શોધખોળ કરો

વિશ્વનો સૌથી મોટો ટ્રાફિક જામ: કટનીથી પ્રયાગરાજ સુધી 300 કિમી લાંબો ટ્રાફિક, પોલીસની ખાસ અપીલ

Maha Kumbh: ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મહા કુંભ મેળા તરફ જતા રસ્તાઓને ૩૦૦ કિલોમીટર સુધી લાંબો કારનો ટ્રાફિક જામ થયો હતો

Maha Kumbh: ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મહા કુંભ મેળા તરફ જતા રસ્તાઓને ૩૦૦ કિલોમીટર સુધી લાંબો કારનો ટ્રાફિક જામ થયો હતો. વિશ્વના સૌથી મોટા ધાર્મિક મેળામાં હાજરી આપવા માટે ઉત્સુક લાખો યાત્રાળુઓ રવિવારે મેળા સ્થળથી સેંકડો કિલોમીટર દૂર પોતાની કારમાં ફસાયેલા જોવા મળ્યા હતા. પ્રયાગરાજ મહાકુંભમાં જતા શ્રદ્ધાળુઓ માટે જબલપુર, કટની, રેવા થઈને પ્રયાગરાજ જતા મુખ્ય માર્ગ પર છેલ્લા ઘણા કલાકોથી લાંબો જામ છે. કટની પોલીસે તો લોકોને હાથ જોડીને પાછા ફરવા અપીલ પણ કરી છે. આ જામનું મુખ્ય કારણ મહાકુંભમાં ભાગ લેવા માટે લાખો ભક્તોનું રસ્તાઓ પર આગમન છે. ટોલ બેરિયર્સ પર મનસ્વી વસૂલાત પણ આ સમસ્યાને વધારી રહી છે. દક્ષિણ ભારતમાંથી આવતા ભક્તો પણ આ માર્ગનો ઉપયોગ કરે છે, જેના કારણે ટ્રાફિકનું દબાણ વધુ વધી ગયું છે. વહીવટીતંત્રની અપૂરતી તૈયારી પણ સામે આવી છે.

એક રિપોર્ટ અનુસાર, 200-300 કિમી સુધી ટ્રાફિક જામ થયો હતો જેમાં મધ્યપ્રદેશ થઈને મહા કુંભ મેળા તરફ જતા યાત્રાળુઓના વાહનોનો સમાવેશ થતો હતો અને રવિવારે ત્યાંની પોલીસે વિવિધ જિલ્લાઓમાં ટ્રાફિક બંધ કરી દીધો હતો, જેના કારણે લોકો ઘણા કલાકો સુધી રસ્તાઓ પર અટવાઈ ગયા હતા.

કટની જિલ્લામાં પોલીસ વાહનોએ જાહેરાત કરી કે સોમવાર સુધી ટ્રાફિક બંધ છે, જ્યારે મૈહર પોલીસે વાહનોને કટની અને જબલપુર તરફ પાછા ફરવા અને ત્યાં જ રહેવા કહ્યું હતુ. પીટીઆઇએ એક રિપોર્ટમાં પોલીસને ટાંકીને કહ્યું હતું કે "આજે પ્રયાગરાજ તરફ આગળ વધવું અશક્ય છે કારણ કે 200-300 કિલોમીટરનો ટ્રાફિક જામ છે. સોશિયલ મીડિયા પરના ઘણા વીડિયોમાં મધ્યપ્રદેશના કટની, જબલપુર, મૈહર અને રેવા જિલ્લાઓના રસ્તાઓ પર હજારો કાર અને ટ્રકની મોટી કતારો જોવા મળી રહી છે.

‘કદાચ દુનિયાનો સૌથી મોટો ટ્રાફિક જામ’

પ્રત્યક્ષદર્શીઓએ દાવો કર્યો છે કે રેવા જિલ્લાના ચકઘાટ ખાતે કટનીથી એમપી-યુપી સરહદ સુધીના 250 કિલોમીટરમાં ભારે ટ્રાફિક જામ છે. મુસાફરોએ સોશિયલ મીડિયા પર ટ્રાફિક જામ અંગે વાત કરી હતી. જેમાં એક યુઝરે કહ્યું, “જબલપુરથી 15 કિમી પહેલા ટ્રાફિક જામ છે. હજુ પણ પ્રયાગરાજથી 400 કિમી દૂર છે.

