વિશ્વનો સૌથી મોટો ટ્રાફિક જામ: કટનીથી પ્રયાગરાજ સુધી 300 કિમી લાંબો ટ્રાફિક, પોલીસની ખાસ અપીલ
Maha Kumbh: ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મહા કુંભ મેળા તરફ જતા રસ્તાઓને ૩૦૦ કિલોમીટર સુધી લાંબો કારનો ટ્રાફિક જામ થયો હતો

Maha Kumbh: ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મહા કુંભ મેળા તરફ જતા રસ્તાઓને ૩૦૦ કિલોમીટર સુધી લાંબો કારનો ટ્રાફિક જામ થયો હતો. વિશ્વના સૌથી મોટા ધાર્મિક મેળામાં હાજરી આપવા માટે ઉત્સુક લાખો યાત્રાળુઓ રવિવારે મેળા સ્થળથી સેંકડો કિલોમીટર દૂર પોતાની કારમાં ફસાયેલા જોવા મળ્યા હતા. પ્રયાગરાજ મહાકુંભમાં જતા શ્રદ્ધાળુઓ માટે જબલપુર, કટની, રેવા થઈને પ્રયાગરાજ જતા મુખ્ય માર્ગ પર છેલ્લા ઘણા કલાકોથી લાંબો જામ છે. કટની પોલીસે તો લોકોને હાથ જોડીને પાછા ફરવા અપીલ પણ કરી છે. આ જામનું મુખ્ય કારણ મહાકુંભમાં ભાગ લેવા માટે લાખો ભક્તોનું રસ્તાઓ પર આગમન છે. ટોલ બેરિયર્સ પર મનસ્વી વસૂલાત પણ આ સમસ્યાને વધારી રહી છે. દક્ષિણ ભારતમાંથી આવતા ભક્તો પણ આ માર્ગનો ઉપયોગ કરે છે, જેના કારણે ટ્રાફિકનું દબાણ વધુ વધી ગયું છે. વહીવટીતંત્રની અપૂરતી તૈયારી પણ સામે આવી છે.
એક રિપોર્ટ અનુસાર, 200-300 કિમી સુધી ટ્રાફિક જામ થયો હતો જેમાં મધ્યપ્રદેશ થઈને મહા કુંભ મેળા તરફ જતા યાત્રાળુઓના વાહનોનો સમાવેશ થતો હતો અને રવિવારે ત્યાંની પોલીસે વિવિધ જિલ્લાઓમાં ટ્રાફિક બંધ કરી દીધો હતો, જેના કારણે લોકો ઘણા કલાકો સુધી રસ્તાઓ પર અટવાઈ ગયા હતા.
કટની જિલ્લામાં પોલીસ વાહનોએ જાહેરાત કરી કે સોમવાર સુધી ટ્રાફિક બંધ છે, જ્યારે મૈહર પોલીસે વાહનોને કટની અને જબલપુર તરફ પાછા ફરવા અને ત્યાં જ રહેવા કહ્યું હતુ. પીટીઆઇએ એક રિપોર્ટમાં પોલીસને ટાંકીને કહ્યું હતું કે "આજે પ્રયાગરાજ તરફ આગળ વધવું અશક્ય છે કારણ કે 200-300 કિલોમીટરનો ટ્રાફિક જામ છે. સોશિયલ મીડિયા પરના ઘણા વીડિયોમાં મધ્યપ્રદેશના કટની, જબલપુર, મૈહર અને રેવા જિલ્લાઓના રસ્તાઓ પર હજારો કાર અને ટ્રકની મોટી કતારો જોવા મળી રહી છે.
‘કદાચ દુનિયાનો સૌથી મોટો ટ્રાફિક જામ’
પ્રત્યક્ષદર્શીઓએ દાવો કર્યો છે કે રેવા જિલ્લાના ચકઘાટ ખાતે કટનીથી એમપી-યુપી સરહદ સુધીના 250 કિલોમીટરમાં ભારે ટ્રાફિક જામ છે. મુસાફરોએ સોશિયલ મીડિયા પર ટ્રાફિક જામ અંગે વાત કરી હતી. જેમાં એક યુઝરે કહ્યું, “જબલપુરથી 15 કિમી પહેલા ટ્રાફિક જામ છે. હજુ પણ પ્રયાગરાજથી 400 કિમી દૂર છે.
