શોધખોળ કરો

Maharashtra: થાણેમાં ચાર માળની બિલ્ડિંગ ધરાશાયી, એક વ્યક્તિનું મોત  

મહારાષ્ટ્રના થાણે જિલ્લાના ડોમ્બિવલી વિસ્તારમાં શુક્રવારે ચાર માળની રહેણાંક ઇમારત ધરાશાયી થતાં કાટમાળ નીચે દટાઈ જવાથી 55 વર્ષીય વ્યક્તિનું મૃત્યુ થયું હતું.

Thane News: મહારાષ્ટ્રના થાણે જિલ્લાના ડોમ્બિવલી વિસ્તારમાં શુક્રવારે ચાર માળની રહેણાંક ઇમારત ધરાશાયી થતાં કાટમાળ નીચે દટાઈ જવાથી 55 વર્ષીય વ્યક્તિનું મૃત્યુ થયું હતું. નગરપાલિકાના એક અધિકારીએ જણાવ્યું હતું કે સત્તાવાળાઓએ પહેલેથી જ ઇમારતને "જર્જરિત અને જોખમી" જાહેર કરી દીધી છે. તેમણે કહ્યું કે કલ્યાણ ડોમ્બિવલી મ્યુનિસિપલ કોર્પોરેશન (KDMC)ના અધિકારક્ષેત્ર હેઠળના આયરે ગામમાં સ્થિત 'આદિનારાયણ ભવન' સાંજે તૂટી પડ્યું. ઈમારતમાં 44 મકાનો હતા અને તેનો કેટલોક ભાગ ધરાશાયી થયા બાદ ગુરુવારથી તેને ખાલી કરાવવામાં આવી રહી છે.

અધિકારીએ જણાવ્યું હતું કે શુક્રવારે સાંજે લગભગ 5.40 વાગ્યે ઇમારત ધરાશાયી થઈ હતી અને તપાસ અને બચાવ ટીમોએ થોડા સમય પછી કાટમાળમાંથી સૂરજ બિરજા લોડ્યા (55)નો મૃતદેહ બહાર કાઢ્યો હતો.

કેડીએમસીના વડા ભાઈસાહેબ દાંગડેએ જણાવ્યું હતું કે એવા અહેવાલો છે કે બે લોકો બીમાર છે અને તેઓ કાટમાળ નીચે ફસાયેલા હોવાની આશંકા છે, જ્યારે અન્ય રહેવાસીઓને બહાર કાઢવામાં આવ્યા છે.

દાંગડેએ પત્રકારોને જણાવ્યું હતું કે, “50 વર્ષ જૂની ઈમારતને જોખમી જાહેર કરવામાં આવી હતી અને તેમાં રહેતા લોકોને ઈમારત ખાલી કરવા માટે નોટિસ પાઠવવામાં આવી હતી. ઘણા લોકોએ ઈમારત ખાલી કરી હતી પરંતુ કેટલાક લોકો ઈમારતમાં પરત ફર્યા હતા.'' તેમણે જણાવ્યું કે ઈમારતનો કેટલોક ભાગ ધરાશાયી થઈ રહ્યો હતો અને તેને ખાલી કરવાની પ્રક્રિયા ગુરુવારે સાંજે શરૂ કરવામાં આવી હતી અને આ પ્રક્રિયા ઈમારતના સમયે પણ ચાલી રહી હતી. 

અન્ય એક અધિકારીએ કહ્યું, "તે એક ગેરકાયદેસર ઇમારત હતી અને કેડીએમસીએ તેને પહેલાથી જ જોખમી જાહેર કરી દીધું હતું." "પ્રારંભિક અહેવાલ મુજબ, એક મહિલા કાટમાળ નીચે દટાઈ હોવાની આશંકા છે" તેમણે કહ્યું રાહત અને બચાવ કામગીરી ફાયર બ્રિગ્રેડ દ્વારા હાથ ધરવામાં આવી હતી. દાંગડે અને અન્ય વરિષ્ઠ અધિકારીઓની દેખરેખ હેઠળ સ્થાનિક ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલના સભ્યો બચાવ કામગીરી કરી રહ્યા છે. 

સ્થળ પરના અન્ય એક પાલિકાના અધિકારીએ જણાવ્યું હતું કે વોર્ડમાં 40 ઇમારતો હતી જેને જોખમી જાહેર કરવામાં આવી હતી જ્યારે કેડીએમસીની સીમા હેઠળ વિવિધ કેટેગરીમાં આવી 602 ઇમારતો છે. આવી ઇમારતો પર નાગરિક સંસ્થાની કાર્યવાહી અંગેના પ્રશ્નના જવાબમાં દાંગડેએ જણાવ્યું હતું કે અત્યારે પ્રાથમિકતા સ્થળ પર શોધ અને બચાવ કામગીરી હાથ ધરવાની છે.