પ્રયાગરાજ મહાકુંભમાં પવિત્ર ડૂબકી લગાવવા માટે લાખો ભક્તો એકઠા થયા છે. આના કારણે જબલપુર, કટની અને રીવા થઈને પ્રયાગરાજ જતો મુખ્ય રસ્તો સંપૂર્ણપણે જામ થઈ ગયો છે. આ જામ લગભગ 10 થી 15 કિમી લાંબો છે. રવિવારે પરિસ્થિતિ વધુ વણસી ગઈ હતી. દૂર દૂર સુધી વાહનોની લાંબી કતારો જોવા મળી રહી છે. કટનીમાં પરિસ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ કે પોલીસે લોકોને પાછા ફરવા માટે અપીલ કરવી પડી હતી.

પોલીસે લોકોને પરત ફરવા કરી અપીલ

કટની પોલીસ કર્મચારીઓ હાથ જોડીને ભક્તોને કહી રહ્યા છે કે, "અલાહાબાદના રસ્તાઓ પર ટ્રાફિક જામ થઇ ગયો છે, કૃપા કરીને પાછા ફરો. તમે તમારી આસપાસની કોઈપણ હોટલ કે ઢાબામાં રહી શકો છો. પોલીસે જણાવ્યું કે શહેરમાં ભારે ભીડને કારણે યાત્રામાં ઘણી મુશ્કેલી પડી રહી છે. તેઓ પ્રયાગરાજના પોલીસ અધિકારીઓના સંપર્કમાં છે અને ત્યાંના રસ્તાઓ જામ છે. પોલીસનું કહેવું છે કે 200 થી 300 કિમી લાંબો જામ છે. કટની પોલીસ લોકોને ઘરે પાછા ફરવા વિનંતી કરી રહી છે.

લાખો વાહનો રસ્તાઓ પર ઉતરી ગયા

આ ટ્રાફિક જામ રીવામાં પણ જોવા મળી રહ્યો છે. દક્ષિણ ભારતને પ્રયાગરાજ સાથે જોડતા રેવા-પ્રયાગરાજ રૂટ પર મુસાફરોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તેઓ પોતાની સમસ્યાઓ વ્યક્ત કરી શકતા નથી. વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવેલી બધી વ્યવસ્થાઓ અપૂરતી સાબિત થઈ રહી છે. રસ્તાઓ પર લાખો વાહનો હોવાથી ટ્રાફિકને નિયંત્રિત કરવો મુશ્કેલ બની ગયો છે. મહાકુંભને હવે થોડા જ દિવસો બાકી છે, તેથી દરેક વ્યક્તિ સંગમમાં ડૂબકી લગાવવા માંગે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ઈરાન યુદ્ધ વચ્ચે ભારત ડોલર ચૂકવ્યા વિના આ રીતે રશિયા પાસેથી ખરીદી રહ્યું છે ઓઈલ
ઈરાન યુદ્ધ વચ્ચે ભારત ડોલર ચૂકવ્યા વિના આ રીતે રશિયા પાસેથી ખરીદી રહ્યું છે ઓઈલ
2,000 કિલોમીટર દૂરથી આ દેશે ભારત માટે ખોલ્યો 'ખજાનો' ? જહાજ ભરીને આવી રહ્યો છે LPG ગેસ
2,000 કિલોમીટર દૂરથી આ દેશે ભારત માટે ખોલ્યો 'ખજાનો' ? જહાજ ભરીને આવી રહ્યો છે LPG ગેસ
LPG પાઈપલાઈન હશે ત્યાં ફરજિયાત લેવું પડશે ગેસ કનેક્શન, સરકારે જાહેર કર્યા નવા નિયમ 
LPG પાઈપલાઈન હશે ત્યાં ફરજિયાત લેવું પડશે ગેસ કનેક્શન, સરકારે જાહેર કર્યા નવા નિયમ 
આંધ્રપ્રદેશમાં મોટો અકસ્માત, બસ ડમ્પર સાથે અથડાયા બાદ લાગી લાગી, 14 લોકો જીવતા સળગ્યાં
આંધ્રપ્રદેશમાં મોટો અકસ્માત, બસ ડમ્પર સાથે અથડાયા બાદ લાગી લાગી, 14 લોકો જીવતા સળગ્યાં

