તેઓ ઉપવાસ સમેટવા તૈયાર છે, પરંતુ મુખ્ય શરત એ છે કે આંદોલનકારી વિદ્યાર્થીઓ સામે કોઈ કાનૂની કાર્યવાહી ન થાય. જો આ ખાતરી મળે, તો તેઓ પારણાં કરશે.
સોનમ વાંગચુક અનશન તોડશે? જેપી નડ્ડા સાથેની મુલાકાત બાદ સરકાર સામે મૂકી આ મોટી શરતો
વાંગચુકે આત્મહત્યા કરનાર વિદ્યાર્થીઓના પરિવારને વળતર અને યુવાનો સામે કોઈ કાર્યવાહી ન કરવાની ખાતરી માંગી, શિક્ષણ મંત્રીના રાજીનામાની પણ કરી માંગ.

- વાંગચુકે ઉપવાસ સમાપ્તિ માટે સરકાર સમક્ષ નક્કર શરતો મૂકી.
- પેપર લીક પીડિતોને વળતર, શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ.
- આંદોલનકારી વિદ્યાર્થીઓ સામે કાર્યવાહી ન થાય તેવી મુખ્ય શરત.
Sonam Wangchuk letter to government: હાલમાં હોસ્પિટલમાં દાખલ જાણીતા શિક્ષણવિદ્ સોનમ વાંગચુકે હવે પોતાના ઉપવાસ સમેટવાની તૈયારી દર્શાવી છે, પરંતુ તેમણે આ માટે સરકાર સમક્ષ કેટલીક નક્કર શરતો મૂકી છે. હોસ્પિટલના બિછાનેથી જ સરકારને એક પત્ર લખીને તેમણે પેપર લીક કાંડ બાદ હતાશ થઈને આત્મહત્યા કરનારા વિદ્યાર્થીઓના પરિવારોને યોગ્ય વળતર, સંસદમાં આ મુદ્દે વિસ્તૃત ચર્ચા અને શિક્ષણ મંત્રીના રાજીનામાની પોતાની મોટી માંગણીઓ ફરીથી દોહરાવી છે. આ સાથે જ તેમણે સ્પષ્ટ કર્યું છે કે જો સરકાર આંદોલનકારી વિદ્યાર્થીઓ પર કોઈ જ કાનૂની કે દંડાત્મક કાર્યવાહી ન કરવાની ખાતરી આપે, તો જ તેઓ પોતાના પારણાં (ઉપવાસના અંત) કરશે.
મંત્રીઓની મુલાકાત અને સરકારનું આશ્વાસન
પોતાના પત્રમાં સોનમ વાંગચુકે જણાવ્યું છે કે ગઈકાલે રાત્રે કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડા અને જીતેન્દ્ર સિંહે હોસ્પિટલમાં રૂબરૂ તેમની મુલાકાત લીધી હતી. આ મુલાકાત બદલ તેમણે બંને નેતાઓનો હૃદયપૂર્વક આભાર માન્યો છે. વાંગચુકે પત્રમાં લખ્યું છે કે, "આપણી ચર્ચા દરમિયાન, તમે મને ખાતરી આપી હતી કે સરકાર કેટલાક મહત્વના મુદ્દાઓ પર સકારાત્મક રીતે વિચાર કરશે. આમાં પેપર લીકનો ભોગ બનીને આત્મહત્યા કરનારા વિદ્યાર્થીઓના પરિવારોને પૂરતું આર્થિક વળતર આપવું, જવાબદારી નક્કી કરવા માટે સંસદમાં અર્થપૂર્ણ ચર્ચા કરવી અને માનનીય શિક્ષણ મંત્રીના રાજીનામા પર વિચાર કરવા સહિતની બાબતો સામેલ છે."
20 જુલાઈની 'ચલો સંસદ' કૂચ શાંતિપૂર્ણ રહી
તાજેતરના વિરોધ પ્રદર્શનનો ઉલ્લેખ કરતા વાંગચુકે જણાવ્યું હતું કે, "પોલીસના અતિરેક અને બળપ્રયોગ છતાં પણ 20 જુલાઈના રોજ યોજાયેલી 'ચલો સંસદ' કૂચ એકદમ શાંતિપૂર્ણ રહી હતી. સમગ્ર દેશ અને દુનિયાએ જોયું છે કે લોકશાહી ઢબે વિરોધ પ્રદર્શન કરવામાં આપણા યુવાનોએ કેટલી ધીરજ અને મક્કમતા બતાવી છે. મને પૂરી આશા છે કે આ ચળવળમાં સામેલ લોકો સામે કોઈપણ કાનૂની કાર્યવાહી, હેરાનગતિ કે બદલાની કાર્યવાહી કરવામાં નહીં આવે, જેથી લોકશાહી સંસ્થાઓ પરથી તેમનો વિશ્વાસ વધુ નબળો ન પડે."
