શોધખોળ કરો

‘બ્રેકઅપ એ બળાત્કાર નથી’: લિવ-ઇન રિલેશનશિપ પર સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક અને મોટો ચુકાદો

Supreme Court Live-in Relationship: સુપ્રીમ કોર્ટે કહ્યું કે લગ્નની લાલચે 15 વર્ષ સાથે રહ્યા બાદ સંબંધ તૂટે તો તેને રેપ ન ગણી શકાય.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • સુપ્રીમ કોર્ટ: લગ્નની લાલચ આપી 15 વર્ષ લિવ-ઇન, બળાત્કાર ગણાશે નહીં.
  • સંબંધ તૂટવાથી ગુનેગાર ન બને, કાયદાનો દુરુપયોગ ન થવો જોઈએ.
  • લિવ-ઇન સંબંધથી જન્મેલા બાળકને ગેરકાયદેસર ગણી શકાય નહીં.
  • બાળકને પિતા પાસેથી ભરણપોષણ મેળવવાનો સંપૂર્ણ અધિકાર રહેશે.

Supreme Court Live-in Relationship: સુપ્રીમ કોર્ટે એક અત્યંત મહત્વપૂર્ણ ચુકાદો આપતા સ્પષ્ટ કર્યું છે કે, લાંબા સમય સુધી સહમતિથી લિવ ઇન રિલેશનશિપમાં રહ્યા બાદ જો સંબંધ તૂટે, તો તેને બળાત્કાર ગણી શકાય નહીં. લગ્નની ખોટી લાલચ આપીને 15 વર્ષ સુધી સાથે રહેવાના એક કેસને ફગાવી દેતા કોર્ટે કહ્યું કે, માત્ર બ્રેકઅપ થવાથી કે સંબંધ તૂટી જવાથી કોઈ ગુનેગાર નથી બની જતું. જોકે, કોર્ટે એ પણ સ્પષ્ટ કર્યું છે કે આવા સંબંધથી જન્મેલા બાળકને ક્યારેય ગેરકાયદેસર ન ગણી શકાય અને તેને પોતાના પિતા પાસેથી ભરણપોષણ મેળવવાનો પૂરો અધિકાર છે.

શું હતો આખો મામલો?

એક મહિલાએ એક તહસીલદાર પર આરોપ લગાવ્યો હતો કે તેણે લગ્નની લાલચ આપીને તેના પર બળાત્કાર ગુજાર્યો છે. મહિલા જ્યારે 18 વર્ષની હતી ત્યારે તે આ આરોપીને મળી હતી, તે સમયે તે વિધવા હતી. આરોપીએ તેને લગ્નનું વચન આપ્યું અને બંને લગભગ 15 વર્ષ સુધી એકબીજાની સાથે લિવ ઇનમાં રહ્યા હતા. આ સમય દરમિયાન તેમને એક બાળક પણ થયું. બાદમાં મહિલાને ખબર પડી કે આરોપી પહેલાથી જ પરિણીત છે અને તેણે આ વાત છુપાવી હતી, એટલું જ નહીં, તેના અન્ય મહિલાઓ સાથે પણ અફેર હતા.

સુપ્રીમ કોર્ટે પૂછ્યું  "આમાં ગુનો ક્યાં છે?"

આ કેસની સુનાવણી દરમિયાન જસ્ટિસ નાગરત્નાની બેન્ચે આશ્ચર્ય વ્યક્ત કરતા સીધો સવાલ કર્યો કે, "આમાં ગુનો ક્યાં બને છે? જો આમ જ ચાલશે તો, કોઈ પણ મહિલા લિવ ઇન રિલેશનશિપના બ્રેકઅપ પછી સીધી બળાત્કારની ફરિયાદ નોંધાવી દેશે. 15 વર્ષ સુધી તમે પોતાની મરજીથી સાથે રહ્યા હોવ, તો પછી તેને બળાત્કાર કેવી રીતે કહી શકાય?"

