શોધખોળ કરો

સુપ્રીમ કોર્ટનો બાંકે બિહારી મંદિર કમિટીને સણસણતો સવાલ: 'ભગવાન સૌના છે, તો ફંડ તમારા ખિસ્સામાં કેમ?'

મંદિર વ્યવસ્થાપન સમિતિએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને રાજ્ય સરકારના વટહુકમનો વિરોધ કર્યો છે.

Banke Bihari Temple case: વૃંદાવનના પ્રસિદ્ધ બાંકે બિહારી મંદિરના સંચાલન અને કોરિડોરના નિર્માણ મુદ્દે સુપ્રીમ કોર્ટે આજે મોટી ટિપ્પણી કરી છે. સુપ્રીમ કોર્ટે મંદિર મેનેજમેન્ટ કમિટીને સીધો સવાલ પૂછ્યો છે કે, "ભગવાન બધાના છે, તો મંદિરનું ફંડ તમારા ખિસ્સામાં કેમ જવા જોઈએ?" આ ટિપ્પણી સાથે કોર્ટે સંકેત આપ્યો છે કે 15 મે ના રોજ ઉત્તર પ્રદેશ સરકારને કોરિડોર બનાવવા માટે મંદિરના ભંડોળનો ઉપયોગ કરવાની આપેલી પરવાનગી પાછી ખેંચી શકાય છે. હવે, આ સમગ્ર મામલાની દેખરેખ માટે એક નિવૃત્ત હાઈકોર્ટના જજની અધ્યક્ષતામાં એક સમિતિની રચના થઈ શકે છે.

મંદિર કમિટીનો વિરોધ

મંદિર વ્યવસ્થાપન સમિતિએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને રાજ્ય સરકારના વટહુકમનો વિરોધ કર્યો છે. આ ઉપરાંત, તેમણે 15 મે ના રોજ સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવેલા આદેશનો પણ વિરોધ કર્યો છે, જેમાં રાજ્ય સરકારને કોરિડોર બનાવવા માટે મંદિરના ભંડોળનો ઉપયોગ કરવાની પરવાનગી આપવામાં આવી હતી. અરજદાર વતી વરિષ્ઠ વકીલ શ્યામ દિવાન એ દલીલ કરી હતી કે બાંકે બિહારી એક ખાનગી મંદિર છે અને રાજ્ય સરકારે તેમાં દખલગીરી કરીને મેનેજમેન્ટમાંથી ગોસ્વામીઓને બહાર કરી દીધા છે.

સુપ્રીમ કોર્ટના તીખા સવાલો

આ મામલાની સુનાવણી દરમિયાન, ન્યાયાધીશ સૂર્યકાંત અને ન્યાયાધીશ જોયમલ્યા બાગચી ની બેન્ચે મંદિર સમિતિને આકરા સવાલો પૂછ્યા. કોર્ટે કહ્યું, "ભલે મંદિર ખાનગી હોય, પરંતુ દેવતા તો સૌના છે. લાખો ભક્તો દર્શન કરવા આવે છે. તો મંદિરના ભંડોળનો ઉપયોગ ભક્તોની સુવિધા અને સુરક્ષા માટે કેમ ન થઈ શકે? શું તમે ઇચ્છો છો કે આ ફંડ તમારા ખિસ્સામાં જાય?" કોર્ટે એ પણ સલાહ આપી કે રાજ્ય સરકારના કાયદાને હાઈકોર્ટમાં પડકારવો જોઈએ.

અગાઉના આદેશ પર પુનર્વિચાર

મંદિર કમિટીની દલીલના જવાબમાં, વકીલ દિવાને કહ્યું કે કોર્ટ દ્વારા તેમને સાંભળ્યા વગર 15 મે નો આદેશ કેવી રીતે આપી શકાય. આ વાત સાથે સહમત થતાં, સુપ્રીમ કોર્ટે સંકેત આપ્યો છે કે તેઓ આ આદેશને પાછો ખેંચી શકે છે. કોર્ટે કહ્યું કે કોઈ પણ વિસ્તારનો વિકાસ કરવો એ સરકારની જવાબદારી છે, અને જો તેમને જમીન સંપાદન કરવી હોય તો તે પોતાના ખર્ચે થવી જોઈએ.

