શોધખોળ કરો

Odisha Rail Accident: ઓડિશા ટ્રેન દુર્ઘટનાને લઈને શક્તિસિંહ ગોહિલનો ધડાકો, 9 ફેબ્રુઆરીએ જ આપવામાં આવી હતી ચેતવણી

Odisha Rail Accident: ઓડિશામાં થયેલ રેલવે દુર્ઘટનાને કારણે 275 લોકોએ જીવ ગુમાવ્યા છે. આ અકસ્માત બાદ આરોપ પ્રત્યારોપનો દોર ચાલી રહ્યો છે. વિપક્ષ સતત રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવનું રાજીનામું માગી રહ્યા છે.

Odisha Rail Accident: ઓડિશામાં થયેલ રેલવે દુર્ઘટનાને કારણે 275 લોકોએ જીવ ગુમાવ્યા છે. આ અકસ્માત બાદ આરોપ પ્રત્યારોપનો દોર ચાલી રહ્યો છે. વિપક્ષ સતત રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવનું રાજીનામું માગી રહ્યા છે. તો બીજી તરફ રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે ઈન્ટરલોકિંગ સિસ્ટમ અંગે નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, બાલાસોર ટ્રેન દુર્ઘટના પાછળ ઈલેક્ટ્રોનિક ઈન્ટરલોકિંગ સિસ્ટમ જવાબદાર હોઈ શકે છે. હવે મામલે રાજ્યસભાના સાંસદ શક્તિસિંહે ગોહિલે આકરા પ્રહારો કર્યા છે. 

 

તેમણે ટ્વિટ કરી જણાવ્યું કે, 9 ફેબ્રુઆરી 2023 ના આંતરિક અહેવાલમાં સિગ્નલની સલામતી વિશે વાત કરતા કહેવામાં આવ્યું હતું કે જો સિગ્નલનું કામ યોગ્ય રીતે કરવામાં નહીં આવે તો મોટી દુર્ઘટના થઈ શકે છે. તેમ છતાં મોદી સરકારે આ અહેવાલ પર ધ્યાન આપ્યું ન હતું.

 

ઓડિશા ટ્રેન દુર્ઘટનાને લઈને ખુદ રેલવે મંત્રીએ કર્યો ખુલાસો

ઓડિશાના બાલાસોર જિલ્લામાં ભયાનક ટ્રેન દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 275 લોકોએ જીવ ગુમાવ્યા છે. આ અકસ્માતમાં સેંકડો મુસાફરો ઘાયલ થયા છે જેમની સારવાર ચાલી રહી છે. અકસ્માતથી અસરગ્રસ્ત ટ્રેકની સામાન્ય સેવાઓ પુનઃસ્થાપિત કરવા માટે સમારકામનું કામ પણ ઝડપી ગતિએ ચાલી રહ્યું છે. આજે ભારતીય રેલ્વેએ અકસ્માતના કારણ અને અન્ય પાસાઓ વિશે માહિતી આપી હતી. 

રેલવે બોર્ડના સભ્ય જયા વર્મા સિન્હાએ કહ્યું હતું કે, સુરક્ષા એ રેલવેની સર્વોચ્ચ પ્રાથમિકતા છે. અમે સુનિશ્ચિત કરીએ છીએ કે પુરાવા સાથે ચેડાં ન થાય અને કોઈ સાક્ષી પ્રભાવિત ન થાય. ગંભીર રીતે ઘાયલ ટ્રેનના ડ્રાઈવરે કહ્યું કે 'ગ્રીન' સિગ્નલ મળ્યા બાદ જ ટ્રેન આગળ વધી હતી. જયા વર્માએ વધુમાં કહ્યું કે, ન તો તેણે કોઈ સિગ્નલ જમ્પ કર્યું કે ન તો ટ્રેન ઓવરસ્પીડ હતી. NIA નહીં, ગૃહ મંત્રાલય અમારી મદદ કરી રહ્યું છે. સાંજે લગભગ 8 વાગ્યા સુધીમાં અમને 2 લાઇન મળી જશે, જેના પર ટ્રેનો ધીમી ગતિએ આવવા લાગશે.