આ પણ વાંચોઃ દિલ્હીમાં પીએમ આવાસ બહાર હંગામો: રાહુલ-પ્રિયંકાની અટકાયત, રાહુલે કહ્યું- 'આ લડાઈ હવે...'
AN APPEAL TO THE GOVERNMENT
— Sonam Wangchuk (@Wangchuk66) July 22, 2026
regarding breaking my fast…
Once the assurance from govt come I will also appeal to the peacefully protesting students to halt the movement for now and enter into dialogue with the government pic.twitter.com/gR6S8woF5R
65 સાંસદોની અપીલ: "હું જીવવા માંગુ છું, પણ યુવાનોના ભોગે નહીં"
વાંગચુકે પત્રમાં ભાવુક થતા આગળ લખ્યું કે, "તમારી મુલાકાત બાદ, વિવિધ રાજકીય પક્ષોના આશરે 65 જેટલા સાંસદોએ પણ મને પત્ર લખ્યો છે. તેમાંથી કેટલાક તો રૂબરૂ મળવા આવી પણ ચૂક્યા છે, અને બાકીના લોકો આજે સાંજ સુધીમાં આવવાની અપેક્ષા છે. આ તમામ લોકોએ મને મારા ઉપવાસ સમાપ્ત કરવા માટે અપીલ કરી છે અને યાદ અપાવ્યું છે કે મારે રાષ્ટ્રની સેવામાં હજુ ઘણું કામ કરવાનું બાકી છે. હું તેમની વાત સાથે સંમત છું. હું જીવવા માંગુ છું. હું મારા વિદ્યાર્થીઓ, શિક્ષણ અને મારા જીવનને સાર્થક બનાવનાર કામો તરફ પાછા ફરવા માંગુ છું. પરંતુ, જે યુવાનો માટે આ આખી ચળવળ શરૂ થઈ હતી, તેમના ભોગે હું આવું ન કરી શકું."
આ પણ વાંચોઃ દિલ્હીમાં હાઈવોલ્ટેજ ડ્રામા: પીએમ આવાસ બહારથી રાહુલ-પ્રિયંકાની અટકાયત, અખિલેશને હટાવાયા
યુવાનો સામે કોઈ કાર્યવાહી ન થાય તે જ મુખ્ય શરત
અંતમાં, સોનમ વાંગચુકે સરકારને સીધી અપીલ કરતા જણાવ્યું હતું કે સરકાર એવી પાકી ખાતરી આપે કે આ આંદોલનમાં ભાગ લેનારા કોઈપણ યુવાન વિરોધીઓ સામે કોઈ કાનૂની કાર્યવાહી કરવામાં આવશે નહીં. આ યુવાનોનો એકમાત્ર ગુનો એટલો જ છે કે તેમણે એક જવાબદાર શિક્ષણ પ્રણાલી માટે પોતાનો અવાજ ઉઠાવ્યો. તેમણે કહ્યું, "જો આવી ખાતરી આપવામાં આવે, તો હું એવા વિશ્વાસ સાથે મારા ઉપવાસનો અંત લાવીશ કે સરકારે માત્ર મારી અપીલ જ નથી સાંભળી, પરંતુ દેશના લાખો યુવા ભારતીયોની આકાંક્ષાઓને પણ સમજી છે."
Frequently Asked Questions
સોનમ વાંગચુક ઉપવાસ સમાપ્ત કરવા શા માટે તૈયાર છે?
સોનમ વાંગચુકની સરકાર પાસે મુખ્ય માંગણીઓ શું છે?
તેમની માંગણીઓમાં પેપર લીકથી આત્મહત્યા કરનારા વિદ્યાર્થીઓના પરિવારોને વળતર, સંસદમાં ચર્ચા અને શિક્ષણ મંત્રીના રાજીનામાનો સમાવેશ થાય છે. વિદ્યાર્થીઓ સામે કાર્યવાહી ન થવાની ખાતરી પણ અગત્યની છે.
સોનમ વાંગચુકની મુલાકાત કયા મંત્રીઓએ લીધી હતી?
કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડા અને જીતેન્દ્ર સિંહે હોસ્પિટલમાં તેમની મુલાકાત લીધી હતી. તેમણે વાંગચુકને ખાતરી આપી કે સરકાર કેટલાક મુદ્દાઓ પર સકારાત્મક રીતે વિચારશે.
'ચલો સંસદ' કૂચનું સ્વરૂપ કેવું રહ્યું?
20 જુલાઈના રોજ યોજાયેલી 'ચલો સંસદ' કૂચ પોલીસના બળપ્રયોગ છતાં એકદમ શાંતિપૂર્ણ રહી હતી. વાંગચુકે આશા વ્યક્ત કરી કે વિરોધ પ્રદર્શનમાં સામેલ લોકો સામે કોઈ કાર્યવાહી ન થાય.






















