શોધખોળ કરો

મહારાષ્ટ્રના રાજકારણમાં મોટો ભૂકંપ, NCP અધ્યક્ષ પદ પરથી શરદ પવારે રાજીનામું આપવાની કરી જાહેરાત

એનસીપીના અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપવાની જાહેરાત કરતા શરદ પવારે કહ્યું કે, "અમે ચર્ચામાં ખૂબ જ નરમ અભિગમ અપનાવ્યો હતો પરંતુ તેમની (કોંગ્રેસની) પ્રતિક્રિયા આવકાર્ય ન હતી."

NCP Sharad Pawar:દેશના સૌથી વરિષ્ઠ રાજકારણીઓમાંના એક અને NCPના રાષ્ટ્રીય અધ્યક્ષ શરદ પવારે નિવૃત્તિની જાહેરાત કરી છે. તેમના જીવન સાથે સંબંધિત પુસ્તકના વિમોચન સમયે બોલતા તેમણે કહ્યું કે, આજે મેં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના રાષ્ટ્રીય અધ્યક્ષ પદેથી નિવૃત્તિ લેવાનો નિર્ણય કર્યો છે.

તેમની રાજકીય કારકિર્દી પર એક પુસ્તકના વિમોચન પ્રસંગે બોલતા પવારે કહ્યું, "મારા માટે આશ્ચર્યજનક છે કે અજીત અચાનક ભાજપમાં કેમ જોડાયા અને ડેપ્યુટી સીએમ તરીકે શપથ લીધા?" જ્યારે મેં વિચારવાનું શરૂ કર્યું કે અજિતે આવો નિર્ણય કેમ લીધો, ત્યારે મને સમજાયું કે કોંગ્રેસ સાથે સરકારની રચના અંગેની ચર્ચા એટલી સુખદ નહોતી. તેમના વર્તનને કારણે અમને રોજેરોજ સરકારની રચના પર ચર્ચામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો.

'કોંગ્રેસના વલણથી નારાજ હતા અજિત પવાર'

અમે ચર્ચામાં ખૂબ જ નરમ અભિગમ અપનાવ્યો હતો પરંતુ તેમનો પ્રતિભાવ આવકાર્ય ન હતો. આવી જ એક મીટીંગમાં હું પણ ગુસ્સે થઈ ગયો હતો અને હું માનતો હતો કે અહીં વધુ ચર્ચા કરવાનો કોઈ અર્થ નથી. જેના કારણે મારી જ પાર્ટીના ઘણા નેતાઓને આંચકો લાગ્યો હતો. અજીતના ચહેરા પરથી સ્પષ્ટ હતું કે તેઓ પણ કોંગ્રેસના આ વલણથી નારાજ છે. મેં મીટિંગ છોડી દીધી પરંતુ મારા અન્ય પક્ષના સાથીદારોને મીટિંગ ચાલુ રાખવા કહ્યું. થોડા સમય પછી મેં જયંત પાટીલને ફોન કર્યો અને મીટિંગ વિશે પૂછ્યું તો તેમણે મને કહ્યું કે અજિત પવાર મારા (શરદ પવાર) પછી તરત જ ચાલ્યા ગયા. તે સમયે મને લાગતું ન હતું કે કંઈક ખોટું થશે. આવા બળવાને ડામવા અને તમામ ધારાસભ્યોને પાછા લાવવા માટે મેં તરત જ પહેલું પગલું ભર્યું. તેમણે કહ્યું, મેં વાયબી ચવ્હાણ કેન્દ્રમાં એક બેઠક બોલાવી હતી, જે દરમિયાન 50 ધારાસભ્યો બેઠકમાં હાજર હતા, તેથી અમને ખાતરી થઈ ગઈ કે આ બળવાખોરમાં કોઈ તાકાત નથી.