દુર્ઘટનાના કારણ અંગે રેલવેના ઓપરેશન્સ બિઝનેસ ડેવલપમેન્ટના સભ્ય જયા વર્માએ કહ્યું હતું કે, તપાસ ચાલી રહી છે. અમે તમામ એંગલથી તપાસ કરી રહ્યા છીએ. પ્રથમ દૃષ્ટિએ એવું લાગે છે કે, સિગ્નલમાં કોઈ સમસ્યા હોઈ શકે છે, પરંતુ અમે અત્યારે કંઈપણ પુષ્ટિ કરી શકીએ તેમ નથી. જયા વર્માએ કહ્યું હતું કે, કવચ ભારતમાં બનેલી સિસ્ટમ છે. આવનારા ભવિષ્યમાં અમે તેની નિકાસ પણ કરી શકીશું. આ રેલની સલામતી સાથે સંબંધિત છે, તેથી અમે તેનું આકરૂ પરીક્ષણ કર્યું છે. ખુદ રેલ્વે મંત્રીએ ટ્રેનમાં બેસીને આ અંગે તપાસ કરી છે. તમામ લાઈનો અને ટ્રેનોમાં આ ડિવાઈસ ઈન્સ્ટોલ કરવામાં સમય અને પૈસા લાગશે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, દુર્ઘટના બાદ રેલવેએ પહેલા રાહત અને બચાવ કાર્ય કર્યું, ત્યાર બાદ રિપેરિંગનું કામ કરવામાં આવી રહ્યું છે. બહાનાગા સ્ટેશન પર 4 લાઈનો છે. તેમાં 2 મુખ્ય લાઈનો છે. લૂપ લાઇન પર એક માલગાડી હતી. ડ્રાઇવરને સ્ટેશન પર ગ્રીન સિગ્નલ મળી ગયું હતું. બંને ગાડીઓ પૂરપાટ ઝડપે દોડી રહી હતી. પ્રાથમિક તપાસમાં સિગ્નલમાં ગરબડ થઈ હોવાનું જણાય છે. માત્ર કોરોમંડલ જ આ ઘટનાની ઝપટમાં આવી હતી.

રેલ્વે બોર્ડ મેમ્બરે અકસ્માતને લઈને કહ્યું હતું કે, માલગાડી પાટા પરથી ઉતરી નથી. માલગાડી ટ્રેન લોખંડનો સામાન લઈ જતી હોવાથી કોરોમંડલ એક્સપ્રેસને સૌથી વધુ નુકસાન થયું હતું. આટલા ઉંચા મૃતાંક અને ઈજાઓ થવા પાછળનું મુખ્ય કારણ આ જ છે. તેમણે વધુમાં કહ્યું હતું કે, કોરોમંડલની ઝડપ લગભગ 128 કિમી પ્રતિ કલાક હતી. કોરોમંડલ એક્સપ્રેસના પાટા પરથી ઉતરી ગયેલા કોચ ડાઉન લાઇન પર આવ્યા અને 126 કિમી પ્રતિ કલાકની ઝડપે ડાઉન લાઇન પાર કરી રહેલી યશવંતપુર એક્સપ્રેસના છેલ્લા બે કોચ સાથે અથડાઈ.

આ દુર્ઘટના અંગે રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે રવિવારે કહ્યું હતું કે, ટ્રેન દુર્ઘટનાનું કારણ રેલવે સિગ્નલ માટે મહત્વપૂર્ણ 'પોઈન્ટ મશીન' અને 'ઈલેક્ટ્રોનિક ઈન્ટરલોકિંગ' સિસ્ટમ સાથે સંબંધિત છે. ઈલેક્ટ્રોનિક ઈન્ટરલોકિંગમાં ફેરફારની ઓળખ કરવામાં આવી છે જેના કારણે અકસ્માત થયો હતો. તેમણે આ ઘટનાને કવચ તંત્ર સાથે કોઈ સંબંધ હોવાનો ઈન્કાર કર્યો હતો.

