શોધખોળ કરો

મહારાષ્ટ્રના રાજકારણમાં મોટા ઉલટફેરના સંકેત, અજિત પવાર-શરદ પવાર એક સાથે આવી શકે ?

મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે એકસાથે આવવાની અટકળો વચ્ચે બીજા એક સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે.  

Maharashtra News: મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે એકસાથે આવવાની અટકળો વચ્ચે બીજા એક સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે.   હવે શરદ પવાર અને અજિત પવાર એકસાથે આવવાની ચર્ચાએ પણ જોર પકડ્યું છે. શિવસેના-યુબીટી અને મનસે સાથે આવવા અંગે ઠાકરે ભાઈઓના નિવેદન બાદ હવે એનસીપી-એસપી ધારાસભ્ય અને શરદ પવારના પૌત્ર રોહિત પવારે સ્ટેન્ડ લીધુ છે કે મરાઠીના મુદ્દે બંને રાષ્ટ્રવાદી પક્ષોએ એક સાથે આવવું જોઈએ. 

નોંધનીય છે કે છેલ્લા 10-15 દિવસથી બંને પવાર વિવિધ કાર્યક્રમો માટે સાથે જોવા મળી રહ્યા છે. શરદ પવાર અને અજિત પવાર પણ સોમવારે પુણેમાં બેઠક માટે સાથે આવ્યા હતા. પુણેના સુગર કોમ્પ્લેક્સમાં એઆઈને લગતી બેઠક બાદ વસંતદાદા સુગર ઈન્સ્ટિટ્યૂટની કામગીરી અંગે બેઠક યોજાઈ રહી છે. આ બેઠકમાં શરદ પવાર, અજિત પવાર અને VSI અધિકારીઓ હાજર છે.

જ્યારે અજિત પવારને બંને વચ્ચે ચાલી રહેલી એકતા વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કટાક્ષ કરતાં કહ્યું કે અમારા કાર્યકરો સ્માર્ટ છે. આ રીતે ફરી એકવાર આડકતરી રીતે બંને પવારના એકસાથે આવવાના સમાચારો તરફ ઈશારો કર્યો. પવાર પરિવારમાં ખરેખર શું ચાલી રહ્યું છે?

ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે   વચ્ચે ભાવનાત્મક વાતચીત ચાલુ છે- સંજય રાઉત

તમને જણાવી દઈએ કે આ પહેલા શિવસેના (UBT)ના સાંસદ સંજય રાઉતે રવિવારે કહ્યું હતું કે તેમની પાર્ટી અને MNS વચ્ચે ગઠબંધનની કોઈ જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ તેમણે દાવો કર્યો હતો કે બંને વચ્ચે 'ભાવનાત્મક વાતો' ચાલી રહી છે. સંજય રાઉતે પત્રકારોને જણાવ્યું હતું કે શિવસેના (UBT)ના વડા ઉદ્ધવ ઠાકરેએ MNS વડા અને તેમના પિતરાઈ ભાઈ રાજ ઠાકરે સાથે સમાધાન માટે કોઈ પૂર્વ શરત રાખી નથી.

સંજય રાઉતે કહ્યું, "ગઠબંધનની કોઈ જાહેરાત કરવામાં આવી નથી. હાલમાં ભાવનાત્મક વાતો ચાલી રહી છે." રાજ્યસભાના સભ્યએ કહ્યું, "તેઓ (રાજ અને ઉદ્ધવ) પારિવારિક કાર્યક્રમોમાં મળે છે. તેઓ ભાઈઓ છે." વાસ્તવમાં, રાજ ઠાકરેએ ફિલ્મ નિર્માતા મહેશ માંજરેકરને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે તેમને અવિભાજિત શિવસેનામાં ઉદ્ધવ સાથે કામ કરવામાં કોઈ સમસ્યા નહોતી. આ નિવેદન બાદ બંને વચ્ચે સમાધાનની અટકળો શરૂ થઈ હતી. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો
સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો
ગુજરાતમાં મતદાર યાદી સુધારણામાં મોટી સફળતા: SIR ઝુંબેશ 99.99% પૂર્ણ, તપાસમાં મળ્યા 18 લાખથી વધુ અવસાન પામેલા મતદારો
ગુજરાતમાં મતદાર યાદી સુધારણામાં મોટી સફળતા: SIR ઝુંબેશ 99.99% પૂર્ણ, તપાસમાં મળ્યા 18 લાખથી વધુ અવસાન પામેલા મતદારો
SIR 2.0: તમારું વોટિંગ ફોર્મ BLO એ ઓનલાઈન અપલોડ કર્યું કે નહીં? ઘરે બેઠા 2 મિનિટમાં આ રીતે કરો ચેક
SIR 2.0: તમારું વોટિંગ ફોર્મ BLO એ ઓનલાઈન અપલોડ કર્યું કે નહીં? ઘરે બેઠા 2 મિનિટમાં આ રીતે કરો ચેક
BSNL Profit: શું સરકારે આપેલા કરોડોના પેકેજ બાદ BSNL નફો કરી રહી છે? જાણો તાજા આંકડા!
BSNL Profit: શું સરકારે આપેલા કરોડોના પેકેજ બાદ BSNL નફો કરી રહી છે? જાણો તાજા આંકડા!

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કપાસના ખેડૂતોનો શું વાંક ?
Hun To Bolish : હું તો બોલીશ : કોની શ્રદ્ધા, કોની અંધશ્રદ્ધા ?
Amit Shah on Rahul Gandhi: લોકસભામાં રાહુલ ગાંધી પર કેમ ભડક્યા અમિત શાહ?
Manish Doshi: મનરેગા યોજનામાં ભ્રષ્ટાચાર મામલે મનીષ દોશીના સરકાર પર પ્રહાર
Rajasthan News: રાજસ્થાનના સીકરમાં ટ્રક સાથે અથડાઈ શ્રદ્ધાળુઓની બસ, ત્રણ ગુજરાતીના મોત

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો
સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો
ગુજરાતમાં મતદાર યાદી સુધારણામાં મોટી સફળતા: SIR ઝુંબેશ 99.99% પૂર્ણ, તપાસમાં મળ્યા 18 લાખથી વધુ અવસાન પામેલા મતદારો
ગુજરાતમાં મતદાર યાદી સુધારણામાં મોટી સફળતા: SIR ઝુંબેશ 99.99% પૂર્ણ, તપાસમાં મળ્યા 18 લાખથી વધુ અવસાન પામેલા મતદારો
SIR 2.0: તમારું વોટિંગ ફોર્મ BLO એ ઓનલાઈન અપલોડ કર્યું કે નહીં? ઘરે બેઠા 2 મિનિટમાં આ રીતે કરો ચેક
SIR 2.0: તમારું વોટિંગ ફોર્મ BLO એ ઓનલાઈન અપલોડ કર્યું કે નહીં? ઘરે બેઠા 2 મિનિટમાં આ રીતે કરો ચેક
BSNL Profit: શું સરકારે આપેલા કરોડોના પેકેજ બાદ BSNL નફો કરી રહી છે? જાણો તાજા આંકડા!
BSNL Profit: શું સરકારે આપેલા કરોડોના પેકેજ બાદ BSNL નફો કરી રહી છે? જાણો તાજા આંકડા!
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
Embed widget