'એમવીએ પડી ભાગી કારણ કે ઉદ્ધવે રાજીનામું આપ્યું'

શરદ પવારે કહ્યું કે એમવીએ માત્ર સત્તા માટે રચવામાં આવ્યું નહોતું. તે નાના પક્ષોને કચડીને સત્તામાં આવવાની ભાજપની વ્યૂહરચનાનો યોગ્ય જવાબ છે. MVA સમગ્ર દેશમાં ભાજપ માટે સૌથી મોટો પડકાર હતો અને અમને એવો અંદાજ હતો કે તેઓ અમારી સરકારને અસ્થિર કરવાનો પ્રયાસ કરશે. પરંતુ અમને કલ્પના નહોતી કે ઉદ્ધવના મુખ્યમંત્રી બન્યા પછી તરત જ શિવસેનામાં બળવો શરૂ થશે. પરંતુ શિવસેના નેતૃત્વ સંકટને સંભાળી શક્યું નહીં અને ઉદ્ધવે લડ્યા વિના રાજીનામું આપી દીધું, જેના કારણે એમવીએ સરકાર પડી ગઈ.

'ઉદ્ધવ ઠાકરે માત્ર બે વાર જ મંત્રાલયની મુલાકાત લેતા હતા'

એનસીપી વડાએ કહ્યું, સરકાર ચલાવતી વખતે ઉદ્ધવની કેટલીક મર્યાદાઓ હતી અને તેઓ માત્ર 2-3 વખત મંત્રાલયની મુલાકાત લેતા હતા, જે અમને ગમી રહ્યું નહોતું. બાળાસાહેબ ઠાકરે સાથેની વાતચીતમાં આપણે જે સરળતા મેળવીએ છીએ તે ઉદ્ધવ પાસે નથી. તેમની તબિયત અને ડૉક્ટરની એપોઇન્ટમેન્ટ જોઈને હું તેમને મળતો હતો. મુખ્યમંત્રી તરીકે રાજ્યને લગતા તમામ સમાચાર હોવા જોઈએ.

મુખ્યમંત્રીએ તમામ રાજકીય ઘટનાઓ પર ચાંપતી નજર રાખવી જોઈએ અને ભવિષ્યની સ્થિતિને ધ્યાનમાં રાખીને પગલાં લેવા જોઈએ. અમને બધાને લાગ્યું કે તેનો અભાવ છે અને મુખ્ય કારણ અનુભવનો અભાવ હતો. પરંતુ એમવીએ સરકારના પતન પહેલા જે પરિસ્થિતિનું નિર્માણ થયું હતું, ઉદ્ધવે એક પગલું પીછેહઠ કરી તેનું કારણ મને લાગે છે કે તેનું સ્વાસ્થ્ય હોય શકે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

મમતા બેનર્જીને મોટો ફટકો: 20 ટીએમસી સાંસદોએ સ્પીકરને પત્ર લખી NDAને ટેકો જાહેર કર્યો
મમતા બેનર્જીને મોટો ફટકો: 20 ટીએમસી સાંસદોએ સ્પીકરને પત્ર લખી NDAને ટેકો જાહેર કર્યો
દિલ્હીમાં મમતા બેનર્જીને મોટો ઝટકો, રાજ્યસભાના સાંસદે આપ્યું રાજીનામું, પાર્ટી પણ છોડી
દિલ્હીમાં મમતા બેનર્જીને મોટો ઝટકો, રાજ્યસભાના સાંસદે આપ્યું રાજીનામું, પાર્ટી પણ છોડી
નોકરી નથી છતાં પણ પત્ની અને બાળકોનો ખર્ચ ઉઠાવવો પડશે, કોર્ટનો મોટો નિર્ણય
નોકરી નથી છતાં પણ પત્ની અને બાળકોનો ખર્ચ ઉઠાવવો પડશે, કોર્ટનો મોટો નિર્ણય
4800 ઘૂસણખોરોને બાંગ્લાદેશ મોકલ્યા, 836ને જલદી મોકલીશુંઃ બંગાળ CM સુવેન્દુ અધિકારી
4800 ઘૂસણખોરોને બાંગ્લાદેશ મોકલ્યા, 836ને જલદી મોકલીશુંઃ બંગાળ CM સુવેન્દુ અધિકારી