નવી સમિતિની રચનાનો સંકેત

સુનાવણીના અંતે, કોર્ટે સંકેત આપ્યો કે હવે મંદિરના સંચાલન માટે એક નિવૃત્ત હાઈકોર્ટના જજની અધ્યક્ષતામાં એક સમિતિની રચના થઈ શકે છે. આ સમિતિમાં જિલ્લા મેજિસ્ટ્રેટનો પણ સમાવેશ કરવામાં આવશે. આ ઉપરાંત, મંદિરની આસપાસના ઐતિહાસિક મહત્વને ધ્યાનમાં રાખીને, ભારતીય પુરાતત્વ સર્વેક્ષણની મદદ પણ લેવામાં આવશે. કોર્ટે જણાવ્યું કે ધાર્મિક પર્યટનને પ્રોત્સાહન આપવા માટે યોગ્ય સુવિધાઓનો વિકાસ થવો જરૂરી છે. આ મામલાની આગામી સુનાવણી 5 ઓગસ્ટ ના રોજ સવારે 10:30 વાગ્યે થશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ITBP-CRPF, BSF-SSB નોકરીની તક, CAPFમાં બનશે 53 નવી બટાલિયન, 55 હજાર જવાનોની થશે ભરતી
ITBP-CRPF, BSF-SSB નોકરીની તક, CAPFમાં બનશે 53 નવી બટાલિયન, 55 હજાર જવાનોની થશે ભરતી
BJP Candidates List 2026: આસામ વિધાનસભાની ચૂંટણી માટે ભાજપે ઉમેદવારોની યાદી કરી જાહેર
BJP Candidates List 2026: આસામ વિધાનસભાની ચૂંટણી માટે ભાજપે ઉમેદવારોની યાદી કરી જાહેર
દેશના 7 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, કરા પડવાની ચેતવણી, IMDનું એલર્ટ
દેશના 7 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, કરા પડવાની ચેતવણી, IMDનું એલર્ટ
ઈરાન યુદ્ધની ભારતમાં મોટી અસર: રોજિંદી દવાઓ થઈ શકે છે મોંઘી, ફાર્મા એસોસિએશને સરકારને લખ્યો ઈમરજન્સી પત્ર!
ઈરાન યુદ્ધની ભારતમાં મોટી અસર: રોજિંદી દવાઓ થઈ શકે છે મોંઘી, ફાર્મા એસોસિએશને સરકારને લખ્યો ઈમરજન્સી પત્ર!

વિડિઓઝ

રબારી-ચૌધરી સમાજ વચ્ચેના વિવાદને લઈને શિવધામ વાળીનાથ અખાડાના મહંત જયરામગિરિ મહારાજે શું કરી અપીલ?
Chaudhary Samaj Meeting : દીકરી પરત લાવવાની માંગ સાથે ચૌધરી સમાજની વાવ-થરાદમાં બેઠક
Jamnagar Unseasonal Rain : જામનગરના લાલપુરમાં કરા સાથે પડ્યો બરબાદીનો વરસાદ
Hun To Bolish : હું તો બોલીશ : સર્વિસ
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતો છેતરાતા નહીં

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rajkot Rain: રાજકોટ શહેરમાં વાવાઝોડા સાથે તૂટી પડ્યો ભારે વરસાદ, અનેક વૃક્ષો ધરાશાયી
Rajkot Rain: રાજકોટ શહેરમાં વાવાઝોડા સાથે તૂટી પડ્યો ભારે વરસાદ, અનેક વૃક્ષો ધરાશાયી
Stock Market:ભારતીય શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સમાં 2500 પોઈન્ટનો કડાકો 
Stock Market:ભારતીય શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સમાં 2500 પોઈન્ટનો કડાકો 
Gold Silver Prices: ₹6000 સસ્તું થયું સોનું, ચાંદીમાં અચાનક ₹16000 નો ઘટાડો, જાણો શું છે કારણ 
Gold Silver Prices: ₹6000 સસ્તું થયું સોનું, ચાંદીમાં અચાનક ₹16000 નો ઘટાડો, જાણો શું છે કારણ 
સુરતમાં સદગુરુ પ્રદીપજીના આશ્રમમાં 'નકલી નોટો'નો વેપાર, ચીનથી મંગાવ્યા હતા ચાંદીના તાર અને કાગળ
સુરતમાં સદગુરુ પ્રદીપજીના આશ્રમમાં 'નકલી નોટો'નો વેપાર, ચીનથી મંગાવ્યા હતા ચાંદીના તાર અને કાગળ
કમોસમી વરસાદને અંબાલાલ પટેલની આગાહી, રાજ્યના આ જિલ્લામાં થશે માવઠુ
કમોસમી વરસાદને અંબાલાલ પટેલની આગાહી, રાજ્યના આ જિલ્લામાં થશે માવઠુ
Gujarat Weather Update: રાજ્યભરના વાતાવરણમાં પલટો, ભારે પવન સાથે ઉડી ધૂળની ડમરી, હોર્ડિંગ પતરા ઉડ્યાં
Gujarat Weather Update: રાજ્યભરના વાતાવરણમાં પલટો, ભારે પવન સાથે ઉડી ધૂળની ડમરી, હોર્ડિંગ પતરા ઉડ્યાં
ATM યૂઝર્સ માટે કામના સમાચાર! 1 એપ્રિલથી બદલાશે આ મોટો નિયમ; HDFC અને PNB એ કરી જાહેરાત
ATM યૂઝર્સ માટે કામના સમાચાર! 1 એપ્રિલથી બદલાશે આ મોટો નિયમ; HDFC અને PNB એ કરી જાહેરાત
ગુજરાત કેબિનેટ બેઠક: ધોલેરા-મેટ્રો પ્રોજેક્ટનો રિવ્યૂ, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અને UCC બિલ પર લેવાયા મોટા નિર્ણયો
ગુજરાત કેબિનેટ બેઠક: ધોલેરા-મેટ્રો પ્રોજેક્ટનો રિવ્યૂ, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અને UCC બિલ પર લેવાયા મોટા નિર્ણયો
Embed widget