શોધખોળ કરો

Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો

નાણાપ્રધાન નિર્મલા સીતારમણ 23 જૂલાઈના રોજ મોદી 3.0નું પહેલું અને તેમનું સતત સાતમું કેન્દ્રીય બજેટ રજૂ કરશે

નાણાપ્રધાન નિર્મલા સીતારમણ 23 જૂલાઈના રોજ મોદી 3.0નું પહેલું અને તેમનું સતત સાતમું કેન્દ્રીય બજેટ રજૂ કરશે. દરેકને આ બજેટથી ઘણી અપેક્ષાઓ છે, ખાસ કરીને નોકરી કરતા લોકોને આશા છે કે સરકાર બજેટમાં પ્રોવિડન્ટ ફંડ (PF) હેઠળ પગાર મર્યાદા વધારી શકે છે. આમાં છેલ્લો ફેરફાર એક દાયકા પહેલા થયો હતો, જ્યારે મર્યાદા વધારીને 15,000 રૂપિયા કરવામાં આવી હતી.

પ્રોવિડન્ટ ફંડ શું છે?

પીએફ એટલે કે પ્રોવિડન્ટ ફંડ એક સરકારી યોજના છે. તેનો ઉદ્દેશ્ય કર્મચારીઓને આર્થિક રીતે સશક્તિકરણ કરીને સામાજિક સુરક્ષા પ્રદાન કરવાનો છે. જો કોઈ કંપનીમાં 20 કે તેથી વધુ કર્મચારીઓ હોય તો તેણે એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ (EPF)માં નોંધણી કરાવવી પડશે. પછી બેઝિક વેતન અને મોંઘવારી ભથ્થા સહિત દર મહિને 15,000 રૂપિયા કમાતા પગારદાર કર્મચારીઓએ ફંડમાં 12 ટકા યોગદાન આપવું પડશે. તેમની કંપની પણ આ ફંડમાં સમાન ફાળો આપે છે.

કર્મચારીનું યોગદાન સંપૂર્ણપણે પીએફમાં જાય છે. એમ્પ્લોયર એટલે કે કંપની અથવા સંસ્થાના 12 ટકા યોગદાનમાંથી, 3.67 ટકા EPFમાં જાય છે અને 8.33 ટકા EPS એટલે કે કર્મચારી પેન્શન યોજનામાં જાય છે.

પ્રોવિડન્ટ ફંડના ફાયદા શું છે?

પ્રોવિડન્ટ ફંડનો હેતુ કર્મચારીને નિવૃત્તિ પછી આર્થિક રીતે સ્વતંત્ર રાખવાનો છે, જેથી તેણે મદદ માટે કોઇ સામે હાથ લંબાવો પડે નહીં.  પરંતુ તમે નિવૃત્તિ પહેલાં કેટલીક વિશેષ જરૂરિયાતો માટે પીએફમાંથી ઉપાડી શકો છો. જેમ કે ઘર ખરીદવું કે બનાવવું, બાળકોના શિક્ષણ કે મેડિકલ ખર્ચ માટે પણ પૈસા ઉપાડવાની છૂટ છે.

પ્રોવિડન્ટ ફંડ સાથે સંકળાયેલા કર્મચારીઓને તેમની બચત પર વાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજ પણ મળે છે. આનો અર્થ એ છે કે વ્યાજની રકમ પણ મૂળ રકમમાં ઉમેરવામાં આવે છે અને પછી તેના પર પણ વ્યાજ મળે છે. આનાથી કર્મચારીઓને લાંબા ગાળે એક મોટી રકમ મળે છે.

પીએફના નાણાંનું સંચાલન કોણ કરે છે?

પ્રોવિડન્ટ ફંડની દેખરેખ ટ્રસ્ટી મંડળ દ્વારા કરવામાં આવે છે, જેને સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝ કહેવાય છે. તેમાં કેન્દ્ર અને રાજ્ય સરકારોની સાથે નોકરીદાતાઓ અને કર્મચારીઓના પ્રતિનિધિઓનો સમાવેશ થાય છે. આ બોર્ડ દેશમાં સંગઠિત ક્ષેત્રોમાં કામ કરતા કર્મચારીઓ માટે ફાળો આપનાર ભવિષ્ય નિધિ, પેન્શન યોજનાઓ અને વીમા યોજનાઓનું સંચાલન કરે છે.