રેલવે તેના નેટવર્કમાં આર્મર સિસ્ટમ પ્રદાન કરવાની પ્રક્રિયામાં છે, જેથી ટ્રેનોની અથડામણને કારણે થતા અકસ્માતોને અટકાવી શકાય. રેલ્વે મંત્રાલયના જણાવ્યા અનુસાર, પુનઃસ્થાપન કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે અને અધિકારીઓ અકસ્માત સ્થળ પર પુનઃસ્થાપન પ્રક્રિયા પર નજીકથી નજર રાખી રહ્યા છે. એક હજારથી વધુ કર્મચારીઓ કામમાં રોકાયેલા છે. આ ભયાનક અકસ્માત ઓડિશાના બાલાસોરમાં બહંગા બજાર રેલ્વે સ્ટેશન પાસે શુક્રવારે સાંજે થયો હતો.

ટોપ સ્ટોરી

Weather Forecast: દેશના 17 રાજ્યોમાં આજે ગાજવીજ સાથે વરસશે વરસાદ, IMDનું એલર્ટ
Weather Forecast: દેશના 17 રાજ્યોમાં આજે ગાજવીજ સાથે વરસશે વરસાદ, IMDનું એલર્ટ
મુંબઈમાં FDAનો સપાટો, મેકડોનાલ્ડ્સ સહિત 13 ફૂડ આઉટલેટ્સના લાઇસન્સ સસ્પેન્ડ
મુંબઈમાં FDAનો સપાટો, મેકડોનાલ્ડ્સ સહિત 13 ફૂડ આઉટલેટ્સના લાઇસન્સ સસ્પેન્ડ
રાહુલ ગાંધીના ધરણાં બાદ આખરે પેલેટ ગન મામલે FIR નોંધવા તૈયાર દિલ્હી પોલીસ
રાહુલ ગાંધીના ધરણાં બાદ આખરે પેલેટ ગન મામલે FIR નોંધવા તૈયાર દિલ્હી પોલીસ
Rain Alert: કાલે દેશના 24 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, જાણો IMD લેટેસ્ટ અપડેટ  
Rain Alert: કાલે દેશના 24 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, જાણો IMD લેટેસ્ટ અપડેટ  

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'હું તો બોલીશ'ની અસર, દોડતું થયું પ્રશાસન
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડની મીઠાશ કેમ થઈ મોંઘી ?
Hun To Bolish : હું તો બોલીશ : ડૉક્ટર કે ગુંડો ?
Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડની ઘટનાને લઇને અમદાવાદમાં કોંગ્રેસનો વિરોધ
Rahul Gandhi Dharna: પેલેટ ગન મુદ્દે સંસદ માર્ગ પોલીસમથક બહાર ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મુંબઈમાં FDAનો સપાટો, મેકડોનાલ્ડ્સ સહિત 13 ફૂડ આઉટલેટ્સના લાઇસન્સ સસ્પેન્ડ
મુંબઈમાં FDAનો સપાટો, મેકડોનાલ્ડ્સ સહિત 13 ફૂડ આઉટલેટ્સના લાઇસન્સ સસ્પેન્ડ
Gujarat Rain: 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે
Gujarat Rain: 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે
8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 
8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 
Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું
Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું
Budhaditya yog: 4 રાશિઓના આવતીકાલથી અચ્છે દિન! બુધાદિત્ય યોગથી થશે ધન લાભ 
Budhaditya yog: 4 રાશિઓના આવતીકાલથી અચ્છે દિન! બુધાદિત્ય યોગથી થશે ધન લાભ 
BSNL નો 72 દિવસનો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન, દરરોજ મળશે 2GB ડેટા, જાણો કિંમત
BSNL નો 72 દિવસનો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન, દરરોજ મળશે 2GB ડેટા, જાણો કિંમત
2 સપ્ટેમ્બરે ગુરુ નક્ષત્રમાં મંગળ ગોચર, આ 3 રાશિઓને પ્રોપર્ટી-બિઝનેસ-કરિયરમાં મોટા લાભના યોગ 
2 સપ્ટેમ્બરે ગુરુ નક્ષત્રમાં મંગળ ગોચર, આ 3 રાશિઓને પ્રોપર્ટી-બિઝનેસ-કરિયરમાં મોટા લાભના યોગ 
Weather Forecast: દેશના 17 રાજ્યોમાં આજે ગાજવીજ સાથે વરસશે વરસાદ, IMDનું એલર્ટ
Weather Forecast: દેશના 17 રાજ્યોમાં આજે ગાજવીજ સાથે વરસશે વરસાદ, IMDનું એલર્ટ
Embed widget