"અમને સહાનુભૂતિ છે, પણ કાયદાનો દુરુપયોગ ન થવો જોઈએ"

બેન્ચે વધુમાં જણાવ્યું હતું કે, માત્ર 'લગ્નનું ખોટું વચન' આપ્યું હોવાની વાતને આટલા લાંબા સંબંધ પછી બળાત્કારનો કેસ દાખલ કરવા માટેનો મજબૂત આધાર માની શકાય નહીં. કોર્ટે મહિલાને કહ્યું, "અમને તમારી સાથે પૂરી સહાનુભૂતિ છે કે તમને મૂર્ખ બનાવવામાં આવ્યા, પરંતુ માત્ર સંબંધ તોડી નાખવાથી કોઈ વ્યક્તિ ગુનેગાર સાબિત નથી થતો. સંબંધ તૂટવાનો બદલો લેવા માટે ફોજદારી કાયદાનો હથિયાર તરીકે ઉપયોગ ન થવો જોઈએ."

બાળકને છે ભરણપોષણનો પૂરો અધિકાર

જોકે, ન્યાયાધીશોએ કાયદાકીય સ્થિતિ સ્પષ્ટ કરતા કહ્યું કે, કાયદાની નજરમાં આવા સંબંધથી જન્મેલું બાળક "ગેરકાયદેસર" નથી. તેથી, તે મહિલાને પોતાના બાળકના ઉછેર માટે પિતા પાસેથી આર્થિક ટેકો (ભરણપોષણ) મેળવવાનો પૂરો અધિકાર છે. આ સ્પષ્ટતા કર્યા બાદ, કોર્ટે બંને પક્ષોને શાંતિથી અને સમજુતીથી આ મામલાનો ઉકેલ લાવવા માટે મધ્યસ્થી કેન્દ્ર (મીડિએશન સેન્ટર) માં મોકલી આપ્યા હતા.

Frequently Asked Questions

લિવ-ઇન રિલેશનશિપ તૂટી જવા પર બળાત્કારનો કેસ થઈ શકે?

લાંબા સમય સુધી સહમતિથી લિવ-ઇન રિલેશનશિપમાં રહ્યા બાદ જો સંબંધ તૂટે, તો તેને બળાત્કાર ગણી શકાય નહીં. ફક્ત બ્રેકઅપ થવાથી કે સંબંધ તૂટી જવાથી કોઈ ગુનેગાર નથી બની જતું.

લિવ-ઇન સંબંધથી જન્મેલા બાળકને શું અધિકાર છે?

લિવ-ઇન સંબંધથી જન્મેલું બાળક ક્યારેય ગેરકાયદેસર ગણી શકાય નહીં. બાળકને પોતાના પિતા પાસેથી ભરણપોષણ મેળવવાનો પૂરો અધિકાર છે.

લગ્નની ખોટી લાલચ આપીને લાંબા સમય સુધી સાથે રહેવાના કેસમાં સુપ્રીમ કોર્ટનો શું મત છે?

સુપ્રીમ કોર્ટે જણાવ્યું છે કે, માત્ર 'લગ્નનું ખોટું વચન' આપ્યું હોવાની વાતને આટલા લાંબા સંબંધ પછી બળાત્કારનો કેસ દાખલ કરવા માટેનો મજબૂત આધાર માની શકાય નહીં.

સુપ્રીમ કોર્ટના મતે કાયદાનો દુરુપયોગ કેવી રીતે ટાળવો જોઈએ?

સુપ્રીમ કોર્ટે કહ્યું કે, સંબંધ તૂટવાનો બદલો લેવા માટે ફોજદારી કાયદાનો હથિયાર તરીકે ઉપયોગ ન થવો જોઈએ. કાયદાનો દુરુપયોગ ટાળવો જરૂરી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

