શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Intermittent Fasting: શું જીવલેણ બની શકે છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ? રિસર્ચ રિપોર્ટમાં ઉભા કરાયા અનેક સવાલ

Intermittent Fasting: વજન ઘટાડવા અને કોલેસ્ટ્રોલ અને સુગરને નિયંત્રિત કરવા માટે વિશ્વભરમાં વિવિધ પ્રકારના ફાસ્ટિંગનું ચલણ ઝડપથી વધી રહ્યું છે

Intermittent Fasting: વજન ઘટાડવા અને કોલેસ્ટ્રોલ અને સુગરને નિયંત્રિત કરવા માટે વિશ્વભરમાં વિવિધ પ્રકારના ફાસ્ટિંગનું ચલણ ઝડપથી વધી રહ્યું છે. મોટી સંખ્યામાં લોકો ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ તરફ વળ્યા છે. આ ફાસ્ટિંગની  એક પદ્ધતિ છે જેમાં ચોક્કસ સમય દરમિયાન પૌષ્ટિક વસ્તુઓનું સેવન કરવું પડે છે. ઉદાહરણ તરીકે, જો તમે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ કરો છો તો સલાહ આપવામાં આવે છે કે 24 કલાકમાં 16 કલાક ઉપવાસ કરો અને દર 8 કલાકે કંઈક હળવું ખાઓ. જો કે, એવું જરૂરી નથી કે આ પ્રકારના ફાસ્ટિંગ બધા લોકો માટે ફાયદાકારક હોય. તાજેતરના એક અભ્યાસમાં સંશોધકોએ ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગને લઈને મોટો દાવો કર્યો છે.

વૈજ્ઞાનિકોએ સંશોધનમાં જણાવ્યું હતું કે, જો કે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગને ઘણી રીતે ફાયદાકારક માનવામાં આવે છે, જો કે, જો તમને હૃદય રોગ હોય છે કો તમે આ પ્રકારના ઉપવાસ કરો છો તો તે જીવલેણ જોખમો વધારી શકે છે. સ્વાસ્થ્ય નિષ્ણાંતોએ ચેતવણી આપી છે કે કોઈ પણ પ્રકારના ફાસ્ટિંગને તમારી જાતે શરૂ ન કરો. તમારા સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને કોઈપણ ફાસ્ટિંગ પદ્ધતિ ડૉક્ટરની સલાહ પર જ અપનાવવી જોઈએ.

ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ  પર સંશોધન

અમેરિકન હાર્ટ એસોસિએશનની કોન્ફરન્સમાં રજૂ કરાયેલ સંશોધન પેપરમાં ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ ઉપવાસને લઈને ઘણા પ્રશ્નો ઉભા થયા છે. હૃદયની સમસ્યાઓ ધરાવતા લોકો માટે આ પ્રકારના ફાસ્ટિંગથી કાર્ડિયોવેસ્ક્યુલર મૃત્યુનું જોખમ 91 ટકા વધી જાય છે, સમાચાર પ્રકાશનમાં જણાવાયું છે.

ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ અંગે અત્યાર સુધી કરવામાં આવેલા અભ્યાસના અહેવાલો તદ્દન વિરોધાભાસી જણાય છે. અગાઉના સંશોધનમાં કહેવામાં આવ્યું હતું કે ઉપવાસની આ પદ્ધતિ ઇન્સ્યુલિન સંવેદનશીલતા, બળતરા, સ્થૂળતા અને કોલેસ્ટ્રોલ જેવા હૃદય રોગના પરિબળોને ઘટાડવામાં ફાયદાકારક છે, જો કે તાજેતરના રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે આ પ્રકારના ફાસ્ટિંગ હૃદય રોગથી મોતના જોખમોને વધારી શકે છે

AHA ના રિપોર્ટની હાઇલાઇટ્સ

જો આપણે કોન્ફરન્સમાં રજૂ કરાયેલા સંશોધન પેપરના તારણો પર નજર કરીએ તો, તે સ્પષ્ટ થાય છે કે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ એવા લોકો માટે ગેરફાયદા હોઈ શકે છે જેઓ પહેલેથી જ અમુક પ્રકારની સ્વાસ્થ્ય સમસ્યાઓથી પીડાય છે. અભ્યાસો અનુસાર, તે હૃદય રોગ અથવા કેન્સરથી પીડિત લોકોમાં કાર્ડિયોવેસ્ક્યુલર મૃત્યુનું જોખમ પણ વધારી શકે છે. હૃદય રોગથી પીડિત લોકોમાં ફાસ્ટિંગની આ પદ્ધતિ હાર્ટ એટેક અથવા સ્ટ્રોકથી મૃત્યુનું જોખમ 66 ટકા વધારી શકે છે. જોકે, અભ્યાસના આ અહેવાલ સામે ઘણા નિષ્ણાતોએ વાંધો પણ વ્યક્ત કર્યો છે.

નિષ્ણાતોએ વાંધો વ્યક્ત કર્યો હતો

સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના મેડિસિન અને ન્યૂટ્રિશનિસ્ટના પ્રોફેસર ક્રિસ્ટોફર ગાર્ડનર પીએચડીના કહેવા પ્રમાણે આ તારણો સમય અગાઉ અને ભ્રામક છે. અભ્યાસ જૂથમાં જે લોકોને સામેલ કરવામાં આવ્યા હતા તેમાં પુરુષો, આફ્રિકન અમેરિકનો અને ધૂમ્રપાન કરનારાઓનો સમાવેશ થાય છે, જેમને પહેલાથી જ હૃદય રોગ અને મૃત્યુનું જોખમ વધારે જોવામાં આવ્યું છે

પ્રોફેસર ગાર્ડનરે કહ્યું હતું કે તે સિવાય તપાસકર્તાઓ પાસે શિફ્ટ વર્ક, સ્ટ્રેસ અને અન્ય ડેટાનો અભાવ છે, આવી સ્થિતિમાં ફક્ત ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગને મૃત્યુ માટે જોખમી પરિબળ ગણી શકાય નહીં.

