શોધખોળ કરો

Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો

નાણાપ્રધાન નિર્મલા સીતારમણ 23 જૂલાઈના રોજ મોદી 3.0નું પહેલું અને તેમનું સતત સાતમું કેન્દ્રીય બજેટ રજૂ કરશે

નાણાપ્રધાન નિર્મલા સીતારમણ 23 જૂલાઈના રોજ મોદી 3.0નું પહેલું અને તેમનું સતત સાતમું કેન્દ્રીય બજેટ રજૂ કરશે. દરેકને આ બજેટથી ઘણી અપેક્ષાઓ છે, ખાસ કરીને નોકરી કરતા લોકોને આશા છે કે સરકાર બજેટમાં પ્રોવિડન્ટ ફંડ (PF) હેઠળ પગાર મર્યાદા વધારી શકે છે. આમાં છેલ્લો ફેરફાર એક દાયકા પહેલા થયો હતો, જ્યારે મર્યાદા વધારીને 15,000 રૂપિયા કરવામાં આવી હતી.

પ્રોવિડન્ટ ફંડ શું છે?

પીએફ એટલે કે પ્રોવિડન્ટ ફંડ એક સરકારી યોજના છે. તેનો ઉદ્દેશ્ય કર્મચારીઓને આર્થિક રીતે સશક્તિકરણ કરીને સામાજિક સુરક્ષા પ્રદાન કરવાનો છે. જો કોઈ કંપનીમાં 20 કે તેથી વધુ કર્મચારીઓ હોય તો તેણે એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ (EPF)માં નોંધણી કરાવવી પડશે. પછી બેઝિક વેતન અને મોંઘવારી ભથ્થા સહિત દર મહિને 15,000 રૂપિયા કમાતા પગારદાર કર્મચારીઓએ ફંડમાં 12 ટકા યોગદાન આપવું પડશે. તેમની કંપની પણ આ ફંડમાં સમાન ફાળો આપે છે.

કર્મચારીનું યોગદાન સંપૂર્ણપણે પીએફમાં જાય છે. એમ્પ્લોયર એટલે કે કંપની અથવા સંસ્થાના 12 ટકા યોગદાનમાંથી, 3.67 ટકા EPFમાં જાય છે અને 8.33 ટકા EPS એટલે કે કર્મચારી પેન્શન યોજનામાં જાય છે.

પ્રોવિડન્ટ ફંડના ફાયદા શું છે?

પ્રોવિડન્ટ ફંડનો હેતુ કર્મચારીને નિવૃત્તિ પછી આર્થિક રીતે સ્વતંત્ર રાખવાનો છે, જેથી તેણે મદદ માટે કોઇ સામે હાથ લંબાવો પડે નહીં.  પરંતુ તમે નિવૃત્તિ પહેલાં કેટલીક વિશેષ જરૂરિયાતો માટે પીએફમાંથી ઉપાડી શકો છો. જેમ કે ઘર ખરીદવું કે બનાવવું, બાળકોના શિક્ષણ કે મેડિકલ ખર્ચ માટે પણ પૈસા ઉપાડવાની છૂટ છે.

પ્રોવિડન્ટ ફંડ સાથે સંકળાયેલા કર્મચારીઓને તેમની બચત પર વાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજ પણ મળે છે. આનો અર્થ એ છે કે વ્યાજની રકમ પણ મૂળ રકમમાં ઉમેરવામાં આવે છે અને પછી તેના પર પણ વ્યાજ મળે છે. આનાથી કર્મચારીઓને લાંબા ગાળે એક મોટી રકમ મળે છે.

પીએફના નાણાંનું સંચાલન કોણ કરે છે?

પ્રોવિડન્ટ ફંડની દેખરેખ ટ્રસ્ટી મંડળ દ્વારા કરવામાં આવે છે, જેને સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝ કહેવાય છે. તેમાં કેન્દ્ર અને રાજ્ય સરકારોની સાથે નોકરીદાતાઓ અને કર્મચારીઓના પ્રતિનિધિઓનો સમાવેશ થાય છે. આ બોર્ડ દેશમાં સંગઠિત ક્ષેત્રોમાં કામ કરતા કર્મચારીઓ માટે ફાળો આપનાર ભવિષ્ય નિધિ, પેન્શન યોજનાઓ અને વીમા યોજનાઓનું સંચાલન કરે છે.

આ બોર્ડને એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન (EPFO) દ્વારા મદદ કરવામાં આવે છે જેની દેશભરમાં 120થી વધુ ઓફિસો છે. નાણાકીય વ્યવહારોના જથ્થા દ્વારા તે વિશ્વની સૌથી મોટી સંસ્થાઓમાંની એક છે. EPFO ભારત સરકારના શ્રમ અને રોજગાર મંત્રાલયના વહીવટી નિયંત્રણ હેઠળ આવે છે.

