શોધખોળ કરો

સુપ્રીમ કોર્ટનો બાંકે બિહારી મંદિર કમિટીને સણસણતો સવાલ: 'ભગવાન સૌના છે, તો ફંડ તમારા ખિસ્સામાં કેમ?'

મંદિર વ્યવસ્થાપન સમિતિએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને રાજ્ય સરકારના વટહુકમનો વિરોધ કર્યો છે.

Banke Bihari Temple case: વૃંદાવનના પ્રસિદ્ધ બાંકે બિહારી મંદિરના સંચાલન અને કોરિડોરના નિર્માણ મુદ્દે સુપ્રીમ કોર્ટે આજે મોટી ટિપ્પણી કરી છે. સુપ્રીમ કોર્ટે મંદિર મેનેજમેન્ટ કમિટીને સીધો સવાલ પૂછ્યો છે કે, "ભગવાન બધાના છે, તો મંદિરનું ફંડ તમારા ખિસ્સામાં કેમ જવા જોઈએ?" આ ટિપ્પણી સાથે કોર્ટે સંકેત આપ્યો છે કે 15 મે ના રોજ ઉત્તર પ્રદેશ સરકારને કોરિડોર બનાવવા માટે મંદિરના ભંડોળનો ઉપયોગ કરવાની આપેલી પરવાનગી પાછી ખેંચી શકાય છે. હવે, આ સમગ્ર મામલાની દેખરેખ માટે એક નિવૃત્ત હાઈકોર્ટના જજની અધ્યક્ષતામાં એક સમિતિની રચના થઈ શકે છે.

મંદિર કમિટીનો વિરોધ

મંદિર વ્યવસ્થાપન સમિતિએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને રાજ્ય સરકારના વટહુકમનો વિરોધ કર્યો છે. આ ઉપરાંત, તેમણે 15 મે ના રોજ સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવેલા આદેશનો પણ વિરોધ કર્યો છે, જેમાં રાજ્ય સરકારને કોરિડોર બનાવવા માટે મંદિરના ભંડોળનો ઉપયોગ કરવાની પરવાનગી આપવામાં આવી હતી. અરજદાર વતી વરિષ્ઠ વકીલ શ્યામ દિવાન એ દલીલ કરી હતી કે બાંકે બિહારી એક ખાનગી મંદિર છે અને રાજ્ય સરકારે તેમાં દખલગીરી કરીને મેનેજમેન્ટમાંથી ગોસ્વામીઓને બહાર કરી દીધા છે.

સુપ્રીમ કોર્ટના તીખા સવાલો

આ મામલાની સુનાવણી દરમિયાન, ન્યાયાધીશ સૂર્યકાંત અને ન્યાયાધીશ જોયમલ્યા બાગચી ની બેન્ચે મંદિર સમિતિને આકરા સવાલો પૂછ્યા. કોર્ટે કહ્યું, "ભલે મંદિર ખાનગી હોય, પરંતુ દેવતા તો સૌના છે. લાખો ભક્તો દર્શન કરવા આવે છે. તો મંદિરના ભંડોળનો ઉપયોગ ભક્તોની સુવિધા અને સુરક્ષા માટે કેમ ન થઈ શકે? શું તમે ઇચ્છો છો કે આ ફંડ તમારા ખિસ્સામાં જાય?" કોર્ટે એ પણ સલાહ આપી કે રાજ્ય સરકારના કાયદાને હાઈકોર્ટમાં પડકારવો જોઈએ.

અગાઉના આદેશ પર પુનર્વિચાર

મંદિર કમિટીની દલીલના જવાબમાં, વકીલ દિવાને કહ્યું કે કોર્ટ દ્વારા તેમને સાંભળ્યા વગર 15 મે નો આદેશ કેવી રીતે આપી શકાય. આ વાત સાથે સહમત થતાં, સુપ્રીમ કોર્ટે સંકેત આપ્યો છે કે તેઓ આ આદેશને પાછો ખેંચી શકે છે. કોર્ટે કહ્યું કે કોઈ પણ વિસ્તારનો વિકાસ કરવો એ સરકારની જવાબદારી છે, અને જો તેમને જમીન સંપાદન કરવી હોય તો તે પોતાના ખર્ચે થવી જોઈએ.

