શોધખોળ કરો

Ayodhya Ram Mandir: રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને લઈને ચર્ચામાં શંકરાચાર્ય! કેવી રીતે મળે છે આ પદ, જાણો હિન્દુ ધર્મમાં તેમનું મહત્વ

Ayodhya Ram Mandir: 22મી જાન્યુઆરીએ રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે. જેમાં અનેક લોકો ભાગ લેવાના છે. કેટલાક શંકરાચાર્યોએ આ કાર્યક્રમમાં ભાગ લેવાનો ઈન્કાર કરી દીધો છે.

Ayodhya Ram Mandir: 22મી જાન્યુઆરીએ રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે. જેમાં અનેક લોકો ભાગ લેવાના છે. કેટલાક શંકરાચાર્યોએ આ કાર્યક્રમમાં ભાગ લેવાનો ઈન્કાર કરી દીધો છે. તેમનું કહેવું છે કે, આ કાર્યક્રમ સનાતન ધર્મ પ્રમાણે આયોજિત નથી થઈ રહ્યો. પરંતુ શું તમે જાણો છો કે શંકરાચાર્ય કોણ છે અને હિન્દુ ધર્મમાં આ પદનું કેટલું મહત્વ છે. આજે આપણે જાણીશું કે શંકરાચાર્યના પદનો ઈતિહાસ શું છે અને વ્યક્તિ માટે આ પદ મેળવવા માટે શું જરૂરી માનવામાં આવે છે.

શંકરાચાર્ય કોણ હોય છે?
તમને જણાવી દઈએ કે, હિન્દુ ધર્મમાં શંકરાચાર્ય સર્વોચ્ચ ગુરુનું પદ છે. જે બૌદ્ધ ધર્મમાં દલાઈ લામા અને ખ્રિસ્તી ધર્મમાં પોપનું હોય છે. ભારતમાં ચાર મઠોમાં ચાર શંકરાચાર્ય છે. સ્વામી સ્વરૂપાનંદ એકમાત્ર શંકરાચાર્ય હતા જેઓ બે મઠના વડા હતા.

શંકરાચાર્યનો ઇતિહાસ શું છે?
શંકરાચાર્યના પદનો ઈતિહાસ જોઈએ તો આ પદની શરૂઆત આદિ શંકરાચાર્યથી થઈ હોવાનું માનવામાં આવે છે. જે હિંદુ દાર્શનિક અને ધાર્મગુરુ હતા. આ ઉપરાંત આદિ શંકરાચાર્ય હિન્દુત્વના મહાન પ્રતિનિધિઓમાંના એક હતા. તેમણે જ સનાતન ધર્મની પ્રતિષ્ઠા માટે ભારતમાં ચાર જુદા જુદા વિસ્તારોમાં ચાર મઠોની સ્થાપના કરી હતી. આ મઠોમાં આદિ શંકરાચાર્યે તેમના ચાર મુખ્ય શિષ્યોની નિમણૂક કરી હતી. ત્યારથી આ ચાર મઠમાં શંકરાચાર્ય પદની પરંપરા ચાલી આવે છે. આ ઉપરાંત ચારમાંથી દરેકનું પોતાનું એક વિશેષ મહાવાક્ય પણ છે.

મઠો શું હોય છે?
મઠ એટલે એવી સંસ્થાઓ કે જેમાં હાજર ગુરુ તેમના શિષ્યોને ઉપદેશ આપવા અને ધાર્મિક શિક્ષણ આપવાનું કામ કરે છે. આ મઠોને પીઠ પણ કહેવામાં આવે છે. આ ગુરુઓ મુખ્યત્વે ધર્મગુરુ હોય છે. જો કે, મઠના વિવિધ ધાર્મિક અર્થો છે. જેમ બૌદ્ધ મઠોને વિહાર કહેવામાં આવે છે, જ્યારે ખ્રિસ્તી ધર્મમાં, મઠોને મોનેસ્ટ્રી, પ્રાયોરી, ચાર્ટરહાઉસ અને એબી જેવા નામોથી ઓળખવામાં આવે છે.

શંકરાચાર્ય બનવા માટે શું જરૂરી છે?
શંકરાચાર્ય બનવા માટે કેટલીક વિશેષ યોગ્યતાઓ પણ જરૂરી છે. તમને જણાવી દઈએ કે શંકરાચાર્યના પદ પર બેઠેલા વ્યક્તિ માટે ત્યાગી બ્રાહ્મણ, બ્રહ્મચારી, દંડી સન્યાસી, સંસ્કૃત, ચતુર્વેદ, વેદાંત અને પુરાણોનો જાણકાર હોવું ખૂબ જ જરૂરી છે. આ સિવાય તે વ્યક્તિ રાજકીય ન હોવી જોઈએ.

ટોપ સ્ટોરી

સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
8મા પગાર પંચની મોટી તૈયારી: 1 કરોડ કર્મચારીઓ માટે બેઠકોનો ધમધમાટ શરૂ, જુઓ શેડ્યૂલ
8મા પગાર પંચની મોટી તૈયારી: 1 કરોડ કર્મચારીઓ માટે બેઠકોનો ધમધમાટ શરૂ, જુઓ શેડ્યૂલ
Shimla Tour Package: શિમલા અને કુફરી જવા ઇચ્છતા લોકો માટે શ્રેષ્ઠ વિકલ્પ, IRCTCનું આ છે સૌથી સસ્તું પેકેજ
Shimla Tour Package: શિમલા અને કુફરી જવા ઇચ્છતા લોકો માટે શ્રેષ્ઠ વિકલ્પ, IRCTCનું આ છે સૌથી સસ્તું પેકેજ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રેસ્ટોરન્ટના ભોજનમાં ઝેર
Hun To Bolish : હું તો બોલીશ : નકલી દારૂની રેલમછેલ
Mansukh Vasava : નેપાળવાળી ગુજરાતમાં ના ચાલે, અનંત પટેલ પર વસાવાના પ્રહાર
Vehicle Number Plate Reality Check : 'નંબર પ્લેટ નહીં તો પેટ્રોલ નહીં', જુઓ ગ્રાઉન્ડ રિપોર્ટ
Ambalal Patel Prediction : દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે, અંબાલાલ પટેલની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
Embed widget