિહાસિક મહત્વને ધ્યાનમાં રાખીને, ભારતીય પુરાતત્વ સર્વેક્ષણની મદદ પણ લેવામાં આવશે. કોર્ટે જણાવ્યું કે ધાર્મિક પર્યટનને પ્રોત્સાહન આપવા માટે યોગ્ય સુવિધાઓનો વિકાસ થવો જરૂરી છે. આ મામલાની આગામી સુનાવણી 5 ઓગસ્ટ ના રોજ સવારે 10:30 વાગ્યે થશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Asaram Medical Bail: આસારામને ઝટકો, દુષ્કર્મ કેસમાં વચ્ચગાળાના જામીન આપવાનો સુપ્રીમ કોર્ટનો ઇન્કાર
Asaram Medical Bail: આસારામને ઝટકો, દુષ્કર્મ કેસમાં વચ્ચગાળાના જામીન આપવાનો સુપ્રીમ કોર્ટનો ઇન્કાર
જેલમાં બંધ મોટા ભાઈને મળવા જતા અતિક અહેમદના પુત્રનું અકસ્માતમાં મોત, કાર ડિવાઈડર સાથે અથડાઈ
જેલમાં બંધ મોટા ભાઈને મળવા જતા અતિક અહેમદના પુત્રનું અકસ્માતમાં મોત, કાર ડિવાઈડર સાથે અથડાઈ
આગામી 7 દિવસ મુશળધાર વરસાદ ખાબકશે! એકસાથે 7 સિસ્ટમ સક્રિય થતાં હવામાન વિભાગની મોટી આગાહી
આગામી 7 દિવસ મુશળધાર વરસાદ ખાબકશે! એકસાથે 7 સિસ્ટમ સક્રિય થતાં હવામાન વિભાગની મોટી આગાહી
Inflation Alert: તેલ, દાળથી દૂધ-ખાંડ સુધી 99% રાશન મોંઘું થયું, જુઓ નવું રેટ લિસ્ટ
Inflation Alert: તેલ, દાળથી દૂધ-ખાંડ સુધી 99% રાશન મોંઘું થયું, જુઓ નવું રેટ લિસ્ટ

વિડિઓઝ

યુક્રેન પર રશિયાનો ભીષણ હુમલો, 21 લોકોના થયા મોત
આણંદમાં મહિલાની સોનાની ચેઈન ખેંચીને ભાગ્યો શખ્સ, બાઈક ખાડામાં પડતા ઝડપાયો
ભરૂચના જંબુસરમાં દીપડાનો આતંક, પાંચ પશુનો કર્યો શિકાર
Rajkot | અમદાવાદ બાદ હવે રાજકોટમાં નકલી દારૂના રેકેટનો પર્દાફાશ, દારૂની મોંઘી બોટલોમાં સસ્તો દારુ ભરીને વેચતા
Surat: સુરતના પાંડેસરામાં જાહેર રોડ પર જન્મદિવસની ઉજવણીનો વીડિયો વાયરલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Asaram Bapu Medical Bail: આસારામને ઝટકો, દુષ્કર્મ કેસમાં વચ્ચગાળાના જામીન આપવાનો સુપ્રીમ કોર્ટનો ઇન્કાર
Asaram Bapu Medical Bail: આસારામને ઝટકો, દુષ્કર્મ કેસમાં વચ્ચગાળાના જામીન આપવાનો સુપ્રીમ કોર્ટનો ઇન્કાર
Rajkot: એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ રાજકોટમાં આરોગ્ય વિભાગનું કડક ચેકિંગ, 3 ડેરી પેઢીઓ કરાઈ સીલ
Rajkot: એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ રાજકોટમાં આરોગ્ય વિભાગનું કડક ચેકિંગ, 3 ડેરી પેઢીઓ કરાઈ સીલ
Russia-Ukraine War: રશિયા-યૂક્રેન યુદ્ધ બન્યું વધુ ભયાનક, રશિયાના ભીષણ મિસાઈલ હુમલામાં 21 લોકોના મોત, મચ્યો હાહાકાર
Russia-Ukraine War: રશિયા-યૂક્રેન યુદ્ધ બન્યું વધુ ભયાનક, રશિયાના ભીષણ મિસાઈલ હુમલામાં 21 લોકોના મોત, મચ્યો હાહાકાર
જેલમાં બંધ મોટા ભાઈને મળવા જતા અતિક અહેમદના પુત્રનું અકસ્માતમાં મોત, કાર ડિવાઈડર સાથે અથડાઈ
જેલમાં બંધ મોટા ભાઈને મળવા જતા અતિક અહેમદના પુત્રનું અકસ્માતમાં મોત, કાર ડિવાઈડર સાથે અથડાઈ
બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન શાકિબના ઘર પર બોમ્બથી હુમલો, શેખ હસીનાની પ્રેસ કોન્ફરન્સમાં સામેલ હતા
બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન શાકિબના ઘર પર બોમ્બથી હુમલો, શેખ હસીનાની પ્રેસ કોન્ફરન્સમાં સામેલ હતા
Bharuch Leopard Attack: જંબુસરના ડાભા ગામે દીપડાનો આતંક, 5 પશુઓનો શિકાર કરતાં ગ્રામજનોમાં ફફડાટ
Bharuch Leopard Attack: જંબુસરના ડાભા ગામે દીપડાનો આતંક, 5 પશુઓનો શિકાર કરતાં ગ્રામજનોમાં ફફડાટ
બોલિવૂડના આ દિગ્ગજ એક્ટરની સંપત્તિ થશે નિલામ? 16 કરોડનું દેવું ન ચૂકવતા બેંકે ફટકારી નોટિસ
બોલિવૂડના આ દિગ્ગજ એક્ટરની સંપત્તિ થશે નિલામ? 16 કરોડનું દેવું ન ચૂકવતા બેંકે ફટકારી નોટિસ
Ramayana Release Date: રણબીર કપૂરની 'રામાયણ'ની રિલીઝ ડેટ કન્ફર્મ: જાણો ક્યારે સિનેમાઘરોમાં જોવા મળશે
Ramayana Release Date: રણબીર કપૂરની 'રામાયણ'ની રિલીઝ ડેટ કન્ફર્મ: જાણો ક્યારે સિનેમાઘરોમાં જોવા મળશે
Embed widget