નવી સમિતિની રચનાનો સંકેત

સુનાવણીના અંતે, કોર્ટે સંકેત આપ્યો કે હવે મંદિરના સંચાલન માટે એક નિવૃત્ત હાઈકોર્ટના જજની અધ્યક્ષતામાં એક સમિતિની રચના થઈ શકે છે. આ સમિતિમાં જિલ્લા મેજિસ્ટ્રેટનો પણ સમાવેશ કરવામાં આવશે. આ ઉપરાંત, મંદિરની આસપાસના ઐતિહાસિક મહત્વને ધ્યાનમાં રાખીને, ભારતીય પુરાતત્વ સર્વેક્ષણની મદદ પણ લેવામાં આવશે. કોર્ટે જણાવ્યું કે ધાર્મિક પર્યટનને પ્રોત્સાહન આપવા માટે યોગ્ય સુવિધાઓનો વિકાસ થવો જરૂરી છે. આ મામલાની આગામી સુનાવણી 5 ઓગસ્ટ ના રોજ સવારે 10:30 વાગ્યે થશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'મારા જીવનનો સૌથી દુઃખદ દિવસ': મેટલ કિંગ અનિલ અગ્રવાલના પુત્ર અગ્નિવેશનું નિધન, યુએસમાં થયો હતો અકસ્માત
'મારા જીવનનો સૌથી દુઃખદ દિવસ': મેટલ કિંગ અનિલ અગ્રવાલના પુત્ર અગ્નિવેશનું નિધન, યુએસમાં થયો હતો અકસ્માત
'રશિયા-ચીન અમેરિકાથી ડરે છે': ઓઈલ ટેન્કર જપ્ત કર્યા બાદ ટ્રમ્પનો પુતિન અને જિનપિંગને પડકાર
'રશિયા-ચીન અમેરિકાથી ડરે છે': ઓઈલ ટેન્કર જપ્ત કર્યા બાદ ટ્રમ્પનો પુતિન અને જિનપિંગને પડકાર
મોદી 3.0 નું બીજું બજેટ! શું મોંઘવારીમાંથી મુક્તિ મળશે ? રવિવારે આવશે મોટા સમાચાર
મોદી 3.0 નું બીજું બજેટ! શું મોંઘવારીમાંથી મુક્તિ મળશે ? રવિવારે આવશે મોટા સમાચાર
સચિન પાયલટ, DK શિવકુમાર, કન્હૈયા કુમાર, ભૂપેશ બઘેલ...ચૂંટણી પહેલા કૉંગ્રેસે બનાવી નવી ટીમ 
સચિન પાયલટ, DK શિવકુમાર, કન્હૈયા કુમાર, ભૂપેશ બઘેલ...ચૂંટણી પહેલા કૉંગ્રેસે બનાવી નવી ટીમ 

વિડિઓઝ

PM Modi Somnath Visit : PM મોદીના સોમનાથ પ્રવાસને લઈ તડામાર તૈયારીઓ શરૂ
Gujarat Winter : રાજ્યમાં હજુ 3 દિવસ ઠંડીનું જોર રહેશે યથાવત
Hun To Bolish : હું તો બોલીશ : સરદાર-બાપુના સંબંધોનું સત્ય
Hun To Bolish : હું તો બોલીશ : કૂતરાંના ત્રાસથી મુક્તિ ક્યારે ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના નેતાએ ડૂબાડ્યા કરોડો રૂપિયા?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'મારા જીવનનો સૌથી દુઃખદ દિવસ': મેટલ કિંગ અનિલ અગ્રવાલના પુત્ર અગ્નિવેશનું નિધન, યુએસમાં થયો હતો અકસ્માત
'મારા જીવનનો સૌથી દુઃખદ દિવસ': મેટલ કિંગ અનિલ અગ્રવાલના પુત્ર અગ્નિવેશનું નિધન, યુએસમાં થયો હતો અકસ્માત
'રશિયા-ચીન અમેરિકાથી ડરે છે': ઓઈલ ટેન્કર જપ્ત કર્યા બાદ ટ્રમ્પનો પુતિન અને જિનપિંગને પડકાર
'રશિયા-ચીન અમેરિકાથી ડરે છે': ઓઈલ ટેન્કર જપ્ત કર્યા બાદ ટ્રમ્પનો પુતિન અને જિનપિંગને પડકાર
મોદી 3.0 નું બીજું બજેટ! શું મોંઘવારીમાંથી મુક્તિ મળશે ? રવિવારે આવશે મોટા સમાચાર
મોદી 3.0 નું બીજું બજેટ! શું મોંઘવારીમાંથી મુક્તિ મળશે ? રવિવારે આવશે મોટા સમાચાર
સચિન પાયલટ, DK શિવકુમાર, કન્હૈયા કુમાર, ભૂપેશ બઘેલ...ચૂંટણી પહેલા કૉંગ્રેસે બનાવી નવી ટીમ 
સચિન પાયલટ, DK શિવકુમાર, કન્હૈયા કુમાર, ભૂપેશ બઘેલ...ચૂંટણી પહેલા કૉંગ્રેસે બનાવી નવી ટીમ 
Union Budget 2026: પ્રથમ વખત રવિવારના દિવસે રજૂ થશે દેશનું બજેટ, સામે આવી તારીખ 
Union Budget 2026: પ્રથમ વખત રવિવારના દિવસે રજૂ થશે દેશનું બજેટ, સામે આવી તારીખ 
Gujarat Weather: સાવધાન! ગુજરાતમાં ઠંડીનો નવો રાઉન્ડ શરૂ, આ તારીખ સુધી ધ્રુજાવશે કાતિલ પવનો
Gujarat Weather: સાવધાન! ગુજરાતમાં ઠંડીનો નવો રાઉન્ડ શરૂ, આ તારીખ સુધી ધ્રુજાવશે કાતિલ પવનો
હવે ઘરે બેઠા પોલીસ ફરિયાદ! GP-SMASH શું છે? જેનાથી 1163 લોકોના કામ ચપટી વગાડતા થયા
હવે ઘરે બેઠા પોલીસ ફરિયાદ! GP-SMASH શું છે? જેનાથી 1163 લોકોના કામ ચપટી વગાડતા થયા
દેશ માટે સારા સમાચાર, નાણાકીય વર્ષ 2025-26માં GDP વૃદ્ધિ દર 7.4% રહેવાની ધારણા, સરકારી આંકડા જાહેર
દેશ માટે સારા સમાચાર, નાણાકીય વર્ષ 2025-26માં GDP વૃદ્ધિ દર 7.4% રહેવાની ધારણા, સરકારી આંકડા જાહેર
Embed widget