અગાઉ થાણે મ્યુનિસિપલ કોર્પોરેશનના ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલના વડા યાસીન તડવીએ જણાવ્યું હતું કે ઇમારત ધરાશાયી થવાની માહિતી મળ્યા પછી થાણે ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સની એક ટીમને પણ સ્થળ પર મોકલવામાં આવી હતી. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Weather Forecast: '15 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, હવામાન વિભાગની ચેતવણી
Weather Forecast: '15 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, હવામાન વિભાગની ચેતવણી
Goa Tour Package: ટ્રેનના ભાડામાં ફ્લાઇટથી ગોવા! 4-સ્ટાર હોટેલ, ફ્રી નાસ્તો-ડિનર સાથે IRCTCનું શાનદાર પેકેજ
Goa Tour Package: ટ્રેનના ભાડામાં ફ્લાઇટથી ગોવા! 4-સ્ટાર હોટેલ, ફ્રી નાસ્તો-ડિનર સાથે IRCTCનું શાનદાર પેકેજ
દર્શનના પહેલા અઠવાડિયામાં જ 90 ટકા પીગળી ગયા બાબા બર્ફાની... ગ્લોબલ વોર્મિંગ કે માનવીય દખલ?
દર્શનના પહેલા અઠવાડિયામાં જ 90 ટકા પીગળી ગયા બાબા બર્ફાની... ગ્લોબલ વોર્મિંગ કે માનવીય દખલ?
'નીતીશ કુમારે CM સમ્રાટને લગાવી ફટકાર, બિહારમાં પડવા જઈ રહી છે સરકાર', તેજ પ્રતાપનો મોટો દાવો
'નીતીશ કુમારે CM સમ્રાટને લગાવી ફટકાર, બિહારમાં પડવા જઈ રહી છે સરકાર', તેજ પ્રતાપનો મોટો દાવો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ક્યાના ભૂવા મોટા ?
Hun To Bolish : હું તો બોલીશ : સસ્પેન્ડ નહીં ડિસમિસ
Hun To Bolish : હું તો બોલીશ : આ બાટલી ક્યાંથી આવી ?
Devusinh Chauhan Statement: ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણનું સ્ફોટક નિવેદન
Rajkot Gaming Zone Fire Case : રાજકોટ TRP અગ્નિકાંડમાં મનપાની સૌથી મોટી કાર્યવાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Updates: 12 જુલાઇએ રાજ્યના આ જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Weather Updates: 12 જુલાઇએ રાજ્યના આ જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
વિયેતનામમાં ભારતીય પ્રવાસીઓથી ભરેલી બોટ પલટી, 15 ના મોત, દૂતાવાસે જાહેર કર્યો હેલ્પલાઇન નંબર
વિયેતનામમાં ભારતીય પ્રવાસીઓથી ભરેલી બોટ પલટી, 15 ના મોત, દૂતાવાસે જાહેર કર્યો હેલ્પલાઇન નંબર
IND vs ENG 5th T20: શું આજે સંજુ સેમસન રમશે? આ દિગ્ગજ ખેલાડી થશે બહાર, જુઓ સંભવિત પ્લેઇંગ 11
IND vs ENG 5th T20: શું આજે સંજુ સેમસન રમશે? આ દિગ્ગજ ખેલાડી થશે બહાર, જુઓ સંભવિત પ્લેઇંગ 11
યુકેમાં કંગાળ પ્રદર્શનથી BCCI લાલઘૂમ: શું ગૌતમ ગંભીર અને શ્રેયસ ઐયર પર એક્શન લેવાશે?
યુકેમાં કંગાળ પ્રદર્શનથી BCCI લાલઘૂમ: શું ગૌતમ ગંભીર અને શ્રેયસ ઐયર પર એક્શન લેવાશે?
દર્શનના પહેલા અઠવાડિયામાં જ 90 ટકા પીગળી ગયા બાબા બર્ફાની... ગ્લોબલ વોર્મિંગ કે માનવીય દખલ?
દર્શનના પહેલા અઠવાડિયામાં જ 90 ટકા પીગળી ગયા બાબા બર્ફાની... ગ્લોબલ વોર્મિંગ કે માનવીય દખલ?
INDW vs ENGW: સચિન તેંડુલકર અને વિરાટ-રોહિત, બધાને પછાડી હરમનપ્રીત કૌરે લોર્ડ્સમાં રચ્યો ઇતિહાસ
INDW vs ENGW: સચિન તેંડુલકર અને વિરાટ-રોહિત, બધાને પછાડી હરમનપ્રીત કૌરે લોર્ડ્સમાં રચ્યો ઇતિહાસ
Ahmedabad: જગન્નાથ યાત્રાની તડામાર તૈયારી, રણછોડ રાય મંદિરમાં મામેરાના દર્શન માટે અનેરો ઉત્સાહ
Ahmedabad: જગન્નાથ યાત્રાની તડામાર તૈયારી, રણછોડ રાય મંદિરમાં મામેરાના દર્શન માટે અનેરો ઉત્સાહ
સતત હાર બાદ ગૌતમ ગંભીરનો સાથ છોડી શકે છે કોચિંગ સ્ટાફના 2 સભ્યો, રિપોર્ટમાં ખુલાસો
સતત હાર બાદ ગૌતમ ગંભીરનો સાથ છોડી શકે છે કોચિંગ સ્ટાફના 2 સભ્યો, રિપોર્ટમાં ખુલાસો
Embed widget