વિડિઓઝ

CAG Report | કેગના રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો, જપ્ત કરેલ ડ્રગ્સ ઉંદરો ખાઈ ગયા હોવાનો પોલીસે દાવો કર્યો
Nayara Fuel Hike: યુદ્ધની સ્થિતિ વચ્ચે નાયરાએ પેટ્રોલ-ડીઝલના ભાવમાં કર્યો વધારો
Rajkot news: રાજકોટ પેટ્રોલ પંપ ડીલર એસો.ના પ્રમુખનું લાઈસન્સ સસ્પેન્ડ
Navsari News : નવસારીના વાંસદાના સરા ગામમાં ધર્માંતરણની પ્રવૃતિનો આરોપ
Ahmedabad Fire Incident : અમદાવાદમાં શેલાની સોસાયટીમાં ભીષણ આગ લાગતા દોડધામ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
યુદ્ધ વચ્ચે ઈઝરાયલનો મોટો દાવો, 'હોર્મુઝ બંધ કરનાર ઈરાનના નૌસેના કમાન્ડરને ઉતાર્યો મોતને ઘાટ'
યુદ્ધ વચ્ચે ઈઝરાયલનો મોટો દાવો, 'હોર્મુઝ બંધ કરનાર ઈરાનના નૌસેના કમાન્ડરને ઉતાર્યો મોતને ઘાટ'
Silver Price: રેકોર્ડ હાઈથી ₹1.85 લાખ રુપિયા સસ્તી થઈ ગઈ ચાંદી, શું હવે આ રોકાણની શાનદાર તક?
Silver Price: રેકોર્ડ હાઈથી ₹1.85 લાખ રુપિયા સસ્તી થઈ ગઈ ચાંદી, શું હવે આ રોકાણની શાનદાર તક?
Gujarat Weather Update: ગુજરાત પર એક બાદ એક સિસ્ટમ થશે એક્ટિવ, આ તારીખથી ફરી માવઠાનું સંકટ
Gujarat Weather Update: ગુજરાત પર એક બાદ એક સિસ્ટમ થશે એક્ટિવ, આ તારીખથી ફરી માવઠાનું સંકટ
Rule Change: LPG, ATMથી લઈને PAN કાર્ડ સુધી, 1, એપ્રિલથી થશે આ પાંચ મોટા ફેરફાર
Rule Change: LPG, ATMથી લઈને PAN કાર્ડ સુધી, 1, એપ્રિલથી થશે આ પાંચ મોટા ફેરફાર
BCCI એ ટીમ ઈન્ડિયાનું વાર્ષિક શેડ્યૂલ કર્યું જાહેર, જાણો ક્યારે અને કોની સામે રમાશે સિરીઝ
BCCI એ ટીમ ઈન્ડિયાનું વાર્ષિક શેડ્યૂલ કર્યું જાહેર, જાણો ક્યારે અને કોની સામે રમાશે સિરીઝ
Rajkot News: રાજકોટ પેટ્રોલ પંપ ડીલર એસો.ના પ્રમુખનું લાયસન્સ સસ્પેન્ડ, તેમના નિવેદનના કારણે ફેલાઈ હતી અફવા
Rajkot News: રાજકોટ પેટ્રોલ પંપ ડીલર એસો.ના પ્રમુખનું લાયસન્સ સસ્પેન્ડ, તેમના નિવેદનના કારણે ફેલાઈ હતી અફવા
શું બારીઓ ખુલ્લી રાખીને વાહન ચલાવવાથી કારનું માઇલેજ ઘટે છે? જાણો શું છે સત્ય?
શું બારીઓ ખુલ્લી રાખીને વાહન ચલાવવાથી કારનું માઇલેજ ઘટે છે? જાણો શું છે સત્ય?
Facebook અને Instagram પર કમાણી કરવાનો મોટો મોકો: Meta એ કરી મહત્વની જાહેરાત
Facebook અને Instagram પર કમાણી કરવાનો મોટો મોકો: Meta એ કરી મહત્વની જાહેરાત
Embed widget