વિડિઓઝ

Surat Deputy Mayor : સુરતના ડે. મેયર સુધાકર ચૌધરી આવ્યા વિવાદમાં, પુત્રો પર શું લાગ્યો આરોપ?
Share Market News: ભારતીય શેર માર્કેટમાં કડાકો, સેન્સેક્સમાં 550થી વધુ પોઇન્ટનો કડાકો
School Opening : શાળાઓમાં નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ,વિદ્યાર્થીઓનું તિલક કરી કરાયું સ્વાગત
Dhirendra Krishna Shashtri : ધીરેન્દ્ર શાસ્ત્રીના દરબારમાં મહિલાઓ ધૂણવા લાગી
Philippines Earthquake : ફિલિપાઇન્સમાં શક્તિશાળી ભૂકંપ, અનેક ઈમારતો ધરાશાયી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ધીરેન્દ્ર શાસ્ત્રીના દરબારમાં અંધશ્રદ્ધાનો ખેલ? ધુણતી મહિલાનો હુમલો, પીપળિયાનો પડકાર
ધીરેન્દ્ર શાસ્ત્રીના દરબારમાં અંધશ્રદ્ધાનો ખેલ? ધુણતી મહિલાનો હુમલો, પીપળિયાનો પડકાર
સ્કૂલ ખૂલતા જ વાલીઓ પર મોંઘવારીનો માર! અમદાવાદમાં રિક્ષા અને વાનના ભાડામાં મોટો વધારો
સ્કૂલ ખૂલતા જ વાલીઓ પર મોંઘવારીનો માર! અમદાવાદમાં રિક્ષા અને વાનના ભાડામાં મોટો વધારો
મમતા બેનર્જીને મોટો ફટકો: 20 ટીએમસી સાંસદોએ સ્પીકરને પત્ર લખી NDAને ટેકો જાહેર કર્યો
મમતા બેનર્જીને મોટો ફટકો: 20 ટીએમસી સાંસદોએ સ્પીકરને પત્ર લખી NDAને ટેકો જાહેર કર્યો
12 રાજ્યોમાં ચોમાસું પહોંચ્યું, આ તારીખ પછી ગુજરાતમાં હવામાન બદલાશે; 7 દિવસ વરસાદની આગાહી
12 રાજ્યોમાં ચોમાસું પહોંચ્યું, આ તારીખ પછી ગુજરાતમાં હવામાન બદલાશે; 7 દિવસ વરસાદની આગાહી
ઈરાન-ઇઝરાયલ યુદ્ધ પર ડોનાલ્ડ ટ્રમ્પ લાલચોળ: ‘તાત્કાલિક ગોળીબાર બંધ કરો, શાંતિ કરાર....’
ઈરાન-ઇઝરાયલ યુદ્ધ પર ડોનાલ્ડ ટ્રમ્પ લાલચોળ: ‘તાત્કાલિક ગોળીબાર બંધ કરો, શાંતિ કરાર....’
ટીમ ઈન્ડિયાનો ઐતિહાસિક વિજય: અફઘાનિસ્તાનને 1 ઇનિંગ અને 300 રનથી કચડીને નવો રેકોર્ડ
ટીમ ઈન્ડિયાનો ઐતિહાસિક વિજય: અફઘાનિસ્તાનને 1 ઇનિંગ અને 300 રનથી કચડીને નવો રેકોર્ડ
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો: ચાંદી ₹6,000 સસ્તી થઈ, જાણો 24 કેરેટ સોનાનો આજનો ભાવ
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો: ચાંદી ₹6,000 સસ્તી થઈ, જાણો 24 કેરેટ સોનાનો આજનો ભાવ
'ઈરાનમાંથી તરત જ નીકળી જાય ભારતીય...', મિડલ ઈસ્ટમાં ફરીથી યુદ્ધ શરૂ થતા ભારતે જાહેર કરી એડવાઈઝરી
'ઈરાનમાંથી તરત જ નીકળી જાય ભારતીય...', મિડલ ઈસ્ટમાં ફરીથી યુદ્ધ શરૂ થતા ભારતે જાહેર કરી એડવાઈઝરી
Embed widget