શોધખોળ કરો

Agnipath Scheme Protest: 'અગ્નિપથ' યોજના સામે વિરોધ પ્રદર્શનના કારણે આ ટ્રેનો થઈ રદ, જાણો અપડેટ 

દક્ષિણ રેલવેએ રવિવારે જણાવ્યું હતું કે કેન્દ્રની સશસ્ત્ર દળોમાં ભરતી યોજના 'અગ્નિપથ' સામેના આંદોલન(Protest Against Agnipath) ને કારણે તેણે કેટલીક વધુ ટ્રેનો રદ કરી છે.

Agnipath Scheme Protest: દક્ષિણ રેલવેએ રવિવારે જણાવ્યું હતું કે કેન્દ્રની સશસ્ત્ર દળોમાં ભરતી યોજના 'અગ્નિપથ' સામેના આંદોલન(Protest Against Agnipath) ને કારણે તેણે કેટલીક વધુ ટ્રેનો રદ કરી છે. શુક્રવારથી દેશભરમાં આ યોજના(Agnipath Protest)નો વિરોધ થઈ રહ્યો છે. આ યોજના હેઠળ યુવાનોને ચાર વર્ષના સમયગાળા માટે સશસ્ત્ર દળોમાં 'અગ્નિવીર' (Agniveer)તરીકે સેવા આપવાની તક આપવામાં આવશે.

આજે એક સત્તાવાર જાહેરાતમાં દક્ષિણ રેલવે(Southern Railway) એ જણાવ્યું હતું કે કેએસઆર બેંગલુરુ-સંઘમિત્રા ડેઈલી એક્સપ્રેસને રદ કરવામાં આવી છે, જ્યારે કેએસઆર બેંગલુરુ-પટના સાપ્તાહિક હમસફર સુપર ફાસ્ટ એક્સપ્રેસને પણ રદ કરવામાં આવી છે. એ જ રીતે, ગયા-એમજીઆર ચેન્નઈ સેન્ટ્રલ વીકલી એક્સપ્રેસ જે આજે ચેન્નઈથી ઉપડતી હતી અને સોમવારે ઉપડનારી કેએસઆર બેંગલુરુ-ન્યુ તિનસુકિયા વીકલી સુપરફાસ્ટ એક્સપ્રેસ રદ કરવામાં આવી છે.

દક્ષિણ રેલ્વેએ કહ્યું કે તેણે હરિશિંગા અને કેએસઆર બેંગલુરુ વચ્ચેની નવી તિનસુકિયા-કેએસઆર બેંગલુરુ સાપ્તાહિક એક્સપ્રેસને આંશિક રીતે રદ કરી છે. શુક્રવારે હૈદરાબાદમાં અગ્નિપથના વિરોધ દરમિયાન પોલીસ ગોળીબારમાં એક વ્યક્તિનું મોત થયું હતું અને અન્ય ચાર ઘાયલ થયા હતા. છેલ્લા બે દિવસમાં દક્ષિણ રેલ્વેએ વિરોધને કારણે ઘણી ટ્રેનોને આંશિક અથવા સંપૂર્ણ રીતે રદ કરી છે.

ભારતીય વાયુસેનાએ ભરતી નૉટિફિકેશન બહાર પાડી દીધુ

ભારતભરમાં અગ્નિપથ યોજનાને લઇને વિરોધ ચાલી રહ્યો છે, ત્યારે આ બધાની વચ્ચે ભારતીય વાયુસેનાએ ભરતી નૉટિફિકેશન બહાર પાડી દીધુ છે. અગ્નિપથ યોજનામાં અગ્નિવીરોની ભરતી માટે વાયુસેનાએ ડિટેલ પોતાની વેબસાઇટ પર મુકી દીધી છે. આ ડિટેલ અનુસાર, ચાર વર્ષની સેવા દરમિયાન અગ્નિવીરોની વાયુસેના તરફથી બીજી કેટલીય સેવાઓ આપવામાં આવશે, જે સ્થાયી વાયુસૈનિકોને મળનાર પ્રમાણે હશે. 

એરફોર્સની વેબસાઇટ પર અપલૉડ કરવામાં આવેલી જાણકારી અનુસાર, અગ્નિવીરોની સેલેરીની સાથે હાર્ડશિપ એલાઉન્સ, યૂનિફૉર્મ એલાઉન્સ, કેન્ટિન સુવિધા અને મેડિકલ સુવિધા પણ મળશે. આ સુવિધાઓ એક રેગ્યૂલર સૈનિકોને મળે છે. 

અગ્નિવીરોના સેવા કાળ દરમિયાન ટ્રાવેલ એલાઉન્સ પણ મળશે. આ ઉપરાંત તેને વર્ષમાં 30 દિવસની રજા મળશે. તેના માટે મેડિકલ લીવની વ્યવસ્થા અલગ છે. અગ્નિવીરોને સીએસડી કેન્ટિનની સર્વિસ (ચાર વર્ષ) દરમિયાન જો મૃત્યુ થઇ જાય છે, તો તેના પરિવારને ઇન્શ્યૉરન્સ કવર મળશે, આ અંતર્ગત તેના પરિવારને લગભગ 1 કરોડ રૂપિયા મળશે.

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?

વિડિઓઝ

Himatnagar Protest : હુડાના વિરોધમાં લોકોએ સાંસદની ઓફિસ બહાર મચાવ્યો હંગામો, જુઓ અહેવાલ
Kutch Earthquake : કચ્છના માંડવીમાં અનુભવાયો 3.9ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો
Hun To Bolish : હું તો બોલીશ : 'ગોગો પેપર' વેચ્યા તો મર્યા સમજો
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના નેતાઓનો કજિયો
Hun To Bolish : હું તો બોલીશ : બાલિકા વધૂ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
SBI ના કરોડો ગ્રાહકોને ઝટકો: બેંકે FD ના વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો 15 ડિસેમ્બરથી લાગુ થતા નવા રેટ્સ
SBI ના કરોડો ગ્રાહકોને ઝટકો: બેંકે FD ના વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો 15 ડિસેમ્બરથી લાગુ થતા નવા રેટ્સ
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
‘જો પત્ની કમાતી હોય તો પતિ પાસેથી ભરણપોષણ માંગી શકે નહીં’: અલ્હાબાદ હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો
‘જો પત્ની કમાતી હોય તો પતિ પાસેથી ભરણપોષણ માંગી શકે નહીં’: અલ્હાબાદ હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો
Embed widget