શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
રામદાસ અઠાવલેએ કહ્યુ- કંગના સાથે અન્યાય થયો, BMCની કાર્યવાહીથી મુંબઇની બદનામી થઇ
કેન્દ્રિય મંત્રી અને આરપીઆઇ અધ્યક્ષ રામદાસ અછાવલેએ આજે મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારી સાથે મુલાકાત કરી હતી.
![રામદાસ અઠાવલેએ કહ્યુ- કંગના સાથે અન્યાય થયો, BMCની કાર્યવાહીથી મુંબઇની બદનામી થઇ Union Minister Ramdas Athawale meets Maharashtra governor Bhagat Singh Koshyari રામદાસ અઠાવલેએ કહ્યુ- કંગના સાથે અન્યાય થયો, BMCની કાર્યવાહીથી મુંબઇની બદનામી થઇ](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/09/12041931/10.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
મુંબઇઃ કેન્દ્રિય મંત્રી અને આરપીઆઇ અધ્યક્ષ રામદાસ અછાવલેએ આજે મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારી સાથે મુલાકાત કરી હતી. અઠાવલેએ રાજ્યપાલ સમક્ષ બીએમસી દ્ધારા કંગનાની ઓફિસમાં કરવામાં આવેલી કાર્યવાહીનો મુદ્દો ઉઠાવ્યો અને કંગનાને વળતર આપવાની માંગ કરી હતી.
એબીપી ન્યૂઝ સાથેની વાતચીતમાં રામદાસ અઠાવલેએ કહ્યું કે, કંગના સાથે ખૂબ અન્યાય થયો છે. તે એક મોટી એક્ટ્રેસ છે. મુંબઇમાં 16 વર્ષથી રહે છે. નોંધનીય છે કે ગુરુવારે અઠાવલેએ કંગના સાથે મુલાકાત કરી હતી.
અઠાવલેએ કહ્યું હતું કે, કંગનાએ મને જણાવ્યું કે, તેણે જે કાંઇ કમાણી કરી હતી તે તમામ ઓફિસમાં લગાવી હતી. બીએમસીએ જાણીજોઇને તેની સાથે બદલો લેવા માટે તેની ઓફિસ પર બુલડોઝર ફેરવ્યું હતું.
અઠાવલેએ કહ્યું કે, બીએમસીની આ કાર્યવાહીથી મુંબઇની બદનામી થઇ છે. મેં આજે રાજ્યપાલજીની મુલાકાત કરી હતી અને માંગ કરી હતી કે કંગનાને ન્યાય મળે અને તેને વળતર આપવામાં આવે.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ધર્મ-જ્યોતિષ
દેશ
બિઝનેસ
આરોગ્ય
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)