આ બોર્ડને એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન (EPFO) દ્વારા મદદ કરવામાં આવે છે જેની દેશભરમાં 120થી વધુ ઓફિસો છે. નાણાકીય વ્યવહારોના જથ્થા દ્વારા તે વિશ્વની સૌથી મોટી સંસ્થાઓમાંની એક છે. EPFO ભારત સરકારના શ્રમ અને રોજગાર મંત્રાલયના વહીવટી નિયંત્રણ હેઠળ આવે છે.

નવી PF મર્યાદા શું હશે?

પીએફ મર્યાદામાં છેલ્લો ફેરફાર સપ્ટેમ્બર 2014માં થયો હતો. તે સમયે તે સાડા છ હજારથી વધારીને 15 હજાર રૂપિયા કરવામાં આવી હતી. જો આપણે એમ્પ્લોઈઝ સ્ટેટ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન (ESIC) વિશે વાત કરીએ તો 2017 થી 21,000 રૂપિયાની ઊંચી પગાર મર્યાદા છે. સરકારની અંદર સર્વસંમતિ છે કે બે સામાજિક સુરક્ષા યોજનાઓ હેઠળ પગારની મર્યાદા સમાન હોવી જોઈએ. EPFO અને ESIC બંને શ્રમ અને રોજગાર મંત્રાલયના વહીવટી નિયંત્રણ હેઠળ છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, શ્રમ અને રોજગાર મંત્રાલયે PF લિમિટમાં ફેરફાર કરવાનો પ્રસ્તાવ તૈયાર કર્યો છે. આમાં પીએફ લિમિટ 15 હજાર રૂપિયાથી વધારીને 25 હજાર રૂપિયા કરી શકાય છે. હાલમાં 15,000 રૂપિયાથી વધુ પગાર ધરાવતા કર્મચારીઓ માટે પીએફ પસંદ કરવું સ્વૈચ્છિક છે. જો કે, જો આગામી બજેટમાં હાલની મર્યાદા વધારવામાં આવે છે તો આ યોજના હેઠળ આવતા નવા કર્મચારીઓને તેમના પગાર માળખામાં કેટલાક ફેરફારો જોવા મળી શકે છે.

પીએફ મર્યાદા વધારવાનો ફાયદો

પીએફ હેઠળ પગાર મર્યાદા વધારવાનો સીધો અર્થ એ છે કે વધુ પૈસા તમારા પીએફ ખાતા અને પેન્શન ખાતામાં જશે. આમાં ફક્ત તમારા યોગદાનમાં વધારો થશે નહીં, તમારા એમ્પ્લોયરને પણ પીએફ હેઠળ પગાર મર્યાદા વધારવાનો ફાયદો થશે, કારણ કે હાલમાં મોટાભાગના રાજ્યોમાં લઘુત્તમ વેતન 18,000 થી 25,000 રૂપિયાની વચ્ચે છે. આ મર્યાદા વધારવાથી સરકાર અને ખાનગી ક્ષેત્ર બંને પર ભારે નાણાકીય અસર પડશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Mutual Funds કે FD, વધારે રિટર્ન ક્યાં મળશે, આ કેલક્યુલેશનથી જાણો સમગ્ર ગણિત 
Mutual Funds કે FD, વધારે રિટર્ન ક્યાં મળશે, આ કેલક્યુલેશનથી જાણો સમગ્ર ગણિત 
8મું પગાર પંચ: કેન્દ્રીય કર્મચારીઓને મોટો ઝટકો, સરકારે 'પતિ-પત્ની એક જ જગ્યાએ પોસ્ટિંગ'ની માંગ ફગાવી!
8મું પગાર પંચ: કેન્દ્રીય કર્મચારીઓને મોટો ઝટકો, સરકારે 'પતિ-પત્ની એક જ જગ્યાએ પોસ્ટિંગ'ની માંગ ફગાવી!
8th Pay Commission: સરકારી કર્મચારીઓને બખ્ખા!  પગારમાં થઈ શકે છે 35% સુધીનો વધારો?
8th Pay Commission: સરકારી કર્મચારીઓને બખ્ખા!  પગારમાં થઈ શકે છે 35% સુધીનો વધારો?
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ઘટાડો યથાવત; આજે ફરી સોનાની ચમક ઓછી થઈ, જાણો તમારા શહેરનો રેટ
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ઘટાડો યથાવત; આજે ફરી સોનાની ચમક ઓછી થઈ, જાણો તમારા શહેરનો રેટ