નવી PF મર્યાદા શું હશે?

પીએફ મર્યાદામાં છેલ્લો ફેરફાર સપ્ટેમ્બર 2014માં થયો હતો. તે સમયે તે સાડા છ હજારથી વધારીને 15 હજાર રૂપિયા કરવામાં આવી હતી. જો આપણે એમ્પ્લોઈઝ સ્ટેટ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન (ESIC) વિશે વાત કરીએ તો 2017 થી 21,000 રૂપિયાની ઊંચી પગાર મર્યાદા છે. સરકારની અંદર સર્વસંમતિ છે કે બે સામાજિક સુરક્ષા યોજનાઓ હેઠળ પગારની મર્યાદા સમાન હોવી જોઈએ. EPFO અને ESIC બંને શ્રમ અને રોજગાર મંત્રાલયના વહીવટી નિયંત્રણ હેઠળ છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, શ્રમ અને રોજગાર મંત્રાલયે PF લિમિટમાં ફેરફાર કરવાનો પ્રસ્તાવ તૈયાર કર્યો છે. આમાં પીએફ લિમિટ 15 હજાર રૂપિયાથી વધારીને 25 હજાર રૂપિયા કરી શકાય છે. હાલમાં 15,000 રૂપિયાથી વધુ પગાર ધરાવતા કર્મચારીઓ માટે પીએફ પસંદ કરવું સ્વૈચ્છિક છે. જો કે, જો આગામી બજેટમાં હાલની મર્યાદા વધારવામાં આવે છે તો આ યોજના હેઠળ આવતા નવા કર્મચારીઓને તેમના પગાર માળખામાં કેટલાક ફેરફારો જોવા મળી શકે છે.

પીએફ મર્યાદા વધારવાનો ફાયદો

પીએફ હેઠળ પગાર મર્યાદા વધારવાનો સીધો અર્થ એ છે કે વધુ પૈસા તમારા પીએફ ખાતા અને પેન્શન ખાતામાં જશે. આમાં ફક્ત તમારા યોગદાનમાં વધારો થશે નહીં, તમારા એમ્પ્લોયરને પણ પીએફ હેઠળ પગાર મર્યાદા વધારવાનો ફાયદો થશે, કારણ કે હાલમાં મોટાભાગના રાજ્યોમાં લઘુત્તમ વેતન 18,000 થી 25,000 રૂપિયાની વચ્ચે છે. આ મર્યાદા વધારવાથી સરકાર અને ખાનગી ક્ષેત્ર બંને પર ભારે નાણાકીય અસર પડશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ચાંદીમાં કડાકો
Hun To Bolish : હું તો બોલીશ : કોંગ્રેસના કિરીટ પટેલના બાગી સૂર!
Hun To Bolish : હું તો બોલીશ : લંચ બોક્સમાં ના આપતા જંક ફૂડ
Talala Earthquake : તાલાલામાં એક જ દિવસમાં અનુભવાયા ભૂકંપના 4 આંચકા
Silver Price Down : ચાંદીના ભાવમાં મોટો કડાકો, એક જ દિવસમાં ઘટ્યા 7 હજાર રૂપિયા

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર
3002 વિદ્યાર્થીઓના મોત બાદ ગુજરાત સરકાર જાગી! કોલેજો માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, વાલીઓ ખાસ વાંચે
3002 વિદ્યાર્થીઓના મોત બાદ ગુજરાત સરકાર જાગી! કોલેજો માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, વાલીઓ ખાસ વાંચે
શું હેડ કોચ ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે ? BCCI ઉપપ્રમુખ રાજીવ શુક્લાએ કર્યો ખુલાસો
શું હેડ કોચ ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે ? BCCI ઉપપ્રમુખ રાજીવ શુક્લાએ કર્યો ખુલાસો
શું કોઈ મોટી આફતના એંધાણ? તાલાલામાં એક જ દિવસમાં 4 ભૂકંપ, લોકોમાં ભારે ફફડાટ
શું કોઈ મોટી આફતના એંધાણ? તાલાલામાં એક જ દિવસમાં 4 ભૂકંપ, લોકોમાં ભારે ફફડાટ
માત્ર એક કલાકમાં 21000 રુપિયા તૂટ્યો ચાંદીનો ભાવ, પ્રથમ વખત 2.51 લાખને પાર પહોંચ્યા બાદ મોટો ઘટાડો
માત્ર એક કલાકમાં 21000 રુપિયા તૂટ્યો ચાંદીનો ભાવ, પ્રથમ વખત 2.51 લાખને પાર પહોંચ્યા બાદ મોટો ઘટાડો
Embed widget