શોધખોળ કરો

J&K Congress:જમ્મુ કાશ્મીરમાં કોગ્રેસને ઝટકો, ગુલામ નબી આઝાદ કેમ્પના 20 નેતાઓના રાજીનામા

જમ્મુ કાશ્મીર વિધાનસભાની ચૂંટણીની અટકળો વચ્ચે ગુલામ નબી આઝાદના ખાસ કોગ્રેસ નેતાઓએ પાર્ટીના મહત્વના પદ પરથી રાજીનામું આપી દીધું છે.

Jammu-Kashmir Elections: જમ્મુ કાશ્મીર વિધાનસભાની ચૂંટણીની અટકળો વચ્ચે ગુલામ નબી આઝાદના ખાસ કોગ્રેસ નેતાઓએ પાર્ટીના મહત્વના પદ પરથી રાજીનામું આપી દીધું છે. એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે ગુલાબ નબી આઝાદ અને તારા ચંદ પણ પાર્ટી છોડી શકે છે અને એક નવી ક્ષેત્રીય પાર્ટી બનાવી શકે છે.

નેતાઓએ જમ્મુ કાશ્મીરના પાર્ટી અધ્યક્ષ ગુલામ અહમદ મીર વિરુદ્ધ ગંભીર સવાલ ઉઠાવ્યા છે. તેમને દાગી ગણાવ્યા હતા. કાશ્મીરમાં  કુખ્યાત સેક્સ સ્કેન્ડલમાં સામેલ હોવાના આરોપમાં મીર 2005માં 12 મહિના જેલમાં મોકલવામાં આવ્યા હતા. જમ્મની સાથે સાથે કાશ્મીર ઘાટીના વરિષ્ઠ કોગ્રેસ નેતાઓ અનુસાર પૂર્વ મંત્રીઓ અને ધારાસભ્યોએ જમ્મુ કાશ્મીરમાં  પાર્ટીના મામલા બોલવાની તક નહી આપવાના વિરોધમાં તમામ પદો પરથી રાજીનામા ધરી દીધા હતા.

રાજીનામાને એઆઇસીસી અધ્યક્ષ સોનિયા ગાંધીને સંબોધિત કરાયા છે અને તેની  કોપી રાહુલ ગાંધીની સાથે સાથે જમ્મુ કાશ્મીરના એઆઇસીસી પ્રભારી સચિવ રજની પાટીલને મોકલવામાં આવી છે. રાજીનામા આપનારા નેતાઓમાં જીએમ સરૂરી, જુગલ કિશોર શર્મા, વિકાર રસૂલ,  ડોક્ટર મનોહર  લાલ શર્મા, ગુલાબ  નબી મોંગા, નરેશ ગુપ્તા, સુભાષ ગુપ્તા, અમીન ભટ, અનવર ભટ, ઇનાયત અલી  અને અન્ય સામેલ છે. પૂર્વ નાયબ મુખ્યમંત્રી તારા ચંદ સિવાય જમ્મુ કાશ્મીર પ્રદેશ કોગ્રેસમાં લગભગ તમામ આઝાદના વફાદારોએ પાર્ટીના પદ પરથી રાજીનામું આપી દીધું છે.

સૂત્રોના મતે નેતાઓએ આરોપ લગાવ્યો હતો  કે ગુલાબ અહમદ મીરની અધ્યક્ષતામાં કોગ્રેસ વિનાશકારી સ્થિતિ તરફ આગળ વધી રહી છે અને આજ સુધી પૂર્વ મંત્રી, ધારાસભ્ય, એમએલસી, પીસીસી પદાધિકારીઓ સહિત કોગ્રેસના લગભગ 200થી વધુ ટોચના નેતાઓ, જિલ્લા અધ્યક્ષો અને  એઆઇસીસીના  સભ્યોએ કોગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે.


નેતાઓએ આરોપ લગાવ્યો કે કેટલાક  બેઇમાન  ચાપલૂસોએ  પીસીસીના  કામકાજ પર કબજો  કરી લીધો છે અને હાઇજેક  કરી લીધું છે. આ નેતાઓએ  દાવો કર્યો હતો કે આ અંગે તેમણે ઘણીવાર પાર્ટીના  ટોચના નેતાઓને જાણ કરવાનો  પ્રયાસ કર્યો પરંતુ તેઓને કોઇ સમય આપવામાં આવ્યો નહી