વિડિઓઝ

Gujarat Assembly : ગુજરાતની શાળાઓમાં AIનો અભ્યાસ દાખલ કરાશેઃ મોઢવાડિયા
Gold Silver Price Down : સોના-ચાંદીના ભાવમાં ફરી એકવાર કડાકો, કેટલો ઘટ્યો ભાવ?
Hun To Bolish : હું તો બોલીશ : બટાકાના ખેડૂતો કેમ થયા બરબાદ?
Ahmedabad news: અમદાવાદના બાપુનગરમાં ધો.11માં અભ્યાસ કરતા વિદ્યાર્થી પર હુમલો
Surat news: સુરતના પાંડેસરામાં ચાર વિદ્યાર્થીઓએ એક વિદ્યાર્થી પર છરીથી કર્યો હુમલો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પશ્ચિમ બંગાળમાં BJP એ 144 ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર, મમતા સામે આ દિગ્ગજ નેતાને આપી ટિકિટ 
પશ્ચિમ બંગાળમાં BJP એ 144 ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર, મમતા સામે આ દિગ્ગજ નેતાને આપી ટિકિટ 
ગેસ સંકટ થશે દૂર: હોર્મુઝની ખાડી પાર કરી LPG ભરેલું જહાજ 'શિવાલિક' મુન્દ્રા પોર્ટ પહોંચ્યું, ભારતની કૂટનીતિની મોટી જીત
ગેસ સંકટ થશે દૂર: હોર્મુઝની ખાડી પાર કરી LPG ભરેલું જહાજ 'શિવાલિક' મુન્દ્રા પોર્ટ પહોંચ્યું, ભારતની કૂટનીતિની મોટી જીત
બંગાળમાં મમતા દીદીનો જાદુ ઓસર્યો? ઓપિનિયન પોલમાં ભાજપને ફાયદો થવાનું અનુમાન! જાણો કેટલી બેઠક મળશે
બંગાળમાં મમતા દીદીનો જાદુ ઓસર્યો? ઓપિનિયન પોલમાં ભાજપને ફાયદો થવાનું અનુમાન! જાણો કેટલી બેઠક મળશે
ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે માવઠાની આગાહી: 18 થી 20 માર્ચ સુધી પલટાશે વાતાવરણ, જાણો ક્યાં પડશે વરસાદ
ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે માવઠાની આગાહી: 18 થી 20 માર્ચ સુધી પલટાશે વાતાવરણ, જાણો ક્યાં પડશે વરસાદ
સુરતમાં રત્નકલાકાર પતિની હેવાનિયત: ઘરમાં દારૂની મહેફિલ બાદ પત્નીને 3 મિત્રોને સોંપી, નરાધમોએ કર્યો ગેંગરેપ
સુરતમાં રત્નકલાકાર પતિની હેવાનિયત: ઘરમાં દારૂની મહેફિલ બાદ પત્નીને 3 મિત્રોને સોંપી, નરાધમોએ કર્યો ગેંગરેપ
Kerala BJP Candidates List: કેરળમાં ભાજપે 47 ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર, જાણો કોને-કોને મળી ટિકિટ 
Kerala BJP Candidates List: કેરળમાં ભાજપે 47 ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર, જાણો કોને-કોને મળી ટિકિટ 
RCB ફેન્સ માટે ખુશખબરી! બેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાશે IPL મેચ, કર્ણાટક સરકારે આપી મંજૂરી 
RCB ફેન્સ માટે ખુશખબરી! બેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાશે IPL મેચ, કર્ણાટક સરકારે આપી મંજૂરી 
Surat News: સુરતમાં ધોરણ 10 ના વિદ્યાથી પર છરી વડે હુમલો, બોર્ડ પરીક્ષાના બાકીના પેપર નહીં આપી શકે
Surat News: સુરતમાં ધોરણ 10 ના વિદ્યાથી પર છરી વડે હુમલો, બોર્ડ પરીક્ષાના બાકીના પેપર નહીં આપી શકે
Embed widget