દિલ્હીમાં શિક્ષણ મંત્રીની વિકેટ પાડ્યા બાદ હવે પટના કૂચ! સમ્રાટ ચૌધરી સામે CJP ના અભિજીત દીપકેનું એલાન
દિલ્હીમાં શિક્ષણ મંત્રીની વિકેટ પાડ્યા બાદ હવે પટના કૂચ! સમ્રાટ ચૌધરી સામે CJP ના અભિજીત દીપકેનું એલાન
Gen-Z માટે મોટા સમાચાર: આ રાજ્યમાં MLA અને MP બનવાની ઉંમર ઘટાડીને 21 વર્ષ કરવાનો પ્રસ્તાવ પસાર થશે
Gen-Z માટે મોટા સમાચાર: આ રાજ્યમાં MLA અને MP બનવાની ઉંમર ઘટાડીને 21 વર્ષ કરવાનો પ્રસ્તાવ પસાર થશે
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ દેશને મળ્યા નવા શિક્ષણ મંત્રી, જાણો કોણ છે પ્રહલાદ જોશી?
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ દેશને મળ્યા નવા શિક્ષણ મંત્રી, જાણો કોણ છે પ્રહલાદ જોશી?
ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકારાયું! જાણો કોને મળી શિક્ષણ મંત્રાલયની નવી જવાબદારી
ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકારાયું! જાણો કોને મળી શિક્ષણ મંત્રાલયની નવી જવાબદારી
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : દમણ પ્રશાસનને સલામ
Hun To Bolish : હું તો બોલીશ : પાણીમાં વાહનનો વીમો ?
Hun To Bolish : હું તો બોલીશ : જળપ્રલયમાં લોકપ્રહરી
Audio Viral: ગુજરાતમાં મોટાપાયે અરાજક્તા ફેલાવવાના ષડયંત્રનો પર્દાફાશ
Ambalal Patel Rain Forecast : આગામી 48 કલાક ઉ.ગુજરાત માટે ભારે, અંબાલાલ પટેલે શું કરી આગાહી?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ દેશને મળ્યા નવા શિક્ષણ મંત્રી, જાણો કોણ છે પ્રહલાદ જોશી?
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ દેશને મળ્યા નવા શિક્ષણ મંત્રી, જાણો કોણ છે પ્રહલાદ જોશી?
ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકારાયું! જાણો કોને મળી શિક્ષણ મંત્રાલયની નવી જવાબદારી
ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકારાયું! જાણો કોને મળી શિક્ષણ મંત્રાલયની નવી જવાબદારી
IND vs ZIM 2nd T20 Highlights: 2026 માં ભારતનો ત્રીજો સૌથી મોટો વિજય, જુઓ મેચની હાઇલાઇટ્સ
IND vs ZIM 2nd T20 Highlights: 2026 માં ભારતનો ત્રીજો સૌથી મોટો વિજય, જુઓ મેચની હાઇલાઇટ્સ
PM મોદીની મોટી કાર્યવાહી! NEET પેપર લીક વિવાદ વચ્ચે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકાર્યું
PM મોદીની મોટી કાર્યવાહી! NEET પેપર લીક વિવાદ વચ્ચે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકાર્યું
જંતર મંતર પર વિરોધ પ્રદર્શનનો અંત! CJP ના નિર્ણય પર સોનમ વાંગચુકે કહ્યું - ‘તમારું ચરિત્ર...’
જંતર મંતર પર વિરોધ પ્રદર્શનનો અંત! CJP ના નિર્ણય પર સોનમ વાંગચુકે કહ્યું - ‘તમારું ચરિત્ર...’
CJP એ કરી આંદોલનના અંતની જાહેરાત, સરકારે તમામ માંગો સ્વીકારી હોવાનો દાવો
CJP એ કરી આંદોલનના અંતની જાહેરાત, સરકારે તમામ માંગો સ્વીકારી હોવાનો દાવો
26 જુલાઈનું હવામાન: આવતીકાલે ગુજરાત સહિત 18 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાનું રેડ એલર્ટ!
26 જુલાઈનું હવામાન: આવતીકાલે ગુજરાત સહિત 18 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાનું રેડ એલર્ટ!
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પછી આંદોલન પૂરું થશે? CJP નેતા અભિજીત દીપકેની માગણીઓથી સરકારની વધી ચિંતા
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પછી આંદોલન પૂરું થશે? CJP નેતા અભિજીત દીપકેની માગણીઓથી સરકારની વધી ચિંતા
Embed widget