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: ફ્લેટનો કબજો મળ્યા પછી પણ બિલ્ડરે આપવું પડશે વળતર!
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: ફ્લેટનો કબજો મળ્યા પછી પણ બિલ્ડરે આપવું પડશે વળતર!
ઓપરેશન સિંદૂરમાં શહીદ થયેલા સૈનિકોના નામ પહેલીવાર જાહેર, જાણો સરકારે શું કહ્યું?
ઓપરેશન સિંદૂરમાં શહીદ થયેલા સૈનિકોના નામ પહેલીવાર જાહેર, જાણો સરકારે શું કહ્યું?
સિયા-ચેતને ગૂગલ પર સર્ચ કરી હતી હત્યાની રીત, કર્યું રિહર્સલ, કેતન હત્યાકાંડમાં ખુલાસો
સિયા-ચેતને ગૂગલ પર સર્ચ કરી હતી હત્યાની રીત, કર્યું રિહર્સલ, કેતન હત્યાકાંડમાં ખુલાસો
લોહગઢ કિલ્લા જતાં પહેલાં સિયાનું વર્તન હતું વિચિત્ર, કેતન અગ્રવાલ હત્યાકાંડની FIRમાં થયા અનેક ચોંકાવનારા ખુલાસા
લોહગઢ કિલ્લા જતાં પહેલાં સિયાનું વર્તન હતું વિચિત્ર, કેતન અગ્રવાલ હત્યાકાંડની FIRમાં થયા અનેક ચોંકાવનારા ખુલાસા

વિડિઓઝ

Iran News : ઈરાકની રાજધાની બગદાદમાં ભારે તણાવ, સેનાએ ગ્રીન ઝોન વિસ્તારનો કર્યો ઘેરાવ
Morbi Farmers Protest : મોરબીમાં ખેડૂત આંદોલને પકડ્યો વેગ | કોણ કોણ આવ્યું સમર્થનમાં?
El Nino Effect : અલ નીનોની અસરને પગલે ગુજરાતમાં 11 વર્ષ બાદ વરસાદ ખેંચાયો
Gujarat Monsoon 2026 : આજે ગુજરાતમાં ક્યાં ક્યાં પડશે વરસાદ?
Europe Hit Wave : યુરોપમાં પ્રચંડ ગરમીથી હાહાકાર, લંડનમાં ગરમીનો 50 વર્ષનો રેકોર્ડ તૂટ્યો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મોરબીના જેતપરના ખેડૂતોએ સરકારનું આમંત્રણ ફગાવ્યું:
મોરબીના જેતપરના ખેડૂતોએ સરકારનું આમંત્રણ ફગાવ્યું: "પહેલા લેખિતમાં આપો, પછી જ વાતચીત"
હવામાન નિષ્ણાતની મોટી આગાહી: આ તારીખે આખું ગુજરાત ચોમાસાથી ઘમરોળાશે
હવામાન નિષ્ણાતની મોટી આગાહી: આ તારીખે આખું ગુજરાત ચોમાસાથી ઘમરોળાશે
અંબાલાલ પટેલની નવી આગાહી: જુલાઈમાં આ તારીખો વચ્ચે આવશે પૂર, જાણી લો એલર્ટ
અંબાલાલ પટેલની નવી આગાહી: જુલાઈમાં આ તારીખો વચ્ચે આવશે પૂર, જાણી લો એલર્ટ
29 જૂનથી બુધ થશે વક્રી: શેરબજારમાં આવશે મોટો ભૂકંપ? આ તારીખ સુધી સાવધ રહો
29 જૂનથી બુધ થશે વક્રી: શેરબજારમાં આવશે મોટો ભૂકંપ? આ તારીખ સુધી સાવધ રહો
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: ફ્લેટનો કબજો મળ્યા પછી પણ બિલ્ડરે આપવું પડશે વળતર!
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: ફ્લેટનો કબજો મળ્યા પછી પણ બિલ્ડરે આપવું પડશે વળતર!
ગુજરાતમાં જુલાઈમાં કેવો પડશે વરસાદ? હવામાન વિભાગે શું કરી મોટી આગાહી?
ગુજરાતમાં જુલાઈમાં કેવો પડશે વરસાદ? હવામાન વિભાગે શું કરી મોટી આગાહી?
વીજ થાંભલા મુદ્દે ચર્ચા કરવા ખેડૂતોને સરકારનું આમંત્રણ, જાણો મોરબીના કલેકટરે શું કર્યો દાવો ?
વીજ થાંભલા મુદ્દે ચર્ચા કરવા ખેડૂતોને સરકારનું આમંત્રણ, જાણો મોરબીના કલેકટરે શું કર્યો દાવો ?
ઓપરેશન સિંદૂરમાં શહીદ થયેલા સૈનિકોના નામ પહેલીવાર જાહેર, જાણો સરકારે શું કહ્યું?
ઓપરેશન સિંદૂરમાં શહીદ થયેલા સૈનિકોના નામ પહેલીવાર જાહેર, જાણો સરકારે શું કહ્યું?
Embed widget