શોધખોળ કરો

Sukhdev Singh: સુખદેવસિંહ મર્ડર કેસમાં પોલીસે SIT રચી, હરિયાણાથી પકડાયા બે આરોપીઓ, હજુ પણ તપાસ ચાલુ....

સુખદેવસિંહ ગોગામેડી હત્યા કેસની તપાસ માટે SITની રચના કરવામાં આવી છે. ડીજીપીએ એડીજી ક્રાઈમના નેતૃત્વમાં એસઆઈટીની રચના કરી છે.

Sukhdev Singh Gogamedi Murder: ગઇકાલે શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ સુખદેવસિંહ ગોગામેડીની જયપુરમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. હુમલાખોરોએ તેના ઘરની બહાર ગોળીબાર કર્યો અને ભાગી ગયા. સુખદેવ સિંહ ગોગામેડીને મેટ્રો માસ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા. આ ફાયરિંગમાં અજીત સિંહ ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઘટના સમયે અજીત ગોગામેડી સાથે હતો. જોકે, હવે આ ઘટનાને લઇને આખા રાજસ્થાનમાં વાતાવરણ તંગ બન્યુ છે. કરણી સેનાએ રાજસ્થાન બંધનું એલાન આપ્યુ છે, અને હત્યારાઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. તો વળી બીજી બાજુ આ કેસની તપાસ મામલે એસઆઇટીની રચના કરવામાં આવી છે. 

હત્યાની તપાસ માટે એસઆઇટી બની 
સુખદેવસિંહ ગોગામેડી હત્યા કેસની તપાસ માટે SITની રચના કરવામાં આવી છે. ડીજીપીએ એડીજી ક્રાઈમના નેતૃત્વમાં એસઆઈટીની રચના કરી છે. સુખદેવસિંહની મંગળવારે તેમના નિવાસસ્થાને હત્યા કરવામાં આવી હતી. આ કેસમાં બે લોકોની ધરપકડ કરવામાં આવી છે.

ગોગામેડી હત્યા કેસની સઘન તપાસ માટે DGP ઉમેશ મિશ્રાએ SITની રચના કરી હતી. આ SITની રચના એડીજી ક્રાઈમ દિનેશ એનએમની દેખરેખ હેઠળ કરવામાં આવી છે. વળી, મોટા સમાચાર એ છે કે ગોગામેડી હત્યા કેસમાં બે આરોપીઓની ઓળખ થઈ ગઈ છે. FIR નોંધાતાની સાથે જ બંને આરોપીઓ પર 5-5 લાખ રૂપિયાનું ઈનામ જાહેર કરવામાં આવશે. આરોપીઓ વિશે માહિતી આપનારને 5 લાખ રૂપિયાનું ઈનામ આપવામાં આવશે.

મહિપાલ સિંહ મકરાનાએ આપી ચેતાવણી 
કરણી સેનાના મહિપાલસિંહ મકરાણાએ ચેતવણી આપી છે કે જો 4 વાગ્યા પછી રાજસ્થાન બંધ નહીં કરવામાં આવે તો તેઓ રસ્તો રોકશે.

રાજભવન પણ કૂચ કરીશું- સૂરજપાલ અમ્મૂ 
સૂરજપાલ અમ્મુનું કહેવું છે કે અમારી કમિટી નિર્ણયો લઈ રહી છે. રાજભવન સુધી કૂચ કરવી પડશે તો કૂચ કરીશું. મારા ભાઈની લાશ ત્યાં પડી છે. જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી મૃતદેહ પણ લઈ જવાશે નહીં, પોસ્ટમોર્ટમની વાત તો છોડો. અશોક ગેહલોત અને તેના અધિકારીઓ દોષિત છે. અમારી સમિતિ નિર્ણયો લઈ રહી છે.

પોલીસે હરિયાણાથી બે આરોપીઓને પકડ્યા 
માર્યા ગયેલા સાથીદાર નિતિનના ફોનમાંથી ઘણી કડીઓ એકત્ર કર્યા બાદ પોલીસે હરિયાણામાંથી બે આરોપીઓની ધરપકડ કરી છે. જોકે પોલીસ આ મામલે કોઈ માહિતી આપી રહી નથી, પરંતુ નીતિનના પરિવારજનોની પૂછપરછ કરીને ઘણી હકીકતો એકત્ર કરવામાં આવી છે.

