શોધખોળ કરો

Maharashtra: શું 20 વર્ષ પછી ફરી સાથે આવશે ઠાકરે 'બ્રધર્સ'? શરદ પવાર જૂથ તરફથી આવ્યું મોટું નિવેદન

Uddhav Thackeray-Raj Thackeray News: શરદ પવારની NCP-SP એ ઠાકરે બંધુઓ વચ્ચેના સમાધાનના પ્રસ્તાવનું સ્વાગત કર્યું. સુપ્રિયા સુલેએ કહ્યું કે જો બંને મહારાષ્ટ્રના હિતમાં સાથે આવે છે, તો તેમને સમર્થન આપવું જોઈએ.

Uddhav Thackeray-Raj Thackeray News:  મહારાષ્ટ્રમાં ઠાકરે બંધુઓના પુનઃમિલનની અટકળોએ ફરી એકવાર રાજકીય ગતિવિધિઓને તેજ બનાવી દીધી છે. એવી અટકળો છે કે ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે વચ્ચેના મતભેદોને બાજુ પર રાખીને બંને ભાઈઓ હવે સાથે આવી શકે છે. મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના પ્રમુખ રાજ ઠાકરેએ તાજેતરમાં ઉદ્ધવ ઠાકરેને હાથ મિલાવવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. હવે આ અંગે શરદ પવાર જૂથના NCP તરફથી એક મોટું નિવેદન આવ્યું છે.

રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી-શરદચંદ્ર પવાર (NCP SP) ના સાંસદ સુપ્રિયા સુલેએ શનિવારે (19 એપ્રિલ) કહ્યું કે જો અલગ થયેલા પિતરાઈ ભાઈઓ રાજ ઠાકરે અને ઉદ્ધવ ઠાકરે મહારાષ્ટ્રના હિતમાં ફરીથી સાથે આવે છે, તો તેનું "સંપૂર્ણ સ્વાગત" થવું જોઈએ. બારામતીના સાંસદ સુપ્રિયા સુલેએ બે પિતરાઈ ભાઈઓ વચ્ચે સમાધાનની શક્યતા અંગેની અટકળો પર પ્રતિક્રિયા આપતા આ વાત કહી.

ઠાકરે બંધુઓ 20 વર્ષ પછી હાથ મિલાવી શકે છે
મનસે નેતા રાજ ઠાકરે અને તેમના પિતરાઈ ભાઈ અને શિવસેના યુબીટીના વડા ઉદ્ધવ ઠાકરે વચ્ચે સંભવિત રાજકીય સમાધાનની અટકળોએ જોર પકડ્યું, કારણ કે બંનેના નિવેદનોમાં સંકેત મળ્યો હતો કે તેઓ 'નાના મુદ્દાઓ'ને અવગણી શકે છે અને લગભગ બે દાયકા અથવા 20 વર્ષના અલગતા પછી હાથ મિલાવી શકે છે.

રાજ ઠાકરે અને ઉદ્ધવ ઠાકરેએ શું કહ્યું?
મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના વડા રાજ ઠાકરેએ કહ્યું કે તેમના ભૂતકાળના મતભેદો "નાના" હતા અને "મરાઠી માનુષ" ના વ્યાપક હિત માટે એક થવું કોઈ મુશ્કેલ કાર્ય નથી. શિવસેના યુબીટીના વડા ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે તેઓ નાના મુદ્દાઓ અને મતભેદોને અવગણવા તૈયાર છે, બસ શરત એટલી છે કે, મહારાષ્ટ્રના હિતોની વિરુદ્ધ કામ કરનારાઓને કોઈ મહત્વ આપવામાં ન આવે.

'બાળ ઠાકરે આજે બહુ  ખુશ થાત' - સુપ્રિયા સુલે
આ અંગે સુપ્રિયા સુળેએ કહ્યું, "રાજ ઠાકરેએ કહ્યું છે કે મહારાષ્ટ્રમાં ચાલી રહેલો વિવાદ તેમના વિવાદ કરતાં મોટો છે. આ મારા માટે ખુશીના સમાચાર છે. જો બાલ ઠાકરે આપણી વચ્ચે હોત, તો તેઓ આજે ખૂબ ખુશ હોત. જો બંને ભાઈઓ મહારાષ્ટ્રના હિત માટે ફરીથી એક થઈ રહ્યા છે, તો આપણે તેનું હૃદયપૂર્વક સ્વાગત કરવું જોઈએ." નોંધનિય છે કે, આ પહેલા મહારાષ્ટ્રના સીએમ દેવેન્દ્ર ફડણવીશે પણ આ વાતને પોઝિટિવ રીતે લીધી હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Deur Kothar Stupa: મધ્ય પ્રદેશમાં મળ્યો મૌર્યકાલીન સ્તૂપ, જાણો આ સાંચી સ્તૂપથી કેટલો ખાસ?
Deur Kothar Stupa: મધ્ય પ્રદેશમાં મળ્યો મૌર્યકાલીન સ્તૂપ, જાણો આ સાંચી સ્તૂપથી કેટલો ખાસ?
Independence day: તિરંગાના 3 રંગોનો અસલી મતલબ શું છે? જાણો કેસરી, સફેદ અને લીલા રંગનો સાચો અર્થ
Independence day: તિરંગાના 3 રંગોનો અસલી મતલબ શું છે? જાણો કેસરી, સફેદ અને લીલા રંગનો સાચો અર્થ
Weather Update: ગુજરાત સહિત દેશના 15 રાજ્યોમાં કાલે ધોધમાર વરસાદ તૂટી પડશે, હવામાન લેટેસ્ટ અપડેટ 
Weather Update: ગુજરાત સહિત દેશના 15 રાજ્યોમાં કાલે ધોધમાર વરસાદ તૂટી પડશે, હવામાન લેટેસ્ટ અપડેટ 

વિડિઓઝ

Gujarat Rain Breaking News : ગુજરાતમાં આજે ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
Dwarka Farmers Protest : દ્વારકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની ખેડૂતોની માગ
Hun To Bolish : હું તો બોલીશ : મેડમની માયાજાળ
Hun To Bolish : હું તો બોલીશ : નેશનલ હાઈવે પર ખાડાનો ટોલ ટેક્સ
Gujarat Weather : ગુજરાતમાં ખાબકશે ભારે વરસાદ, એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 
દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
UIDAI Update : આધારને સાથે લઈ જવાની ઝંઝટ ખતમ, એક જ ફોનમાં રાખો પરિવારના  5 Aadhaar Card
UIDAI Update : આધારને સાથે લઈ જવાની ઝંઝટ ખતમ, એક જ ફોનમાં રાખો પરિવારના  5 Aadhaar Card
8th Pay Commission: બેઝિક પગાર ₹69,000 અને પેન્શન ₹45,000 કરવાનો પ્રસ્તાવ, જાણો પેન્શનર્સની મોટી માંગ
8th Pay Commission: બેઝિક પગાર ₹69,000 અને પેન્શન ₹45,000 કરવાનો પ્રસ્તાવ, જાણો પેન્શનર્સની મોટી માંગ
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Embed widget