સંશોધનની પ્રમાણિકતા પર સવાલ

પ્રખ્યાત કેનેડિયન નેફ્રોલોજિસ્ટ અને ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ પર પુસ્તક લખનારા ડૉ. જેસન ફંગે પણ રિસર્ચના રિપોર્ટ પર સવાલ ઉઠાવ્યા છે. તેમનું કહેવું છે કે, આ નિષ્કર્ષ કોઈ ચોક્કસ વસ્તીના પરિણામોના આધારે કાઢી શકાય નહીં. આની પુષ્ટી કરવા માટે વધુ અભ્યાસની જરૂર છે.

જો કે, એક વાત ચોક્કસ છે કે એ જરૂરી નથી કે કોઈપણ ફાસ્ટિંગની રીત બધા લોકો માટે યોગ્ય હોય, તેથી સંપૂર્ણ તપાસ અને તબીબી સલાહ વિના આવી પદ્ધતિઓ અપનાવવાનું ટાળવું જોઈએ.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રાજય સરકારે વધુ એક નવી નગરપાલિકાની રચના કરી, ધારી ૧૬૦મી નગરપાલિકા બનશે
રાજય સરકારે વધુ એક નવી નગરપાલિકાની રચના કરી, ધારી ૧૬૦મી નગરપાલિકા બનશે
ગામડેથી પાછા આવ્યા બાદ એકનાથ શિંદેનું પહેલું મોટું નિવેદન, કહ્યું -  મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તો....
ગામડેથી પાછા આવ્યા બાદ એકનાથ શિંદેનું પહેલું મોટું નિવેદન, કહ્યું - મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તો....
'ઓછામાં ઓછા 3 બાળકો હોવા જોઈએ', RSS ચીફ મોહન ભાગવતનું મોટું નિવેદન
'ઓછામાં ઓછા 3 બાળકો હોવા જોઈએ', RSS ચીફ મોહન ભાગવતનું મોટું નિવેદન
શેરબજારમાંથી બમ્પર કમાણી કરવાની તક, આ સપ્તાહે 3 IPO ખુલશે, 8 લિસ્ટ થશે
શેરબજારમાંથી બમ્પર કમાણી કરવાની તક, આ સપ્તાહે 3 IPO ખુલશે, 8 લિસ્ટ થશે
Advertisement
ABP Premium

વિડિઓઝ

LPG Cylinder Price : કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 16.50 રૂપિયાનો વધારોUSA News:Donald trump:અમેરિકામાં ભણતા વિદેશી વિદ્યાર્થીઓ માટે સૌથી મોટા સમાચાર, જુઓ વીડિયોમાંGandhinagar Accident: સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત ત્રણ ઈજાગ્રસ્ત, એકનું મોતHun To Bolish : હું તો બોલીશ : આ નબીરાઓને કોઈ નહીં રોકે !

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજય સરકારે વધુ એક નવી નગરપાલિકાની રચના કરી, ધારી ૧૬૦મી નગરપાલિકા બનશે
રાજય સરકારે વધુ એક નવી નગરપાલિકાની રચના કરી, ધારી ૧૬૦મી નગરપાલિકા બનશે
ગામડેથી પાછા આવ્યા બાદ એકનાથ શિંદેનું પહેલું મોટું નિવેદન, કહ્યું -  મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તો....
ગામડેથી પાછા આવ્યા બાદ એકનાથ શિંદેનું પહેલું મોટું નિવેદન, કહ્યું - મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તો....
'ઓછામાં ઓછા 3 બાળકો હોવા જોઈએ', RSS ચીફ મોહન ભાગવતનું મોટું નિવેદન
'ઓછામાં ઓછા 3 બાળકો હોવા જોઈએ', RSS ચીફ મોહન ભાગવતનું મોટું નિવેદન
શેરબજારમાંથી બમ્પર કમાણી કરવાની તક, આ સપ્તાહે 3 IPO ખુલશે, 8 લિસ્ટ થશે
શેરબજારમાંથી બમ્પર કમાણી કરવાની તક, આ સપ્તાહે 3 IPO ખુલશે, 8 લિસ્ટ થશે
શું કાર ખરીદતાની સાથે જ રેશનકાર્ડ રદ થઈ જાય છે? સરકારના આ નિયમથી મુશ્કેલીમાં વધારો થશે
શું કાર ખરીદતાની સાથે જ રેશનકાર્ડ રદ થઈ જાય છે? સરકારના આ નિયમથી મુશ્કેલીમાં વધારો થશે
દર ત્રીજું બાળક છે આ ખતરનાક રોગનો શિકાર, માતા-પિતા થઈ જાય સાવધાન!
દર ત્રીજું બાળક છે આ ખતરનાક રોગનો શિકાર, માતા-પિતા થઈ જાય સાવધાન!
Delhi Election 2025: દિલ્હી વિધાનસભા ચૂંટણી પહેલા ગઠબંધનને લઈ AAPએ કરી દિધી મોટી જાહેરાત 
Delhi Election 2025: દિલ્હી વિધાનસભા ચૂંટણી પહેલા ગઠબંધનને લઈ AAPએ કરી દિધી મોટી જાહેરાત 
શું વધુ પાણી પીવાથી વજન ઘટે છે, જાણો આ વાત કેટલી સાચી છે?
શું વધુ પાણી પીવાથી વજન ઘટે છે, જાણો આ વાત કેટલી સાચી છે?
Embed widget