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ઇન્ડિયા ગઠબંધનની બેઠકમાં ઉદ્ધવ ઠાકરે જૂથ સામેલ થશે કે નહીં? જાણો શું છે મોટું અપડેટ?
ઇન્ડિયા ગઠબંધનની બેઠકમાં ઉદ્ધવ ઠાકરે જૂથ સામેલ થશે કે નહીં? જાણો શું છે મોટું અપડેટ?
મોદી સરકાર સામે મહામંથન: કાલે દિલ્હીમાં ઇન્ડિયા એલાયન્સની બેઠક, 23 પક્ષો આપશે હાજરી
મોદી સરકાર સામે મહામંથન: કાલે દિલ્હીમાં ઇન્ડિયા એલાયન્સની બેઠક, 23 પક્ષો આપશે હાજરી
દિલ્હી બેઠક પહેલા સંજય સિંહનો મોટો ધડાકો, ‘આપ હવે ઇન્ડિયા (INDIA) ગઠબંધનનો ભાગ નથી’
દિલ્હી બેઠક પહેલા સંજય સિંહનો મોટો ધડાકો, ‘આપ હવે ઇન્ડિયા (INDIA) ગઠબંધનનો ભાગ નથી’
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 11 રાજ્યોમાં તોફાની વરસાદ અને વીજળીનું એલર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 11 રાજ્યોમાં તોફાની વરસાદ અને વીજળીનું એલર્ટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : શ્રમિકોના જીવનું મૂલ્ય શું ?
Hun To Bolish : હું તો બોલીશ : બ્રેક ખર્ચ પર કે વહીવટ પર ?
Ahmedabad News: ચોમાસા પહેલા AMCએ જવાબદારીથી ખંખેર્યા હાથ, મનપા કમિશનરે શહેરીજનોને આપી ચેતવણી
Late Yogesh Patel's Prayer Meet: વડોદરાના સ્વ.યોગેશભાઈ પટેલની પ્રાર્થના સભા, CMએ પુષ્પાંજલિ અર્પણ કરી પાઠવી શ્રદ્ધાંજલિ
Gujarat Rain Forecast : ગુજરાતમાં સાત દિવસ રહેશે વરસાદી માહોલ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મોદી સરકાર સામે મહામંથન: કાલે દિલ્હીમાં ઇન્ડિયા એલાયન્સની બેઠક, 23 પક્ષો આપશે હાજરી
મોદી સરકાર સામે મહામંથન: કાલે દિલ્હીમાં ઇન્ડિયા એલાયન્સની બેઠક, 23 પક્ષો આપશે હાજરી
રાજકોટ: બાબા બાગેશ્વરના દિવ્ય દરબારમાં પ્રશ્નો પૂછવા જતા પરસોત્તમ પીપળીયાની અટકાયત
રાજકોટ: બાબા બાગેશ્વરના દિવ્ય દરબારમાં પ્રશ્નો પૂછવા જતા પરસોત્તમ પીપળીયાની અટકાયત
મહારાષ્ટ્રમાં પહોંચ્યું ચોમાસું, ગુજરાતમાં આ તારીખે થશે એન્ટ્રી; જાણો ક્યારે બદલાશે હવામાન
મહારાષ્ટ્રમાં પહોંચ્યું ચોમાસું, ગુજરાતમાં આ તારીખે થશે એન્ટ્રી; જાણો ક્યારે બદલાશે હવામાન
શુભમન ગિલને BCCI નો કડક આદેશ: T20 ભૂલી જાઓ, આ 2 મોટી ટ્રોફી જીતવા પર લગાવો ધ્યાન
શુભમન ગિલને BCCI નો કડક આદેશ: T20 ભૂલી જાઓ, આ 2 મોટી ટ્રોફી જીતવા પર લગાવો ધ્યાન
'પીએમ ઈચ્છે છે યુવાનો રીલ્સ બનાવે': CBSE કૌભાંડ ખોલનાર વિદ્યાર્થીઓના રાહુલે કર્યા વખાણ
'પીએમ ઈચ્છે છે યુવાનો રીલ્સ બનાવે': CBSE કૌભાંડ ખોલનાર વિદ્યાર્થીઓના રાહુલે કર્યા વખાણ
ઓડિશાનો 80 હજાર પગારદાર એન્જિનિયર નીકળ્યો કરપ્શન કિંગ: 2 કરોડ રોકડા અને 13 પ્લોટ મળ્યા
ઓડિશાનો 80 હજાર પગારદાર એન્જિનિયર નીકળ્યો કરપ્શન કિંગ: 2 કરોડ રોકડા અને 13 પ્લોટ મળ્યા
મોંઘવારીનો માર: ઘરેલુ LPG સિલિન્ડરના ભાવ 942 રૂપિયાને પાર, જાણો કેટલી સબસિડી મળશે?
મોંઘવારીનો માર: ઘરેલુ LPG સિલિન્ડરના ભાવ 942 રૂપિયાને પાર, જાણો કેટલી સબસિડી મળશે?
શુક્ર ગોચર 2026: 12 વર્ષ પછી કર્ક રાશિમાં મહાયુતિથી આ 3 રાશિઓ પર આવશે મોટું આર્થિક સંકટ!
શુક્ર ગોચર 2026: 12 વર્ષ પછી કર્ક રાશિમાં મહાયુતિથી આ 3 રાશિઓ પર આવશે મોટું આર્થિક સંકટ!
Embed widget