Caught in probably the biggest traffic jam (15-20km) in the world at Kumbh
— Bhaskar Sarma🗿 (@bhas) February 9, 2025
Prayagraj is completely gridlocked.
Moved ~5 kms in 5 hours, by this time I should have been in Lucknow.
Atrocious traffic management, had to cancel my flight ticket and book another at double pic.twitter.com/I3JKNihjhs
પ્રયાગરાજ મહાકુંભમાં પવિત્ર ડૂબકી લગાવવા માટે લાખો ભક્તો એકઠા થયા છે. આના કારણે જબલપુર, કટની અને રીવા થઈને પ્રયાગરાજ જતો મુખ્ય રસ્તો સંપૂર્ણપણે જામ થઈ ગયો છે. આ જામ લગભગ 10 થી 15 કિમી લાંબો છે. રવિવારે પરિસ્થિતિ વધુ વણસી ગઈ હતી. દૂર દૂર સુધી વાહનોની લાંબી કતારો જોવા મળી રહી છે. કટનીમાં પરિસ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ કે પોલીસે લોકોને પાછા ફરવા માટે અપીલ કરવી પડી હતી.
We are stuck again, and have been in front of this junction for the last 45 mins or so.
— Bhaskar Sarma🗿 (@bhas) February 8, 2025
The vehicles on the other road keep on moving.
Futile to trust Google maps with any kind of traffic prediction.
The best way is to embrace this chaos as part of the whole Kumbh experience pic.twitter.com/L54vgeNhmB
પોલીસે લોકોને પરત ફરવા કરી અપીલ
કટની પોલીસ કર્મચારીઓ હાથ જોડીને ભક્તોને કહી રહ્યા છે કે, "અલાહાબાદના રસ્તાઓ પર ટ્રાફિક જામ થઇ ગયો છે, કૃપા કરીને પાછા ફરો. તમે તમારી આસપાસની કોઈપણ હોટલ કે ઢાબામાં રહી શકો છો. પોલીસે જણાવ્યું કે શહેરમાં ભારે ભીડને કારણે યાત્રામાં ઘણી મુશ્કેલી પડી રહી છે. તેઓ પ્રયાગરાજના પોલીસ અધિકારીઓના સંપર્કમાં છે અને ત્યાંના રસ્તાઓ જામ છે. પોલીસનું કહેવું છે કે 200 થી 300 કિમી લાંબો જામ છે. કટની પોલીસ લોકોને ઘરે પાછા ફરવા વિનંતી કરી રહી છે.
Traffic Jam of 15 KM before Jabalpur ...still 400 KM to prayagraj. Please read traffic situation before coming to Mahakumbh! #MahaKumbh2025 #mahakumbh #MahaKumbhMela2025 @myogiadityanath @yadavakhilesh #kumbhamela #kumbh pic.twitter.com/BKmJ3HNIx7
— Nitun Kumar (@dash_nitun) February 9, 2025
લાખો વાહનો રસ્તાઓ પર ઉતરી ગયા
આ ટ્રાફિક જામ રીવામાં પણ જોવા મળી રહ્યો છે. દક્ષિણ ભારતને પ્રયાગરાજ સાથે જોડતા રેવા-પ્રયાગરાજ રૂટ પર મુસાફરોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તેઓ પોતાની સમસ્યાઓ વ્યક્ત કરી શકતા નથી. વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવેલી બધી વ્યવસ્થાઓ અપૂરતી સાબિત થઈ રહી છે. રસ્તાઓ પર લાખો વાહનો હોવાથી ટ્રાફિકને નિયંત્રિત કરવો મુશ્કેલ બની ગયો છે. મહાકુંભને હવે થોડા જ દિવસો બાકી છે, તેથી દરેક વ્યક્તિ સંગમમાં ડૂબકી લગાવવા માંગે છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
